બોલિવૂડ અભિનેતા અનિલ કપૂર તેના ભત્રીજા સાથે ની આવનારી ફિલ્મ ‘ મુબારકા ‘ નું પોસ્ટર 21 મેં ના રોજ રમાનાર IPL ની ફાઇનલ મેચ દરમ્યાન તેના ટોક શો એક્સટ્રા ઇનિંગ્સ માં લોન્ચ કરશે. આ ફિલ્મ બનાવનાર ડિરેક્ટર અનીસ બઝમીએ પોતાના એક ઇન્ટરવ્યૂ માં કહ્યું કે મુબારકા ફિલ્મ ની પેહલી ઝલક ફિલ્મ ના પ્રમોશન બાબતે ખુબજ મહત્વની છે કેમકે પોસ્ટર ને જોઈને લોકોને આ ફિલ્મ વિષે જાણવાની ઉતશુક્ત ખુબજ વધી જશે.
કવિ: SATYA DESK
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહમેદ પટેલ, સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી, કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની અને તૃણમૂલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ બ્રાયન સહિત રાજ્યસભાના કેટલાક સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે. ચૂંટણી પંચે રાજ્યસભાની દસ સીટો માટે આગામી 8 જૂને ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. આ બેઠકો માટે ત્રણ રાજ્યોમાં મતદાન કરવામાં આવશે. જેની ઔપચારિક જાહેરાત 22 મે ના રોજ કરાશે. ગુજરાતમાંથી ચૂંટાયેલા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ તથા ભાજપના રાજ્યસભા સાંસદ દિલિપભાઇ પંડ્યા અને સ્મૃતિ ઇરાની નો કાર્યકાળ 18 ઓગસ્ટે પૂર્ણ થઇ રહ્યો છે.
ગુજરાત વિધાનસભા ખાતે આજે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનને મળવા બોલીવુડ સ્ટાર ઈરફાન ખાન પહોંચ્યો હતો. ઈરફાન ખાને આ ઉપરાંત શિક્ષણ મંત્રાલયની પણ મુલાકાત લીધી હતી. ઈરફાને ખાસ આ મુલાકાત દરમ્યાન પોતાની આવનારી ફિલ્મ હિન્દી મીડિયમને જોવા અને તેને ટેક્સ ફ્રી કરવાનો પ્રસ્તાવ સરકાર સામે વ્યક્ત મુક્યો હતો.
મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશીયાલીસ્ટ પ્રદીપ શર્માને ફરીથી સેવામાં બહલ કરી દેવાયા છે. જો કે, હજુ તેમની પોસ્ટીંગ જણાવાઈ નથી. મહારાષ્ટ્ર પોલીસના આઈજી એસ્ટાબ્લીશમેન્ટ રાજકુમાર વ્હટકરે આ માહિતીની પુષ્ટિ કરતા જણાવ્યું કે ગૃહ વિભાગથી આ પ્રકારનો પત્ર આવ્યો છે જેના ઉપર અમલ કરવામાં આવશે. ૧૯૮૩ બેચના પોલીસ અધિકારી પ્રદીપ શર્માનો કાર્યકાળ વિવાદોથી ભરપુર રહ્યો છે. શર્માના નામ ઉપર ૧૦૦થી વધુ એનકાઉન્ટર નોંધાયા છે. જણાવાઈ રહ્યું છે કે બોલીવુડમાં ફિલ્મ “અબ તક ૫૬” પ્રદીપ શર્મા ઉપર જ બની હતી. એનકાઉન્ટર સ્પેશીયાલીસ્ટ પ્રદીપ શર્માની વર્ષ ૨૦૦૬ને લખન ભૈયા ફેક એનકાઉન્ટર કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જો કે તે પછીથી સ્થાનિક કોર્ટ દ્વારા નિર્દોષ…
તીન તલાક ઉપર સુપ્રિમ કોર્ટે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના વકીલ કપિલ સિબ્બલને સલાહ આપી છે કે મુસ્લિમ મહિલાઓને નિકાહનામા સમયે જ ત્રણ તલાક માટે ઇનકાર કરવાનો વિકલ્પ આપી શકાય છે? તેમે આ પ્રસ્તાવ કેમ પાસ નથી કરતા કે નિકાહના સમયે જ કાઝી મહીલાને આ વિકલ્પ આપે કે તે નિકાહનામામાં તીન તલાકને ના કહી શકે છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ તરફથી કપિલ સિબ્બલે કહ્યું- આ સારો પ્રસ્તાવ છે. આ પહેલા મંગળવારે AIMPLB બોર્ડ તરફથી કપિલ સિબ્બલે કહ્યું- તીન તલાક ૧૪૦૦ વર્ષ જૂની પ્રથા છે અને આ સ્વીકાર કરવામાં આવી છે. આ બાબત આસ્થા સાથે જોડાયેલી છે, જે…
શંકરસિંહ વાઘેલા ૧ર થી ર૦ કોંગી ધારાસભ્યો, પ્રદેશ હોદેદારો સહિતના લોકો ભાજપમાં જાય છે આવી વાતો ફેલાઇ રહી છે આ બધી વાતો અફવા હોય કે સત્ય હકીકત પરંતુ એક વાત દિવા જેવી સ્પષ્ટ છે કોંગ્રેસના ડઝનેક ધારાસભ્યો, પ્રદેશ હોદેદારોમાં અવગણના, અનિવાર્યતા ત્થા ગેરશિસ્ત આચરનારાઓ સામે પગલાઓ ન લેવાના કારણે ભારે રોષ પ્રવર્તિ રહ્યો છે જે હાલમાં ચર્ચાતી વાતો કે અફવાઓને સાચી પાડી શકે છે. આ બધી પરિસ્થિતીઓ માટે જો કોઇ જવાબદાર હોય તો તે પ્રદેશના નેતાઓ છે મોટા ગજાના નેતાઓએ જ કોંગ્રેસના ત્થા પોતાના પગ ઉપર કુહાડા માર્યા છે. એક વાત દિવા જેવી સ્પષ્ટ છે કે પ્રદેશના તથા સ્થાનિક નેતાઓ…
ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં ફાંસીની સજા આપવાના વિરુદ્ધ માં અર્જી પર ભારતને મોટી સફળતા મળી છે. અહીંયા આંતરાષ્ટ્રીય કોર્ટે જ્યાં સુધી અંતિમ સુનવાઈ ના થાય ત્યાં સુઘી જાધવને ફાંસી ના આપવાનો આદેશ આપ્યો છે. જાધવ કે જે પાકિસ્તાન ની કોર્ટ માં કેદ છે કે જેનો કેસ નેધરલેન્ડ ની આંતરાષ્ટ્રીય કોર્ટ માં ચાલી રહ્યો ત્યારે આ કોર્ટ માં ચાલેલી સુનવણી આપતા પાકિસ્તાન ને જબજસ્ત આચકો આપતા કહ્યું કે , ભારતને કાઉન્સિલર એક્સેસ મળવો જોઈતો હતો. ICJ ના જજ જસ્ટિસ રોની અબ્રાહમે ચુકાદો આપતા જણાવ્યું કે તેને જાસૂસ બતાવનાર પાકિસ્તાનનો દાવો માની નથી શકતો. તેમને કહ્યું કે જાધવની ધરપકડ એક વિવાદીત…
અમેરિકાના એટલાન્ટા ઇમિગ્રેશન મામલે અટકાયતમાં લેવામાં આવેલા અતુલકુમાર બાબુભાઇ પટેલ (ઉંમર 58 વર્ષ) નું મંગળવારે મોત થયું હતું. શ્વાસ લેવામાં મુશ્કેલી બાદ અતુલ પટેલને હોસ્પિટલમાં ખસેડાયા હતાં જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર અતુલ પટેલ ગત 10 મે ના રોજ ક્વિટોથી એટલાન્ટા એરપોર્ટ આવ્યા હતાં અને તેમની પાસે જરૂરી ઇમિગ્રેશન દસ્તાવેજો ન હોવાને કારણે તેમની અટકાયત કરવામાં આવી હતી. અતુલ પટેલને અટકાયત દરમિયાન હાઇ બ્લડ પ્રેશન અને ડાયાબિટિશ હોવાનું જણાયુ હતું અને તેઓને બે દિવસ સુધી કસ્ટડીમાં રખાયા બાદ મેડિકલ ચેકઅપ દરમિયાન તબિયત નાદુરસ્ત લાગતા હોસ્પિટલ ખસેડાયા હતાં. જ્યાં મંગળવારે બપોરે તેમનું…
કેન્દ્રીય પર્યાવરણ રાજ્ય મંત્રી અનિલ માધવદવે નું નિધન હાર્ટ અટેક થી થયું છે. પ્રધાન મંત્રી નરેદ્રમોદી એ ટ્વિટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. મોદી એ ટ્વિટ કરીને જણવ્યું કે ગઈ કાલે સાંજે હું એમની સાથે અંતર્ગત મુદ્દા પર ચર્ચા કરી હતી. એમનું નિધન મારા માટે ખુબજ દુઃખદ વાત છે. એમને લોકો ઝુઝારુ લોક સેવક ના રૂપ માં યાદ રાખશે. પર્યાવરણ સંરક્ષણ વિષે એ ખુબજ ઝુઝારુ વ્યક્તિ હતા. દવે નો જન્મ 6 જુલાઈ 1956 માં ઉજ્જૈન ના ભદનગર માં થયો હતો. ઇન્દોર ના ગુજરાતી કોલેજ માંથી એમકોમ કરનાર અનિલ શરૂઆત થી જ આરએસએસ થી સંકળાયેલા હતા, અને નર્મદા નદી બચાવ…
ડિપ્રેશન કદાચ નામ સાંભળતા જ એને પાગલપન સાથે જોડી દેવામાં આવે. અફસોસની વાત છે કે આજના અંતરિક્ષ યુગમાં પણ આ બીમારી તરફ લોકોનો આવો ખોટો દૃષ્ટિકોણ છે. વિશ્વ સ્તરે કામ કરતી આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડા પ્રમાણે આજે, દુનિયાફરતે ૩,૦૦૦ લાખ લોકો આ બીમારીનો શિકાર છે, પણ પોતાનું દર્દ જણાવતા, સારવાર લેતા ગભરાય છે. ક્યાંક લોકો મારી ગણતરી ગાંડાઓમાં ન કરે, એવું વિચારી તેઓ અંદરો અંદર કોરી ખાતી આ બીમારીને દૂર કરવાનો વિચાર પણ કરતા નથી. અમુક તો જાણે એને બસ ઉદાસીનું રૂપ આપી બહુ ગણકારતા નથી. બીજા અમુક એવાય ખરા જે એને સ્વભાવિક બદલાણ માની એ વિશે ચર્ચાવિચારણામાં…