Surya Gochar 2025: રોહિત નક્ષત્રમાં સૂર્ય પ્રવેશ 25 મેના રોજ, વૃષભ, સિંહ અને મકર રાશિ માટે શુભ સંકેતો અને ખાસ ઉપાયો જાણો
Surya Gochar 2025: જ્યોતિષશાસ્ત્ર મુજબ, 25 મે, 2025ના રોજ સૂર્ય રોહિતી નક્ષત્રમાં પ્રવેશ કરશે, જે શનિ જયંતિ પહેલા બનનાર મહત્વપૂર્ણ ખગોળીય ઘટના છે. આ ગોચર ખાસ કરીને ત્રણ રાશિ માટે અત્યંત લાભદાયી સાબિત થશે. આ ત્રણ રાશિઓને નાણાકીય લાભ, કારકિર્દીમાં વિકાસ અને ઘરમાં સુખ-શાંતિના સંકેતો મળશે.
વૃષભ રાશિ:
સૂર્યના રોહિતી નક્ષત્રમાં પ્રવેશથી, વૃષભ રાશિ માટે નોકરી અને વ્યવસાયમાં નવી તકો ખુલશે. અટકેલા પૈસા મળી શકે છે, અને ઘરમાં સમાન્તા અને પ્રેમ વધશે. વડીલો સાથેના સંબંધો મજબૂત બનશે.
ખાસ ઉપાય:
શનિ જયંતિને હનુમાનજીની પૂજા કરો અને “ૐ શં શનૈશ્ચરાય નમઃ” મંત્રનો 108 વખત જાપ કરો.
સિંહ રાશિ:
સિંહ રાશિના સ્વામી સૂર્ય હોવાને કારણે આ ગોચર તેમને માટે ખાસ છે. કાર્યસ્થળે નામ, બઢતી અને નવી આવકના સ્ત્રોત ખુલવાની શક્યતા છે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે અને ઘરેલું જીવન ખુશનુમા રહેશે.
ખાસ ઉપાય:
શનિદેવને કાળા તલ અને સરસવનું તેલ અર્પણ કરો, સુખ અને સમૃદ્ધિ માટે.
મકર રાશિ:
મકર રાશિ માટે સૂર્ય અને શનિનો સંયુક્ત અસરકારક પ્રભાવ રહેશે. નવી જવાબદારીઓ મળશે, જે તમારા કારકિર્દી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. પૈસા, પ્રમોશન અને માનસિક શાંતિ – બધાનું યોગ છે.
ખાસ ઉપાય:
શનિ ચાલીસાનો પાઠ કરો અને જરૂરિયાતમંદોને કાળા કપડા અથવા અનાજ દાન કરો.