ગૂગલે આ અઠવાડિયે એક સુવિધા શરૂ કરવાની શરૂઆત કરી છે જે 18 મહિના પછી અથવા 3 મહિના પછી તમારા પરના કેટલાક ડેટાને આપમેળે ડિલીટ કરી નાખસે. આનો અર્થ એ કે તે સમય પહેલાનો કોઈપણ ડેટા હશે નહીં, અને તે જૂની કોઈપણ ખાનગી માહિતીને આપમેળે ઓટો-ડિલીટ કરશે. અમે તમને બતાવીશું કે Google ને તમારી બધી વેબ અને એપ્લિકેશન પ્રવૃત્તિને સાચવવામાં રોકવા માટે તેને કેવી રીતે ચાલુ કરવું. ગૂગલ આ વર્ષે વધારાના નિયંત્રણો રોલ કરશે. વપરાશકર્તાઓ જૂની સ્થાન માહિતી અને વેબ ઇતિહાસને જેણે Google સેવાઓનો ઉપયોગ કરે છે તે દરેક પર સાચવેલ છે તે આપમેળે ડિલીટ થઈ જસે.
કવિ: Satya Day News
વેડરોડ સ્થિત પંડોળ શોપીંગ સેન્ટરમાં ઉષા એજન્સી નામના ઇલેક્ટ્રોનીક્સ શો-રૂમને તસ્કરોએ નિશાન બનાવી રોકડ, 38 નંગ મોબાઇલ ફોન અને લેપટોપ સહિત કુલ રૂા. 6.97 લાખની મત્તા ચોરી ગયા હતા. તસ્કરો જતા-જતા ડીવીઆર પણ ચોરી જતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી પરંતુ તેના ફુટેજ મળ્યા ન્હોતા. વેડરોડ સ્થિત કેન્સર હોસ્પિટલ સામે મનસી રાધિકા સોસાયટીમાં રહેતા હરકિશન અશોક વાડોલીયા વેડ રોડ નાની બહુચરાજી મંદિર નજીક પંડોળ શોપીંગ સેન્ટરમાં મધુરમ પ્લાઝા ઉષા એજન્સી નામે ભાગીદારીમાં ઇલેક્ટ્રોનીક્સ શો-રૂમ ધરાવે છે. આ શો-રૂમને તસ્કરોએ નિશાન બનાવી ત્રીજા માળે આવેલા ગોડાઉનની એક સાઇડની જાળી કોઇ સાધન વડે કાપી અંદર પ્રવેશ્યા હતા. શોર-રૂમના ગ્રાઉન્ડ ફલોરથી લઇ…
પરવટ પાટિયા નજીક રણછોડ નગર સોસાયટીના ગેટ પાસેથી મોટરસાઇકલ પર પુત્ર સાથે જઇ રહેલી માતાના ગળામાંથી રૂા. 37,100 ની સોનાની ચેઇન આંચકીને મોટરસાઇકલ સવાર સ્નેચરો ભાગી ગયા હતા. સ્નેચરોએ ચેઇન આંચકતી વેળા પુત્રએ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા માતા રોડ પર પટકાતા ઇજા થઇ હતી. પરવટ પાટિયા સ્થિત ગાયત્રી નગર સોસાયટીમાં રહેતા અને ખોડિયાર વેલ્ડીંગ વર્કસ નામે ફેબ્રીકેશનનું વર્કશોપ ચલાવતા સંદીપ જયંતિ ઉમરાળીયા (મૂળ રહે. તળાજા, ભાવનગર) ગત રોજ માતા જયાબેનને મોટરસાઇકલ પર બેસાડી કામરેજ જવા નીકળ્યો હતો. દરમ્યાનમાં ઘર નજીક રણછોડ નગર સોસાયટીના ગેટ પાસેથી પસાર થતો હતો ત્યારે પાછળથી બ્લુય કલરની મોટરસાઇકલ પર બે સ્નેચરો ઘસી આવ્યા હતા. જે…
ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને આજે લખનૌમાં એક મહત્વની બેઠક યોજી છે. જેમાં AIMIMના સાંસદ અસદુદ્દીન ઔવેસી સહિત તમામ મુસ્લિમ નેતા સામેલ થવા પહોંચ્યા છે. જોકે, સુન્ની વકફ બોર્ડના કોઈ પણ પ્રતિનિધિ બેઠકમાં હાજર નથી. બેઠકમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને બોર્ડની આગળની રણનીતિને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે. મુસ્લિમ પક્ષકારોએ તાજેતરમાં જ આવેલા અયોધ્યા નિર્ણય વિરૂદ્ધ અપીલ દાખલ કરતા કહ્યુ કે મુસલમાનોને બાબરી મસ્જિદના બદલે કોઈ પણ જમીન લેવી જોઈએ નહીં બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અંસારીએ AIMPLBની આ બેઠકનો વિરોધ કર્યો છે. અંસારીનુ કહેવુ છે કે કેટલાક લોકો દેશમાં અશાંતિ ફેલાવવા ઈચ્છે…
હિન્દુ કેલેન્ડર પ્રમાણે કારતક મહિનાના વદ પક્ષની અષ્ટમીએ કાળભૈરવ અષ્ટમીના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે કાળભૈરવની વિશેષ પૂજા અને આરાધના કરવામાં આવે છે. આ વર્ષે કાળભૈરવ અષ્ટમી 19 નવેમ્બરે ઉજવવામાં આવશે. કાળભૈરવનો ઉલ્લેખ હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. શિવ પુરાણ પ્રમાણે કાળભૈરવ ભગવાન શિવનું રૌદ્ર સ્વરૂપ છે. શિવ પુરાણમાં બતાવ્યા પ્રમાણે કાળભૈરવ શ્રીકૃષ્ણના જમણા નેત્રથી પ્રગટ થયાં હતાં, જે આઠ ભૈરવોમાંથી એક હતાં. કાળભૈરવ રોગ, ભય, સંકટ અને દુઃખના સ્વામી માનવામાં આવે છે. તેમની પુજાથી દરેક પ્રકારની માનસિક અને શારીરિક પરેશાનીઓ દૂર થઈ શકે છે. પુરાણોમાં 8 ભૈરવ બતાવ્યા છે- સ્કંદ પુરાણના અવંતિ ખંડ પ્રમાણે ભગવાન ભૈરવના 8…
મૂળ જોટાણા તાલુકાના ભટાસણ ગામના વતની અને હાલ અમદાવાદમાં ધંધાર્થે સ્થાયી થયેલા પટેલ અરવિંદભાઈ વિઠ્ઠલદાસનો પુત્ર કિરણ (33) તેની પત્ની રમીલા અને પુત્ર રિકીન સાથે છેલ્લા 9 વર્ષથી અમેરિકાના ડેનમાર્ક સાઉથ કેરોલીના ટાઉનમાં રહેતો હતો. ઘરની પાસેના પેટ્રોલ પંપના સ્ટોરમાં કિરણ અને માણસાના ખરણા ગામનો ચિરાગ પટેલ બંને સાથે નોકરી કરતા હતા. ગુરુવારે રાતના 11 વાગે કિરણ અને ચિરાગ બંને સ્ટોરમાં હાજરમાં હતા ત્યારે બુકાનીધારી બે લુંટારું બંદૂક સાથે લૂંટ કરવા સ્ટોરમાં ઘૂસ્યા અને બંનેની ગોળી મારી હત્યા કરી હતી. આ ઘટના અંગે મૃતક કિરણના ભાઈ આશિષે જણાવ્યું કે, કિરણ તેમનાં પત્ની રમીલા અને પુત્ર રિકીન સાથે સાઉથ કેરોલીનામાં રહેતા…
દેશમાં ઓર્ગેનિક ખેતીનું પ્રમાણ વધી રહ્યું છે. યંગસ્ટરો પણ હવે નોકરી કે બિઝનેસ છોડીને ખેતી તરફ વળી રહ્યા છે. ગુજરાત સહિત દેશભરમાં અલગ-અલગ રીતે ખેતીનું ઉત્પાદન કરી ખેડૂતો સારી કમાણી કરી રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લાના સાંખેજ ગામના એક ખેડૂતે ‘બ્લેક રાઈસ’ના ઉત્પાદનમાં સફળતા પ્રાપ્ત કરી છે. બ્લેક રાઈસની ખેતી માટે યોગ્ય જમીન અને હવામાનની જરૂર પડે છે, એટલે જ આ ખેતી દેશભરમાં માત્ર ત્રિપુરા અને મિઝોરમમાં થતી હોય છે. જોકે ખેડાના યુવાને સૌ પ્રથમ ગુજરાતમાં આ ખેતી કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ત્રિપુરાથી ખેતી લખતી જાણકારી પ્રાપ્ત કરી ખેડામાં આવેલા સાંખેજ ગામનો યુવાન શિવમ હરેશભાઈ પટેલ પોતાની સમજદારી અને…
તમિલનાડુમાં 18 વર્ષની છોકરીએ દેશની મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઈકો-ફ્રેન્ડલી સેનિટરી પેડ્સ બનાવ્યાં છે. ઈશાનાને માર્કેટમાં મળતા સેનિટરી પેડને લીધે ઘણી સ્વાસ્થ્યને લગતી તકલીફ થઈ હતી. આ સમસ્યા અન્ય લોકોને ન આવે તે માટે તેનો વિકલ્પ ઈશાનાએ શોધી લીધો છે. ઈશાનાએ ન્યૂઝ એજન્સી સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, મને હેલ્થની સમસ્યા થયા પછી મેં કોટનના સેનિટરી પેડ બનાવવાનો વિચાર આવ્યો હતો. મેં અમુક મશીનરી પણ વસાવી છે. મારો હેતુ એટલો જ છે, કે હું જેમ બને તેમ વધુ મહિલાઓ કોટન ક્લોથમાંથી બનેલા સેનિટરી પેડ વાપરે ઈશાનાએ આ સેનિટરી પેડમાં કેમિકલ જેલ પણ એડ કર્યું છે, જેથી મહિલાને સ્વાસ્થ્યની કોઈ સમસ્યા…
ફિલીપીન્સના પલાવન આઇલેન્ડ પર 15 વર્ષ છોકરાની બહાદુરીને કારણે તેની લાડકવાયી બહેનનો જીવ બચી ગયો છે. 15 વર્ષના હસીમે પોતાના જીવની ચિંતા કર્યા વગર 12 વર્ષની હેનાનો પગ મગરનાં મુખમાંથી બહાર કાઢ્યો હતો. હસીમે પથ્થર ફેંકીને મગરને ભગાવ્યો ગુરુવારે ભાઈ-બહેન બ્રિજ પાર કરી રહ્યાં હતાં, તે દરમિયાન આ ઘટના બની હતી. આ સમયે અચાનક એક મગર આવ્યો અને હેનાનો પગ પોતાના મોઢામાં લઇ લીધો. હસીમે બૂમો પાડીને મદદથી માગ કરી, પણ આજુબાજુ કોઈ હાજર નહોતું, અંતે તેણે મગરના મોઢા પર પથ્થર ફેંકીને તેની બહેનને મગરની ઝપેટમાંથી છોડાવી લીધી. ભાઈને કારણે હેનાનો જીવ બચ્યો જો કે, હેનાનાં પગ પર ગંભીર ઈજાઓ…
આઈ ફ્લોટર્સ એટલે આંખની સામે જોવા મળતાં ધાબા. તે ઘણીવાર આંખોની સામે તરતા જોવા મળે છે. સફેદ કાગળ, આકાશ જોતાં હોય ત્યારે આ ફ્લોટર્સ જોવા મળે છે. 60 વર્ષની ઉંમરએ આ ફ્લોટર્સ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આમ તો આ ફ્લોટર્સથી આંખને નુકસાન થતું નથી. કેટલીકવાર ફ્લોટર્સના કારણે નજર નબળી પડી જાય છે. આઈ ફ્લોટર્સના લક્ષણ ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરતાં હોય ત્યારે તે દૂર હટી જાય છે. તે અલગ અલગ આકારના, કાળા કે ખાલી ધબ્બા જેવા અને વાંકીચુંકી રેખાઓ જેવા હોય છે. તે વિવિધ આકારના હોય છે. ધ્યાનમાં રાખો આઈ ફ્લોટર્સમાં અચાનક વૃદ્ધિ થાય તો તુરંત નેત્ર રોગ નિષ્ણાંતનો…