૨૨ માસૂમ વિદ્યાર્થીઓને જીવતાં ભૂંજી નાંખનારા તક્ષશિલા અગ્નિકાંડે શહેરની આબરુ રાખ કરી નાંખી હતી. રાજકારણીઓ, બિલ્ડરો અને પાલિકા, વીજકંપનીના અધિકારીઓના પાપે સર્જાયેલા આ હત્યાકાંડની પોલીસે ફોજદારી રાહે પગલાં ભર્યા છે. જ્યારે તક્ષશિલાની આગ બાદ રહી ગયેલા ભ્રષ્ટાચારના હાડપિંજરનું એસીબી દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. જેમાં પાલિકાના વિનુ પરમાર બાદ, ડે. ઇજનેર હરેરામસિંઘ બાદ હવે ડે. ચીફ ફાયર ઓફિસર આચાર્યએ ફરજની હત્યા કરી વસાવેલી સંપત્તિનો પર્દાફાશ થતાં તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આચાર્યએ તેમના ફરજકાળ દરમિયાન ભ્રષ્ટ રીત રસમો અપનાવી કાયદેસરની આવક કરતાં ૬૭.૩૩ લાખની અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
Tuesday, May 14