કોરોના વાયરસ (Corona virus) ના સંક્રમણને અટકાવવા માટે એક દિવસ જનતા કર્ફ્યૂને લોકોએ પાળ્યુ હતુ. સાથે જ સાંજે 5 વાગ્યે સંક્રમણને અટકાવવા માટે કાર્ય કરતા લોકોને વધાવવા માટે થાળી અને તાળીઓ વગાડવામાં પણ આવી રહી છે. કોરોના વાયરસ (Corona virus) વચ્ચે કામ કરી રહેલા અધિકારીઓને સન્માનિત કરવાની વડાપ્રધાનની અપીલને લોકોએ ખૂબજ ઉત્સાહભેર આવકારી લીધો હતો. લોકોની સાથે ગુજરતાના ડે.સીએમ નીતિન પટેલે પણ પોતાના બંગલા પર થાળી અને ઘંટડી વગાડીને લોકોને પ્રેરણા પૂરી પાડી હતી. વડાપ્રધાન મોદીની અપીલ પર ખરા ઉતર્યા સાથે જ અમદાવાદના મણિનગર ખાતે લોકોએ જનતા કર્ફ્યુને વધાવ્યો હતો. લોકોએ તાળી પાડી, થાળી-વેલણ અને ઘંટડી વગાડી ડૉક્ટર, નર્સ, મીડિયા…
કવિ: Satya Day News
કોરોના વાયરસ (Corona) આ સમયે સમગ્ર દુનિયા માટે મોતનું બીજી નામ બની ચૂક્યો છે. આ જાનલેવા વાયરસને કારણે અત્યાર સુધીમાં 13 હજાર લોકોની જાન લઈ લીધી છે. જેમાં ભારતના પણ 6 લોકો સામેલ છે. કોરોના (Corona) ના વધારે પડતા મામલાઓમાં જોવા મળ્યુ છે કે, સંક્રમિત થયા બાદ ટેસ્ટમાં મોડુ થવાના કારણે તેમને મદદ મળી શકી ન હતી. ત્યારે હવે અમેરિકાને આ વાયરસને ડામવાનો તોડ મળી ગયો છે. 45 મિનિટમાં જ જાણી શકાશે અમેરિકાના ખાદ્ય અને ઔષધિ વિભાગે માત્ર 45 મિનિટમાં કોરોના વાયરસ ડાયગ્નોસ્ટિક પરીક્ષણને મંજૂરી આપી રહી છે. જેથી સંદિગ્ધ દરદીઓ વિશે માત્ર 45 મિનિટમાં જ જાણી શકાશે કે, તે…
બુધવાર, 25 માર્ચથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઇ રહી છે. જે ગુરૂવાર, 2 એપ્રિલ રામ નવમી સુધી રહેશે. આ દિવસોમાં દેવી દુર્ગાની પૂજા કરવાની અને દેવી મંદિરમાં દર્શન કરવાની પરંપરા છે. પરંતુ આ વર્ષે કોરોનાવાઇરસના કારણે ઘરમાંથી બહાર જવું નહીં. દર્શન કરવા મંદિર જઇ શકો નહીં તો ઘરમાં જ દેવી પૂજા કરી શકો છો. અહીં જાણો ચૈત્ર નવરાત્રિમાં ઘરમાં રહીને કયા-કયા શુભ કામ કરી શકાય છે. ચૈત્ર નવરાત્રિની એકમ તિથિએ દેવી દુર્ગા પ્રકટ થઇ હતી. આ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી. એકમ તિથિએ ગુડી પડવો પણ ઉજવાય છે. રોજ સવારે ઉઠતાં જ સૌથી પહેલાં હાથના દર્શન કરવા જોઇએ. જેને કરદર્શન…
બુધવાર, 25 માર્ચથી દેવી દુર્ગાનો મહાપર્વ ચૈત્ર નવરાત્રિ શરૂ થઇ રહ્યો છે. ઋતુ પરિવર્તનના સમયગાળામાં આ પર્વ આવે છે. આ દિવસોમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની વિશેષ પૂજા કરવામાં આવે છે. એક વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે. જેમાં બે ગુપ્ત નવરાત્રિ અને 2 સામાન્ય નવરાત્રિ રહે છે. ચૈત્ર અને આસો મહિનાન નવરાત્રિ સામાન્ય નવરાત્રિ હોય છે. જ્યારે મહા અને અષાઢ મહિનામાં આવતી નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ હોય છે. આ દિવસોમાં દેવી સાધના ગુપ્ત રીતે કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિમાં ગરમીનો પ્રભાવ સંપૂર્ણ રીતે શરૂ થઇ જાય છે તેને ઠંડી અને ગરમીનો સંધિકાળ કહેવામાં આવે છે. આ સમયે મોસમી બિમારીઓ થવાની સંભાવના ખૂબ…
અમદાવાદ માં કોરોના ને લઈ ને તંત્ર એલર્ટ છે અને જનતા કરફ્યુ ને લઈ સુમસાન રસ્તાઓ ઉપર દવા નો છંટકાવ સહિત સફાઈ અભિયાન ચલાવાયું હતું,અમદાવાદ માં જનતા એ કરફ્યૂ નો સ્વૈચ્છિક અમલ કરતા રસ્તાઓ ખુલી જતા મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા ફાયર વિભાગ ની ટીમ ને સાથે રાખી ને covid 19 દવા નો છંટકાવ કરાવવા માં આવ્યો હતો અને સફાઈ કાર્ય તેજ બનાવાયું હતું.
દુનિયાભરમાં વ્યાપી ગયેલા ભયાનક વાયરસ કોરોના ને હરાવવા માટે દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સમગ્ર દેશવાસીઓ ને 22 મી ને રવિવારે આજે જનતા કરફ્યુ માં જોડાવા કરેલી અપીલે જાદુઈ અસર કરી છે અને દેશભરમાં માં મોટાભાગ ના શહેર અને કસ્બાઓ બંધ નજરે પડ્યા હતા ,દક્ષિણ ગુજરાત ના વલસાડ માં પણ લોકો સ્વયંભૂ બંધ માં જોડાયા હતા જેથી સતત ધમધમતા રસ્તાઓ સુમસામ નજરે પડ્યા હતા કોરોના વાયરસ ને આ રીતેજ જલ્દીથી ખતમ કરી શકતો હોવાથી લોકોને સહયોગ ની અપીલ કરાઈ હતી જેમાં લોકો સ્વેચ્છા એ જોડાયા હતા , વલસાડ ના મુખ્ય બજારો , રેલવે , એસટી , તેમજ જાહેર જગ્યાઓ…
દેશવ્યાપી કોરોના વાયરસ ની મહામારી ના પગલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ જનતા કરફ્યુ ની અપીલ બાદ લોકોએ પણ જાતે તેનો અમલ કરી ઘરમાં રહેવાનું મુનાસીબ માન્યું છે.સુરતમાં આજ રોજ જનતા કરફ્યુ ના પગલે શહેરના રસ્તાઓ સુમસામ જોવા મળ્યા..માત્ર એકલ – દોકલ વ્યક્તિ અને માત્ર બે થી ત્રણ જેટલા વાહનો અવર – જવર જોવા મળી.સુરતના પારલે પોઇન્ટ વિસ્તારમાં આવેલ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે.જ્યારે અઠવાલાઇન્સ,રિંગ રોડ,ઉધના દરવાજા તેમજ મજુરાગેટ ઉપરાંત શહેરના તમામ વિસ્તારોમાં સર્વિસ રસ્તાઓ પર લોકોની હાજરી નહિવત જોવા મળી.સુમસામ ભાષી રહેલા રસ્તાઓ પર ટીઆરબી અને પોલીસ ના જવાનો ફરજ પર હાજર જોવા મળ્યા.આ સાથે શહેર ના…
અત્યારની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત હોય છે કે, તેઓ કસરત, ચાલવાનું અને ડાયટિંગ કરતા હોય છે. પરંતુ બાળકોનું ધ્યાન રાખવું થોડું મુશ્કેલ છે. માતા-પિતા બંને નોકરી કરતા હોવાથી અત્યારના સમયમાં બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે એટલું ધ્યાન નથી આપી શકતા, જેટલું પહેલાના સમયે આપવામા આવતું હતું. અત્યારે લોકો નાના બાળકોને સ્વસ્થ રાખવા માટે માતા-પિતા દૂધની સાથે ઘણી વસ્તુઓ ખવડાવતા-પીવડાવતા હોય છે. જેમ કે, ખીચડી અથવા ફ્રૂટ-શાકભાજીનો જ્યુસ પીવડાવે છે. ઘણી વખત ઉતાવળમાં માતા-પિતા બાળકોને પેકેટવાળા જ્યુસ પીવડાવે છે, કેમ કે, તેઓને લાગે છે કે બાળકના સ્વાસ્થ્ય માટે તે હેલ્ધી છે. જો તમે પણ આવું કરતા હોય તો ચેતી જજો.…
ગુજરાતમાં બીજા સ્ટેજમાં કોરોના વાયરસ ના 14 કેસો પોઝિટિવ આવતા જ તંત્ર ચોંકી ઉઠ્યું છે. બીજી તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસથી સાવચેતી, સતર્કતા, સંયમતા માટે આજે 22 મી માર્ચ ના રોજ જનતા કરફ્યુ માટે દેશની જનતાને આહવાન કરતા લોકો અપીલ ને ધ્યાને લઇ સ્વયંભૂ સહકાર આપી રહ્યા છે ત્યારે કોરોના અંગે લોકો જાગૃત થયા છે અને જનતા કરફ્યુમાં સહકાર આપી રહ્યા છે ભરૂચ શહેર માં સવાર થીજ લોકો સ્વયંભૂ કરફ્યુ માં જોડતા રસ્તા સુમસામ નજરે પડ્યા હતા આજે સવારે 7:00 કલાકથી રાત્રે 9:00 કલાક સુધી જનતા જનતા ફરફ્યુ નું પાલન કરશે જેથી ચૌદ કલાક સુધી એકબીજા સાથે સંપર્કમાં…