India: રોગચાળો, બેરોજગારી અને મોંઘવારીએ સામાન્ય લોકોમાં કફોડી સ્થિતિ સર્જી છે. અંગ્રેજ રાજ પછી સૌથી વધારે આર્થિક અસમાનતા આવી ગઈ તે નીચું મતદાન કારણ હોઈ શકે છે
2022-23માં પરિવારોની ચોખ્ખી નાણાકીય સંપત્તિ GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ના માત્ર 5.1 ટકા પર આવી ગઈ છે. જે પાંચ વર્ષમાં સૌથી નીચું સ્તર છે. 2020-21 કરતાં અડધા કરતાં પણ ઓછું છે. લોકસભાની ચૂંટણીમાં જો લોકોએ સમજી વિચારીને મતદાન કર્યું હોય તો તે પોતાની આવક વધારે એવી સરકાર લાવવા સક્ષમ હતા. જે પરિણામો બાદ ખબર પડશે. પણ મોદી સરકાર આવશે તો એ નક્કી છે કે, ગરીબી વધવાની છે. મધ્યમ વર્ગની આવક હજુ નીચે જશે. શ્રીમંતોની સંપત્તિ 3 ગણી 5 વર્ષમાં થઈ શકે તેમ છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના તાજેતરના અહેવાલ અનુસાર, માત્ર નાણાકીય અસ્કયામતોના છે, એટલે કે બેંક અને નોન-બેંક થાપણો, રોકડ, ઈક્વિટીમાં રોકાણ, વીમા અને પેન્શન ફંડ વગેરે. જેમાં લોન બાદ કરીને વિગતો આપવામાં આવી છે.
દેશના મોટાભાગના નાગરિકો પાસે નાણાં ઓછા થયા છે. જેમાં બચતનું મુખ્ય સ્વરૂપ છે. ઓછી આવક, ઊંચો ફુગાવો અને બેરોજગારી જવાબદાર છે.
પરિવારો બચતનો ઉપયોગ જીવનને ટકાવી રહેવા માટે કરતા હોય છે. હવે ઘણાં પરિવારો એવા છે કે જે બિલકુલ બચત નથી કરતા.
પરિવારોની જવાબદારીઓ વધી છે. મુખ્યત્વે દેવું વધ્યું છે. હાથ પરના રૂપિયા ઘટી ગયા છે. ચોખ્ખી નાણાકીય સંપત્તિમાં ઘટાડો થયો છે.
ઉચ્ચ મધ્યમ વર્ગ અને પૈસાદાર વર્ગ સોના, ચાંદી, જમીન, મકાનોમાં રોકાણ કરવાનું પસંદ કરી શકે છે.
દેવું વધી રહ્યું છે
RBI ડેટા પ્રમાણે 2020-21માં, નાણાકીય અસ્કયામતો ઝડપથી વધીને લગભગ રૂ. 31 લાખ કરોડ થઈ ગઈ હતી. લોકડાઉનના કારણે આમ થયું હતું. બેંકો કે શેરોમાં જે હતું તેમાં જ રહી ગયું.
પછીના વર્ષે, અર્થતંત્ર પુનઃપ્રાપ્ત થતાં મોટો ઘટાડો થયો. 2022-23માં, સંપત્તિમાં વધુ વધારો થયો હતો. જો કે 2020-21માં ટોચ કરતાં સહેજ નીચે પૈસા લોકો પાસે રહ્યાં હતા.
2022-23માં લોન વધીને રૂ. 15.8 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. બચત અડધી થઈ ગઈ છે.
લોકો વધુને વધુ દેવાદાર બની રહ્યા છે. આ કારણે તેમની ચોખ્ખી નાણાકીય સંપત્તિ ઝડપથી ઘટીને રૂ. 13.8 લાખ કરોડ થઈ ગઈ છે.
બેંકો પાસેથી 77 ટકા લોન, બાકીની 33 ટકા લોન નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ અથવા વીમા કંપનીઓ વગેરે પાસેથી લેવામાં આવી છે.
2018-19 અને 2022-23માં લોનમાં વાર્ષિક 26 ટકાથી વધુનો વધારો થયો છે. જે બતાવે છે કે લોકો લોન લેવા મજબૂર બની રહ્યાં છે.
નાણાંને બેંક થાપણો આ અસ્કયામતોમાં 35 ટકા હોય છે.
પ્રોવિડન્ટ અને પેન્શન ફંડમાં 22 ટકા),
જીવન વીમા ફંડ 18 ટકા,
નાની બચત 7 ટકા થઈ ગઈ છે.
પૈસા માત્ર 7 ટકા રોકાણના વિવિધ ખાતાઓમાં રાખવામાં આવે છે. જે મોટાભાગે મ્યુચ્યુઅલ ફંડમાં છે, માત્ર 0.8 ટકા ઇક્વિટી (શેર)માં છે. આ બતાવે છે કે ભારતીય લોકોનો તે ખૂબ જ નાનો વર્ગ છે જે શેરબજારમાં રોકાણ કરે છે.
આટલું ઓછા પૈસા શેરબજારમાં જતાં હોવા છતાં પત્રકારો, મિડિયા માલિકો, ઉદ્યોગપતિઓ અને સરકાર પોતે શેહરબજારને વધારે પડતું મહત્વ આપી રહ્યાં છે. કારણ કે ધનવાન લોકો જ શેરબજારમાં પૈસા રોકી રહ્યાં છે. જેમાં મોટો હિસ્સો તો ઉદ્યોગપતિઓનો કે કંપનીઓનો છે.
થાપણો
2018-19 અને 2022-23 વચ્ચેના સમયગાળામાં બેંકમાં થાપણો વધી છે, જેમકે જીવન વીમા ભંડોળ, વાર્ષિક આશરે 9 ટકા વધ્યું છે.
ભવિષ્ય અને પેન્શન ફંડમાં વાર્ષિક આશરે 16 ટકાનો વધારો થયો છે.
રોકાણમાં વર્ષમાં લગભગ 6 ટકાનો વધારો થયો છે, જો કે ઇક્વિટીમાં રોકાણનો નાનો હિસ્સો વર્ષમાં 65 ટકાથી વધુ વધ્યો છે, કદાચ ફોન-આધારિત રોકાણ એપ્લિકેશનોના પ્રસારને કારણે.
સોનું – રિયલ એસ્ટેટ
2021-22માં ભૌતિક અસ્કયામતોમાં બચત રૂ. 28 લાખ કરોડ હોવાનો અંદાજ છે, જે તે વર્ષની નાણાકીય સંપત્તિના સંદર્ભમાં કુલ બચતના 107 ટકા છે. સોના અને ચાંદીમાં બચત આશરે રૂ. 60,000 કરોડ હોવાનો અંદાજ છે, જે નાણાકીય અસ્કયામતોમાં બચતના માત્ર 2 ટકા છે.
ઉપરોક્ત તમામ આંકડાઓ સત્તાવાર રીતે નોંધાયેલા આર્થિક વ્યવહારોના છે. કાળા નાણા તેમાં નોંધાયા નથી. જે સમૃદ્ધ અથવા ઉચ્ચ વર્ગ પાસે કાળા નાણાં છે.
ખાનગી પણ આંતરરાષ્ટ્રિય સંસ્થાઓના અહેવાલો પ્રમાણે
1 ટકા સૌથી ધનિક ભારતીયો પાસે દેશની લગભગ 40 ટકા સંપત્તિ છે.
નીચેના 50 ટકા લોકો દેશની સંપત્તિના માત્ર 6.4 ટકા જ ધરાવે છે.
10 વર્ષમાં અસામનતા ઊભી થઈ તે અંગ્રેજોના રાજમાં પણ થઈ ન હતી. 10 વર્ષના ભાજપના રાજમાં 100 વર્ષ પહેલાં જે આર્થિક અસમાનતા હતી તેને પાર કરી ગઈ છે.
મોટા ભાગના સામાન્ય લોકોની ચોખ્ખી બચત ઘટાડો એ આર્થિક તકલીફ બતાવે છે. વર્તમાન સરકારની શ્રીમંત તરફી નીતિઓનું આ સીધું પરિણામ છે. આવી નીતિઓને પલટાવવાથી જ લોકોને રાહત મળી શકે છે. વર્તમાન સામાન્ય ચૂંટણીઓ આ નીતિઓને બદલવાની તક પૂરી પાડી શકે છે.
લોકોની આવક
2022-23માં રાષ્ટ્રીય આવકમાં 22.60 ટકા હિસ્સો દેશની સૌથી ધનિક 1 ટકા વસતિ પાસે હતો તે હવે 100 ટકા વધીને 4.10 ટકા થઈ ગયો છે.
આર્થિક ઉદારીકરણ, વૈશ્વીકરણની નીતિ અમલમાં આવી ત્યારથી સૌથી ધનિક પાસે આવક અને સંપત્તિ સતત વધી રહી છે.
ભારતમાં આઝાદીથી 1980ના દાયકા સુધી અસમાનતા સતત ઘટી રહી હતી.
ત્યાર પછી વધી અને મોદી રાજમાં સૌથી વધરે ધનવાનો પાસે સંપત્તિ સરકી ગઈ છે.
ગુજરાત રાજ્ય બન્યું ત્યારથી 2022ની વચ્ચે ફુગાવાને બાદ કરતાં દર વર્ષે 2.60 ટકા ધનિકો પાસે પૈસા વધી રહ્યાં છે.
જોકે 1990થી 2022ના ટૂંકાગાળામાં ધનવાનો પાસે પૈસાની વૃદ્ધિ સરેરાશ 3.6 ટકા જોવા મળી રહી છે.
આઝાદી પછી ધનિકોની આવકમાં હિસ્સો ઘટયો, પછી વધ્યો
દેશ આઝાદ થયો ત્યારે એટલે કે અંગ્રેજોનું રાજ ખતમ થયું ત્યારે 1951માં ધનિક લોકોની પાસે દેશની કુલ આવકના 37 ટકા આવક હતી.
જે નહેરુની સમાન નીતિના કારણે 30 ટકા 1982માં થઈ ગઈ હતી.
પછી ઉદારીકરણ બાદ સતત વધારો જોવા મળી રહ્યો છે.
હવે મોદી રાજમાં ટોચના 10 ટકા ધનિકોનો હિસ્સો વધી હવે કુલ આવકના 60 ટકા જેટલો પહોચી ગયો છે.
10 ટકા લોકો 60 ટકા આવક લઈ જાય છે. જેમાં ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ છે.
સૌથી નીચેના 50 ટકા વસતિનો આવકમાં હિસ્સો હવે માત્ર 15 ટકા જ રહ્યો છે.
દેશની સરેરાશ આવક 2.30 લાખ વર્ષે છે.
પણ, સૌથી વધુ ધનિક 1 ટકામાં આવતા લોકોની આવક રૂ.53 લાખ છે.
સૌથી નીચેના 50 ટકા વ્યક્તિઓની આવક રૂ. 71 હજાર છે.
40 ટકા વસતી ધરાવતાં મધ્ય વર્ગની આવક રૂ. 16.65 લાખ છે.
દેશના સૌથી ધનિક 10 હજાર લોકોની સરેરાશ આવક રૂ. 48 કરોડ છે. જે રાષ્ટ્રની આવક કરતાં 2100 ગણી વધારે છે.
સંપત્તિમાં ટોચની 10 ટકા વસતિનો હિસ્સો ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે 1961માં 45 ટકા હતો જે મોદી રાજમાં 2023માં વધી 65 ટકા થઇ ગયો છે.
તેની સામે મધ્યમ વર્ગના 40 ટકા લોકો અને તેની નીચેના ગરીબ કે ઓછી આવક ધરાવતાં 50 ટકા પ્રજાની સંપત્તિમાં સતત ઘટાડો જોવા મળ્યો છે.
દેશની સરેરાશ આવક કરતાં ટોચની એક ટકા વસતિની સંપત્તિ સરેરાશ કરતા 40 ગણી વધારે છે. જે વ્યક્તિની આવક રૂ. 5.50 કરોડ છે.