Author: Hemangi Gor- SatyaDay Desk

7 9

ભોપાલ માં ગણપતિ મુર્તિ વિસર્જન દરમિયાન બોટ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાંથી અત્યાર સુધી 13 મૃતદેહો મળી આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ત્યાં બોટ પર 20 લોકો સવાર હતા. આ અકસ્માત બોટ તૂટવાના કારણે બન્યો હતો. સરકારે મૃતકના પરિવારને 4-4 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. ભોપાલમાં બનેલી આ ઘટના બાદ શ્રધ્ધા અને આસ્થાના અવસરે આ તહેવાર પર શોક પ્રસરી ગયો હતો. બોટ અકસ્માતમાં માર્યા ગયેલા 13 લોકોના મૃતદેહો અત્યાર સુધી બહાર કાઢવામાં આવ્યા છે.પોલીસ-વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે, અત્યાર સુધીમાં 13 લોકોના મૃતદેહને બહાર…

Read More
6 9

470 કરોડ રૂપિયાના નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને 450 કરોડના આઇજીએસટી રિફંડના દાવાઓનો પર્દાફાશ નિકાસકારોએ 3500 કરોડ રૂપિયાના નકલી ઇન્વોઇસીસ બનાવીને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કર્યો ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી વિજિલન્સ (ડીજીજીઆઇ) અને ડિરેક્ટર રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ બનાવટી દસ્તાવેજોના આધારે જીએસટી રિફંડ લેનારાઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી કામગીરી હાથ ધરી છે. 15 રાજ્યોમાં 336 સ્થળોએ દરોડા માટે 1200 અધિકારીઓ તૈનાત કરાયા હતા. એવું કહેવામાં આવે છે કે બંને વિભાગની ટીમોએ 470 કરોડ રૂપિયાના નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને 450 કરોડના આઇજીએસટી રિફંડના દાવાઓનો પર્દાફાશ કર્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર 11 સપ્ટેમ્બરે એક સાથે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી…

Read More
WhatsApp Image 2019 09 13 at 1.25.33 PM

અમદાવાદ સ્થિત ધરણીધર ચાર રસ્તા પાસે બી.આર.ટી.એસ બસ ના ચાલકે મહિલા ને અડફેટે લીધી અને બી.આર.ટી.એસ. બસ બની મોત વાહીની. સ્થાનિકો દ્વારા મહિલા ને 108 મારફતે જીવરાજ મેહતા હોસ્પિટલ માં ખસેડવામાં આવી છે. જનતા નો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. બી.આર.ટી.એસ બસ ના ડ્રાઈવરો દ્વારા બેફામ હંકારવા માં આવતી બસો અત્યાર સુધી બી.આર.ટીલીધા છે પણ તંત્રને કોઈ ફરક પડતો નથી. મહિલા ને અડફેટે લીધી તે ડ્રાઇવર છે.

Read More
5 11

૨૨ માસૂમ વિદ્યાર્થીઓને જીવતાં ભૂંજી નાંખનારા તક્ષશિલા અગ્નિકાંડે શહેરની આબરુ રાખ કરી નાંખી હતી. રાજકારણીઓ, બિલ્ડરો અને પાલિકા, વીજકંપનીના અધિકારીઓના પાપે સર્જાયેલા આ હત્યાકાંડની પોલીસે ફોજદારી રાહે પગલાં ભર્યા છે. જ્યારે તક્ષશિલાની આગ બાદ રહી ગયેલા ભ્રષ્ટાચારના હાડપિંજરનું એસીબી દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. જેમાં પાલિકાના વિનુ પરમાર બાદ, ડે. ઇજનેર હરેરામસિંઘ બાદ હવે ડે. ચીફ ફાયર ઓફિસર આચાર્યએ ફરજની હત્યા કરી વસાવેલી સંપત્તિનો પર્દાફાશ થતાં તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આચાર્યએ તેમના ફરજકાળ દરમિયાન ભ્રષ્ટ રીત રસમો અપનાવી કાયદેસરની આવક કરતાં ૬૭.૩૩ લાખની અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પાલિકાની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગે એવી…

Read More
4 9

કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટ હેઠળ દેશભરમાં નવા ટ્રાફિક નિયમો લાગૂ કર્યા બાદ કેટલાક રાજ્યોમાં આ નવા નિયમોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ વસૂલાતા ભારે ભરકમ દંડનો વિરોધ કેટલાક રાજ્યોમાં જોવા મળ્યો છે. જ્યારે ગુજરાત રાજ્યમાં આ નવા નિયમો હેઠળ દંડની રાશિમાં હવે ઘટાડો કરવામાં આવ્યો છે. ઉપરાંત આ અંગે વધુ એક સારા સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ રાજ્ય સરકારે PUC(પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ) કઢાવવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે 30 સપ્ટેમ્બર સુધી લોકો PUC કઢાવી શકે છે. જ્યારે આ પહેલા PUC કઢાવવાની સમય મર્યાદા 16 સપ્ટેમ્બર સુધી હતી. આ સિવાય HSRP નંબર…

Read More
3 10

ગુચ્છી મશરૂમ ઔષધી ગુણોથી ભરપુર હોય છે. તેનું ઔષધીય નામ માર્કુલા એસ્ક્યૂપલેટા છે. આ સ્પંજ મશરૂમનાં નામથી દેશભરમાં જાણીતી છે. તે સ્વાદમાં બેજોડ અને ઘણા ઔષધીય ગુણોથી ભરપુર છે. સ્થાનિક ભાષામાં તેને છતરી, ટટમોર અથવા ડુંઘરૂ પણ કહેવામાં આવે છે. ગુચ્છી ચંબા, કુલ્લૂ, શિમલા, મનાલી સહિત ઘણી જગ્યાએ જોવા મળે છે. ગુચ્છી મશરૂમ જંગલો અને પહાડી વિસ્તારોમાં મળી આવે છે. આ એક મોંઘી સબ્જી છે. તેને સબ્જી તરીકે આરોગવામાં આવે છે. હિમાચલની મોટી હોટલોમાં પણ આનું સપ્લાઈ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે એક વાર કેટલાક પત્રકારોને જણાવ્યું હતુ કે તેમના સ્વાસ્થ્યનું રહસ્ય હિમાચલનું મશરૂમ…

Read More
2 9

ઢબુડી ઉર્ફે ધનજી ઓડને બુધવારે પેથાપુર પોલીસે બીજી નોટિસ ફટકારી છે. ગઢડા સ્વામીના એક યુવાનના મોત મામલે તેની સામે પેથાપુર પોલીસ મથકમાં થયેલી અરજી અનુસંધાને પોલીસે તેને નિવેદન માટે અગાઉ પ્રથમ નોટિસ આપી હતી. પરંતુ તેણે પોલીસ મથકે હાજર થવાના બદલે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. દરમિયાન ધનજી ઓડ ફોરેન ભાગી જાય તેવી પોલીસને શંકા હોવાના કારણે બુધવારે તેને બીજી નોટીસ ફટકારવામાં આવી છે. પરંતુ હાલ ઢોંગી ઢબુડીને લઇને મોટા સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગર નજીક પેથાપુર પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીના અનુસંધાને બુધવારે રાતે 11.45 વાગ્યે ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ હાજર થયો હતો. પોલીસે બપોર બાદ આપેલા બીજા સમન્સ બાદ…

Read More
1 9

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન-ઇસરો તરફથી ચંદ્રયાન-2 ના લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમેરિકાની સંસ્થા નાસા પણ આ કાર્યમાં જોડાય ગઇ છે. હવે તો ગણતરીના 8 દિવસ સુધી સંપર્ક સાંધવાની કોશિષ ચાલુ રહી શકશે. દુનિયાભરમાંથી લોકો ઇસરોના ચંદ્રયાન-2 મિશનના વખાણ કરતાં થાકતાં નથી. લોકોની શુભેચ્છાઓની વચ્ચે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચ. ડી. કુમારસ્વામીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું. કુમારસ્વામીએ વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું કે, ઇસરોના હેડક્વાર્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી લેન્ડર વિક્રમ માટે ‘અશુભ’ સાબિત થઈ. પીએમ મોદીની હાજરીના લીધે જ ચંદ્રયાન-2 મિશનના લેન્ડર વિક્રમનું સોફ્ટ લેન્ડિંગ નહોતું થઈ શક્યું. કુમારસ્વામીએ મૈસૂરમાં એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે, હું નથી…

Read More
15 2

દેશના પૂર્વોત્તર રાજ્ય અસામમાં ગત મહિને નેશનલ રજિસ્ટર ઓફ સિટિજનશીપ(એનઆરસી)ની અંતિમ યાદી જાહેર કરાઈ છે. આ યાદીમાં 19 લાખ લોકોને સ્થાન મળ્યું નથી. કેન્દ્ર સરકાર અસામના પાટનગર ગુવાહાટીથી 150 કિલોમીટર દૂર ગોલમારા જિલ્લામાં ડિટેન્શન સેન્ટરનું નિર્માણ કરી રહી છે. એનઆરસીમાં નામ નથી તેવા લોકોને આ સેન્ટરથી મદદ મળી રહેશે. અસામના ગોલપારા જિલ્લાના મટિયામાં મોટા પ્રમાણમાં નિર્માણ કરાતાં ડિટેન્શન સેન્ટરમાં અટકાયત કરાયેલાં 3000 વ્યકિતઓ રહી શકે તેવી વ્યવસ્થા હશે. આ ડિટેન્શન સેન્ટર 7 ફૂટબોલ મેદાનોની સાઈઝ જેટલું વિસ્તારમાં તૈયાર કરાશે.અટકાયત કરાયેલાં લોકોને રાખવા માટે ચાર માળની ઈમારત હશે. કેન્દ્ર સરકારને આશા છે કે આ વર્ષના ડિસેમ્બર મહિના સુધીમાં આ ડિટેન્શન સેન્ટર…

Read More
14 3

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ એનઆરસી મામલે ભાજપ પર ફરીવાર શાબ્દિક હુમલો કર્યો છે. મમતા બેનરજીએ ગુરુવારે ભાજપને ચેતવણી આપી કે એ એનઆરસી નામ પર ‘આગથી ખેલે નહીં. અમે તમને પાઠ ભણાવીશું.’ દેશના પૂર્વોત્તર રાજ્ય આસમમાં જાહેર કરાયેલી એનઆરસીની યાદીના વિરુદ્ધમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આજે રેલી કાઢી હતી. રેલીમાં મમતા બેનરજીની સાથે તૃણમૂલ કોંગ્રેસના કેટલાક મોટા નેતાઓ, સરકારના મંત્રીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં સામેલ થયા હતાં. તૃણમૂલ કોંગ્રેસનું કહેવું છે કે બંગાળની જનતા રાજ્યમાં એનઆરસી લાગુ કરવા દેશે નહીં. આ પહેલાં એનઆરસી વિરુદ્ધ તૃણમૂલ કોંગ્રેસે 7 અને 8 સપ્ટેમ્બરે પણ વિવિધ જિલ્લાઓમાં પ્રદર્શન કર્યું હતું. તૃણમૂલ કોંગ્રેસના વડા…

Read More