રાજસ્થાનના અલવરમાં ગેંગ રેપ કેસમાં ચાર આરોપીઓને કોર્ટે દોષી ઠેરવ્યા છે. સાથે જ વીડિયો વાયરલ કરનારા આરોપીને આઈટી એક્ટમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. હંસરાજ, ઇન્દ્રાજ, અશોક અને છોટાલાલને આઈપીસી અને આઈટી એક્ટમાં દોષી ઠેરવવામાં આવ્યા છે, જ્યારે મુકેશને આઇટી એક્ટમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. સજા અંગેનો ચુકાદો એક વાગ્યા પછી આવી શકે છે.ન્યાયાધીશ બ્રિજેશ કુમારની કોર્ટમાં આ કેસમાં બચાવની અંતિમ દલીલો ગત મહિને 11 સપ્ટેમ્બરે પૂર્ણ થઈ હતી. તે સમયે ન્યાયમૂર્તિએ ચુકાદો જાહેર કરવા માટે 24 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી હતી, પરંતુ કોરોનાના વધતા ચેપને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે 1 ઓક્ટોબર સુધી કોર્ટના કામકાજ પર સ્ટે મુક્યો હતો. આ પછી કોર્ટે…
કવિ: Satya Day News
સરકારે નિર્માણ ઉપકરણ વાહનો અને ટ્રેક્ટરો માટે નવા ઉત્સર્જન માપદંડોને અમલમાં લાવવાની સમયસીમાને આગામી વર્ષ સુધી આગળ વધારી દીધી છે. તે અનુક્રમે એપ્રિલ 2021 અને ઓક્ટોબર 2021 કરી દીધી છે. પહેલા આ માપદંડ આ ઓક્ટોબર મહિનાથી લાગુ થવાના હતા. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, મંત્રાલયે સીએમવીઆર 1989માં સંશોધનને અધિસૂચિત કર્યા છે, જેમાં ટ્રેક્ટરો (ટીઆરઇએમ સ્ટેજ- IV) માટે ઉત્સર્જન માપદંડોના આગામી ચરણને લાગુ કરવાની તારીખને આ વર્ષ ઓક્ટોબરથી હટાવીને આગામી વર્ષ ઓક્ટોબર કરી દીધી છે. જણાવી દઇએ કે નવા નિયમોથી ટ્રેક્ટર માલિક પર કોઇ અસર નહી થાય કારણ કે નવા નિયમ ટ્રેક્ટર બનાવતી કંપનીઓ માટે છે. માર્ગ પરિવહન…
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટમાં કોરોનાના કેરના કારણે સામાન્ય લોકોને છ મહિના પહેલાં સંપૂર્ણપણે બંધી ફરમાવવામાં આવી હતી. સરકારની નવી ગાઈડલાઈન્સના અનુસંધાનમાં આજથી આ બંધી ઉઠાવી લેવામાં આવી છ. હવેથી લોકો કુદરતી વાતાવરણની મોજ તેમના અનુકૂળ સમયે માણી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે રિવરફ્રન્ટ શહેરીજનોને માટે હરવાફરવા માટે હંમેશા આકર્ષણનુંકેન્દ્ર રહ્યું છે. પરંતુ નવી છૂટછાટ પછી ત્યાં ટોળાં ના થાય તો સારૂં એવી દહેશત પણ કેટલાંક લોકો વ્યક્ત કરી રહ્યાં છે.આ માટે મ્યુનિ. તંત્ર અને પોલીસ તંત્રએ સતત ધ્યાન રાખતા રહેવું પડશે તેમ પણ કહેવાય છે.
સ્વીડનની નોબેલ પ્રાઈઝ સમિતિ દ્વારા આજે મેડિસિન (ફિઝિયોલોજી)ના નોબેલ પ્રાઈઝની જાહેરાત કરવામાં આવી હતી. અમેરિકી સંશોધકો હાર્વે એલ્ટર અને ચાર્લ્સ રાઈસ તથા બ્રિટિશ વિજ્ઞાાની માઈકલ હ્યુટનને આ પ્રાઈઝ સંયુક્ત રીતે જાહેર થયું છે.એે ત્રણેયે મળીને લિવર કેન્સર તથા સોરાયસીસ નામની બિમારીના સર્જક હિપેટાઈટિસ સી વાઈરસની ઓળખ કરી આપી હતી. જેના કારણે આ જટીલ રોગનું નિદાન અને સારવાર શક્ય બન્યા છે. આ ત્રણેયે મળીને યકૃત (લિવર) પર થનારા સોઝા એટલે કે હિપેટાઈટિસનું રહસ્ય ઉકેલ્યું હતું. સંશોધકો હિપેટાઈટિસ એ અને બી વાઈરસ અંગે જાણતા હતા. પરંતુ હિપેટાટિસીનો વાઈરસ તેમના માટે રહસ્યમ હતો.લોહીમાંથી સર્જાતા આ હિપેટાઈટિસને કારણે વર્ષે 70 લાખ લોકો બિમાર પડે છે…
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ પોતાના એક નિરીક્ષણમાં જણાવ્યું હતું કે વિશ્વની દરેક દસમી વ્યક્તિ કોરોનાના ચેપથી ગ્રસ્ત થઇ શકે છે. એનો અર્થ એવો થયો કે હાલ કોરોનાના જેટલા દર્દીઓ છે એના કરતાં વીસ ગણા લોકો કોરોનાના દર્દી થઇ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના ઇમર્જન્સી પ્રોગ્રામના વડા ડૉક્ટર માઇકલ રિયાને કહ્યું કે આ આંકડા ગ્રામ વિસ્તારો અને શહેરી વિસ્તારોના અલગ અલગ હોઇ શકે છે. જો કે એક વાત સ્પષ્ટ છે કે સમગ્ર દુનિયા આ વાઇરસની ઝપટમાં આવી ચૂકી હતી. ભવિષ્યમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે. સાઉથ ઇસ્ટ એશિયાના દેશોમાં પરિસ્થિતિ વધુ ખરાબ હતી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના 34 સભ્યોની કારોબારી…
અમેરિકી રિસર્ચ એજન્સી નાસા (NASA)એ એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક વિશાળ તારાનો વિસ્ફોટ રેકોર્ડ કરવામાં આવ્યો છે. નાસા દ્વારા અંતરિક્ષમાં રેકોર્ડ કરવામા આવેલો આ ધમાકા ધરતીથી લગભગ સાત કરોડ પ્રકાશ વર્ષ દૂર સ્થિત એસએન 2018 જીવી સુપરનોવામાં રેકોર્ડ કરવામાં આવ્યો છે. નાસાએ પોતાના સત્તાવાર ટ્વીટર હૈંડલ પર આ વીડિયો શેર કર્યો છે. સુપરનોવા અંતરિક્ષમાં એક તારોનો સૌથી મોટો વિસ્ફોટ થયો છે. વીડિયોમાં સુપરનોવા 2018 જીવીની લુપ્ત થતી રોશની જોઈ શકાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ ઘટના અત્યંત દુર્લભ છે.આ તારાને 1791માં બ્રિટિશ ખગોળશાસ્ત્રી વિલિયમ હર્શેલે ‘spiral nebula’ તરીકે ઓળખાવ્યો હતો. લગભગ એક વર્ષ ટાઈમ-લેપ્સ અનુક્રમ ફૈલા, સુપરનોવા…
સયાજીગંજ વિસ્તારમાં રાત્રિના સમયે કેટલાક લોકો મહિલાઓના વેશ પરિધાન કરીને અપ્રાકૃતિક કૃત્ય કરવા માટે લોકોને લલચાવતા ત્રણ પુરુષો ઝડપાયા હતા. શહેરના સયાજીગંજ વિસ્તારમાં રેલવે સ્ટેશન પાસે, યુનિવર્સિટી મેઇન રોડ પર, વિટકોસ બસ સ્ટેશન પાસેના સુલભ શૌચાલય નજીક તથા કમાટી બાગ રોડ પર અને પ્રતાપગંજ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓનો વેશ ધારણ કરી અપ્રાકૃતિક કૃત્ય માટે કેટલાંક તત્ત્વો લોકોને અને ખાસ કરીને નવજુવાનોને લલચાવતા હતા. લોકોને લલચાવ્યા બાદ અંધકારમય જગ્યાએ કે નજીકના સુલભ શૌચાલયમાં લઈ જઈ અપ્રાકૃતિક કૃત્ય કરવામાં આવે છે. જો કોઈ નબીરો દેખાય તો બ્લેકમેઇલ પણ કરતા રહે છે. સયાજીગંજ પોલીસ રવિવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસે પ્રતાપગંજ પોલીસચોકીની…
1.33 કરોડના MD ડ્રગ્સ કેસમાં દિવસે ને દિવસે નવા નવા ઘટસ્ફોટો થઈ રહ્યા છે. ત્યારે આ ડ્ર્ગ્સ કેસમાં મુંબઈથી સુરત સુધીની એક ચેઈનને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી છે. જેમાં એરોનોટિકલ એન્જિનીયર, બી.ફાર્મ થયેલો યુવક, કરોડપતિ આદિલ નૂરાની, મુંબઈના ડુંગળીના વેપારી સહિત 11 જણાને ઝડપી પાડવામાં આવ્યા છે. આ તમામે મુંબઈથી ડ્રગ્સ સુરતમાં ઘૂસાડી યુવાધનને ડ્રગ્સના નશામાં ધકેલ્યું છે. ગત 22 સપ્ટેમ્બરના રોજ ત્રણ અલગ અલગ જગ્યાએથી ત્રણ આરોપીઓને 1.33 કરોડના MD ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓને ઝડપા પાડવામાં આવ્યા હતા. જેમાં સંકેત અસલાલીયા, વિનય પટેલ અને સલમાન ઝવેરીનો સમાવેશ થતો હતો. ત્રણેયને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં અન્ય ડ્ર્ગ્સ…
નર્મદા જિલ્લાના જુનારાજુવાડિયા ગામના રહેવાસી શનુભાઈ વસાવાની 25 વર્ષીય પુત્રી જયશ્રીએ ચાર વર્ષ પહેલાં વિરમગામના નરસિંહપુરા ગમે રહેતા અશોક પ્રજાપતિ સાથે લગ્ન કર્યા હતા અને એક બાળકીનો જન્મ થયો હતો જે હાલ ત્રણ વર્ષની છે. છેલ્લા ત્રણ મહિનાથી અશોક અને જયશ્રી વચ્ચે અણબનાવ હતો. બે દિવસ પહેલા જયશ્રીએ તેની માતાને ફોન પર રડતા રડતા કહ્યું હતું કે તમે મારી દીકરીને સાચવજો અને ભણાવજો. આટલું કહી ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. બીજા દિવસે ફરી જયશ્રીએ ફોન કરી ફરી એ જ વાત કરી હતી. બાદમાં મોડી રાતે શનાભાઈ પર ફોન આવ્યો હતો કે જયશ્રીનું મોત થયું છે જેથી તેઓએ જમાઈ અશોકને…
દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ક્વોરન્ટીન કરવા માટે લગાવવામાં આવેલા સીલથી કોંગ્રેસનેતા મધુ યાક્ષી ગૌડના હાથ પર ફોલ્લા પડી ગયા છે. આ સિવાય તેમને દુખાવો અને ખજવાળ પણ શરૂ થઈ ગઈ છે. ગૌડે નાગરિક ઉડ્ડયનમંત્રી હરદીપ સિંહ પુરીને આ અંગે ફરિયાદ કરી છે. તેમણે સોમવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે હરદીપ સિંહ પુરીજી, દિલ્હી એરપોર્ટ પર સ્ટેમ્પિંગ માટે ઉપયોગમાં લેવામાં આવતી ઈન્કમાંના કેમિકલ પર ધ્યાન આપવામાં આવે. ગઈકાલે એરપોર્ટ પર મારા હાથથી સ્ટેમ્પિંગ કરવામાં આવ્યું હતું. એ પછીથી જ દર્દ અને ખજવાળ આવી રહી છે. હવે મારો હાથ કંઈક આવો દેખાઈ રહ્યો છે. ગૌડે ટ્વિટર પર પોતાના હાથની બે તસવીર પણ…