ગિલની ગેરહાજરીમાં આ ખેલાડીએ કમાન સંભાળી, સદી ફટકારી ટીમને જીત અપાવી!

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
2 Min Read

શુભમન ગિલની બીમારી અને અંકિત કુમારનો દમ: દિલીપ ટ્રોફીમાં નોર્થ ઝોનનો નવો કેપ્ટન

દિલીપ ટ્રોફી 2025માં નોર્થ ઝોનના કેપ્ટન તરીકે શુભમન ગિલની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ અચાનક બીમારીને કારણે ગિલ આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શક્યો નહીં. તેની ગેરહાજરીમાં હરિયાણાના સ્ટાર બેટ્સમેન અંકિત કુમારને ટીમની કમાન સોંપવામાં આવી. અને અંકિતે કેપ્ટનશીપની જવાબદારી નિભાવીને પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા.

ભારતીય ટેસ્ટ ટીમના ઉપ-કેપ્ટન શુભમન ગિલની નજર આગામી એશિયા કપ 2025 પર છે. આ જ કારણે તેમને ફિટનેસ સાબિત કરવાની છે અને આ જ કારણ હતું કે તેમણે દિલીપ ટ્રોફીમાં ભાગ લીધો નહિ. ગિલની જગ્યાએ ટીમની કમાન સંભાળવા આવેલા અંકિત કુમારે નોર્થ ઝોન માટે રમતા શાનદાર પ્રદર્શન કર્યું.

- Advertisement -

akinkit.jpg

પ્રથમ ઇનિંગ્સમાં કમાલ નહીં, પરંતુ બીજી ઇનિંગ્સમાં ધમાકો

ઈસ્ટ ઝોન સામેની પ્રથમ મેચમાં અંકિત કુમાર માત્ર 30 રન બનાવીને આઉટ થયા. જોકે, બીજી ઇનિંગ્સમાં તેમણે ટીમના સ્કોરને વધુ મજબૂત કર્યો. કેપ્ટન અંકિતે ત્રીજા નંબરે આવેલા યશ ધૂલ સાથે મળીને 240 રનની ભાગીદારી કરી. યશે પણ સદી ફટકારી અને 133 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા, પરંતુ અંકિતે પોતાની ઇનિંગ્સ ચાલુ રાખતા 170 રન અણનમ બનાવીને ટીમને જીત અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

- Advertisement -

આ ઇનિંગ્સના આધારે નોર્થ ઝોને બીજી ઇનિંગ્સમાં 388 રન બનાવ્યા અને ત્રીજા દિવસ સુધી 563 રનની લીડ મેળવી લીધી. અંકિત કુમારની આ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં છઠ્ઠી સદી છે. 27 વર્ષના આ બેટ્સમેને અત્યાર સુધી 37 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને 2300થી વધુ રન બનાવ્યા છે.

crickrt.jpg

શુભમન ગિલની જગ્યાએ કેપ્ટન બનેલા અંકિત કુમારે ફટકાર્યું શતક

ગત રણજી ટ્રોફી સીઝનમાં પણ અંકિત કુમાર હરિયાણા માટે સૌથી સફળ બેટ્સમેન રહ્યા હતા. તેમણે 8 મેચોમાં 574 રન બનાવ્યા હતા, જેમાં 2 સદી અને 2 અર્ધસદી સામેલ હતી. આ ટૂર્નામેન્ટમાં તેમના નેતૃત્વ અને પ્રદર્શને સાબિત કરી દીધું કે ગિલની ગેરહાજરીમાં પણ નોર્થ ઝોન મજબૂતીથી મુકાબલો કરી શકે છે.

- Advertisement -

અંકિત કુમારની આ ઇનિંગ્સે ઘરેલુ ક્રિકેટમાં તેમની ક્ષમતાને વધુ ઉજાગર કરી અને ભવિષ્યમાં તેમને ભારતીય ક્રિકેટ ટીમમાં સંભવિત અવસર માટે તૈયાર કર્યા.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.