ઘડિયાળની સોય અવિરત ચાલતી હોવાની સાથે જ નિર્ભયાના એક બળાત્કારીની માતા, પોતાના પુત્રને ફાંસીના ફંદાથી બચાવવા માટેની તેની આશા પણ વાદળો છવાઇ ગયા છે, અને હવે તેના પુત્રની છેલ્લી ઇચ્છા તે તેની પ્રિય પુરી, શાકભાજી અને કચોરી છે તે તેને ખવડાવવા માંગે છે. આ મહિલાનો પુત્ર તે ચાર દોષિતોમાં સામેલ છે જેને શુક્રવારે સવારે પાંચ વાગ્યે તિહાર જેલમાં ફાંસી આપવામાં આવવવાની છે. સાત વર્ષ ત્રણ મહિના પહેલા 16 ડિસેમ્બર 2012ની રાત્રે એક યુવતી સાથે બળાત્કાર અને તેની હત્યાના ગુનામાં તેમને આ સજા મળી છે. આ યુવતીને દુનિયાભરમાં નિર્ભયાના નામથી ઓળખાઇ હતી. જલ્લાદે બુધવારે ફાંસી આપવાનું પરિક્ષણ કર્યું હતું અને દિલ્હી…
કવિ: Satya Day News
ભારતની કેરીનો સ્વાદ, ગુણવત્તા, પૌષ્ટિક તત્ત્વો, આકર્ષક રંગ અને ઉપયોગીતાને લઈને વિશ્વભરના લોકોએ રસ દેખાડ્યો છે. તેમાં રશિયા, ઓસ્ટ્રેલિયા અને ચીન ટોપ પર છે. ભારતીય કેરીને દુનિયાભરમાં ફેમસ બનાવવા માટે નેશનલ મેંગો ડેટાબેઝ વેબસાઈટ બનાવી હતી. તેમાં એક વર્ષમાં આશરે 34 લાખ હિટ્સ આવ્યા છે. તેમાં 7 લાખ ભારતીયોના છે અને બાકીના 27 લાખ વિદેશીઓના છે. ભારતીય કેરી પ્રત્યે સારો રસ દાખવનારામાં અમેરિકાના લોકોના 6 લાખ હિટ્સ આવ્યા છે. સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સબટ્રોપિકલ હોર્ટીકલચરના મેનેજર શૈલેન્દ્ર રાજને કહ્યું કે, વેબસાઈટ પર સૌથી વધારે રશિયા, ઓસ્ટ્રેલિયા અને ચીનના લોકો આવ્યા છે. ભારતીય કેરીની લોકપ્રિયતા વધવાની સાથે-સાથે કેરીની માગ પણ વધી છે.…
ગુજરાતમાં 26 માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોની જીતને લઈને ભારે ખેંચતાણ ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસ-ભાજપ બંને જીતના દાવા કરી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની રાજનીતિ પણ ગરમાઈ રહી છે. ત્યારે BTPના MLA મહેશ વસાવાને લઈને થોડી રાજનૈતિક હલચલ દેખાઈ રહી છે. રાજ્યસભાની ચૂંટણીને લઈ ગાંધીનગરમાં રાજકીય સળવળાટ વચ્ચે આજે BTPના MLA મહેશ વસાવા પ્રશ્નોત્તરી છોડી ગૃહમાંથી બહાર નીકળી ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. મહેશ વસાવા જ્યારે ગૃહમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમના પાછળ કોંગ્રેસના નેતાઓ પણ પાછળ રવાના થયા હતા. હાલ અંદરોઅંદર જોગાનુજોગ કે સૂચક તેવી વિધાનસભામાં રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી…
કોરોના વાઈરસનો ડર દુનિયાના દરેક વ્યક્તિના મનમાં ઘૂસી ગયો છે. આ દરમિયાન કોરોના વાઈરસ સામે સાથે મળીને લડવા માટે બધાનો આત્મવિશ્વાસ વધારવો ઘણો જરૂરી છે. સ્પેન અને ઈટલીમાં લોકો બાલ્કનીમાં થાળી વગાડીને અને ગીતો ગાઈને એકબીજાનો કોન્ફિડન્સ વધારી રહ્યા છે. ગુરુગ્રામનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે, જેમાં બે મહિલા માઈકમાં ગાયત્રી મંત્ર ગાઈ રહી છે અને ફ્લેટની બાકીની મહિલાઓ પોતાની બાલ્કનીમાં ઊભા રહીને તેમને સાથ પુરાવી રહી છે. આ વીડિયો ગુરુગામના સેક્ટર 28નો છે. લાઉડ સ્પીકરમાં વાગતો ‘ગાયત્રી મંત્ર‘ અને ‘હમ હોંગે કામયાબ‘ સોન્ગ સાંભળીને ભલભલાનો આત્મવિશ્વાસ વધી જાય તેમ છે. ભારતમાં અત્યાર સુધી 166 પોઝિટિવ…
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું સંકટ વધી રહ્યું છે. ગુરૂવારના રોજ કોરોના સંક્રમણના ચાર બીજા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં આ મહામારીથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા હવે 49 થઇ ગઇ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ હાલની સ્થિતિ પર નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી છે. આ બધાની વચ્ચે પ્રખ્યાત હાજી અલી દરગાહને પણ બંધ કરી દેવાઇ છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપતા કહ્યું કે મુંબઇમાં 22 વર્ષની એક યુવતીમાં કોરોનાની પુષ્ટિ થઇ છે જે તાજેતરમાં જ બ્રિટનથી આવી છે. એક બીજો કેસ ઉલ્હાસનગરમાં સામે આવ્યો જ્યાં 49 વર્ષના એક મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલા થોડાક દિવસ પહેલાં જ દુબઇ ગઇ હતી.…
જરાતમાં રાજ્યસભા ચૂંટણીનો ખરો રંગ હવે જામ્યો છે. રાજ્યસભાની ગુજરાતની ચાર બેઠકોમાંથી ભાજપે ત્રણ ઉમેદવાર મેદાનમાં ઉતારતાં જ ગુજરાતના રાજકરણમાં રસાકસી આવી ગઈ છે. રાજ્યસભાની ચૂંટણીને લઈ CM રૂપાણીનું નિવેદન આપતાં જણાવ્યું છે કે, રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનાં ત્રણેય નેતાઓનો યશસ્વી વિજય થશે. અમે તો અત્યારથી વિજેતા છીએ, માત્ર ચૂંટણી બાકી છે. અને તમામ 182 ધારાસભ્યોને તેમને સાથ મળશે. તેમણે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા પડતા કોંગ્રેસની આંતરિક જૂથબંધી જવાબદાર ઠેરવી હતી. વિજય રૂપાણીને જ્યારે BTPના મત વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, BTPના મત ભાજપને જ મળશે તેવો CM રૂપાણીએ આજે મોટો દાવો કરીને તમામ લોકોને ચોંકાવી દીધા હતા. તેમને…
એવું કહેવાય છે કે, દરેક ઘટના પાછળ કંઈક સારો ઈરાદો હોય છે. આ વાત આજે ઈટલીના વેનિસ શહેર પર લાગુ થઈ રહી છે. ઈટલીમાં કોરોનાના કારણે 2500થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે અને હજારો લોકોને તેનો ચેપ લાગ્યો છે.ઈટાલીના મુખ્ય શહેરોમાં સંપૂર્ણપણે લોકડાઉન છે. લોકો ઘરોમાં કેદ છે. પ્રવાસીઓના આગમન પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવાયો છે. લોકોને અનિવાર્ય હોય તો જ ઘરની બહાર નિકળવાની મંજૂરી છે. સામાન્ય રીતે પ્રવાસીઓથી હર્યુંભર્યું રહેલું વેનિસ શહેર અત્યારે સંપૂર્ણપણે ભેંકાર ભાસી રહ્યું છે. પ્રવાસીઓની ગેરહાજરી અને હંમેશાં હોડીઓથી ભરેલી રહેતી શહેરની નહેરો અત્યારે શાંત છે. તેણે નહેરોના પાણીને પણ એકદમ સ્વચ્છ કરી નાખ્યું…
પ્રદુષણ ને લીધી ચકલીઓ નામશેષ થઈ રહી છે અને ઉનાળો આવતા જ પાણી વગર કેટલાય પક્ષીઓ ના મોત થતા હોય છે ત્યારે આવી રહેલા વિશ્વ ચકલી દિવસ અંતર્ગત જીવદયા પ્રેમીઓ દ્વારા પાણીના કુંડા માટે લોકો ને જાગૃત કરવા જેવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે વલસાડ માં સેવા મિત્ર મંડળ વલસાડ ગ્રુપ દ્વારા નિઃશુલ્ક ચકલી ઘર તથા પાણી ના કુંડા નું વિતરણ કરવામાં આવ્યુ હતુ, વલસાડ પોલીસ સ્ટેશન માં શ્રી ચાવડા ના હસ્તે લગભગ ૧૧૦ ચકલી ઘર અને ૧૩૦ જેટલા પાણી ના કુંડા નું વિતરણ કરી માનવતા મહેકાવી હતી.
કોરોનાને લઈને આજે ડાયમંડ યુનિયન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જેમ સ્કૂલ કોલેજમાં વેકેશન જાહેર કરવામાં આવ્યા છે. એવી જ રીતે હિરા ઉદ્યોગના તમામ રત્ન કલાકારોને એક મહિનાનો પગાર આપી વેકેશન જાહેર કરવા માગ કરાઈ છે. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રજૂઆત કરાઈ હતી કે અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે મહામારી જાહેર થયેલ કોરોના વાયરસ બાબતે સૌથી વધારે ભય હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો ઉપર છે. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીને તા. 14/2/2020ના રોજ પત્ર પાઠવી કોરોના વાયરસ બાબતે અગમચેતી પગલા ભરવા રજુઆત કરવામાં આવેલ પરંતુ સરકારશ્રી દ્વારા અગમચેતીના પગલા હિરા ઉદ્યોગ માં ભરવામાં આવ્યા નથી. હિરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન…
એક ઉંટ પોતાના માલિકથી એટલો ગુસ્સે થઈ ગયો કે, તે પોતાના માલિકને જ ચાવી ગયો હતો. ઉંટ માલિકના માથાને ત્યાં સુધી ચાવતો રહ્યો જ્યાં સુધી તેનુ માથુ ધડથી અલગ ન થઈ ગયુ. જોકે, ઉંટની ભૂખ તેનાથી પણ શાંત ન થઈ કે, તે પોતાના માલિકનો એક પગ પણ ખાઈ ગયો હતો. આ ઘટના રાજસ્થાનના બીકાનેર જિલ્લાની છે. શહેરમાં લાલગઢ કોલોનીમાં રવિવારે એક ઉંટને એટલો ગુસ્સો આવ્યેકે, તેને કિકરમીસરના રહેવાસી ભંવરલાલને પોતાનુ નિશાન બનાવ્યુ હતુ. ઉંટ ભંવરલાલને ગળાને પોતાના મોઢામાં દબાવીને ચાવી નાખ્યુ હતું. ઉંટ આ મોઢાને ત્યાં સુધી ચાવતુ રહ્યુ હતુ, જ્યાં સુધી ભંવરલાલાનુ ગળુ ધડથી અલગ થઈ ગયુ ન હતું.…