નવી દિલ્દીઃ ભિખારી આપણી પાસેથી માંગેલા બે-પાંચ-દસ રૂપિયા ભેગા કરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે દેશમાં એવા કેટાલક ભિખારી છે જેમનું કામ ભીખ માંગવાનું છે પરંતુ કરોડોની સંપત્તીના આસામી છે. અહીં આપણે દેશના પાંચ અમીર ભિખારી વિશે વાત કરીશું જેમની પાસે ફ્લેટ સહિત કરોડો રૂપિયાની સંપત્તી છે.
પત્રિકામાં પ્રસિદ્ધ થયેલા એક રિપોર્ટ પ્રમાણે સૌથી પાંચ સમૃદ્ધ ભિખારીઓમાં પ્રથમ નામ મુંબઈના પરેલ ક્ષેત્રમાં ભીખ માંગનાર ભરત જૈનનું આવે છે. ભરત પાસે મુંબઈમાં બે ફ્લેટ છે, જેની કુલ અંદાજિત કિંમત 140 લાખ રૂપિયા છે. મતલબ કે ભિખારી પાસે 1.40 કરોડ રૂપિયાની સંપત્તિ છે. રિપોર્ટ્સ પ્રમાણે ભરત જૈન દર મહિને ભીખ માંગીને 75,000 રૂપિયાની કમાણી કરે છે.
બીજા નંબર પર કોલકાત્તાની લક્ષ્મી આવે છે. લક્ષ્મી જ્યારે 16 વર્ષની હતી ત્યારથી જ તેણીએ ભીખ માંગવાની શરૂઆત કરી હતી. 1964થી અત્યારસુધી ભીખ માંગીને તેણીએ લાખો રૂપિયાની સંપત્તિ એકઠી કરી છે. આજના સમયમાં લક્ષ્મી દરરોજ ભીખ માંગીને એક હજાર રૂપિયાની કમાણી કરે છે.
અમીર ભિખારીઓની યાદીમાં ત્રીજા નંબર પર મુંબઈમાં રહેતી ગીતા આવે છે. રિપોર્ટ પ્રમાણે ગીતા મુંબઈના ચર્ની રોડ પાસે ભીખ માંગે છે. કહેવામાં આવી રહ્યું છે કે ભીખ માંગીને એકઠા કરેલા પૈસાથી તેણીએ એક ફ્લેટ ખરીદ્યો છે. દરરોજ ભીખ માંગીને તેણી 1,500 રૂપિયાની આસપાસ કમાણી કરે છે. આ રીતે તેની મહિનાની આવક 45,000 રૂપિયા છે.
ચોથા નંબર પર ચંદ્ર આઝાદનું નામ આવે છે. 2019માં રેલવે દુર્ઘટનામાં ચંદ્ર આઝાદનું નિધન થઈ ગયું હતું. જે બાદમાં પોલીસને તેની સંપત્તિ વિશે માલુમ પડ્યું હતું. તેના બેંક ખાતામાં 8.50 લાખ રૂપિયા અને સાથે જ તેની પાસેથી 1.50 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.
બિહારની રાજધાની પટનાના પ્લેટફોર્મ પર ભીખ માંગનાર પપ્પૂ અમીર ભિખારીઓની યાદીમાં પાંચમાં ક્રમે છે. એક દુર્ઘટનામાં પપ્પૂએ પોતાનો પગ ગુમાવી દીધો હતો. જે બાદમાં તેણે રેલવે સ્ટેશન પર ભીખ માંગવાની શરૂઆત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણ પપ્પૂ પાસે આશરે 1.25 કરોડ રૂપિયાની સંપત્તિ છે.