વૈજ્ઞાનિકોએ આવનાર શિયાળાને અંગે ચેતવણી આપી છે. તેમના મતે, જો કોરોના અને ફ્લુ એક સાથે આવે છે તો મૃત્યુનું જોખમ બમણું થઈ શકે છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ જર્નલમાં પ્રકાશિત રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, 20 જાન્યુઆરીથી 25 એપ્રિલની વચ્ચે ઈંગ્લેન્ડમાં 58 આવા જ કેસ સામે આવ્યા છે. આ દર્દીઓ ફ્લુ અને કોવિડ-19 બંનેનો સામનો કરી રહ્યા હતા. તેમાંથી, કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો આંકડો 27 ટકા હતો, જ્યારે ફ્લુની ઝપેટમાં આવ્યા બાદ 43 ટકા દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ફ્લુનું સંક્રમણ હંમેશાં ઠંડીમાં થાય છે. કોવિડ-19 અંગે તે કહેવું મુશ્કેલ છે કે તે સિઝનલ બીમારી છે. બંનેના લક્ષણો એક જેવા હોય…
કવિ: Satya Day News
યંગસ્ટર્સમાં ઇયરફોનનો ઉપયોગ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ઓફિસમાં કામ કરતી વખતે, ભણતી વખતે અથવા અન્ય કોઇપણ કામ કરતી વખતે યુવાનોના કાનમાં ઇયરફોન ભરાયેલા જોવા મળે છે. મોટાભાગના લોકો તેને ગળામાં પણ પહેરીને રાખે છે. જો તમને પણ ઇયરફોન પહેરીને કલાકો સુધી ગીતો સાંભળવા અથવા મૂવી જોવાની ટેવ હોય તો ચેતી જજો. જો તમે ઇયરફોનનો વધુ પડતો ઉપયોગ કરતા હો તો તમારી સાંભળવાની ક્ષમતા ઓછી થઈ શકે છે. સતત ઉપયોગ કરવાનું ટાળો: જો તમારે ઇયરફોન લગાવીને કલાકો સુધી કામ કરવું પડતું હોય તો દર કલાકે 5-10 મિનિટ માટે તેને કાઢી લો અને કાનને આરામ આપો. કલાકો સુધી સતત તેનો ઉપયોગ કરવાથી…
આવકવેરા વિભાગે તેના ટ્વિટર હેન્ડલ દ્વારા ટ્વિટ કર્યું છે કે નાણાકીય વર્ષ 2018-19 માટે આવકવેરા રીટર્ન ભરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે. તેથી જ કરદાતાઓએ વહેલી તકે રિટર્ન ફાઇલ કરી દેવી જોઈએ. તમને જણાવી દઇએ કે અગાઉ નાણાકીય વર્ષ 2018-19 માટે, ઈન્કમટેક્સ વિભાગે આઇટીઆર ફાઇલ કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. અગાઉ, અંતિમ તારીખ 31 જુલાઈ નક્કી કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2019-20 માટે રિટર્ન ફાઇલ કરવાની તારીખ પણ 30 નવેમ્બર, 2020 સુધી લંબાવી દેવામાં આવી છે. આ સમયમર્યાદા સામાન્ય રીતે 31 જુલાઈ સુધીની હોય છે. હવે જો રિટર્ન ફાઇલ કરવામાં ન આવે તો શું થાય જો કોઈ…
વડોદરા શહેરના અક્ષર ચોકથી સનફાર્મા રોડ ઉપર ઝાડેશ્વરનગર યુ.એલ.સી. વસાહતમાં મોડી રાત્રે જૂથ અથડામણ થઇ હતી. આ બનાવ દરમિયાન પસાર થઇ રહેલી જે.પી. પોલીસ મથકની PCR વાન સ્થળ પર પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કરતા ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. અને એક પોલીસ જવાનની બાઇકને આગ ચાંપી દીધી હતી. પોલીસ ઉપર કરાયેલા હુમલામાં PCR વાનના ASIને હાથમાં ફેક્ચર થઇ ગયું હતું. મોડી રાત્રે બનેલા આ બનાવ બાદ વસાહતમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વડોદરાના જે.પી. રોડ પોલીસ સ્ટેશનની હદમાં અક્ષર ચોકથી સનફાર્મા રોડ તરફ જવાના માર્ગ ઉપર ઝાડેશ્વર નગર યુ.એલ.સી. વસાહતમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે ઝઘડો…
છેલ્લા થોડા દિવસોથી સુરતમાંથી પ્રતિબંધિત MD(મેફેડ્રોન ડ્રગ્સ)નો જથ્થો ઝડપવામાં પોલીસને સફળતા મળી રહી છે. યુવાનો નશાની લતના શિકાર ન બને એ માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં ડીસીબીએ ત્રણ જગ્યાએ રેડ કરી હતી, જેમાં ડ્રગ્સ વેચવા જતાં અને પોતાની પાસે રાખનારા ત્રણ આરોપીને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા છે, સાથે જ આરોપીઓને ડ્રગ્સ આપનાર ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ડુસમ ગામના રોડથી કુવાડા ટી પોઈન્ટ પાસેથી સલમાન ઉર્ફે અમન મોહમ્મદ હનીફ ઝવેરી (રહે. એ-203 આશિયાના કોમ્પ્લેક્સ અડાજણ પાટિયાસ ન્યૂ રાંદેર રોડ)ને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે આદિલ નામના શખસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સલમાન પાસેથી પોલીસે…
જ્યારે શરીરના સ્વાદુપિંડ સુધી ઇન્સ્યુલિન પહોંચવાનું ઓછું થાય છે ત્યારે લોહીમાં શુગર- ગ્લુકોઝનું પ્રમાણ વધવા લાગે છે. તબીબી ભાષામાં તેને ડાયાબિટીસનો રોગ કહેવામાં આવે છે. ડાયાબિટીસ એ એક લાંબી અને મેટાબોલિક રોગ છે જે સમય જતાં હૃદય, રક્તકણો, આંખો, કિડની અને ચેતાતંત્રને ઇફેક્ટ કરે છે. ડબ્લ્યુએચઓના એક અહેવાલ મુજબ, વિશ્વભરમાં 42 કરોડથી વધુ લોકો આ જીવલેણ રોગથી પ્રભાવિત છે. નિષ્ણાતો કહે છે કે શરીરમાં આ 7 લક્ષણો જોઈને તમે ડાયાબિટીસના જોખમને ઓળખી શકો છો. વધુ પ્રમાણમાં પાણીની તરસ લાગે તે પણ ડાયાબિટીસનો પ્રકાર વધુ પ્રમાણમાં તરસ લાગવી એ પ્રકાર 2 ડાયાબિટીસનું લક્ષણ છે. તમે કહી શકો છો કે પાણીનો કોઈ…
બ્રિટિશ વૈજ્ઞાનિકોએ ખાસ પ્રકારનું બેન્ડેજ તૈયાર કર્યું છે, જે તૂટેલા હાડકાંને ફરીથી જોડી શકે છે. તે એક રીતે પ્લાસ્ટરનું કામ કરે છે. આ પ્રયોગ ઉંદરો પર સફળ થયા બાદ હવે મનુષ્ય પર તેના ટ્રાયલની તૈયારીઓ ચાલી રહી છે. તેને કિંગ્સ કોલેજ લંડનના વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યું છે. આ રીતે કામ કરે છે બેન્ડેજ 1. કિંગ્સ કોલેજ લંડનના વૈજ્ઞાનિક ડો. શુક્રિ હબીબના જણાવ્યા પ્રમાણે, આ બેન્ડેજ ફ્લેક્સિબલ છે. તે વાળ કરતાં ફક્ત 3 ગણું જાડું છે. ટ્રીટમેન્ટ માટે જ્યાં ફ્રેક્ચર થયું છે, ત્યાં નાનો ચીરો કરીને બેન્ડેજ લગાવવામાં આવે છે. 2. ડો. હબીબના જણાવ્યા પ્રમાણે, બેન્ડેજમાં સ્ટેમ સેલ્સ અને બોન સેલ્સ છે, તે ફ્રેક્ચરવાળા…
17 માર્ચથી બંધ આસામના મહાશક્તિપીઠ કામાખ્યા મંદિરના દરવાજા 24 સપ્ટેમ્બરથી ભક્તો માટે ખૂલી રહ્યા છે. મંદિર ટ્રસ્ટે એના માટે તૈયારી શરૂ કરી દીધી છે. મંદિરમાં દર્શન માટે ખૂબ જ કડક ગાઇડલાઇન્સ નક્કી કરાઈ છે. ગુવાહાટીમાં આ સમયે કોરોનાના અનેક કેસ સામે આવી રહ્યા છે, પરંતુ મંદિર ખોલવાની માગ પણ ઘણા સમયથી ચાલી રહી છે. પહેલાં ટ્રસ્ટે પ્રસ્તાવ જણાવ્યો હતો કે મંદિરમાં માત્ર પરિક્રમા માટે લોકોને પ્રવેશ આપવામાં આવે. 24 સપ્ટેમ્બરથી મંદિરમાં આખા દિવસમાં લગભગ 500 લોકોને પ્રવેશ મળશે. મંદિરમાં કોઈપણ વ્યક્તિ 15 મિનિટથી વધારે રહી શકશે નહીં. મંદિર ટ્રસ્ટે સરકાર દ્વારા નક્કી કરેલી ગાઇડલાઇન્સ પ્રમાણે મંદિર ખોલવાની સંપૂર્ણ તૈયારી કરી…
અરવલ્લીના સાઠંબાના ચોપલાવત દૂધ મંડળીના પશુપાલકોએ પોલીસ મથકે પહોંચીને હોબાળો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે ત્રણ માસથી દૂધ મંડળીના સેક્રેટરી દ્વારા પગાર ચુકવામાં ના આવતા પશુપાલકો રોષે ભરાયા હતા અને દૂધમંડળીને તાળું મારી દીધું હતું..જો કે દૂધમંડળીને મારેલું તાળું પોલીસે ખોલી દેતા પશુપાલકો રોષે ભરાયા હતા અને પોલીસ મથકે પહોંચીને વિરોધ દર્શાવ્યો હતો.
સંસદે ટેક્સેશન અને અન્ય કાયદા (કેટલીક જોગવાઇઓમાં રાહત અને સંશોધન) વિધેયક, 2020 ને મંજૂરી(Taxation and Other Laws (Relaxation and Amendment of Certain Provisions) Bill, 2020) આપી દીધી છે. સાથે જ આગામી વર્ષ સુધી ટીડીએસ (TDS) માટે 25 ટકા છૂટ આપવામાં આવી રહી છે, જે 31 માર્ચ 2021 સુધી જારી રહેશે. કયા પ્રકારની પેમેન્ટ અથવા આવક પર લાગુ થઇ શકે છે TDS TDSમાં આપવામાં આવેલી 25 છૂટ તમામ પ્રકારની પેમેન્ટ્સ પર લાગુ થશે. તેમાં કમીશન, બ્રોકરેજ અથવા કોઇ અન્ય પ્રકારની પેમેન્ટ સામેલ છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં ચર્ચા દરમિયાન જણાવ્યું કે તેનાથી 50,000 કરોડ રૂપિયાની લિક્વિડીટી લોકોના હાથોમાં રહેશે. સાથે જ જે…