કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

વલસાડ ના સોનવાડા ગામે તળાવ માંથી માટી ચોરવાનું કૌભાંડ ! ભુમાફિયાઓ હજારો મેટ્રીકટન માટી ચોરી ગયા અને તંત્ર ને ખબર જ નથી. વલસાડ તાલુકાના સોનવાડા ગામ ના તળાવ માંથી હજારો મેટ્રિક ટન માટી નું ખોદકામ કરી ભૂમાફિયાઓ માટી ચોરી કરી ગયા હોવાની વાત સામે આવતા ભારે ચકચાર મચી ગઇ છે. તંત્ર દ્વારા હજુ સુધી સુજલામ સુફલામ યોજના અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી નથી ત્યાંજ ભૂમાફિયા વલસાડ તાલુકાના કેટલાક ગામો માં પીળી માટી ની ચોરી કરવામાં વ્યસ્ત થઈ ગયા છે હાલ માં વલસાડ તાલુકાના લીલાપુર, કેવાડા,  પાલણ, ગામ તળાવ માં પાણી હોવા છતાં ભૂમાફિયા આ પાણી ભરેલા તળાવની…

Read More

ચીનમાં કોરોના વાઈરસના હાહાકાર વચ્ચે વિદેશથી સુરત આવી ફાઈવ સ્ટાર હોટેલમાં રોકાણ કરતા પ્રવાસીઓનું સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવ્યુ છે.શહેરની ફાઈવ સ્ટાર હોટેલ ના સંચાલકો ને વિદેશ થી આવતા તમામ પ્રવાસીઓ નું લિસ્ટ બનાવી સુરત મહાનગરપાલિકા ના આરોગ્ય વીભાગને આપવા માટેની સૂચના આપવામાં આવી છે.જેને લઈ ફાઈવ સ્ટાર હોટેલો પર ઇનફારેડ થર્મોમીટર દ્વારા પ્રવાસીઓ નું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. અગમચેતીના ભાગરૂપે તંત્ર ના આદેશ બાદ આ પ્રકારના પગલાં સુરતની ફાઈવ સ્ટાર હોટેલના સંચાલકો દ્વારા ભરવામાં આવી રહ્યા છે.સ્ક્રીનીંગ દરમ્યાન જો ઇનફારેડ થર્મોમીટર માં 100 સેલ્શિયસ જેટલું તાપમાન બતાવે તો તે અંગેની જાણ તાત્કાલિક સુરત મહાનગરપાલિકા ને કરવા સૂચના આપવામાં આવી…

Read More

ધૂમ્રપાન શરીરમાં અનેક રોગોને આમંત્રણ આપે છે. ધૂમ્રપાન કરતા લોકોને ધૂમ્રપાન છોડી દેવા માટે પ્રેરણા આપે તેવું રિસર્ચ ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું છે. ‘નેચર’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં આ રિસર્ચ અનુસાર ધૂમ્રપાન છોડતાની સાથે જ ફેફસાંની કુદરતી શકિત ધૂમ્રપાનને લીધે ખરાબ થયેલી ફેફસાંની કોશિકાઓને સ્વસ્થ કરે છે સાથે જ તે ફેફસાંનાં કેન્સરનાં જોખમ સામે પણ રક્ષણ આપે છે. યુનિવર્સિટી ઓફ લંડન અને વેલકમ સેંગર ઈન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવેલાં આ રિસર્ચમાં 16 વોલન્ટિયર્સને સામેલ કરવામાં આવ્યા હતા તેમાં ધૂમ્રપાન કરી રહેલાં, ધૂમ્રપાન છોડી ચૂકેલાં અને ધૂમ્રપાન ન કરતાં લોકોને સામેલ હતા. આ તમામ લોકોનાં ફેફસાંની બાયોપ્સી કરવામાં આવી હતી અને તેનું…

Read More

ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારાઓ માટે એક ફેરફાર થવા જઈ રહ્યો છે. જો તમે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી 16 માર્ચ 2020 સુધી ઓનલાઇન અથવા કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન ન કર્યું તો આ સુવિધા બંધ થઈ જશે. આ સુવિધા ચાલુ રાખવા માટે જરૂરી છે કે તમે તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી 16 માર્ચ પહેલાં ઓછામાં ઓછું એકવાર ઓનલાઇન કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન કરી લો. અન્ય સેવાઓ માટે તમારું ડેબિટ/ક્રેડિટ કાર્ડ ચાલુ રહેશે. આ નવો નિયમ 16 માર્ચ 2020થી નવા કાર્ડ્સ માટે પણ લાગુ થઈ જશે. ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટા કાર્ડથી થતાં ટ્રાન્ઝેક્શનની સુરક્ષા વધારવા માટે ભારતીય રિઝર્વ બેંકે 15 જાન્યુઆરી 2020ના રોજ…

Read More

અમેરિકાના ફ્લોરિડામાં કેપ કોરલમાં આવેલ હેરિટેજ કાર્ટર એકેડમીના ટેરેસ પર એક બાળકના રમકડાંને રેસ્કયૂ કરવામાં પોલીસે અને ફાયરફાઈટર્સે મદદ કરી. આ કેસ શનિવારનો છે. તે દિવસે પહેલા ધોરણમાં ભણતા બે બાળકો રમતા હતા અને તે દરમિયાન એક વિદ્યાર્થીએ એસ્ટનનું રમકડું ધાબા પર ફેંકી દીધું. એસ્ટનને આ રમકડું ઘણું ગમતું હતું, તેણે સ્કૂલના અધિકારી કર્લ કેનેડીને ટેડી ઉતારવા કહ્યું. કર્લે નજીકના ફાયર ડિપાર્ટમેન્ટને સૂચના આપી. ત્યારબાદ ટીમ સ્કૂલે આવીને ટેરેસ પર ચડી અને એસ્ટનનું ટેડી તેને પરત કર્યું. બીજી વાર પોતાનું ફેવરિટ ટેડી પરત મળતા એસ્ટન ખુશ થઈ ગયો. કેપ કોરલ પોલીસ ડિપાર્ટમેન્ટે આ સ્ટોરીને સોશિયલ મીડિયા પર પબ્લિશ કરી છે.

Read More

યસ બેંકના ફાઉંડર રાણા કપૂર હાલ ઈડીની ધરપકડમાં છે. તેની સાથે સતત પૂછપરછ થઈ રહી છે. આ પૂછપરછમાં એક એક પેન્ટીંગનો પણ ઉલ્લેખ થયો હતો, જેને લઈ ભાજપે કોંગ્રેસનો ઘેરવાનું શરૂ કર્યું હતું. આ પેન્ટીંગ સાથે પ્રિયંકા ગાંધીને જોડીને ભાજપ પ્રહારો કરતું આવ્યું છે. જો કે, હવે આ પેન્ટીંગને લઈ નવો ખુલાસો થયો છે. હકીકતમાં જોઈએ તો, આ પેન્ટીંગ પ્રિયંકા ગાંધીએ બનાવ્યું નથી, પણ તેના કલાકાર એમએફ હુસૈન છે, અને તેમા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનું ચિત્રણ કરાયુ છે. હુસૈને આ પેન્ટીંગ બનાવી ગાંધી પરિવારને ભેટ આપ્યું હતું. ત્યારથી આ પેન્ટીંગ ગાંધી પરિવાર પાસે હતું. 2010માં પ્રિયંકા ગાંધીએ આ પેન્ટીંગની હરાજી…

Read More

રામપુરના છેલ્લા નવાબની સંપત્તિ પર તેમના 16 વારસદારો મિટ માંડીને બેઠા હતા. આ સંપત્તિની વહેંચણી માટે નવાબનો સ્ટ્રોંગ રૂમ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાં તે સમયના નવાબના શાહી ખજાનો હોવાના દાવાઓ કરવામાં આવતા હતા.શનિવારના રોજ જ્યારે આ સ્ટ્રોંગરૂમને ખોલવામાં આવ્યો ત્યારે સૌ કોઈની આંખો પહોંળી થઈ ગઈ હતી. સ્ટ્રોંગ રૂમાં ખોદ્યો ડુંગરને નિકળ્યો ઉંદર જેવી સ્થિતી થઈ હતી, જેમાં કશું જ નહોતું, આ સ્ટ્રોગ રૂમ એકદમ ખાલી હતો. રામપુરની રિયાસતના છેલ્લા નવાબ રજા અલી ખાનની સંપત્તિની વહેંચણીની પ્રક્રિયા હાલ ચાલી હી છે. જેને લઈ તેમના ખાનદાનના વારસદારો વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. હકીકતમાં જોઈએ તો, રામપુરની રિયાસતના છેલ્લા નવાબ…

Read More

ભારતમાં કોરોના વાઈરસ અસરગ્રસ્ત પીડિતોની સંખ્યા વધી રહી છે. કોરોના વાઈરસને લીધે દેશમાં ઘણા હોળી સેલિબ્રેશનના પ્રોગ્રામ પણ કેન્સલ થયા છે. વર્લીમાં હોલિકા દહન માટે કોરોનાસુરનું પૂતળું લગાવ્યું છે. વર્લીમાં કોરોના વાઈરસની થીમ પર પૂતળું લગાવ્યું છે. હોલિકા દહન પર આ પૂતળાંને સળગાવવામાં આવશે. પૂતળા પર મોટા અક્ષરે COVID-19 એટલે કોરોનાવાઈરસ લખેલું છે. તેણે હાથમાં પકડેલી સૂટકેસ પર આર્થિક મંદી લખેલું છે. આ પૂતળું 50 ફુટ ઊંચું છે. ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાઇરસના ભારતમાં અત્યાર સુધી 43 કેસ સામે આવી ચૂક્યા છે. આ કેસ મોટાભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, કેરળ અને જમ્મુ-કાશ્મીરના છે.

Read More

‘નસીબ તો તેનું પણ હોય છે, જેના હાથ હોતા નથી’-કેરળની 28 વર્ષીય જીલુમલ મેરિયટ થોમસ દેશની પ્રથમ મહિલા ડ્રાઈવર બની છે, જેઓ હાથ વિના કાર ડ્રાઈવ કરે છે. વર્ષ 2018માં તેને કોર્ટના આદેશ પર લાઈસન્સ મળ્યું હતું. જીલુમલ ડ્રાઈવિંગ માટે પોતાના બે પગનો ઉપયોગ કરે છે. જીલુમલ થેલિડોમાઈડ સિન્ડ્રોમથી પીડિત છે. આ બીમારીને કારણે બાળકોના હાથ-પગનો વિકાસ નોર્મલ થતો નથી. જીલુમલ ગ્રાફિક ડિઝાઈનર છે. તેના પિતા ખેડૂત અને માતા હાઉસવાઈફ છે. બાળપણથી તેને કાર ચલાવવાનો શોખ હતો. તેણે ડિઝાઇનિંગની સાથે ડ્રાઈવિંગ પણ શીખ્યું. વર્ષ 2014માં તે પ્રથમવાર આરટીઓ ઓફિસમાં ડ્રાવિંગ લાઈસન્સ બનાવવા માટે ગઈ, પણ ત્યારે તેને અધિકારીઓએ લાઇસન્સ માટે…

Read More

વલસાડમાં સ્ટેડિયમ રોડ ઉપર ભરાતી રવિવારી બજાર ને બંધ કરાવવા નું માંગ સાથે આજરોજ વેપારીઓ મોટી સંખ્યા મા વલસાડ નગરપાલિકા પોહચી પ્રમુખ પંકજ આહિર ને આવેદન પત્ર પાઠવી રજૂઆતો કરી હતી રવિવારી બજાર બંધ કરવવા મામલે તેઓએ વિસ્તૃત રજુઆત કરી હતી જેમાં મંદી ના સમય માં પોતાના ધંધાને પડતી અસર સહિત ટ્રાફીક જામ ની સમસ્યા અને ૧૦૮ એમ્બ્યુલન્સ માં આવનાર દર્દી ઓને પડતી તકલીફ અંગે ના કારણો રજૂ કર્યા હતા તેઓ એ રવિવારી બજાર ને અન્ય ચોકસ જગ્યા ફાળવવા માટે માંગ કરી હતી અને જો તેમ નહિ થાય તો સ્ટેડિયમ રોડ ના વેપારીઓ દ્વારા આગામી દિવસોમાં બંધ પાડી આંદોલન કરવાની…

Read More