ગુજરાતમાં બીજા સ્ટેજમાં કોરોના વાયરસ ના 14 કેસો પોઝિટિવ આવતા જ તંત્ર ચોંકી ઉઠ્યું છે. બીજી તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસથી સાવચેતી, સતર્કતા, સંયમતા માટે આજે 22 મી માર્ચ ના રોજ જનતા કરફ્યુ માટે દેશની જનતાને આહવાન કરતા લોકો અપીલ ને ધ્યાને લઇ સ્વયંભૂ સહકાર આપી રહ્યા છે ત્યારે કોરોના અંગે લોકો જાગૃત થયા છે અને જનતા કરફ્યુમાં સહકાર આપી રહ્યા છે ભરૂચ શહેર માં સવાર થીજ લોકો સ્વયંભૂ કરફ્યુ માં જોડતા રસ્તા સુમસામ નજરે પડ્યા હતા આજે સવારે 7:00 કલાકથી રાત્રે 9:00 કલાક સુધી જનતા જનતા ફરફ્યુ નું પાલન કરશે જેથી ચૌદ કલાક સુધી એકબીજા સાથે સંપર્કમાં…
કવિ: Satya Day News
કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના વાઇરસને વધુ ફેલાતો અટકાવવા માટે દેશનાં તમામ નાગરિકોને 22 માર્ચ, રવિવારે સ્વયંભૂ જનતા કર્ફ્યૂ રાખવાની અપીલ કરતા સમગ્ર દેશ સહિત ગુજરાત માં સવાર થીજ લોકો એ તેનો અમલ કરી દેતા બજારો સુમસાન નજરે પડી હતી રાજય માં આગલા દિવસ થી જ પોલીસ તેમજ વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા વિસ્તારોમાં પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા લોકોને રવિવારે કામ વગર ઘરમાંથી ન નીકળવાનીસાથે જનતા કર્ફ્યૂમાં સહયોગ આપવાની અપીલ કરી હતી. વડોદરા માં પણ સવાર થી જ લોકો એ ઘર માંથી બહાર નીકળવાનું ટાળતા વડોદરા ની બજારો સુમસાન નજરે પડી હતી,…
જ્યોતિષ અને જનતા કર્ફ્યુ (સાંજે 5 વાગ્યે તાળીઓ વાગે) સાંજે 5 વાગ્યે તાળીઓ મારતા મોદીજીએ અમને કરવાનું કહ્યું ખૂબ જ રસપ્રદ છે. આ નિર્ણય જ્યોતિષવિદ્યાના અભ્યાસ માટે લેવામાં આવ્યો છે અને તે વિજ્ઞાન સાથે સંપૂર્ણ રીતે જોડાય છે. તે સમયે ચંદ્ર રેવતી નામના નવા ‘નક્ષત્ર’ તરફ પસાર થઈ રહ્યો છે. ઈંટ વગાડવું અને તાળીઓ મારવી થી વાઇબ્રેશન ની કંપન શરીરમાં રક્ત પરિભ્રમણને પ્રોત્સાહિત કરશે. આ જ કારણ છે કે તેઓ પર્વતો પરના જૂના શક્તિ મંદિરોમાં ગોંગ જેવા મોટા ઘંટ ધરાવતા હતા. આશા છે કે તે કામ કરશે. 22 મી માર્ચ અમાવસ્યા છે, મહિનાનો સૌથી કાળો દિવસ. આવા દિવસોમાં બધા વાયરસ,…
લોકોમાં વાયરસથી વધારે તેને લઈને સનસનાટી ફેલાતી જોવા મળી રહી છે. માણસોને પ્રભાવિત કર્યા બાદ હવે એવુ લાગી રહ્યુ છે કે, આ વાયરસના ફેલાવવાનો ડર જાનવરોને પણ સતાવી રહ્યો છે. કારણ કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ટિકટોક વીડિયો ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં બકરાઓ પણ માસ્ક પહેરેલા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં એક સાથે ઘણા બકરા જોવા મળી રહ્યા છે, જેમણે ઝાલી માસ્ક પહેર્યા છે. આ ટિકટોક વીડિયોના બેકગ્રાઉન્ડમાં કોરોના વાયરસ પર એક હિંદી ગીત વાગી રહ્યુ છે જેમાં કોરોના વાયરસ ફેલાવવાના ડરથી આજે માણસો માસ્ક પહેરીને ફરતા સામાન્ય લાગી રહ્યુ છે. તો સાથે જ વાયરસથી…
કોરોના વાઇરસ ના લઈને અત્યાર નો સમય લોક-ડાઉન નો છે તો લોકો પોતાના પરિવાર ની સાથે સાથે ટીવી,મોબાઇલ,લેપટોપ જેવી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ નો ઉપયોગ વધુ કરશે. તમે ભલે તમારા ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ નો ઉપયોગ કરો પરંતુ તેની સાથે સાથે તમારી આંખો ની કાળજી લેવાનું ભુલશો નહીં. ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ ના કારણે આંખો પર તેનું ગહરો અસર પડે છે. જેનાથી ઘણા પ્રકારના રોગ આંખોમાં થઈ રહ્યા છે. આંખ આપણા શરીરનો અમૂલ્ય અને સંસારને જોવાનો ઉપહાર છે. તેથી અમે આંખોની દેખરેખ કરવામાં બેદરકારી નહી કરવી જોઈએ. એ તેથી કારણકે બેદરકારી તમારા માટે હાનિકારક થઈ શકે છે. પણ આ ઉપાયના માધ્યમથી આંખોની થાકને દૂર કરી શકાય છે. એક…
શહેરના આજવા રોડ ઉપર શેરબજારની ઓફિસમાં નોકરી કરતી યુવતીએ ઓફિસનો દરવાજો બંધ કરી ફાંસો ખાઇ લીધો હતો. યુવતીએ આપઘાત કરતા પૂર્વે પરિવાર સાથે ફોન પર વાત કરી હોવાની વિગતો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે. વડોદરા શહેરમાં આજવા રોડ ઇ-7, ચાચા નહેરૂનગરમાં રહેતી હેમાની લાભશંકર ત્રિવેદી(19) આજવા રોડ ઉપર જ આવેલા સિદ્ધેશ્વર હોલ નામની શેરબજારની ઓફિસમાં નોકરી કરતી હતી. શુક્રવારે પણ હેમાની સવારે ઓફિસમાં ગઇ હતી પરંતુ ઓફિસ ટાઇમ પૂર્ણ થયા બાદ ઘરે ગઇ ન હતી. ત્યારબાદ તેણે પોતાની ઓફિસનો દરવાજો બંધ કરી દીધો હતો. અને છેલ્લે પોતાના પરિવાર સાથે ફોન ઉપર વાત કર્યાં પછી ફાંસો ખાઇને આપઘાત કરી લીધો…
કોરોના વાયરસના વધતી અસરને ધ્યાને રાખી અયોધ્યામાં આયોજીત થનારા રામનવમીના મેળા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જિલ્લા તંત્રએ આ અંગે શનિવારના રોજ એક એડવાઈઝરી જાહેર કરી આ અંગે જાણકારી આપી છે. આ એડવાઈઝરીમાં જણાવ્યા પ્રમાણે બે એપ્રિલ સુધી અયોધ્યામાં બહારથી આવતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. રામનવમીના મેળામાં બહારથી આવતા લોકોને અને શ્રદ્ધાળુઓને અયોધ્યા વિસ્તારની બોર્ડર પરથી જ તેમને રોકી પાછા મોકલી દેવામાં આવશે.આ સાથે જ સરયૂ નદીમાં બે એપ્રિલ સુધી સામૂહિક સ્નાન પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. અયોધ્યામાં તમામ હોટલો, ધર્મશાળાઓ અને લોજને પણ બે એપ્રિલ સુધી બંધ રાખવા તથા કોઈ પણ પ્રકારનું બુકીંગ ન કરવાનો…
દેશ ના પ્રધાનમંત્રી દ્વારા કોરોના વાયરસ ને લઈ ને લોકો ને સતર્ક કરવા માટે તંત્ર ને સાવધાન ની ભૂમિકા માં રહેવા જણાવ્યું છે અને જેતે મહા નગરો માં પોલીસ કમિશનર દ્વારા 144 ની કલમ લાગુ કરી દેવામાં આવી છે પરંતુ અમદાવાદ માં પોલીસ કમિશનર ના જાહેરનામા નું જાહેર માં ઉલ્લંઘન થઈ રહ્યા ની ચોંકાવનારી હકીકત સામે આવી છે કોરોના વાયરસ ફેલાય નહિ તે માટે આખા ગુજરાત માં 144 ની કલમ લાગુ કરી અને જાહેર રોડ પર ઉભા રહેતા કે દુકાન ચલાવતા તમામ પાન ના ગલ્લા અને ચા ની લારીઓ બંધ રાખવા નો આદેશ આપવા માં આવ્યો છે ત્યારે અમદાવાદ ના…
કોરોના વાયરસને લઇને ગુજરાત સરકારે સૌથી મોટો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે આગામી 25 માર્ચ સુધી રાજ્યના ચારેય મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટને લોક ડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને યોજાયેલી ઉચ્ચસ્તરીય કોર કમિટીની બેઠકમાં કોરોના વાયરસની સ્થિતિ મુદ્દે સમીક્ષા કર્યા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.જે અંતર્ગત 25 માર્ચ સુધી ચારેય મહાનગરોમાં દવાઓ તબીબી ઉપકરણો, શાકભાજી, કરિયાણું અને જીવન જરૂરી ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો સિવાય તમામ દુકાનો અને મોલ સંપૂર્ણપણે બંધ રહેશે. કોરોના વાયરસનો વ્યાપ સામાન્ય રીતે બીજા અને ત્રીજા સ્ટેજમાં વધતો હોવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોનાનો વ્યાપ વધુ ફેલાતો અટકાવવા…
ગુજરાતમાં વધતી જતી કોરોના વાયરસ ની વિકટ સ્થિતિ ને પગલે ગુજરાત સરકારે ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત એમ ચાર મહાનગરોને 25 માર્ચ સુધી સંપુર્ણપણે બંધ કરી દેવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતમાં એક બાદ એક કોરોના પોઝિટિવનાં કેસો સામે આવતાં સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.જોકે આ વાત ની હજૂસુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સૂત્રો નું માનીએ તો લોકડાઉન નો નિર્ણય કોરોના ફેલાતો અટકાવવા માટે લેવાયો હોવાની વાત સામે આવી રહી છે.