સામાન્ય લોકો અને વેપારીઓ માટે એક મહત્વની ખબર આવી છે. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ આદિત્ય બિરલા આઇડિયા પેમેન્ટ્સ બેન્ક (Aditya Birla Idea Payment Bank)ના બેન્કિંગ નિયમન અધિનિયમ અંતર્ગત બેન્કિંગ કંપનીનો દરજ્જો હવે હટાવી દીધો છે. RBIએ આ અંગે જાણકારી આપી છે. ગત વર્ષે નવેમ્બરમાં RBIએ કહ્યું હતું કે આદિત્ય બિરલા આઇડિયા પેમેન્ટ્સ બેન્કનો સ્વૈચ્છિક ધોરણે બિઝનેસ સમાપ્ત કરવાની અરજી બાદ આ ફડચાની દિશામાં આગળ વધશે. કેન્દ્રીય બેન્કે એક અધિસીચનામાં કહ્યું કે, બેન્કિંગ નિયમન અધિનિયમ 1949 અંતર્ગત આદિત્ય બિરલા આઇડિયા પેમેન્ટ્સ બેન્ક હવે બેન્કિંગ કંપનીના રૂપમાં સમાપ્ત થઇ ગઇ છે. આ વ્યવસ્થા 28 જુલાઇ 2020થી પ્રભાવમાં છે.ગત વર્ષે જુલાઇમાં વોડાફોન-આઇડિયા લિમિટેડે…
કવિ: Satya Day News
ઇનકમ ટેક્સ વિભાગે વર્તમાન નાણાકીય વર્ષમાં અત્યાર સુધી 98,625 કરોડ રૂપિયાનું રિફંડ જારી કર્યુ છે. 26 લાખથી વધુ ટેક્સપેયર્સને રિફંડ મળી ચુક્યુ છે. તેમાંથી 29,997 કરોડ રૂપિયાનુ રિફંડ પર્સનલ ઇનકમ ટેક્સ રૂપે 24.50 લાખ કરદાતાઓને આપવામાં આવ્યું છે. જો તમને હજુ સુધી ટેક્સ રિફંડ નથી મળ્યું તો પરેશાન થવાની જરૂર નથી. અમે તમને જણાવવા જઇ રહ્યાં છીએ કે તમે કેવી ચેક કરી શકો છો તમારુ ટેક્સ રિફંડ… આ રીતે ચેક કરો પોતાના ટેક્સ રિફંડનું સ્ટેટસ 1. સૌપ્રથમ તમે વેબસાઇટ https://tin.tin.nsdl.com/oltas/refundstatuslogin.html પર જાઓ. 2. અહીં તમારો PAN નંબર અને જે વર્ષનું રિફંડ બાકી છે તે ભરો, પછી કેપ્ચા કોડ નાંખો. 3. તે બાદ Proceed પર ક્લિક કરો.…
મોટાભાગે એવું થતુ હોય છે કે ATM CARD ખિસ્સામાં ન હોવાના કારણે લોકો પૈસા નથી કાઢી શકતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એસબીઆઈ સહિત દેશની ઘણી મોટા બેન્ક ગ્રાહકોને કાર્ડલેસ કેસ કાઢવાની સુવિધા આપી રહી છે. આ કડીમાં હવે વધુ એક બેન્ક જોડાઈ ચુકી છે. આ પ્રાઈવેટ બેન્ક આરબીએલ બેન્ક છે. આરબીએલ બેન્કે કર્યો કરાર આરબીએલ બેન્કે એટીએમમાંથી વગર કાર્ડે પૈસા કાઢવાની સુવિધાની શરૂઆત કરી છે. બેન્કે કહ્યું છે કે તેણે આ સુવિધા માટે વૈશ્વિક નાણાંકીય ટેકનોલોજી પુરી પાડનાર એમપેજ પેમેન્ટ સિસ્ટમ્સની સાથે કરાર કર્યો છે. 40 હજારથી વધુ એટીએમ બેન્કે જણાવ્યું કે હવે તેના ગ્રાહક આરબીએલ બેન્કના એટીએમની સેવા સાથે સજ્જ…
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર વડા પ્રધાન પાક વીમા યોજના ના પ્રીમિયમ નાણાં જમા કરવાની તારીખ વધારી દીધી છે. સરકારનો આ નિર્ણય મધ્યપ્રદેશના ખેડૂતો માટે છે. હકીકતમાં મધ્યપ્રદેશના કૃષિ મંત્રી કમલ પટેલે વડા પ્રધાન પાક વીમા યોજના હેઠળ પ્રીમિયમની ચુકવણીની તારીખ વધારવાની માંગ કરી હતી. આ માંગ અંગે નિર્ણય લઈને કેન્દ્ર સરકારે ખેડૂતો માટે તારીખ 7 સપ્ટેમ્બર સુધી લંબાવી અને તેને મંજૂરી આપી દીધી હતી. પટેલે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, “કેન્દ્રએ રાયસેન, સિહોર, હોશંગાબાદ, દેવાસ અને હરદા જિલ્લામાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ પ્રીમિયમ ચુકવણીની તારીખ વધારીને 7 સપ્ટેમ્બર કરી…
અમદાવાદમાં પ્રવર્તિ રહેલા કોરોનાના સંક્રમણને લઈને આજે સાબરમતીમાં બુલેટ ટ્રેનની કન્સ્ટ્રકશન સાઈટ પર ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમા 350 શ્રમિકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 52 શ્રમિકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી હતી. ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત છે અને સતત પાંચમાં દિવસે 1300થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં તેરસો 20 નવા કેસ નોંધાયા જ્યારે 14 દર્દીઓના મોત થયા અને 1218 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અમદાવાદમાં કોરોનાના નવા 171 કેસ નોંધાયા અને ચાર દર્દીઓના મોત થયા છે.
સાડા ચાર હજાર કરોડનો વહીવટ ધરાવતી સુમુલ ડેરીની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારી નોંધાવતા 16 ડિરેકટર, 2 સરકારી ડિરેક્ટર સહિત સરકાર નિયુક્ત 2 અધિકારીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. સુમુલ ડેરીના રાજકારણમાં દિવસભર ગરમાવો જોવા મળ્યો. 4500 કરોડનો વહિવટ ધરાવતી સુમૂલ ડેરીની ચૂંટણી માટે યોજાયેલા મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હાઇકોર્ટના દિશાનિર્દેશ મુજબ સરકારી અધિકારીના મતપત્ર અને ડિરેક્ટરોના મતપત્ર બે અલગ અલગ સીલબંધ પેટીમાં લઈ જવામાં આવ્યા.હવે આ મતપત્રો આગામી 11 સપ્ટેમ્બરના રોજ હાઇકોર્ટમાં જમા કરાવવામાં આવશે. જે બાદ હાઇકોર્ટમાં 21 તારીખે વધુ સુનાવણી હાથ ધરાશે. મહત્વની વાત છે કે મોવડી મંડળ દ્વારા જાહેર કરવામાં…
ઝારખંડ માં એક એવો મામલો સામે આવ્યો છે. જે ચર્ચાનો વિષય બન્યો છે. રાજધાની રાંચીમાં માત્ર એક વ્યક્તિને ળઈને ટ્રેન પહોંચી. તે પણ કોઈ સાધારણ ટ્રેન ન હતી પરંતુ રાજધાની ટ્રેન માત્ર એક મહિલા યાત્રીને લઈને ઝારખંડની રાજધાની રાંચી પહોંચી, આ વાત સાંભળીને તમને પણ આશ્ચર્ય થયું હશે. પરંતુ આ સાચું છે. અનન્યા નામની આ મહિલાની જીદ સામે રેલવે એ પણ ઝુકવું પડ્યું. માત્ર એક યાત્રીને લઈને રાંચી પહોંચી રાજધાની ટ્રેન આ સમગ્ર મામલો દિલ્હી-રાંચી રાજધાની સ્પેશ્યલ ટ્રેનની છે. જણાવવામાં આવી રહ્યું છે કે, અનન્યા નામની એક છોકરીએ મુગલસરાયથી તે ટ્રેનમાં ચડી. તેની બોગી નંબર બી-3 અને બર્થ નંબર 51…
5 સેપ્ટેમ્બરે સમગ્ર દેશમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા દેશના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનીત કરવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં આવેલા અંધજન મંડળમાં અભ્યાસ કરાવતી શિક્ષિકા સુધાબેન જોશીને પણ શ્રેષ્ઠ શિક્ષકનો અવૉર્ડ મળ્યો છે. જેને પગલે દિવ્યાંગ બાળકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. શ્રેષ્ઠ શિક્ષિકા સુધાબેનના પરિવારમાં પણ ગર્વની લાગણી જોવા મળી.
સેક્સ લાઇફને સુધારવા માટે, મોટાભાગના લોકો તેમના આહારમાં ઘણા ફેરફારો કરે છે. કેટલાક લોકો આ માટે ડોકટરોની પાસે પણ જાય છે. પરંતુ એક નવા સર્વેમાં એવું બહાર આવ્યું છે કે શાકાહારી લોકો નોન-વેજ ખાનારા કરતા વધુ સારી સેક્સ લાઇફ ધરાવે છે. આ સર્વે યુકેમાં એક લગ્નેતર એક્સ્ટ્રામેરિટલ વેબસાઇટ દ્વારા કરવામાં આવ્યો હતો.આ ખાસ સર્વે 500 શાકાહારી અને 500 માંસાહારી લોકો પર કરવામાં આવ્યો હતો. સર્વેમાં સામે આવ્યું છે કે 57 ટકા શાકાહારી લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછા 3થી 4 વાર સેક્સ માણતા હોય છે, જ્યારે 49 ટકા માંસાહારી લોકો અઠવાડિયામાં એક કે બે વાર સેક્સ કરે છે. એટલું જ નહીં, સર્વે…
તમે પૈસા ઉપાડવા માટે એટીએમ મશીન વિશે સાંભળ્યું જ હશે, પાણીના એટીએમ વિશે પણ સાંભળ્યું હશે અને હવે તે કોરોના યુગના માસ્કનો વારો છે. હા, તમને એ જાણીને આશ્ચર્ય થશે કે માસ્ક એટીએમ છે અને તે કેવી રીતે કાર્ય કરે છે. ગરીબ કે શ્રીમંત, આ માસ્ક આ એટીએમ દ્વારા તમને ફક્ત પાંચ રૂપિયામાં મળશે. આપને જણાવી દઈએ કે શુક્રવારે ઉત્તર પ્રદેશની મહાનગરપાલિકામાં પ્રથમ માસ્ક એટીએમ લગાવવામાં આવ્યું હતું. માસ્ક આપવા ઉપરાંત, આપના હાથને પણ કરશે સ્વચ્છ જેમાં માત્ર પાંચ રૂપિયાનો સિક્કો મૂકીને તમે બજારમાં રૂ .10 થી 15 રૂપિયા સુધીનો માસ્ક માત્ર પાંચ રૂપિયામાં એટીએમથી મેળવી શકશો. આ સિવાય તમે…