નિર્ભયા કેસના ચારેય દોષીઓને આખરે ફાંસી આપી દેવામાં આવી છે. ચારેય દોષીઓને દિલ્હીની તિહાર જેલમાં 20 માર્ચે સવારે 5.30 વાગે ફાંસીના માચડે લટકાવી દેવામાં આવ્યા છે. ચારેય દોષીઓને ફાંસી પવન જલ્લાદે આપી છે. ચારેયને એક સાથે ફાંસી આપીને પવન જલ્લાદે રેકોર્ડ બનાવી દીધો છે. કારણ કે, આની પહેલા તિહાર જેલમાં એક સાથે ચાર ફાંસી આપવામાં નથી આવી.હકીકતમાં ફાંસી પર લટકાવવા પવન જલ્લાદનું ખાનદાની કામ છે. તેની પહેલાં તેના પિતા અને દાદા પણ ફાંસી આપવાનું કામ કરતાં હતાં પરંતુ એક સાથે ચાર ફાંસી કોઇને આપવામાં નથી આવી. રસપ્રદ વાત એ છે કે, અત્યાર સુધી આ તરીકે એક પણ ફાંસી આપી ન…
કવિ: Satya Day News
કોરોના વાયરસના પગલે અમદાવાદ રેલવે સ્ટેશને આજે શુક્રવારથી 24 કલાક માટે ‘થર્મલ સ્કિર્નિંગ ગન‘ દ્વારા મુસાફરોનું સ્કેનિંગ કરવાનું શરૂ કરાશે. જેમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળશે તેવા મુસાફરોની વહિવટીતંત્રને જાણ કરીને તેઓનું મેડિકલ ચેકઅપ કરાવાશે. બીજી બાજુ રેલવે સ્ટેશનો પર ભીડને કાબૂમાં લેવા માટે રેલવે બોર્ડ દ્વારા તા.20 માર્ચથી જ વિદ્યાર્થી, દર્દીઓ અને દિવ્યાંગોને બાદ કરતા બાકીના તમામ કન્સેશન (ટિકિટના દરમાં મળતી છૂટછાટો આપવાનું ) રદ કરી દેવાયા છે. અમદાવાદ વિભાગમાં છેલ્લા પાંચ દિવસમાં ટ્રેનની ટિકિટનું બુકિંગ 70% સુધી ઘટી ગયું છે. અમદાવાદ સાંજે થંભી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. અમદાવાદ રેલવે સ્ટેશન પર આજથી થર્મલ સ્કિર્નિંગ ગન દ્વારા…
દેશની ટોચની વિમાની સેવા કંપની ઇંડિગો એરલાઈન્સે પોતાના સીઈઓ સહિત અન્ય વરિષ્ઠ કર્મચારીઓના વેતનમાં 25 ટકા સુધીનો કાપ મુકવાનો નિર્ણય લીધો છે. કોરોના વાયરસ સંકટના કારણે એવિએશન સેક્ટર પર પડેલી વ્યાપક અસરને ધ્યાનમાં રાખીને કંપનીના સીઈઓ રંજય દત્તાએ કંપનીની ‘એ’ અને ‘બી’ શ્રેણીના કર્મચારીઓને છોડીને બાકીના તમામ કર્મચારીઓના વેતનમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ વ્યવસ્થા પહેલી એપ્રિલ, 2020 થી લાગુ થશે. ‘એ’ અને ‘બી’ શ્રેણીના કર્મચારીઓનું વેતન પહેલેથી જ ઓછું છે અને સૌથી વધારે કર્મચારીઓ આ શ્રેણી અંતર્ગત આવે છે. તેમણે પોતે સૌથી વધારે 25% નો પગાર કાપ લઈ રહ્યા હોવાની જાણકારી આપી હતી. સાથે જ વરિષ્ઠ ઉપાધ્યક્ષો (એસવીપી)…
આજે શુક્રવાર એટલે કે જુમ્માની નમાઝનું ઈસ્લામ ધર્મમાં ભારે મહત્વ હોય છે. જો કે હાલ કોરોનાના સંકટને કારણે આરબ દેશોમાં આજે જુમ્માની નમાજ નહીં થાય. કારણકે સરકારે લોકોને અપીલ કરી છે કે, તેઓ મસ્જિદમાં ન આવે અને પોત-પોતાના ઘરે જ નમાઝ પઢે. આરબ દેશની સરકારોએ મસ્જિદ બંધ કરી છે. મસ્જિદોમાં થનારી અઝાનમાં પણ પરિવર્તન લવાયું છે. અને પોતાના ઘરોમાં જ નમાજ પઢવાનું કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઈસ્લામ ધર્મમાં દિવસમાં પાચ વખત નમાઝ અદા કરવાનું મહત્વ હોય છે. અને તેમાં પણ શુક્રવારે વંચાતી નમાઝ વધુ ખાસ મનાય છે કારણ કે આ દિવસે જુમ્માની નમાજ અદા કરવામાં આવે છે, પરંતુ…
છેલ્લા સાત વર્ષથી ચાલતા નિર્ભયા ગેંગરેપના આરોપીઓને આખરે ફાંસી આપવામાં આવી છે તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ સજાને લઈને પ્રતિક્રિયા આપી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, આપણે સૌએ મળીને સંકલ્પ લેવાની જરૂર છે કે આજ પછી કોઈ બીજી નિર્ભયા ના બને, નિર્ભયાના કેસે એક ઉદાહરણ પૂરૂ પાડયું છે કે આપણી સીસ્ટમમાં ઘણી ખામીઓ છે અને તેને સુધારવાની જરૂર છે. મહિલાઓને સુરક્ષીત કરવા માટે આપણે પોતે જવાબદારી લેવાની જરૂર છે.
કોરોના વાયરસ નું સંક્રમણ જેમ-જમે દુનિયાભરમાં પોતાનો પગ જમાવી રહ્યુ છે, તેમ-તેમ લોકોની વચ્ચે આ વિશે જણાવાની ઉત્સુકતા પણ વધી રહી છે. કોરોના વાયરસ બીમારીના લક્ષણો, ઈલાજની સિવાય લોકોને એ જાણવામાં વધારે રસ છે કે, આ વાયરસની શરુઆત ક્યાંથી થઈ છે. સાથે જ તે પણ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે કે, આ રોગથી સાજા થઈ શકાય છે કે, નહી. તો ચાલો જાણીએ તે પ્રશ્નના જવાબ જે ગૂગલ પર વારંવાર સર્ચ કરવામાં આવી રહ્યા છે. What is Corona Virus (શું છે કોરોના વાયરસ) How did Corona Virus start? (કેવી રીતે થઈ કોરોનાની શરુઆત) How many cases of corona viruses in india…
વર્ષ 1945માં અમેરિકી સેનાએ જાપાનનાં બે શહેર હિરોશીમાં અને નાગાશાકી શહેરો પર પરમાણું બોમ્બથી હુમલો કર્યો હતો. આ હુમલામાં લાખો લોકોનો જીવ જતો રહ્યો હતો. અને તમામ લોકો ખોડખાંપણ વાળા થયા હતા. વિશ્વનાં સૌથી ખતરનાક હુમલામાં ગણવામાં આવે છે. ત્યારે પરમાણું બોમ્બનો સૌથી પહેલો હુમલો અમેરિકાએ હિરોશીમા પર કર્યો હતો. જ્યાં આજે પણ મનુષ્ય જેવા દેખાતા એક પડછાયો નજરે આવે છે. જે છેલ્લા 75 વર્ષથી આ રીતે જ દેખાય છે. તેનું રહસ્ય અત્યાર સુધી કોઈ જાણી નથી શક્યું. આ પડછાયાને “ધ હિરોશિમા સ્ટેપ્સ શેડો” અથવા “શેડોઝ ઓફ હિરોશિમા” નાં નામથી ઓળખાય છે. ઉલ્લેખનીય છે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જ્યારે હિરોશિમા પર…
દેશમાં કોરોનાવાઈરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તેની અસર ભારતની અર્થવ્યવસ્થા પર પડી છે. માર્ચ મહિનામાં અત્યાર સુધી કોરોના વાઈરસના કારણે 60 ટકા લોકોએ તેમની ટિકિટ કેન્સલ કરાવી છે. રેલવે બોર્ડના ચેરમેન વી.કે યાદવે લોકોને વિનંતી કરી કે, મુસાફરી ત્યારે જ કરવી જ્યારે જરૂર હોય. કોરોના વાઈરસના વધતા પ્રકોપના કારણે રેલવેએ મુસાફરી દરમિયાન ધાબળા નહીં આપવાનો નિર્ણય કર્યો છે. રેલવેના અનુસાર, એસી કોચમાં મળતા ધાબળા દરરોજ સાફ કરવામાં આવતા નથી. એટલા માટે કોરોના વાઈરસને અટકાવવા માટે ટ્રેનોના એસી કોચમાં પડદા અને ધાબડા હટાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો જરૂરી હોય તો મુસાફરો પોતાના ધાબળા લાવી શકે છે. કોરોના…
કોરોના વાઇરસનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે આખી દુનિયામાં સંસર્ગમુક્ત રહેવાની એક માત્ર સલાહ અપાતી રહે છે. પરંતુ હવે એ સલાહ અંગે પણ ફેરવિચારણા કરવાની નોબત આવી છે. સંસર્ગમુક્ત રહેવાને કારણે એકલતા કોરી ખાનારી બની રહે એમ છે અને તેને પગલે હૃદયરોગ, હતાશા અને ઉન્માદનું જોખમ વધી શકે છે. કોરોના વાઇરસના ફેલાવા સાથે સંસર્ગમુક્ત રહેવા માટે સલાહ અપાય છે. એ સાથે પ્રવાસ નહીં કરવા અને ઘરમાં જ રહેવાનું તબીબો જણાવી રહ્યા છે. પરંતુ હવે નવા સંશોધન મુજબ સામાજિક રીતે એકલતાને કારણે માનસિક અને શારીરિક સમસ્યા પેદા થાય છે. યુનિવર્સિટી ઓફ સરે ખાતે હેલ્થ સાઇકોલોજીમાં લેક્ચરર ડો. કિમ્બેરલિ સ્મિથે તેમના ધ…