તિરુમાલાઃ અત્યારે ભારત સહિત આખા વિશ્વમાં કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. અને લાખો લોકો કોરોના વાયરસનો ભોગ બની મોતને ભેટ્યાં છે. ત્યારે તમિલનાડુના એક વ્યક્તિએ કોરોનામાંથી જીવ બચતા તિરુમાલાના તિરુપતિ બાલાજી મંદિરને બે કરોડ રૂપિયાના મૂલ્યના સાડા ત્રણ કિલો સોનાના શંખ અને ચક્રને મંદિરમાં દાન કર્યા હતા.
ઉલ્લેખનયી છે કે તિરુપતિ મંદિર ભારતના સૌથી અમિર મંદિરોમાં ગણવામાં આવે છે. સાથે જ બાલાજીને ભારતના સૌથી અમીર દેવાત હોવાનું તખ્ખલુશ પણ મળ્યું છે. બે કરોડના શંખ-ચક્રના ચઢાવા બાદ એકવાર ફરીથી તિરુપતિ બાલાજી ચર્ચામાં છે.
અધિકારીઓને જણાવ્યું કે મંદિરના મુખ્ય દેવતાને આ ઘરેણા પહેરવામાં આવશે. આવું પહેલીવાર નથી બન્યુ કે મંદિરના દેવાતાને સોનું ચઢાવવામાં આવ્યું હોય. છાસવારે મંદિરમાં સોનું દાન કરવામાં આવે છે.
તિરુપતિને દુનિયાનું સૌથી અમિર મંદિરોમાં ગણવામાં આવે છે. ભગવાન વિષ્ણુ બિરાજે છે. લોકો અહીં પોતાની મનોકામના લઈને આવે છે જ્યારે તે પુરી થાય છે. ત્યારે અહીં દાન કરે છે. આ કારણે આ મંદિરની દાન પેટી હંમેશા ભરાયેલી રહે છે.
કેશ ઉપરાંત અહીં ભક્તો સોનું ચઢાવે છે. એક અનુમાન પ્રમાણે મંદિરના ખજાનામાં આઠ ટન આભુષણો છે. આ સાથે જ અલગ અલગ બેંકોમાં મંદિરના નામ ઉપર 3 હજાર કિલો સોનું છે. મંદિર એટલું ધનવાન છે કે અનેક બેન્કોમાં મંદિરન નામથી 1 હજાર કરોડ રૂપિયાની એફડીઓ પણ છે. એક રિપોર્ટ પ્રમાણે બાલાજીની વાર્ષીક કમાણી 650 કરોડ રૂપિયા છે.
તિરુપતિ બાલાજીના દર્શન માટે દરરોજ લાખો શ્રદ્ધાળુઓ આવે છે. આ મંદિરની કુલ સંપત્તી 50 હજાર કરોડથી વધારે છે. માત્ર નવરાત્રીના સમયેમાં આ મંદિરમાં 12થી 15 કરોડનો ચઢાવો આવે છે.