Ahmedabad Plane Crash: વિમાન દુર્ઘટનાનો ખુલાસો, AAIB રિપોર્ટ મુજબ માનવ ભૂલ કે ટેક્નિકલ ખામી?

Halima Shaikh
2 Min Read

Ahmedabad Plane Crash: એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની પાછળનો ચોંકાવનારો ખુલાસો

Ahmedabad Plane Crash 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ AI-171 દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ તેના પ્રાથમિક તપાસ રિપોર્ટમાં જણાવ્યું છે કે વિમાનના એન્જિનને ટેકઓફ દરમિયાન ઇંધણ પૂરું પાડતા સ્વીચ અચાનક “કટઓફ” મોડમાં જતા બન્ને એન્જિન બંધ થઈ ગયા હતા.

વિમાન દુર્ઘટનાના મુખ્ય મુદ્દા

  1. ઇંધણ સપ્લાય : બંને એન્જિનના ફ્યુઅલ સ્વીચ ટેકઓફ પછી માત્ર 1 સેકન્ડના અંતરાલે કટઓફ સ્થિતિમાં જતા વિમાનમાં તાત્કાલિક પાવર ગુમ થઈ.Air India.11.jpg
  2. પાઇલટ વચ્ચે સંવાદ: કોકપીટ રેકોર્ડિંગ મુજબ એક પાઇલોટે પૂછ્યું “સ્વીચ કેમ બંધ કર્યો?” પણ જવાબ મળ્યો કે તે કામપાયલોટે ન કર્યું હતું.
  3. મેડે કોલ પછી કાર્યવાહી: પાઇલટ દ્વારા તરત જ મેડે સંદેશ મોકલાયો અને ATC દ્વારા કટોકટી જાહેર કરવામાં આવી.
  4. એક એન્જિન પુનઃસક્રિય, બીજું નિષ્ક્રિય: સ્વીચ ફરીથી ચાલુ કરાતા એક એન્જિન ચાલુ થયું, પરંતુ બીજું એન્જિન બંધ રહ્યું.
  5. મૃત્યુઆંક અને નુકસાન: ક્રેશમાં કુલ 258 લોકો મોતને ભેટ્યા જેમાં 229 મુસાફરો, 10 ક્રૂ અને 19 સ્થાનીક નાગરિકો હતા – જેમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ સામેલ હતા.Air India.1.jpg

તપાસમાં લીધેલી પગલાં:

  • વિમાનના કાટમાળ અને એન્જિનને એરપોર્ટ હેંગરમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે.
  • DGCA લેબમાં ઇંધણના નમૂનાઓની તપાસ કરવામાં આવી છે.
  • તમામ ડેટા, સાક્ષીઓના નિવેદનો અને તકનિકી પુરાવાઓ એકત્રિત કરાયા છે.

વિમાનની માહિતી:
AI-171 Boeing 787-8 Dreamliner વિમાન એ અમદાવાદથી લંડન જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ હતી.

 

Share This Article