કોરોનામાં શહેરીજનો પોતાના પરિવાર સાથે વધુ સમય પસાર કરી રહ્યા છે ત્યારે તેમને લોકડાઉનનાં ખરા સમયમાં તેમના સ્ટ્રેસને રિવિલ કરવા પર્યાવરણનો સહારો લીધો છે. શહેરમાં ડ્રાઈવ ચલાવતા લોકોનું કહેવું છે કે છેલ્લા ૩થી 4 મહિનામાં લોકો તેમના ઘરે ગાર્ડનિંગ અને પ્લાન્ટેશન કરતા શિખી ગયા છે. આ વર્ષે ઘરે જ વૃક્ષારોપણ કરીને ફ્રૂટ અને શાકભાજી વાવ્યા છે. હેલ્થને ધ્યાનમાં રાખી છોડવાનું વાવેતર કરવું જોઇએ. સામાન્ય રીતે જે શહેરીજનોને પર્યાવરણ બચાવવા માટે વૃક્ષારોપણ કરવાનું કહીશું તો તેઓ આગળ આવતા નથી પરંતુ તેના બદલે તેમના ઘરે જ સ્વાસ્થ્યવર્ધન માટે વૃક્ષારોપણ કરવાનું સમજાવવામાં આવે છે. લોકડાઉનનામાં ઘરે રહીને કિચન ગાર્ડનીંગ, ટેરેસ ગાર્ડનીંગ, બાલ્કની ગાર્ડનીંગ…
કવિ: Satya Day News
covid-19 મહામારીના પગલે લાદવામાં આવેલા લોકડાઉન બાદ સરકાર દ્વારા અનલોક સિરીઝ ચલાવવામાં આવી રહી છે. તેમ છતાં હજી કેટલાક લોકો ઘરે બેઠાં વર્ચ્યુઅલી આયોજન કરી રહ્યા છે. તાજેતરમાં દિગમ્બર જૈન મહિલા મહા સમિતિ દ્વારા ઓનલાઈન કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓનલાઈન કોમ્પિટિશનમાં થાળી સજાવીને શેર કરવાની હતી. આ કોમ્પિટિશનમાં ભારતભરમાંથી મહિલાઓએ ભાગ લીધો હતો. આ સજાવટમાં થાળીમાં રંગો અને ભગવાનની પ્રતિમા પર સજાવટ કરાઈ હતી.
કોરોનાની સ્થિતીમાં ગુજરાતનો પરંપરાગત અને ભાતીગળ સૌથી મોટો અને આબાલ વૃદ્ધ તમામમાં ઉત્સાહનો જુવાળ ધરાવતો તહેવાર નવરાત્રી થશે કે નહીં તેની રાજ્યભરમાં ભારે ચર્ચા છે. ગરબા આયોજક એ ગરબા યોજવા તે અનૈતિકતા ગણાશે તેમ કહ્યુ અને જ્યારે 4 આયોજકો ગાઇડલાઇનની રાહ જોશે અને 1 આયોજકે ગરબા નિયમો સાથે યોજવાની તૈયારી બતાવી હતી. શોર્ટ ટાઇમમાં પરમીશન મળે તો આયોજન થાય તેમ નથી, સ્થિતી મુજબ ગરબા ના કરવા જોઇએ. મોટા આયોજનથી લોકો ઇન્ફેક્ટેડ થાય તેનો મતલબ એ જ કે અમે જવાબદારી નિભાવી નથી. ગરબા નહીં કરીએ તે લગભગ નક્કી છે.
નીટની 13 સપ્ટેમ્બરે યોજાનારી પરીક્ષા માટે રેલવે 12 સપ્ટેમ્બરે સોમનાથથી અમદાવાદ અને 13 સપ્ટેમ્બરે અમદાવાદથી સોમનાથ અને વાપી વિશેષ ટ્રેન દોડાવશે. સોમનાથથી આ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન રાતે 9.30 વાગે ઉપડી સવારે 5.25 વાગે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 13મીએ રાતે 9.10 વાગે અમદાવાદથી ઉપડી સવારે 5.05 વાગે સોમનાથ પહોંચશે. ટ્રેનમાં મુસાફરી કરનાર તમામ ઉમેદવારોએ કોલ લેટર બતાવવાની સાથે માસ્ક, સેનેટાઈઝર સાથે રાખવું ફરજિયાત હશે.
અમદાવાદ શહેરમાં રોડ પર પડેલા મોટાભાગના ખાડા પૂરાઈ ગયાનો દાવો મ્યુનિ.એ કર્યો છે. જોકે નાગરિકોને અપીલ કરતા કહ્યું છે કે, હજુ પણ રોડ પર ખાડા દેખાય તો મ્યુનિ. કોર્પોરેશનના ટોલ ફ્રી નંબર 155303 પર ફરિયાદ કરી શકે છે. નાગરિકોની આ ફરિયાદનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે. ચાલુ વર્ષે શહેરમાં 36 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેમાં શહેરમાં દરેક વિસ્તારોમાં મોટાભાગના રોડ પર ખાડા પડી ગયા હતા. છેલ્લા 1 મહિનામાં મ્યુનિ.એ 16330 જેટલા ખાડા પૂરી દીધા હોવાનો દાવો કર્યો છે. જેમાં 1.56 લાખ ચો.મી. ખાડાવાળા રોડને વેટમિક્સ, ફોલ્ડ મિક્સ અને હોટમિક્સથી પુરાણ કરવામાં આવ્યું છે. બે અલગ અલગ મશીનરીથી ખાડા પુરવામાં આવ્યા…
અમદાવાદની અગ્રણી સ્કૂલોના સંચાલકોના દાવા પ્રમાણે 70 ટકાથી વધુ વાલી બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર નથી. કોરોનાની વેક્સીન ન આવે ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ જ ચાલુ રાખવાનો તેમનો મત છે. સ્કૂલ સંચાલકો પણ ઉતાવળે સ્કૂલો શરૂ કરીને કોઈ રિસ્ક લેવા માંગતા નથી. મોટાભાગના સ્કૂલ સંચાલકો અન્ય સ્કૂલો ખુલ્યા પછીની સ્થિતિ બાદ નિર્ણય લેશે. 21 સપ્ટેમ્બરથી ધો.9થી 12ના બાળકોને સ્કૂલ બોલાવવાના મુદ્દે વાલીઓનો મત સ્પષ્ટ છે. મોટાભાગની સ્કૂલોએ વાલીઓને સોશિયલ મિડીયાના માધ્યમથી પૂછ્યુ હતું કે શું તેઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા ઇચ્છે છે કે નહીં? જેના જવાબમાં મોટાભાગના વાલીઓએ ઓનલાઇન શિક્ષણ જ ચાલુ રાખવા જણાવ્યું છે. અગ્રણી ખાનગી સ્કૂલોના સંગઠનના પ્રેસિડેન્ટ અર્ચિત…
દેશમાં પ્રથમ વખત એવી ડેરી શરૂ કરાશે જ્યાં દૂધ ન આપતી ગાયોને રખાશે. તેને ડ્રાય ડેરી તરીકે ઓળખાશે. આ ડેરીમાં ગૌપાલક ન ફક્ત છાણમાંથી ખાતર તૈયાર કરશે અને આર્થિક નફો રળશે પણ સાથે જ ગૌમૂત્રનો પ્રયોગ પણ ખાતર તથા બીજા અન્ય સ્વરૂપોમાં કરશે. તેનાથી ગાયને ખુલ્લામાં ફરવા કે રખડતી ગાયોની સમસ્યાથી મુક્તિ મેળવવામાં મદદ મળશે. વર્ષના અંત સુધીમાં ધાર્મિક શહેર મથુરા અને વારાણસીમાં પાઈલટ પ્રોજેક્ટ તરીકે આ ડેરી ખોલવામાં આવશે, પ્રયોગ સફળ રહ્યા બાદ તેને દેશભરમાં લાગુ કરાશે. શરૂઆતમાં ગૌપાલકોને તેની ટ્રેનિંગ અપાશે. ગૌપાલક ફોસ્ફેટ રિચ મટીરિયલ નાખીને ફોસ્ફેટ રિચ ઓર્ગેનિક ફર્ટિલાઈઝર બનાવશે. જે ડીએપીનો વિકલ્પ બનશે. આ રીતે છાણાંની…
સમગ્ર દુનિયાના દેશો કોરોનાની મહામારીના ઝપેટમાં છે અને પોતાની રીતે કોરોના સામે લડત લડી રહ્યા છે. કોરોના મામલે નોર્થ કોરિયાની વાત કંઈક અલગ જ છે. તાનાશાહ કિમ જોંગ ઉને દેશમાં કોરોનાના વાયરસને રોકવા માટે ચીન તરફથી આવનાર વ્યક્તિને ઠાર મારવાનો આદેશ આપ્યો છે. સાઉથ કોરિયામાં તૈનાત અમેરિકન સેનાના કમાન્ડરે શુક્રવારે આ જાણકારી આપી હતી. નોર્થ કોરિયાની નબળી આરોગ્ય સેવાઓ રોમહામારી સામે લડવામાં નિષ્ફળ સાબિત થઇ રહી છે. કોરોના વાયરસના ફેલાવા બાદ કિમે અત્યાર સુધી દેશમાં કોરોનાના એક પણ કેસની પુષ્ટિ કરી નથી. એટલું જ નહીં નોર્થ કોરિયાએ કોરોનાને રોકવા માટે ચીનની સરહદ જાન્યુઆરીમાં જ બંધ કરી દીધી હતી. જુલાઈમાં નોર્થના…
દર વર્ષે શ્રાદ્ધ પક્ષની અમાસ બાદ નવરાત્રિ શરૂ થઈ જાય છે, પરંતુ આ વર્ષે આમ નહીં થાય. 17 સપ્ટેમ્બરે સર્વપિતૃ મોક્ષ અમાસ છે. ત્યારબાદ 18 સપ્ટેમ્બરથી અધિક માસ શરૂ થશે અને તે 16 ઓક્ટોબર સુધી રહેશે. આ માસમાં કોઈ મોટો તહેવાર નહીં હોય. 17 ઓક્ટોબરે કુંભ સ્થાપના સાથે નવરાત્રિની શરૂઆત થશે. 19 વર્ષ બાદ આસો માસમાં અધિક માસ રહેશે. આ પહેલાં વર્ષ 2001માં આવો સંજોગ થયો હતો. 17 થી 25 ઓક્ટોબર સુધી નવરાત્રિ, 26 ઓક્ટોબરે દશેરા અને 14 નવેમ્બરે દિવાળી ઉજવવામાં આવશે. શ્રાદ્ધ પક્ષ બાદ અધિક માસમાં કોઈ પણ તહેવાર નહીં યોજાય. આ મહિનામાં ચોથ (20 સપ્ટેમ્બર અને 5 ઓક્ટોબર),…
ગાડી ચલાવતી વખતે ડ્રાઈવિંગ લાયસન્સ હોવું ખૂબ જ જરૂરી છે. પહેલા લાયસન્સ માટે લોકોને આરટીઓ ઓફિસના ચક્કર લગાવવા પડતા હતા. પણ હવે કોરોનાકાળમાં આ તમામ પ્રક્રિયા ઓનલાઈન થઈ ગઈ છે. જેમાં આપ પણ ઓનલાઈન અરજી કરી શકો છો. જેમાં આપને ઉંમરની સાથે સાથે ગાડી સંબંધિત દસ્તાવેજો રાખી ફોર્મમાં વિગતો ભરવાની રહેશે. તો આવો જાણીએ ઘરે બેઠા આપ કઈ રીતે લાયસન્સ મેળવી શકશો. આ ડોક્યુમેન્ટની પડશે જરૂર 1 રહેણાંક પ્રુફ, વોટર આઈડી, આધાર કાર્ડ, પાસપોર્ટ, વિજળી તથા ટેલિફોન બિલ, હાઉસ ટેક્સની રસીદ, રાશન કાર્ડ, સરકારી કર્મચારીઓ માટે એડ્રેસવાળુ આઈ કાર્ડ સાથે રાખવા. 2 ઉંમર પ્રમાણપત્ર માટે બર્થ સર્ટિફિકેટ, હાઈસ્કૂલ 10ની માર્કશીટ…