ફેસબુકના સ્વામિત્વ ગણાતા વોટ્સએપે મોટું પગલું છે બલ્ક મેસેજ મોકલનારા એકાઉન્ટ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. વોટ્સએપે તેના બ્લોગમાં કહ્યું છે કે તે એવા વોટ્સએપ એકાઉન્ટને બંધ કરી દેશે જે ઘણાં બધાં મેસેજ મોકલશે.એ ઉપરાંત એ લોકોના એકાઉન્ટ સામે એક્શન લેવામાં આવશે જે ફટાફટ ગ્રૂપ બનાવશે. જોકે વોટ્સએપનો આ નિર્ણય હાલ પૂરતો વોટ્સએપ બિઝનેસ માટે છે. જેમ કે કોઈ વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ પાંચ મિનિટ પહેલા બન્યું છે અને તે એકાઉન્ટથી 15 સેકેન્ડની અંદર 100 મેસેજ મોકલવામાં આવે છે તો કંપની તે એકાઉન્ટ સામે કાર્યવાહી કરશે.કંપની તે એકાઉન્ટને બંધ પણ કરી શકે છે. અને બીજું કે મિનિટોમાં વધારે પડતાં ગ્રૂપ બનાવનાર…
કવિ: Satya Day News
મોંઘવારી સતત વધી રહી છે.દેશ મંદીના બોજ તળે દટાતો જાઇ છે.એવામાં લોકોની જીવન જરૂરીયાતની વસ્તુઓ ખાદ્યતેલોના ભાવ પણ વધવા લાગ્યા છે,સિંગતેલ અને બીજા તેલોના ભાવ સતત વધી રહ્યા છે. 20 રૂપિયાનો ભાવ વધારો થતા તેલના ડબ્બાનો ભાવ 1780થી 1800 જેટલો અને કપાસિયા તેલનો ભાવ 1400 રૂપિયા જેટલો થઇ ગયો છે. ઉલ્લોખનીય છે કે છેલ્લા 10 દિવસમાં સિંગતેલના ભાવમાં ડબ્બા દિઠ 40 રૂપિયાનો વધારો નોંધાયો છે. આ પહેલાં જન્માષ્ટમીનાં તહેવાર વખતે પણ સિંગતેલનાં ભાવમાં ભડકો જોવા મળ્યો હતો. એ સમયે સિંગતેલનાં ભાવમાં રૂ. 10નો વધારો થતા 15 કિલો ડબ્બાનો ભાવ 1820થી 1830 રૂપીયા પહોંચી ગયો હતો. સિંગતેલની બજારો હજી ડબ્બે 20થી…
ઈન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર એક ગુફામાં હજારો વર્ષ જૂનું ભીંતચિત્ર મળી આવ્યું છે. જેને વિશ્વનું સૌથી જૂનામાં જૂનું ભીંતચિત્ર કહેવામાં આવે છે. આ દુર્લભ 4.5.-મીટર પહોળા આ દુર્લભ ભીતચિત્ર ગુફાની દિવાલ પર બનાવવામાં આવ્યું છે, જેમાં શિંગડાવાળા પ્રાણી બનાવવામાં આવ્યા છે અને શિકારીઓ તેનો પીછો કરી રહ્યા છે. બુધવારે નેચર જર્નલમાં આ ભીંતચિત્રને લગતું એક સંશોધન પ્રકાશિત થયું છે. સંશોધનકારોના જણાવ્યા અનુસાર, કોલસાથી બનેલા ઘણા ભીંતચિત્રો પણ યુરોપની ગુફાઓમાં મળી આવ્યા છે, પરંતુ તે ઇન્ડોનેશિયામાં મળેલા જેટલા જૂના નથી. યુરોપની ગુફાઓમાં જોવા મળતા રોક પેઇન્ટિંગ્સ 14 હજાર વર્ષથી 21 હજાર વર્ષની વચ્ચે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હમણાં સુધી, આ…
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) એ ગ્રેજ્યુએટ અપરેન્ટિસ, ટેક્નિશિયન અપરેન્ટિસ અને ટ્રેડ અપરેન્ટિસનાં ઘણાં પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ માટે અરજી કરી શકે છે. આ માટે ઉમેદવારો ઈસરોની વેબસાઇટ પરથી વધુ માહિતી મેળવી શકે છે. ઈન્ટરવ્યૂની તારીખો ગ્રેજ્યુએટ અપરેન્ટિસ: 14 ડિસેમ્બર 2019 ટેક્નિશિયન અપરેન્ટિસ: 21 ડેસેમ્બર 2019 ટ્રેડ અપરેન્ટિસ: 4 જાન્યુઆરી 2020 પદોની સંખ્યા ગ્રેજ્યુએટ અપરેન્ટિસ: 41 ટેક્નિશિયન અપરેન્ટિસ: 59 ટ્રેડ અપરેન્ટિસ: 120 વય મર્યાદા આ પદો માટે અરજી કરવા માટે ઉમેદવરઓની મહત્તમ ઉંમર 35 વર્ષ નક્કી કરવામાં આવી છે. અરજી પ્રક્રિયા ઈચ્છુક ઉમેદવારોએ નિર્ધારિત અરજીની સાથે ઈન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે. ઈન્ટરવ્યૂ…
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI)એ આધાર એપનું નવુ વર્ઝન એમઆધાર લૉન્ચ કરવામાં આવ્યુ છે, જેને એપલના એપ સ્ટોર તથા ગૂગલના પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે. નવી આધાર એપ ખૂબજ અનૂકૂળ છે અને તેને સરળતાથી યુઝ પણ કરી શકાય છે. નવી આધાર એપની મદદથી યુઝર્સ આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકે છે, ઑફલાઇન કેવાયસી, ક્યૂઆર કોડ જોઇ શકાય છે અથવા તો સ્કેન કરી શકાય છે. મેલ/ઇમેલ વેરિફાય કરી શકાય છે. UIDAI/ID રિટ્રિવ કરી શકો છે. એડ્રેસમાં ફેરફાર કરવા માટે રિકવેસ્ટ કરી શકાય છે, સાથે જ વિભિન્ન સેવાઓ માટે ઑનલાઇન રિક્વેસ્ટ પણ કરી શકાય છે. તમે તમારી એમઆધાર એપ દ્વારા આધાર…
દેશમાં ડુંગળીના ભાવ ઘટવાનું નામ નથી લઇ રહ્યા અને બીજી બાજુ લોકો ડુંગળીને લઈને અનેક જુગાડ કરી રહ્યા છે. વારાણસીમાં એક લગ્નમાં દુલ્હા-દુલ્હને એકબીજાને ફૂલનો હાર નહીં પણ ડુંગળી અને લસણની વરમાળા પહેરાવી. એટલું જ નહીં પણ લગ્નમાં આવેલા મહેમાનો પણ તેમનાં માટે ડુંગળીની ટોપલી ગિફ્ટમાં આપવા માટે લઈને આવ્યા હતા. કપલે ડુંગળી-લસણની વરમાળા પહેરીને તેના ભાવનો વિરોધ કર્યો હતો. વારાણસીમાં હાલ ડુંગળી 120 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ વિમાનથી કાનપુરના ચકેરી એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે તેમના મંત્રીમંડળના સહયોગીઓ તથા કેન્દ્રીય પ્રધાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ગંગા પરિષદની પહેલી બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. આ બેઠકમાં કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ પટેલ ઉપરાંત અનેક અધિકારી, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત, બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી પણ ભાગ લઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસને પણ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ બન્ને મુખ્યમંત્રીએ બેઠકમાં ભાગ લેવા સૂચના મોકલી આપી નથી. મોદી કાનપુરમાં 4 કલાક રહેશે મોદીનું વિમાન સવારે ચકેરી હવાઈ મથક પર ઉતરશે. જ્યાંથી તેઓ…
દિલ્હી નજીક આવેલા નોઈડામાં શુક્રવારે આઠ કલાકની અંદર જ આખો પરિવાર ખતમ થઈ ગયો હતો. સવારે અંદાજે 11.30 વાગે એક યુવકે ટ્રેન સામે કુદીને આત્મહત્યા કરી લીધી હતી. તેના આઘાતમાં સાંજે 7.30 વાગે પત્નીએ બાળકીની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને આર્થિક તંગીનું કારણ લાગી રહ્યું છે. સપ્ટેમ્બરમાં કાઠમંડુથી દિલ્હી શિફ્ટ થયો હતો પરિવાર પોલીસના જણાવ્યા પ્રમાણે ચેન્નાઈમાં રહેતા 33 વર્ષના ભરત જે સુબ્રમણ્મય સપ્ટેમ્બરમાં જ કાઠમંડુથી નોઈડા શિફ્ટ થયા હતા. અહીં તેઓ સેક્ટર-128માં જેપી પવેલિયન કોર્ટમાં પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં તેમની સાથે તેમની 31 વર્ષની પત્ની શિવરંજની અને 5 વર્ષની દીકરી જયશ્રીતા અને…
ઉતરાણના તહેવારો દરમિયાન પક્ષીઓ અને મનુષ્યોના ગળા કપાવાના કારણે મોત થતા હોય છે. જેથી પ્લાસ્ટીક સિન્થેટીક મટીરિયલ્સથી ચાઇનીઝ દોરીથી પતંગ ઉડાડવા પર અમદાવાદ પોલીસ કમિશનરે પ્રતિબંધ ફરમાવ્યો છે. જેમાં ખાસ કરીને પક્ષીઓ સવારે 6થી 8 અને સાંજે 5થી 7 દરમિયાન માળામાં આવતા જતા હોવાથી આ સમયે પતંગ ઉડાડવાનું ટાળવા વિનંતી કરવામાં આવી છે. અમદાવાદમાં ઉતરાયણના તહેવારો દરમિયાન લોકો પ્લાસ્ટીક, સિન્થેટિક મટીરિયલ્સથી બનાવેલી ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવીને આનંદન માળતા હોય છે. પરંતુ આવી ધારદાર દોરીથી પક્ષીઓ ઘાયલ થાય છે એટલું જ પક્ષીઓ અને બાળકો સહીત મનુષ્યો ગળા કપાવાથી મોતને ભેટતા હોય છે. જેથી જીવદયાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ જાહેરનામું…
ભારતના કેન્દ્રીય નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ 1300 કરોડ રૂપિયાના હેરોઇનને લગતા એક આંતરરાષ્ટ્રીય ડ્રગ કૌભાંડની વિગતો જાહેર કરી હતી જેમાં 100 કરોડનું હેરોઇન ભારતમાં અને 1200 કરોડનું ઓસ્ટ્રેલિયામાં પકડાયું હતું. આ પાર્સલ સંબંધે નવ ભારતીયોની ધરપકડ પણ થઇ હતી. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો અને અન્ય સિક્યોરિટી દળોના સહિયારા પ્રયાસોથી આ કૌભાંડ પકડાયું હતું. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના એક પ્રવક્તાએ કહ્યુ હતું કે આ કૌભાંંડના તાર ભારતનાં નવી દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ ઉપરાંત કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, શ્રીલંકા અને કોલબિયા સુધી લંબાયેલા છે. હાલ એની વિગતવાર તપાસ ચાલી રહી હોવાથી વધુ માહિતી જાહેર કરી શકાય એમ નથી. ધરપકડ કરાયેલા નવ જણમાં પાંચ ભારતીય, એક…