કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

કોરોનાકાળનો સામનો કરી રહેલા યુરોપિયન દેશ ફ્રાન્સમાં 12 કલાકમાં રેકોર્ડબ્રેક 19.7 ઈંચ વરસાદથી તબાહી મચી ગઈ છે. ભારે વરસાદના કારણે મોટા ભાગના વિસ્તારોમાં પૂર આવ્યું અને ભૂસ્ખલનની ઘટનાઓ બની, જેના કારણે 100થી ‌વધુ ઘર પણ તણાઈ ગયાં. આ ઘટનાઓમાં 25 લોકોનાં મોત થયાં, જ્યારે 20 લાપતા છે. સેંકડો વાહનો પણ પાણીમાં તણાઈ ગયાં અને કાટમાળમાં દબાઈ ગયાં. પૂરના કારણે અનેક રસ્તાઓને પણ નુકસાન થયું છે, જેથી કેટલાક વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે.ફ્રાન્સ હવામાન વિભાગના જણાવ્યાનુસાર, દક્ષિણ-પૂર્વ ફ્રાન્સ અને ઉત્તર ઈટાલીમાં રાતભર ચક્રવાતી તોફાન એલેક્સના કારણે મુશળધાર વરસાદ થયો. તેના કારણે નાઈસ શહેરના પહાડી વિસ્તારોમાં પૂર આવ્યું. આ દરમિયાન આલ્પ્સ-મેરિટાઈમ ક્ષેત્રમાં…

Read More

11 ઓક્ટોબર રવિવારે પુષ્ય નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે. જ્યોતિષમાં તેને રવિ પુષ્ય યોગ કહેવામાં આવે છે. આ યોગમાં ખરીદારી અને અન્ય શુભ કામ કરવાથી તેનો ફાયદો મળશે. આ વર્ષનો પહેલો અને છેલ્લો રવિ પુષ્ય સંયોગ છે જે આખો દિવસ રહેશે. આ પહેલાં 12 જાન્યુઆરીએ સવારે લગભગ સાડા 4 કલાક માટે આ યોગ બન્યો હતો પછી 13 સપ્ટેમ્બરની રાતે બન્યો હતો. હવે 8 નવેમ્બરે સવારે સાડા 8 વાગ્યા સુધી જ રહેશે. આ સ્થિતિ વર્ષમાં ત્રણથી ચાર વાર જ બને છે. એટલે દરેક પ્રકારના શુભ કામ અને નવા કામની શરૂઆત માટે 11 તારીખના રોજ બની રહેલો શુભ સંયોગ ખૂબ જ ખાસ…

Read More

પાણી આપણા શરીર માટે કેટલું જરૂરી છે તે જાણતાં છતાં ઘણા બધા લોકો પર્યાપ્ત પ્રમાણમાં પાણી પીતા નથી. આવશ્યક પ્રમાણમાં પાણી ન પીવાથી આપણા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે અને ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. જાણો, કેટલાક એવા સંકેતૂ વિશે જે તમારા શરીરને પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાનું સિગ્નલ આપે છે. જેથી તમે સમય રહેતાં પોતાની પાણી ન પીવાની આદતને સુધારી શકો છો અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો. શરીરમાં પાણીનું પ્રમાણ શરીરમાં ઘટી જાય છે ત્યારે મોઢુ સુકાવા લાગે જ્યારે શરીરમાં પાણીનું પ્રમાણ શરીરમાં ઘટી જાય છે ત્યારે મોઢુ સુકાવા લાગે છે. જો વારંવાર મોઢુ સુકાઇ…

Read More

છેલ્લા કેટલાક દિવસથી ડુંગળીની કિંમત આસમાને ચડી રહી હતી. આલમ એ છે કે દિલ્હીની આઝાદપુર મંડીમાં જથ્થાબંધ ભાવો 51 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયા છે. જ્યારે, ડુંગળી રિટેલમાં 40 થી 65 રૂપિયામાં વેચાય છે. પરંતુ હવે ચિંતા કરવાની કોઈ વાત નથી. ડુંગળીના ભાવ નરમ થવા લાગ્યા છે અને માનવામાં આવે છે કે ટૂંક સમયમાં ડુંગળીના ભાવ કિલોદીઠ 25 રૂપિયા સુધી આવી શકે છે. વાસ્તવમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થવા પાછળ 3 મહત્વપૂર્ણ કારણો છે. ચાલો જાણીએ કે ડુંગળીના વધતા ભાવને નિયંત્રિત કરી શકાય તેવા ત્રણ કારણો કયા છે. ડુંગળીના ભાવને કાબૂમાં લેવા સરકારે જથ્થામાં અફઘાનથી ડુંગળી મંગાવવાનું શરૂ કર્યુ છે. ઉત્તર…

Read More

આમ તો સૌ કોઈ તનાવભરી જીંદગી જીવે છે. પણ, ખાખી વર્દીધારી પોલીસ વિશેષ તનાવમાં જીવે છે. તનાવની સ્થિતિમાં પોલીસ માનસિક અને શારીરિક રીતે પરેશાન રહે છે અને આપઘાતના કિસ્સામાં પણ ભૂતકાળમાં બની ચૂક્યાં છે. આથી, પોલીસ કર્મચારીઓ, અધિકારીઓમાં રહેલા સ્ટ્રેસને ભગાવવા માટે પોલીસ મેડિટેશનના માર્ગે આગળ વધવાની છે. ડીજીપીથી માંડી કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ સ્ટાફ અને પરિવાર માટે તા. 10થી 12 દરમિયાન સવાર-સાંજ વિનામૂલ્યે ઓનલાઈન મેડિટેશન કેમ્પ યોજાનાર છે. રાજ્યના સવા લાખ પોલીસકર્મી, અધિકારી માટે આ પ્રકારનો ઓનલાઈન મેડિટેશન કેમ્પ પહેલી વખત યોજાઈ રહ્યો છે. દોઢ કલાક માટેના મેડિટેશન કેમ્પ યોજાશે ગુજરાત પોલીસ માટે આગામી તા. 10, 11 અને 12, એમ ત્રણ…

Read More

ભારતે એન્ટી સબમરીન સુપરસોનિક મિસાઈલ સ્માર્ટનું સફળ પરીક્ષણ કર્યું હતું. એ સાથે જ ભારતીય લશ્કરની ક્ષમતામાં વધારો થયો છે. આ મિસાઈલ ૬૫૦થી લઈને૧૦૦૦ કિલોમીટરની રેન્જ સુધીમાં પ્રહાર કરવા સક્ષમ છે. એન્ટી સબમરીન મિસાઈલનું પરીક્ષણ ઓડિશાના તટે થયું હતું. સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ રિલીઝ ઓફ ટોર્પિડો (સ્માર્ટ)નું ઓડિશાના તટે અબ્દુલ કલામ ટાપુમાં થયું હતું. ૬૫૦થી ૧૦૦૦ કિલોમીટર સુધી પ્રહાર કરવા સક્ષમ આ મિસાઈલથી ભારતની સમુદ્રી શક્તિ વધશે. સબમરીનને દૂરથી જ ધ્વસ્ત કરવાની શક્તિ ધરાવતી આ મિસાઈલનું સફળ પરીક્ષણ થયું પછી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને ડીઆરડીઓના વિજ્ઞાાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. મિસાઈલ અસિસ્ટેડ કામ આપશે વિજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે સુપરસોનિક એન્ટી મિસાઈલની જેટલી…

Read More

ટ્રેનના પાટા પર ચાલવાનો એકમાત્ર અધિકાર ટ્રેનનો છે. પછી ભલે તે મુસાફરો માટે દોડતી પેસેન્જર ટ્રેન હોય કે માલવાહક ટ્રેન- ભારખાના ટ્રેન હોય. ટ્રેનોને ચાલવા માટે આ બંને પાટાઓની ટ્રેકની ચોક્કસ મર્યાદા નક્કી કરેલી છે. તેની વ્ચેચ અન્ય કોઈપણ વાહનને ચાલવાની સંપૂર્ણ મનાઈ હોય છે. પરંતુ બિહારના છપરાના રેલવે ક્રોસિંગ પર એવું જોવા મળી રહ્યું છે કે તે ખૂબજ બેદરકારીભર્યું અને લાપરવાહી સાથે જીવલેણ સાબિત થઈ શકે છે. દૈનિક ટ્રાફિક જામની સ્થિતિ મોટા પ્રમાણમાં જોવા મળે છે રેલ્વે ટ્રેક પર ઘણાં બાઇક સવારો બે પાટા વચ્ચેથી પસાર થતા જોવા મળ્યા હતા. બીજી તરફ, અમૃતસર જયનગર હમસફર ટ્રેન બીજી લાઇન પર ઉભી…

Read More

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમનું ઇ લોકાર્પણ કર્યું છે. આ કાર્યક્રમ આગામી 8 ઓક્ટોબરથી પ્રથમ તબક્કામાં રાજ્યના 2 હજાર 700 ગામડાઓને આવરી લેવામાં આવશે. અહીં ડિજિટલ સેવા સેતુના માધ્યમથી 22 જેટલી સેવાઓનો લાભ ગ્રામજનો ઘરઆંગણે જ લઇ શકશે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, સરકારે સેવા સેતુનો વ્યાપ વધારી ગ્રામ્ય વિસ્તારનો પ્રજાજનોને ડિજિટલ સેવા આપવાનો નિર્ણય કર્યો છે.ડિજિટલ સેવા સેતુને કારણે ગ્રામીણ પ્રજાજનોને રોજબરોજની સેવા તેમજ જરૂરી પ્રમાણપત્રો માટે તાલુકા કે જિલ્લા મથકે નહીં જવું પડે. ડિસેમ્બર મહિના સુધીમાં વધુ 8 હજાર ગ્રામપંચાયતોને ડિજિટલ સેવા સેતુ સાથે જોડવામાં આવશે. સીએમે…

Read More

મધ્ય પ્રદેશની વિધાનસભાની 28 બેઠકોની પેટાચૂંટણી પહેલાં ભાજપના શિવરાજ સિંઘની સરકારના એક પ્રધાન બિસાહુલાલ સિંઘ લોકોને પૈસા વહેંચતા હોય એવી એક વિડિયો ક્લીપ વાઇરલ થઇ હતી. કોંગ્રેસે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ પણ કરી હતી. બિસાહુલાલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા પક્ષપલટુ નેતા છે. કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વિજય સિંઘે આ વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર રજૂ કરી હતી. દિગ્વિજય સિંઘે લખ્યું હતું કે શું ચૂંટણી પંચ અને ન્યાયતંત્ર આ વિડિયો ક્લીપની નોંધ લેશે કે…આગામી પેટાચૂંટણીમાં બિસાહુલાલ પણ એક ઉમેદવાર છે. કોંગ્રેસે ચૂંટણી પંચને બિસાહુલાલ સામે પગલાં લેવાની માગણી કરી હતી. કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી ટાણે બિસાહુલાલે ઘઉંનો સ્ટોક…

Read More

ઉત્તર પ્રદેશના હાથરસ અને બલરામપુરમાં બનેલી ગેંગરેપની ઘટનાઓની નોંધ સંયુક્ત રાષ્ટ્રસંઘે લીધી હતી અને ભારતમાં મહિલાઓ સુરક્ષિત નથી કે એવો સવાલ કરાયો હતો. યુનોના કાયમી રેસિડેન્શ્યલ કો-ઓર્ડિનેટર રેનાટા ડેસાલિયેને કહ્યું હતું કે, હાથરસ અને બલરામપુરની ઘટનાઓ દર્શાવે છે કે સમાજમાં આજે પણ વંચિત વર્ગના લોકો પર લિંગ આધારિત હિંસા અને અપરાધો સહન કરવા પડે છે.યુનોની મહિલા પ્રતિનિધિ રેનાટાએ કરેલી આ ટકોરની ભારત સરકારે ગંભીર નોંધ લીધી હતી અને કહ્યું હતું કે, કોઇ પણ બહારની સંસ્થાની ટકોરને નજરઅંદાજ કરવી ઘટે. ભારત સરકાર આ ઘટનાઓને ગંભીરતાથી લઇ રહી હતી. બહારની કોઇ એજન્સીએ આ વિશે ટકોર કરવાની જરૂર નથી. રેનાટાએ કહ્યું હતું કે, સંબંધિત પરિવારને…

Read More