ગુજરાત રાજ્યમાં આત્મહત્યા અંગેના કેસો અટકાવી શકાય તે માટે ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઇન ૧૦૪માં આત્મહત્યા અંતર્ગત કેસો પણ હેન્ડલ કરવાનું શરૂ કરાયું હતું. જેમાં છેલ્લા ૧૩ માસમાં રાજ્યભરમાંથી ૩૫૦ લોકોએ કોલ કરીને સુસાઇડનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. જેમાંથી ૨૩૬ લોકોનું અસરકારક રીતે કાઉન્સિલિંગ કરીને તેઓને જીવનના ખૂબ જ નાજુક સમયગાળામાંથી બચાવી લેવાયા હતા. જીવનના ખૂબ જ નાજુક સમયગાળામાંથી બચાવી લેવાયા આજે તા. ૧૦ સપ્ટેમ્બરે ‘વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે ‘ તરીકે ઉજવવામા ંઆવે છે. ત્યારે ગુજરાતમાં સુસાઇડના કેસોની સંખ્યા ઉત્તરોતર વધતી જઇ રહી છે. સુસાઇડના કેસ અટકાવવા જોઇએ તેવી લાગણી સાથે ગત વર્ષે ૨૨ સપ્ટેમ્બરના રોજ હેલ્થ…
કવિ: Satya Day News
રાજ્યમાં ઓક્સિજનની અછત વચ્ચે સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે અંતર્ગત 50 ટકા ઓક્સિજન ઇન્ડસ્ટ્રીઝને આપવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. રાજ્યમાં ઉત્પાદન થતા કુલ ઓક્સિજન પૈકી 50 ટકા ઇન્ડસ્ટ્રીઝને અને 50 ટકા હોસ્પિટલમાં આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના એડિશનલ સેક્રેટરી વીજી વણઝારા દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે ઓક્સીજનની વિકાસ બંધ કરતા ગુજરાતમાં ઓક્સિજનની ઘટ્ટ વર્તાઈ શકે છે ત્યારે ઓલ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ગેસિસ મેન્યુફેકચરિંગ એસોસિયેશનના ગુજરાતના નોડલ ઓફિસર જીગ્નેશ શાહે ઘટસ્પોટ કર્યો છે કે રાજ્યમાં અંદાજે ૨૫૦થી ૩૦૦ ટન ઓક્સીજન વપરાય છે તેની સામે અંદાજે 600થી 700 ટન ઓકિસજન બને છે. તો વધેલો…
જો તમે ઘર અથવા દુકાન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક, પંજાબ નેશનલ બેંક તમને આ તક આપી રહી છે. ખરેખર, પી.એન.બી. નિવાસી, વ્યવસાયિક મિલકતોની દેશવ્યાપી ઓનલાઇન મેગા ઇ-ઓક્શન (હરાજી) કરવા જઈ રહી છે. 15 અને 29 સપ્ટેમ્બરના રોજ હરાજી પારદર્શક રીતે કરવામાં આવશે. ચાલો અમે તમને જણાવીએ કે તમે આ સંપત્તિની હરાજીની પ્રક્રિયામાં કેવી રીતે ભાગ લઈ શકો છો અને તેને ખરીદી શકો છો .. આ સંપત્તિને કારણે આ હરાજી કરવામાં આવી રહી છે: બેંકની સંબંધિત શાખાઓએ આ વિશે અખબારોમાં જાહેરાત આપી છે અને પીએનબીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી પણ માહિતી આપી છે. જે…
કોરોના વાયરસ એ વિશ્વ માટે વધુ એક ખરાબ સમાચાર છે. મોંગોલિયામાં, 38 વર્ષીય વ્યક્તિનું એક એવાં બેક્ટેરિયાથી મૃત્યુ થયું છે, જે અત્યંત જોખમી છે. આ બેક્ટેરિયા ખિસકોલી અને ઉંદરને કારણે આ વિસ્તારમાં ફેલાયો છે. મોંગોલિયામાં જુલાઈથી અત્યાર સુધીમાં આ રોગને કારણે 3 લોકોનાં મોત નીપજ્યાં છે.આ રોગથી પહેલા પણ સમગ્ર વિશ્વમાં લાખો લોકોના મોત થઈ ચૂક્યા છે. આ જીવલેણ રોગનો વિશ્વમાં ત્રણ વખત હુમલો થયો છે. પ્રથમ વખત તેણે 5 કરોડની હત્યા કરી, બીજી વખત યુરોપની વસ્તીના ત્રીજો ભાગ અને ત્રીજી વખત, 80 હજાર લોકોના જીવ લીધા હતા. હવે ફરી એકવાર આ રોગ ચીન, મોંગોલિયા અને નજીકના દેશોમાં વિકસી રહ્યો…
સુપ્રીમ કોર્ટએ આજે તમામ રાજ્યોને કોરોના વાઇરસ સંક્રમિત દર્દીઓ માટે એમ્બ્યુલન્સ સેવાની ફી નક્કી કરવા માટે નિર્દેશ કર્યો છે. કોર્ટે આ આદેશ કોરોના સંક્રમણની વચ્ચે સ્વાસ્થ્ય સેવાઓના સુચારૂ રાખવાની અરજી ઉપર સુનાવણી દરમયાન દીધો છે. તેની સાથે જ કોર્ટે કોવિડ-19 દર્દીઓને વધારે એમ્બ્યુલન્સ ફી વસુલવાની ધટનાઓ ઉપર ચિંતા વ્યક્ત કરી છે. અદાલતે કહ્યું છે કે, તમામ રાજ્યોએ સુનિશ્વિત કરવાનું રહેશે કે કોરોના વાયરસના રોગીઓને હોસ્પિટલમાં લઈ જવા માટે દરેક જિલ્લામાં પર્યાપ્ત સંખ્યામાં એમ્બ્યુલન્સ ઉપલબ્ધ હોય. તેની સાથે જ સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, મહામારી સામે લડવા માટે રાજ્યોના કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી સલાહને માનવાની રહેશે. પહેલા કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને કોવિડ-19…
એક મચ્છર જો હાથીના કાનમાં ઘુસી જાય તો તેને પાડી દેય છે. ત્યારે શું તમે ક્યારેય વિચાર્યુ છે કે એક નાનકડી માખી શું શું કરી શકે? તમને થશે કે માખી વળી શું કરી શકે? જો તમે પણ આવું જ વિચારતા હોવ તો આ સમાચાર તમારા માટે જ છે. ફ્રાંસમાં એક માખીના કારણે ઘરમાં આગ લાગી છે. આ આગ ત્યારે લાગી જ્યારે એક વૃદ્ધ વ્યક્તિએ માખીને પકડવાનો પ્રયત્ન કર્યો.80 વર્ષની ઉંમરનો આ વ્યક્તિ ડિનર કરી રહ્યો હતો. તેવામાં એક માખી આવી અને તેની આસપાસ ઉડવા લાગી. પહેલા તો તેણે માખીને નજરઅંદાજ કરી, પરંતુ થોડીવાર બાદ તે વ્યક્તિને માખી પર ગુસ્સો આવ્યો.…
ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લાભ મેળવો જેવા પ્રલોભનોના કારણે કેટલાક લોકોને પોતાની મૂડી ગુમાવવાનો વારો આવે છે. સાબરમતીના વેપારી સાથે વેપારીને પોતાની જૂની પેમેન્ટ એપ ચાલુ કરવા માટે એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને તેને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કહ્યું હતું. વેપારીએ ફ્રીમાં ડાઉનલોડ થતી એપ્લિકેશન ડાઉનલોડ કરી રહ્યો હતો અને ખાતામાંથી 1 લાખથી વધુની રકમ ઉપડી ગઈ હતી. આ અંગે વેપારીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સાબરમતીના ડીં-કેબિન પાસે રહેતા રમેશ ચૌધરી ઇલેક્ટ્રિક સાધનોનો વેપાર કરે છે. રમેશભાઈ થોડા સમય અગાઉ ઓનલાઈન મની ટ્રાન્સફર કરવા માટેની મોબાઈલ એપ્લિકેશન વાપરતો હતો. જે તેના…
પ્રેમિકાએ વહેલી સવારે કરેલો મેસેજ પત્ની વાંચી જતા પતિના પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટી ગયો હતો. શહેરના ડિકેબિન વિસ્તારમાં વહેલી સવારે 4 વાગ્યે પતિના ફોનમાં મેસેજ આવતા પત્ની જાગી ગઇ હતી. પત્નીએ ફોનમાં ચેક કરતા યુવતીનો મેસેજ અને કોલ રેકોર્ડિંગ મળી આવ્યું હતું. જે મામલે પત્નીએ પતિને વહેલી સવારે ઉઠાડીને પૂછ્યું હતું. જેથી પતિએ ઉશ્કેરાઈને પત્ની સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. જેનાં પગલે પત્નીએ પિતા અને ભાઇને જાણ કરી હતી. ડિકેબિન વિસ્તારમાં રહેતા યુવકની સવાર પ્રેમિકાએ સવારે ચાર વાગ્યે મોકલેલા મેસેજે બગાડી હતી. પ્રમિકાના મેસેજથી પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટી ગયો હતો. ડિકેબિનની એક સોસાયટીમાં રહેતાં યુવકની પત્ની સવારે ચાર વાગ્યે…
તું જો મારી નહીં થાય તો તને જીવતી નહીં રહેવા દઉ કહેતા બે યુવાનોએ યુવતીના ઘરે જઈને તમાશો મચાવ્યો હતો. આ વાત આટલેથી અટકી નહીં અને આ શખ્સોએ ત્યાં પડેલા વાહનોના કાચ તોડી નાખ્યા અને વાહનોને નુકસાન કર્યું હતું. આ સમગ્ર મામલે લોકો ભેગા થતા પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસે આ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ખાડીયા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીને તેની સાથે અગાઉ સગાઈ કરેલા યુવકે જીવવું મુશ્કેલ બનાવી દીધું હતું. પોતાના પરિવાર સાથે રહેતી યુવતી તેના અગાઉ સગાઈ કરેલા યુવકની હરકતોથી કંટાળી ગઈ હતી. સગાઈ તૂટ્યા બાદ પણ યુવક સતત યુવતીને પરેશાન કરતો હતો.…
દેશમાં પ્રથમ વખત નેશનલ હાઈવે-44ના 16 કિમીના ક્ષેત્રમાં બનાવાયેલા 9 એનિમલ અંડરપાસમાંથી 10 મહિનામાં 89 વખત વાઘ પસાર થયાની ઘટના બની હતી. 18 પ્રકારનાં 5,450 જંગલી પ્રાણીઓ આ અંડરપાસમાંથી પસાર થયાં હતા. પેચ ટાઈગર રિઝર્વમાં બનાવાયેલ દુનિયાના સૌથી લાંબા એનિમલ ક્રોસિંગ સ્ટ્રક્ચરમાંથી વન્યજીવો તથા વાહનોના ટકરાવાની હજારો ઘટનાઓ પણ ટળી ગઈ હતી. વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા એનિમલ અંડરપાસનો જંગલી પ્રાણીઓ દ્વારા કરાતા ઉપયોગ અંગે જાહેર કરાયેલા રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો હતો. રિપોર્ટ તૈયાર કરનારા ડૉ. બિલાલ હબીબે કહ્યું કે શ્રીનગરથી કન્યાકુમારીને જોડતો એનએચ-44ને જ્યારે બે લેનથી ચાર લેનમાં અપગ્રેડ કરવાની વાત થઈ તો આ પ્રોજેક્ટને એ જ શરત…