Animal Care in Monsoon: ચોમાસામાં પશુ સંભાળ શા માટે જરૂરી છે?

Arati Parmar
3 Min Read

Animal Care in Monsoon: શેડમાં પાણી ભરાવાની સમસ્યા અને તેનું નિવારણ

Animal Care in Monsoon: વરસાદની ઋતુમાં દૂધદાયક પશુઓ માટે તણાવ, રોગચાળો અને પોષણની અછત જેવી ઘણી સમસ્યાઓ ઉભી થાય છે. ખાસ કરીને શેડની સ્થિતિ, ચારા ની ગુણવત્તા, પાણીની શુદ્ધતા અને જીવાણુ સંક્રમણથી પશુઓના આરોગ્ય પર સીધી અસર પડે છે. જો સમયસર યોગ્ય પગલાં ન લેવામાં આવે તો દૂધ ઉત્પાદન ઘટે છે અને રોગની પરીસ્થિતિ સર્જાય છે.

શેડની સ્થિતિ સારી રાખવી કેમ જરૂરી છે?

વરસાદ દરમિયાન શેડમાં ભેજ અને પાણી ભરાવા જેવી સમસ્યાઓ સર્જાય છે.

ભેજના કારણે છાણ અને પેશાબ સાથે રાસાયણિક પ્રક્રિયાથી એમોનિયા ગેસ સર્જાય છે જે ગાય-ભેંસ અને પશુપાલક બંને માટે હાનિકારક છે.

પાણીથી સડેલી જમીન પર ખુરના રોગ જેવી કે ખુરસડો થવાની શક્યતા વધી જાય છે.

એટલા માટે શેડમાં પાણીની લીકેજ દૂર કરો, સમયસર ગટરો સાફ કરો અને શેડને પાણીપ્રૂફ બનાવો.

Animal Care in Monsoon

ચારો અને પોષણ વ્યવસ્થા

ચોમાસામાં લીલા ઘાસમાં ભેજ વધુ હોવાથી પોષકતત્ત્વો ઘટે છે.

ભેજવાળા ઘાસથી પશુઓમાં પાતળું છાણ અને ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપ થવા લાગે છે.

ભેજયુક્ત ઘાસને છાંયડામાં સુકવીને ખવડાવવો વધુ ફાયદાકારક છે.

સાથે સાથે સાંદ્ર ખોરાક, ફીડ બ્લોક્સ અને સાયલેજ જેવા વિકલ્પો પણ અપનાવવાં જોઈએ.

શેડ અને આસપાસની સફાઈ મહત્વપૂર્ણ કેમ?

ગંદકી અને ભેજથી બેક્ટેરિયા અને કૃમિ જેવા રોગકારક જીવાણુઓ ઝડપથી વધી શકે છે.

કૃમિના કારણે પશુઓમાં ઝાડા, એનિમિયા અને વજનમાં ઘટાડો થાય છે.

વરસાદ પહેલાં જ કૃમિનાશક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ.

ભેજના કારણે માખીઓ અને ટીક (ચુસનાર જીવાતો) વધે છે, જે દૂધ ઉત્પાદન ઘટાડે છે અને જીવલેણ રોગ ફેલાવે છે.

Animal Care in Monsoon

જીવાતો સામે રક્ષણ શા માટે અને કેવી રીતે?

ટીક અને માખી દૂધપ્રદાતા પશુઓના આરોગ્ય માટે ગંભીર ખતરો છે.

એકારિસાઇડ (Tick repellents) દવાઓનો નિયમિત છંટકાવ કરવો.

શેડની ભીતર અને બહાર દવાનો છંટકાવ નિયમિત કરવો.

પાણીને રોકવા અને જીવાતોને અટકાવવા માટે નૈતિક સફાઈ મહત્વપૂર્ણ છે.

બાયોસિક્યોરિટી અપનાવવી કેમ જરૂરી?

ચોમાસામાં બાયોલોજિકલ સુરક્ષા દ્વારા રોગચાળો રોકી શકાય છે.

પશુ ફાર્મને ઘેરાવથી સુરક્ષિત કરો જેથી બહારના પ્રાણીઓ પ્રવેશ ન કરે.

દવાનો છંટકાવ ખેતરની અંદર અને બહાર કરો.

હાથ ધોઈને અને દવા લગાવીને પશુને સ્પર્શો, જેથી ચેપ ફેલાતો રોકી શકાય.

monsoon animal care માટે આગોતરા આયોજન, ચારો-પાણીની યોગ્ય વ્યવસ્થા, જીવાત નિયંત્રણ અને બાયોસિક્યોરિટીથી પશુઓને તણાવ મુક્ત અને તંદુરસ્ત રાખી શકાય છે. જેના સીધા લાભ રૂપે દૂધ ઉત્પાદન, પશુઆરોગ્ય અને આર્થિક નફો બંને જળવાઈ રહે છે.

Share This Article