ઉત્તરપ્રદેશના લખનૌમાં હિંદુ નેતા કમલેશ તિવારીની હત્યાનું પગેરું સુરતમાં નીકળ્યું છે. ત્યારે ઉત્તરપ્રદેશ પોલીસની એક ટીમ તપાસ માટે સુરતમાં આવી છે. યુપી પોલીસે ધરતી નમકીન એન્ડ સ્વીટ નામની દુકાનમાં પહોંચીને પૂછપરછ કરી અને સીસીટીવી ફૂટેજની તપાસ કરી. મહત્વનું છે કે ઝડપાયેલા આરોપીઓ રશીદ અને તેના સાગરીતે ધરતી ફરસાણમાંથી ઘારી ખરીદી હતી. અને તે બોક્સમાં હથિયારો મુકીને લખનૌ ગયા હતાં. જ્યાં કમલેશ તિવારીની હત્યા કરી હોવાનો આરોપ છે. ગુજરાત એટીએસએ રાશીદ સહિત ત્રણ આરોપીઓની સુરતથી ધરપકડ કરી છે. તો બે આરોપી અશફાક શેખ અને ફરીજ મોઈનુદ્દીન પઠાણ ફરાર છે.. જેમની શોધખોળ ચાલી રહી છે. ત્યારે યુપી પોલીસે પણ સુરતમાં તપાસ હાથ…
કવિ: Satya Day News
જુનાગઢ, માંગરોળ, પંથકમા ધોધમાર વરસાદથી ખેડુતોના તૈયાર પાકને નુકસાન થયું છે. મગફળી અને પશુના ઘાસચારાને વ્યાપક નુકશાન થયું છે. તો ફરીથી પાક વીમાનું સર્વે કરવા ખેડુતોએ માંગ કરી છે. ચાલુ વર્ષમાં પાક વિમાનું સર્વે કરાયો હતો. ત્યારે પચીસ ટકા જેટલો મગફળીનો પાક સલામત હતો પરંતુ હાલમાં વરસાદ થતાં આ પાક પણ ફેઈલ થતાં ખેડુતોએ ફરીથી સર્વે કરવાની માંગ કરી છે. ચાલુ વર્ષ દરમીયાન સારો વરસાદ થતા ખેડુતોના ચોમાસાનો મગફળી સહીતનો પાક સારો થયો હતો. પરંતુ વરસાદની સિઝન લાંબી ચાલતા અને સતત વરસાદ પડતા તૈયાર પાક નિષ્ફળ જતા ખેડુતોમા નિરાશા વ્યાપી છે. સારા ચોમાસા બાદ તૈયાર પાકને નુકશાન થતા ખેડુતોની આશા…
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી 31મી ઓક્ટોમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સફારી પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. જેમાં તાપી જિલ્લાના વન વિભાગ દ્વારા જંગલમાંથી મળેલ વેસ્ટ લાકડામાંથી વિવિધ પ્રાણીઓ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યા છે. જે આ સફારી પાર્કમાં લોકોમાં વન્ય જીવન અંગે જાગૃતિ આવે તે હેતુસર મુકવામાં આવનાર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ માં ફરવા માટેનું એક રમણીય સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. જેમાં રિવર ક્રાફ્ટિંગ બાદ હવે સફારી પાર્કનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. જેમાં મહત્વની વાત એ છે કે આ સફારી પાર્કમાં તાપી જિલ્લાના વનવિભાગ દ્વારા જંગલમાં પડી ગયેલા અને વેસ્ટ પડી રહેલ આ પ્રકારના લાકડાઓમાંથી બનાવેલ પ્રાણીઓના…
ભાઠેના તગાડીવાળા કંપાઉન્ડમાંથી ફ્લીપકાર્ડ કંપનીના સુરતના ડીલર પાસેથી 3 લાખની ઉપરની 22 ઇલેક્ટ્રોનિક્સ આઇટમ લઇ નવસારીના ગ્રાહકોને ડીલીવરી કરવા નીકળેલો ડ્રાઇવર બે ડીલીવરી બોયને અમન સોસાયટી પાસે નાસ્તો કરવા ઉતારી દઇ ભાગી છૂટ્યો હતો. બે દિવસ બાદ ટેમ્પો ભેસ્તાન આવાસ પાસેથી મળી આવ્યો હતો. તેમાંથી 1.22 લાખની કિંમતની 8 આઇટમ ચોરી થઇ ગઇ હોઇ ડીલરે ડ્રાઇવર વિરૂદ્ધ ઉધના પોલીસ મથકે છેતરપીંડીંની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉમરવાડા ટેનામેન્ટમાં રહેતા યુનિસ હાજી સલીમ શેખ ભાઠેના તગાડીવાળા કમ્પાઉન્ડમાં એ.આઈ.એમ. લોજીસ્ટીક કંપની ચલાવે છે. તેમની કંપનીમાંથી ફ્લીપ કાર્ડ કંપનીમાં સુરત કે તેની આસપાસના ગ્રાહકો દ્વારા મંગાવાયેલો ઓર્ડર પહોંચાડવાનું કામ છે. પેઢીના…
લોકો ભગવાનની ભક્તિ કરવા માટે અનોખા રસ્તા અપનાવે છે તેના વિશે તો તમે સાંભળ્યું જ હશે. પરંતુ આપણા દેશમાં એવો સમુદાય પણ વસે છે.જે તેના પૂરા શરીર પર રામ નામ લખે તો છે પરંતુ ક્યારેય તેની પૂજા કરતો નથી. આપણા દેશમાં વસતા આ સમુદાયના લોકો ક્યારેય મંદિરમાં પૂજા પાઠ કરવા જતા નથી. સામાજિક બગાવતની નિશાની કહેવાય છે કે ટૈટૂ આ સમાજના લોકો માટે એક સામાજિક બગાવતની નિશાની છે. લગભગ 100 વર્ષ પહેલા ગામમાં હિંદૂઓ ધર્મની ઉચ્ચ જાતિના લોકોએ આ સમુહના લોકો માટે મંદિરમાં જવાની મનાઈ ફરમાવી હતી. ત્યારથી આ પ્રથા શરૂ થઈ છે. તેઓ પોતાના શરીર પર રામ નામ લખાવે…
દિવાળી પહેલાં પોતાના ગ્રાહકોને રિલાયન્સ જિયોએ એક શાનદાર ગિફ્ટ આપી છે. ગિલાયન્સે Jio Phoneના ભાવમાં ધરખમ ઘટાડો કર્યો છે, જે બાદ આ ફોનને ગ્રાહકો માત્ર 699 રૂપિયામાં ખરીદી શકે છે. દિવાળી પર ગ્રાહકોને આપવામાં આવેલી કંપનીની આ સૌથી બેસ્ટ ગિફ્ટ છે. રિલાયન્સે Jio Phoneને જુલાઇ 2017માં 1500 રૂપિયામાં લૉન્ચ કર્યો હતો. તે બાદ કંપનીએ એક્સચેન્જ ઑફર શરૂ કરી હતી. જે અંતર્ગત Jio Phone માત્ર 501 રૂપિયામાં મળી રહ્યો હતો. હવે ઘણા સમય બાદ કંપની આ ફોનને નવી ઑફર સાથે માર્કેટમાં લાવી છે. રિલાયન્સ Jio Phone લેવા માંગતા ગ્રાહકોએ સૌથી પહેલાં તેની સત્તવાર વેબસાઇટ www.jio.com પર જવાનું રહેશે. દિવાળી ઑફરમાં કંપનીએ ફક્ત…
પરિણીતિ ચોપડા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અત્યારે ખૂબ જ ખૂલી રીતે પોતાનું વર્ચસ્વ સ્થાપિત નથી કરી શકી. તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન તો કરે છે અને તેના અભિનયની સરાહના પણ થાય છે. પરંતુ ક્યાંક અત્યારે પરિણીતિને તે એક ફિલ્મની શોધ છે જે તેમના કરિયરને નવી ઉંચાઈઓ સુધી લઈને જશે. પરિણીતિ ચોપડાનો જન્મ 22 ઓક્ટોબર, 1988ના રોજ અંબાલામાં થયો હતો. પરિણીતિના જન્મદિવસ પર જણાવી રહ્યાં છીએ કેટલીંક એવી વાતો જે હકિકતમાં ખુબ જ ઓછા લોકો જાણતા હશે. પરિણીતિ ચોપડા સૌથી વધુ ભણેલી-ગણેલી બોલીવૂડ એક્ટ્રેસ છે. તેની પાસે ઓનર્સની 3 ડિગ્રિઓ છે. પરિણીતિની પાસે બિજનેસ, ફાઈનાન્સ અને ઈકનોમિક્સમાં ઓનર્સની ડિગ્રીઓ છે. પરિણીતિ…
હવામાન વિભાગની આગાહીને લઈને દીવના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં પલટો આવવાના લીધે ગાજવીજ અને પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જો કે વરસાદના લીધે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
સુરતમાં વકરતા રોગચાળા વચ્ચે ડેન્ગ્યુએ વધુ એક મહિલાનો ભોગ લીધો છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના કારણે મોતને ભેટેલી મહિલાના પરિવારજનો હોબાળો મચાવ્યો છે અને લાશ સ્વીકારવાનો ઈન્કાર કરીને હોસ્પિટલના વોર્ડ રૂમ બહાર ધરણા શરૂ કર્યા છે. ત્રણ માસુમ બાળકો નોંધારા એક દિવસ અગાઉ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મહિલાને સારવાર અર્થે ખસેડાઈ હતી. તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને ડેન્ગ્યુના ભરડામાં સપડાયેલી મહિલાનું મોત થયુ છે. ડિમ્પલ દુબે નામની મહિલા પાંડેસરા વિસ્તારમાં રહેતી હતી. તેના મોતથી ત્રણ માસુમ બાળકો નોંધારા થયા છે. સુરતમાં રોગચાળાએ ડેન્ગ્યુ ઉપરાંત મેલેરિયા જેવા રોગે ભરડો લીધો છે.
પોતાના વિચિત્ર નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેનારા પાકિસ્તાનના રેલવેપ્રધાન શેખ રશીદે ફરી એક વખત ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. પાકિસ્તાન પાસે નાનકડા પરમાણુ બોંબ હોવાનું જણાવી ચૂકેલા શેખ રશીદે જણાવ્યું કે હવે ભારત સાથે યુદ્ધ પરંપરાગત રીતે નહીં થાય. પરંતુ સીધું જ પરમાણુ યુદ્ધ થશે. એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે શેખી મારી કે હવે એવું યુદ્ધ નહીં થાય કે જેમાં 4-6 દિવસ સુધી ટેંક અને તોપ ચાલે. ફાઇટર જેટ અને નેવી સામસામા ગોળા ફેંકે. પરંતુ હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધું જ પરમાણુ યુદ્ધ થશે. પહેલા પણ આપી ચુક્યા છે આવા નિવેદનો મહત્વનું છે કે શેખ રશીદ આ પહેલા પણ…