Chandra Gochar 2025: અનુરાધા નક્ષત્રનો ચમત્કાર – આ 3 રાશિઓ માટે ધનલાભની તકો વધશે
Chandra Gochar 2025: 9 જૂન 2025ના રોજ બપોરે 3:30 વાગ્યે ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે, જેનાથી કેટલાક રાશિના જાતકો માટે અત્યંત શુભ સમય શરૂ થયો છે. અનુરાધા નક્ષત્રનો સ્વામી શનિ છે અને તેનું સંકલન ચંદ્ર સાથે થવાથી જીવનમાં સંઘર્ષ બાદ સફળતા, ધનપ્રાપ્તિ અને શાંતિના સંકેત મળે છે. ખાસ કરીને કર્ક, કન્યા અને કુંભ રાશિના જાતકો માટે આ ગોચર ખૂબ ફળદાયી સાબિત થવાની શક्यता છે.
કર્ક રાશિ: નવી તકો અને પરિવારમાં સુખદ સમય
ચંદ્રના આ ગોચરથી કર્ક રાશિના લોકોને નોકરી કે વ્યવસાયમાં ઉન્નતિના મોકા મળશે. વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવાની તકો મળી શકે છે. નોકરી શોધી રહેલા જાતકો માટે સરકારી નોકરીના દરવાજા ખુલી શકે છે. વેપારીઓને નવી ડીલ મળશે. ઉપરાંત, પરિવાર સાથે સમય વિતાવવાથી સંબંધો મજબૂત બનશે. લાંબા સમયથી ચાલી રહેલા ઘર્ષણોનો અંત આવી શકે છે.
કન્યા રાશિ: મિલકત અને વેપારમાં ધનલાભ
કન્યા રાશિના લોકોને ચંદ્રનું આ ગોચર જૂના સપનાને સાકાર કરવાનો મોકો આપશે. જે લોકો મિલકત, સોનું, લોખંડ કે લાકડાના વ્યવસાયમાં છે તેમને ખાસ લાભ મળશે. નોકરીમાં રહેલા લોકોને નવો પ્રોજેક્ટ કે પ્રમોશન મળી શકે છે. પરિવાર સાથે આનંદદાયક ક્ષણો વિતાવાની શક્યતા છે, જ્યારે યુવાનો પ્રવાસની યોજના બનાવી શકે છે.
શુભ દિશા: પૂર્વ
ઉપાય: રાત્રે ચંદ્રદેવની પૂજા કરવી
કુંભ રાશિ: શનિદેવના આશીર્વાદથી આવકમાં વધારો
શનિદેવને અનુરાધા નક્ષત્રનો સ્વામી માનવામાં આવે છે, અને કુંભ રાશિ શનિદેવને ખૂબ પ્રિય છે. આ ગોચર કુંભ રાશિના લોકો માટે આવકમાં વૃદ્ધિ, કારકિર્દીમાં સફળતા અને વ્યવસાય વિસ્તરણ માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. વિદેશ જવાની તકો મળશે અને પરિવારના સભ્યમાં નવા ઉમેરાનો યોગ છે.
શુભ દિશા: ઉત્તર
ઉપાય: ચાંદીની વસ્તુઓનું દાન કરવું