કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

દિલ્હીમાં EV Policy 2.0નો ડ્રાફ્ટ તૈયાર: મહિલાઓ માટે ટુ-વ્હીલર ખરીદવા રૂ.36,000 સુધીની સબસિડીનું આયોજન EV Policy દિલ્હી સરકાર ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક વાહન (EV) નીતિ 2.0 જાહેર કરવાની તૈયારીમાં છે. પ્રદૂષણ ઘટાડવા અને સ્ત્રીઓને ગતિશીલતામાં વધુ સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા ખાસ યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે. ડ્રાફ્ટ મુજબ, દિલ્હીની પ્રથમ 10,000 મહિલાઓને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવા પર રૂ.36,000 સુધીની સબસિડી આપવામાં આવશે. આ સબસિડી પ્રતિ કિલોવોટ રૂ.12,000ના દરે મળશે અને મહત્તમ મર્યાદા રૂ.36,000 રહેશે. કેવળ મહિલાઓ જ નહીં, પરંતુ તમામ રહેવાસીઓ માટે પણ લાભનો સમાવેશ છે – EV નીતિ 2.0 અંતર્ગત, દરેક ગ્રાહકને રૂ.10,000 પ્રતિ કિલોવોટના દરે રૂ.30,000 સુધીની સબસિડી…

Read More

Pakistan Hindu Population પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી ઘટી કે વધી? 2023ની વસ્તી ગણતરીમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા Pakistan Hindu Population પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલતી રહી છે કે આખરે ત્યાં હિન્દુઓની વસ્તી વધી રહી છે કે ઘટી રહી છે. હવે, પાકિસ્તાન બ્યુરો ઑફ સ્ટેટિસ્ટિક્સ (PBS) દ્વારા જાહેર કરવામાં આવેલી 2023ની 7મી વસ્તી અને ગૃહ ગણતરીના ડેટા પરથી આ મુદ્દે સ્પષ્ટતા થઈ છે. 2023 સુધીમાં પાકિસ્તાનની કુલ વસ્તી 240.45 મિલિયન સુધી પહોંચી છે. જેમાં હિન્દુઓની વસ્તી અંદાજે 3.8 મિલિયન છે — જે 2017માં 3.5 મિલિયન હતી. આથી, હિન્દુઓના સંખ્યામાં થોડો વધારો નોંધાયો છે, પરંતુ કુલ વસ્તી મુજબના ટકાવારી…

Read More

Union Cabinet Reshuffle મોદી કેબિનેટમાં મળશે મુસ્લિમ ચહેરાને સ્થાન? ગુલામ અલી કે જમાલ સિદ્દીકી પૈકી એકને મળી શકે છે તક Union Cabinet Reshuffle કેન્દ્રીય મંત્રીમંડળમાં ટૂંક સમયમાં થનારી ફેરબદલને લઈને ચર્ચા તીવ્ર બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી “સબકા સાથ, સબકા વિકાસ”ના સૂત્રને વધુ મજબૂત બનાવવા માટે મુસ્લિમ પાસમાંડા સમુદાયના પ્રતિનિધિને કેબિનેટમાં સ્થાન આપી શકે છે એવી શક્યતાઓ વ્યક્ત થવા લાગી છે. હાલના મંત્રીમંડળમાં એકપણ મુસ્લિમ ચહેરો ન હોવાને કારણે વિપક્ષ વારંવાર સરકારની ટીકા કરતું આવ્યું છે. એવું માનવામાં આવે છે કે મે અને જુલાઈ વચ્ચે થનારી મંત્રીમંડળ ફેરબદલમાં આ ખામી સુધારવાનો પ્રયાસ કરવામાં આવી શકે છે. પાર્ટી સાથે જોડાયેલા સૂત્રો…

Read More

Mamata Banerjee: મુર્શિદાબાદ હિંસા પર મમતા બેનર્જીનું નિવેદન: “હિંસા કોઈપણ રીતે મંજૂર નથી, વક્ફ કાયદા પર વાંધો હોય તો કહો” Mamata Banerjee પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદા વિરુદ્ધ શરૂ થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોએ અત્યાર સુધી અનેક જિલ્લાઓને હલાવી દીધા છે. મુર્શિદાબાદ, હુગલી, ઉત્તર 24 પરગણા અને માલદા જેવા જિલ્લાઓમાં ઉગ્ર હિંસા, પોલીસ પર પથ્થરમારાના બનાવો, વાહનોને આગ ચાંપવા અને ટ્રાફિક અવરોધન જેવી ઘટના સામે આવી છે. આ દરમિયાન રાજ્યની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પહેલી વાર આ ઘટનાને લઈને જાહેરમાં પ્રતિક્રિયા આપી છે. મમતા બેનર્જીએ જણાવ્યું કે, “હિંસા કોઈપણ રીતે મંજૂર નથી. જો કોઈને વક્ફ કાયદા પર વાંધો હોય, તો તે ચર્ચા અને…

Read More

Tahawwur Rana મુંબઈ હુમલા કેસમાં તહવ્વુર રાણાની પૂછપરછ તેજ, NIA લેશે અવાજ અને હસ્તાક્ષરનાં નમૂનાઓ Tahawwur Rana 2008ના 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાની ધરપકડ બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) તેની પૂછપરછમાં ખૂબ જ ગંભીરતા દાખવી રહી છે. અમેરિકામાંથી પ્રત્યાર્પણ બાદ રાણાને ભારત લાવવામાં આવ્યો છે અને હાલમાં તે NIAની 18 દિવસની કસ્ટડીમાં છે. એજન્સી હવે રાણાના અવાજ અને હસ્તાક્ષરના નમૂનાઓ લઈ તેના સંડોવણીના પુરાવા એકઠા કરવાનો પ્રયાસ કરી રહી છે. NIAના સૂત્રો જણાવે છે કે, રાણાની રજૂઆત દરમિયાન તેણે સતત અસ્પષ્ટ જવાબો આપ્યા છે, જેમ કે “મને યાદ નથી” અથવા “મને ખબર નથી”, જે તપાસને વધુ શંકાસ્પદ બનાવે છે.…

Read More

UPI down for 57 minutes: દેશભરમાં ડિજિટલ પેમેન્ટ પર અસર, NPCIએ માફી માંગવી પડી UPI down for 57 minutes આજના સમયમાં, જ્યારે ભારત ડિજિટલ પેમેન્ટના યુગમાં પ્રવેશી ગયું છે, ત્યારે પણ ટેકનિકલ ખામીઓ ડિજિટલ વ્યવહારોને અસર કરે છે. આજે સવારે સમગ્ર દેશમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) સેવામાં ટેકનિકલ સમસ્યાઓ નોંધાઈ, જેના કારણે લાખો વપરાશકર્તાઓને Paytm, PhonePe અને Google Pay જેવી એપ્લિકેશનો પર પેમેન્ટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મળતી માહિતી અનુસાર, UPI સેવા લગભગ 57 મિનિટ માટે બંધ રહી, જેના કારણે લોકોનું રોજિંદું ધંધાકીય અને વ્યક્તિગત લેવડદેવડ કાર્ય અટકી પડ્યું. સેવામાં ખલેલનો આરંભ સવારે 11:26 વાગ્યે થયો હતો અને સૌથી…

Read More

Agra આગ્રામાં રાણા સાંગા જયંતિ પર કરણી સેનાની રેલીમાં રેલીમાં હોબાળો, પોલીસ સામે તલવારો લહેરાવાયા Agra આગ્રામાં રાણા સાંગાની જન્મજયંતિ નિમિત્તે ક્ષત્રિય કરણી સેનાએ યોજેલી ‘રક્ત સ્વાભિમાન રેલી’ દરમિયાન ગંભીર અરાજકતા જોવા મળી. રેલી દરમિયાન ઉપસ્થિત કાર્યકરો દ્વારા તલવારો અને લાકડીઓ લહેરાવાતા ઘટી ઘટના સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. આ રેલી સામાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમનના વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં કાઢવામાં આવી હતી. રાણા સાંગાની જ્યોંતિની ઉજવણીના બહાને યોજાયેલી રેલીમાં કરણી સેનાના કાર્યકરો ઉત્સાહિત હતા અને રાષ્ટ્રવાદી સૂત્રોચ્ચારો પણ કરવામાં આવ્યા હતા. જોકે, વાત ત્યારે વિગ્રહ પામે છે જ્યારે રેલી દરમિયાન પોલીસની હાજરી જોઈને કેટલાક કાર્યકરો ભડકી ઉઠ્યા…

Read More

UPI સર્વિસમાં તાત્કાલિક ખામી બાદ ફરીથી Paytm, PhonePe, Google Pay સેવાઓ ફરી શરૂ UPI શનિવારે બપોરે લગભગ 12 વાગ્યે દેશભરના લાખો યુઝર્સ માટે અચાનક ડિજિટલ ચુકવણી થંભી ગઈ. પેટીએમ (Paytm), ફોનપે (PhonePe), ગુગલ પે (Google Pay) સહિત અનેક લોકપ્રિય UPI આધારિત એપ્લિકેશન દ્વારા વ્યવહારો થવાં બંધ થઈ ગયા હતા. આ ટેકનિકલ ખામીના કારણે લોકો માટે તાત્કાલિક ચુકવણી કરવી મુશ્કેલ બની ગઈ હતી. જોકે થોડા સમય બાદ સર્વિસ ફરી શરૂ થતાં લોકોને મોટો હાશકારો મળ્યો છે. આ સમગ્ર ઘટનાની જાણ ડાઉનડિટેક્ટર (DownDetector) વેબસાઈટ દ્વારા સૌથી પહેલાં કરવામાં આવી હતી. આ વેબસાઈટ ઇન્ટરનેટ સેવાઓ અને એપ્લિકેશન્સમાં આવતી તકલીફોને રીઅલ ટાઈમમાં ટ્રેક કરે…

Read More

Surat કુદરતનો કમાલ: સુરતની જોડીયા બહેનોએ MBBSમાં મેળવ્યા એક સરખા માર્કસ, વડોદરાની કોલેજમાં સર્જાયો આ ચમત્કાર Surat સુરતની જોડિયા બહેનો રીબા અને રાહીન હાફેઝીએ MBBSની ફાઈનલ પરીક્ષામાં એક સમાન ગુણ મેળવ્યા છે. તેઓએ વડોદરાની GMERS મેડિકલ કોલેજમાંથી સમાન ગુણ સાથે MBBS પૂર્ણ કર્યું; બંનેએ 66.8% એટલે 935 ગુણ મેળવ્યા. તેમની માતા ગુલશાદ બાનુએ તેમને એકલા હાથે ઉછેર્યા છે. રાહીન સર્જરી તરફ ઝુકાવ ધરાવે છે, જ્યારે રીબાને ઈન્ટર્નલ મેડિસીનમાં રસ છે. 24 વર્ષીય બહેનોનું શિક્ષણ અને જીવનના નિર્ણયો હંમેશા સમાન રહ્યા છે. તેમની માતા ગુલશાદ બાનુ એક શિક્ષિકા છે અને તેમણે એકલા હાથે બંનેને ઉછેર્યા છે. બહેનોએ આર્થિક મુશ્કેલીઓનો સામનો કર્યો,…

Read More

Supreme Court સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ન્યાયાધીશોમાં સોપો, હાઇકોર્ટના 13% ન્યાયાધીશોએ સંપત્તિ જાહેર કરી Supreme Court દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરે રોકડ રકમ મળી આવ્યાની ઘટના બાદ, સુપ્રીમ કોર્ટે તેના ન્યાયાધીશોની સંપત્તિ જાહેર કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ દેશની 24 હાઈકોર્ટમાં કુલ 762 સેવારત ન્યાયાધીશોમાંથી, 6 હાઈકોર્ટના ફક્ત 95 (12.46%) ન્યાયાધીશોએ વેબસાઇટ પર તેમની સંપત્તિ જાહેર કરી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 18 હાઈકોર્ટના એક પણ ન્યાયાધીશની સંપત્તિ જાહેર કરવામાં આવી નથી. હાઈકોર્ટની વેબસાઇટ્સ જોયા પછી આ ચિત્ર બહાર આવ્યું છે. 1 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટની ફુલ કોર્ટ મીટિંગમાં સંપત્તિ જાહેર કરવાના નિર્ણય બાદ, કેરળ હાઈકોર્ટના 44 માંથી 41…

Read More