Pradosh Vrat: શનિદેવ અને મહાદેવની કૃપા મેળવવાનો ઉત્તમ અવસર છે આજે શનિવારનો પ્રદોષ વ્રત
Pradosh Vrat: હિન્દુ ધર્મમાં પ્રદોષ વ્રતનું ખૂબ મહત્વ છે, ખાસ કરીને જ્યારે તે શનિવારના દિવસે આવે ત્યારે. આજે, 24 મે 2025, શનિવારના દિવસે ખાસ ત્રયોદશી તિથિ હોવાથી ‘શનિ પ્રદોષ વ્રત’ ઉજવાઈ રહ્યો છે. આ દિવસ ભગવાન શિવ, શનિદેવ અને હનુમાનજીની ઉપાસના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, આજે કરવામાં આવતા કેટલાક ખાસ ઉપાયો દુર્ભાગ્યને દૂર કરી શકે છે અને જીવનમાં શુભતા લાવી શકે છે.
ચાલો જાણીએ એવા 5 અચૂક ઉપાયો જે આજના પાવન દિવસે ખાસ કરવાથી ભાગ્ય ચમકી શકે છે:
1. વહેતા પાણીમાં કાળા તલ છોડો
રાત્રે 8 વાગ્યા પછી 100 ગ્રામ કાળા તલ નદી, નાળા કે ઝરણામાં વહાવી દો. આ ઉપાય શનિ અને રાહુના દોષ શાંત કરવા માટે ઉત્તમ છે. સાથે જ જીવનમાં શાંતિ અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે.
2. છાયા દાન – શનિદોષ માટે ઉત્તમ ઉપાય
લોખંડના વાસણમાં સરસવનું તેલ ભરી તમારા ચહેરાનું પ્રતિબિંબ જુઓ અને તે તેલ ગરીબને દાન કરો. આ શનિદેવના અશુભ પ્રભાવ દૂર કરે છે અને કારકિર્દી માટે લાભદાયક ગણાય છે.
3. કાળા તલ અને કાળા કપડાંનું દાન કરો
શનિપ્રદોષના દિવસે કાળા કપડાં, લોખંડ, તલ અને સરસવનું તેલ જરૂરિયાતમંદ વ્યક્તિને આપો. અંધ અથવા વૃદ્ધ વ્યક્તિને ભોજન પણ આપો. આ ઉપાય નાણાકીય અવરોધો દૂર કરી ઉન્નતિનો માર્ગ ખોલે છે.
4. હનુમાનજીનું દર્શન અને ચોળી અર્પણ કરો
આજે હનુમાન મંદિરમાં જઈને લાલ ચોળી અને લાલ ફળો અર્પણ કરો. શ્રી હનુમાનજી શનિદેવના કષ્ટો દૂર કરતા દેવ માનવામાં આવે છે.
5. શિવલિંગ પર જળ અને દુધ અર્પણ કરો
સાંજે શિવમંદિર જઈને શિવલિંગ પર જળ, દુધ અને બિલિપત્ર અર્પણ કરો. આ ઉપાય ઘરના કલહ, બીમારી અને માનસિક ચિંતાને દૂર કરવા માટે શ્રેષ્ઠ છે.
શનિ પ્રદોષ વ્રત એ માત્ર ઉપવાસ કે પૂજા નથી, પણ જીવનમાં સુખ, શાંતિ અને સફળતા લાવવાનો શક્તિશાળી અવસર છે. જો આજના દિવસે ઉલ્લેખિત ઉપાય ભક્તિપૂર્વક કરો તો ચોક્કસપણે દુર્ભાગ્ય પણ સદભાગ્યમાં બદલાઈ શકે છે.