દેશ ના પ્રધાનમંત્રી દ્વારા કોરોના વાયરસ ને લઈ ને લોકો ને સતર્ક કરવા માટે તંત્ર ને સાવધાન ની ભૂમિકા માં રહેવા જણાવ્યું છે અને જેતે મહા નગરો માં પોલીસ કમિશનર દ્વારા 144 ની કલમ લાગુ કરી દેવામાં આવી છે પરંતુ અમદાવાદ માં પોલીસ કમિશનર ના જાહેરનામા નું જાહેર માં ઉલ્લંઘન થઈ રહ્યા ની ચોંકાવનારી હકીકત સામે આવી છે કોરોના વાયરસ ફેલાય નહિ તે માટે આખા ગુજરાત માં 144 ની કલમ લાગુ કરી અને જાહેર રોડ પર ઉભા રહેતા કે દુકાન ચલાવતા તમામ પાન ના ગલ્લા અને ચા ની લારીઓ બંધ રાખવા નો આદેશ આપવા માં આવ્યો છે ત્યારે અમદાવાદ ના…
કવિ: Satya Day News
કોરોના વાયરસને લઇને ગુજરાત સરકારે સૌથી મોટો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે આગામી 25 માર્ચ સુધી રાજ્યના ચારેય મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટને લોક ડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને યોજાયેલી ઉચ્ચસ્તરીય કોર કમિટીની બેઠકમાં કોરોના વાયરસની સ્થિતિ મુદ્દે સમીક્ષા કર્યા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.જે અંતર્ગત 25 માર્ચ સુધી ચારેય મહાનગરોમાં દવાઓ તબીબી ઉપકરણો, શાકભાજી, કરિયાણું અને જીવન જરૂરી ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો સિવાય તમામ દુકાનો અને મોલ સંપૂર્ણપણે બંધ રહેશે. કોરોના વાયરસનો વ્યાપ સામાન્ય રીતે બીજા અને ત્રીજા સ્ટેજમાં વધતો હોવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોનાનો વ્યાપ વધુ ફેલાતો અટકાવવા…
ગુજરાતમાં વધતી જતી કોરોના વાયરસ ની વિકટ સ્થિતિ ને પગલે ગુજરાત સરકારે ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત એમ ચાર મહાનગરોને 25 માર્ચ સુધી સંપુર્ણપણે બંધ કરી દેવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતમાં એક બાદ એક કોરોના પોઝિટિવનાં કેસો સામે આવતાં સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.જોકે આ વાત ની હજૂસુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સૂત્રો નું માનીએ તો લોકડાઉન નો નિર્ણય કોરોના ફેલાતો અટકાવવા માટે લેવાયો હોવાની વાત સામે આવી રહી છે.
કોરોના કહેર વધી રહ્યો છે અને ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદની એલ. જે ઇન્સ્ટિટ્યૂટના ફાર્મસી કેમ્પસના ડાયરેક્ટરે હર્બલ સેનીટાઈઝર બનાવ્યું છે. આ સાથે મીણબતી પણ બનાવી છે જેનાથી આખો રૂમ સેનિટાઇઝ થઈ જતો હોવાનો દાવો આ પ્રોફેસર એ કર્યો છે. દુનિયા ભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે અને ભારત દેશ પણ કોરોનાની દહેશતમાંથી બાકાત રહ્યું નથી. કોરોનાએ સેનેટાઇઝરની માંગ વધતા તેના કાળા બઝાર થઇ રહ્યા છે. માર્કેટમાં સેનિટાઈઝરની અછત પણ જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદની એલજે ઇન્સ્ટિટ્યૂટના ફાર્મસી ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડો. પુનરીકે હર્બલ સેનિતાઈઝર બનાવ્યું છે. હર્બલ સેનિતાઈઝર અંગે તેઓએ દાવો કર્યો છે…
શું ક્યારેય એવું થઈ શકે કે મૃત્યું પામેલી વ્યક્તિને ફરીથી જીવતી કરી શકાય, જન્મ અને મૃત્યુ પર કોઈનો આધાર છે નથી કારણકે આ ભગવાનનાં હાથમાં છે. પરંતુ આ અદભૂત કારનામો બ્રિટેનનાં કેટલાક વૈજ્ઞાનિકોએ પડકાર ફેક્યો છે. તેમનો દાવો છે કે હેડ ટ્રાન્સપ્લાન્ટ (head transplant) દ્વારા મૃત વ્યક્તિને જીવીત કરી શકાય છે. બ્રિટેનનાં એક પૂર્વ ન્યૂરોસર્જન અને રોબોટિક્સ એક્સપર્ટે આ બાબતમાં જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે બ્રિટેનની હલ યૂનિવર્સીટી ટીચિંગ હોસ્પિટ્લસનાં પૂર્વ ક્લિનિકલ પ્રમુખ ડો. બ્રૂસ મેથ્યુ એ દાવો કર્યો છે કે હવેનાં 10 વર્ષોમાં હેડ ટ્રાન્સપ્લાન્ટ શક્ય છે. આ માટે લિએરોબોટિક્સ, સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ અને નર્વ સર્જરીની એડવાન્સ ટેકનોલોજીની મદદ…
નવસારીના જલાલપોર નજીકના અબ્રામા ગામે હિટ એન્ડ રનમાં એક વૃધ્ધનું કરુણ મોત નીપજ્યું હતું. બુધવારની રાત્રે ઈકો કાર ચાલકે વૃધ્ધ મનુદાદાને અડફેટે ચઢાવી લગભગ 50 ફૂટ દૂર સુધી ઘસડી નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત મનુદાદાને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યાં હતાં જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. લોકોમાં નવાઈ એ વાતની છે કે 8 વર્ષ અગાઉ મોટા દીકરાનું અને ગત 4 વર્ષ પહેલા નાના દીકરાનું જે જગ્યાએ અકસ્માતમાં મોત થયું હતું તે જ જગ્યા પર બન્ને એક્સિડન્ટ બાદ વૃધ્ધનું મોત થતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. પરિવારે જણાવ્યું હતું કે, મનુભાઈ ચીમભાઈ હળપતિ (ઉ.વ. 70)…
એક વર્ષથી લગ્નની તૈયારી કરી રહેલા સ્પેનિશ કપલે શુક્રવારે બારી પર ઉભા રહીને લગ્ન કર્યા. તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લગ્ન માટે કપલે એક પડોશીને તેની જ બારીમાંથી લગ્ન સમારોહનું નેતૃત્વ કરવા માટે જ્યારે બીજાને વિટનેસ (સાક્ષી) બનવા માટે કહેવામાં આવ્યું હતું. વીડિયોમાં કોરુના શહેરના એક એપાર્ટમેન્ટની બારીમાંથી બહારની તરફ ઝૂકીને વરરાજા ડેનિયલ કેમિના અને દુલ્હન અલ્બા ડિયાઝ ‘હમને કરલી’ (આઈ ડૂ) બૂમો પાડતા જોવા મળી રહ્યા છે. જો કે, બંનેનો આ પ્લાન બાલ્કનીમાં લગ્ન કરવાનો નહોતો, પરંતુ તેઓ તેમની લગ્નની તારીખને લંબાવવા નહોતા માગતા. હકીકતમાં, સ્પેનમાં લોકડાઉન જેવી સ્થિતિ છે. યુરોપના મોટાભાગના દેશો કોરોના વાઈરસના પ્રકોપના કારણે લોકડાઉનની…
વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઈરસના પોઝિટીવ દર્દીઓની સંખ્યા ગુજરાતમાં વધી રહી છે. સુરતમાં પણ એક પોઝિટીવ દર્દી સામે આવતાં લોકોમાં ભયનો માહોલ છે. વડાપ્રધાને રવિવારે સ્વયંભૂ કર્ફ્યુની અપીલ કરી છે. જેનો અમલ આજથી જ શહેરમાં શરૂ થયો હોય તેમ રિંગરોડ સૂમસાન ભાસે છે તો એસટી બસમાં મુસાફરોની સંખ્યા 50 ટકા ઓછી થઈ ગઈ છે. વડાપ્રધાનની અપીલ બાદ ગઈકાલે જ કાપડ માર્કેટ અને હીરા ઉદ્યોગ સ્વયંભૂ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.જેથી આજથી જ લોકો ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. જેથી રસ્તાઓ સુમશાન બન્યા છે.સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓ સહિત લોક સુરક્ષા માટે કામ કરતા લોકો જ રોડ પર નજરે…
પાલડી માં આવેલ ધર્મભૂમિ ફ્લેટ ના રહીશો એ મેયર બીજલ પટેલ સામે બાયો ચડાવી. પાલડી માં આવેલ ધર્મભૂમિ ફ્લેટ ના રહીશો દ્વારા તેમના જ ફ્લેટ માં બંધ પડેલ ૧૧ નંબર ના ફ્લેટ જે છેલ્લા દોઢ વર્ષ થી બંધ પડેલ છે જેના માલિક પાલડી માં આવેલ ક્રિશ્ના મેડીકલ નો છે જેમાં છેલ્લા ૫ દિવસ થી ખરાબ દુર્ગંધ આવતી હોવાથી ફલેટ ના રહીશો દ્વારા મકાન માલિક ને જાણ કરેલ પરંતુ તેમને કોઈ જ પ્રકાર નો જવાબ આપેલ ન હતો ત્યારબાદ ફ્લેટ ના રહીશો દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ ના પાલડી વર્દ ના આરોગ્ય ખાતા ના અધિકારીઓ ને જાણ કરી હતી પરંતુ પાલડી વોર્ડ ના…
તમિલનાડુના તિરુધુનગર જીલ્લામાં શુક્રવારે સાંજે ફટાકડા બનાવતી એક ફેક્ટરીમાં વિસ્ફોટ થતા 8 લોકોના મોત થયા છે, જ્યારે 11 લોકોને ઈજા પહોંચી છે. મૃતકોમાં પાંચ મહિલાનો સમાવેશ થાય છે. પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે સત્તૂર પાસે સિપીપરાઈમાં આવેલી આ ફેક્ટરીમાં 30 મજૂર કામ કરી રહ્યા હતા. મજૂરો જ્યારે ફટાકવા બનાવવા માટે રસાયણો (Chemical)નું મિશ્રણ તૈયાર કરી રહ્યા હતા તે સમયે આ વિસ્ફોટ થયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ફેક્ટરીમાં આ વિસ્ફોટ એક શેડની નીચે થયો હતો. વિસ્ફોટ બાદ ફેક્ટરીમાં આગ લાગી ગઈ હતી, જેને પગલે ત્રણ ગોદામ અને શેડ સળગી ગયા છે. ત્રણ મજૂર આગમાં ગંભીર રીતે દાઝી ગયા હતા. સ્થાનિક સરકારી…