Shukra Gochar જુલાઈ 2025માં શુક્રનો ત્રિપલ ગોચર
Shukra Gochar જુલાઈ 2025માં શુક્ર ગ્રહ પોતાની ગતિમાં ત્રણ મોટા પરિવર્તન લાવશે – બે નક્ષત્ર બદલાવ અને એક રાશિ પરિવર્તન. શુક્રનો આ ત્રિગુણ ગોચર ઘણા લોકોના જીવનમાં નવા રોમાંચ, સુખ અને સમૃદ્ધિ લાવશે. ખાસ કરીને ત્રણ રાશિઓના જાતકો માટે આ ગોચર ખૂબ શુભ સાબિત થવાનો છે.
શુક્ર ગ્રહને વૈભવ, પ્રેમ, કલા, સુંદરતા અને સુખના દાતા માનવામાં આવે છે. તે જ્યારે શુભ સ્થિતિમાં હોય ત્યારે જીવનમાં લાવેછે ઐશ્વર્ય અને આનંદ. હવે જોઈએ કે આ ત્રિપલ ગોચર ક્યારે થશે અને કઈ રાશિઓને મળશે તેનો ખાસ લાભ.
શુક્રના ગોચરનું સમયપત્રક:
- 8 જુલાઈ 2025: સાંજે 4:31 વાગ્યે શુક્ર રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે.
- 20 જુલાઈ 2025: બપોરે 1:02 વાગ્યે મૃગશિરા નક્ષત્રમાં પ્રવેશ કરશે.
- 26 જુલાઈ 2025: સવારે 9:02 વાગ્યે શુક્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે.
કઈ રાશિઓને થશે લાભ?
સિંહ રાશિ
શુક્રના ગોચરથી ઘરમાં શાંતિ અને સમજૂતી વધશે. તણાવ દૂર થશે અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાંથી રાહત મળશે. યુવાનો માટે સૃજનાત્મક કાર્યોમાં સફળતા અને નોકરી શોધતા લોકોને રોજગારની શક્યતા વધશે.
તુલા રાશિ
કૌટુંબિક વિવાદોનો ઉકેલ આવશે. કાર્યસ્થળ પર સહકાર મળશે અને નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. પૂર્વના રોકાણો ફળદાયી સાબિત થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે, ખાસ કરીને પગ સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળશે.
ધનરાશિ
ધનુ રાશિના જાતકો માટે શુભ સમાચાર આવશે. પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે અને દાંપત્ય સંબંધોમાં મધુરતા આવશે. અચાનક નફો અને સોનામાં રોકાણ માટે સમય અનુકૂળ રહેશે.
શુક્રનો ત્રિપલ ગોચર ત્રણ રાશિઓ માટે નવા અવસરો અને આનંદ લાવનાર છે. જો તમારી રાશિ ઉપરોક્તમાંથી એક છે, તો આ સમયગાળો તમારા માટે શાંતિ, ધન લાભ અને સંબંધો મજબૂત બનાવવા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.