‘હાઉસફુલ’ ફ્રેન્ચાઇઝી ફોર્સ્ડ એટલે કે થોપી હોય એવી કોમેડીની કેટેગરીમાં આવે છે. ‘ગોલમાલ’ અને ‘ધમાલ’ ફ્રેન્ચાઇઝી પણ એ જ લીગની ફિલ્મ છે. આવા પ્રકારની ફિલ્મોમાં ધડ માથા વગરની સ્ટોરી અને ઓવર ધ ટોપ એક્ટિંગ મેથડથી કલાકાર હસાવવાની કોશિશ કરે છે. આ બધું કરવા માટે પણ ઘણા એફર્ટની જરૂર પડે છે. અમુક વાતો જે ફિલ્મના ફેવરમાં નથી ‘હાઉસફુલ 4’ પાસે આશા વધુ હતી. ‘ટોટલ ધમાલ’ની સરખામણીએ આમાં વીએફએક્સ પર વધારે ખર્ચ થયો હતો. સિતમગઢ, માધવગઢ જેવા કાલ્પનિક વિસ્તારમાં મહેલ અને હવેલીઓ મારફતે સ્ટોરી 600 વર્ષ પહેલાં જાય છે. ત્યારના માહોલને આબેહૂબ બતાવવા માટે સ્પેશિયલ ઇફેક્ટ્સવાળી ટીમની મહેનત દેખાઈ છે. પ્રોબ્લેમ સ્ટોરી,…
કવિ: Satya Day News
ગુજરાતમાં સંભવિત ત્રાટકનાર વાવાઝોડા ‘‘ક્યાર’ની અસરને પગલે અરબી સમુદ્રમાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાના પગલે ઓખા અને બેટદ્વારકા વચ્ચેની ફેરી સર્વિસ બંધ કરવામાં આવી છે. ઓખાથી બેટદ્વારકા વચ્ચે દરરોજ ફેરી સર્વિસ ચાલે છે. પરંતુ સંભવિત વાવાઝોડાના કારણે ફેરી સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વાવાઝોડું ‘ક્યાર’ દરિયામાં સક્રિય થતાં અરબી સમુદ્રમાં 100-130 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેને પગલે સરકારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
કમલેશ તિવારીનાં પત્ની કિરણ તિવારીને હિંદુ સમાજ પાર્ટીની નવી અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. હિંદુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યા 18 ઓક્ટોબરે બહુ નિર્દયી રીતે લખનૌમાં કરવામાં આવી હતી. ત્યારબાદથી કિરણ તિવારીએ પતિની જવાબદારી સંભાળી લીધી છે. કમલેશ તિવારી લખનૌમાં હતા એ દરમિયાન જ મળાવાનું બહાનું કાઢી અશફાક અને મોઈનુદ્દીન કમલેશ તિવારીના ઘરે પહોંચ્યા અને ચપ્પાથી ખૂબજ નિર્દયી રીતે હત્યા કરી. પતિની હત્યા બાદ કિરણ તિવારી સીએમ યોગી આદિત્યનાથને મળ્યાં અને હત્યારાઓને ફાંસીની સજા આપવાની માંગણી કરી. હિન્દુ સમાજ પાર્ટીએ શનિવારે લખનૌના યૂપી પ્રેસ ક્લબમાં 2 થી 4 વાગ્યા દરમિયાન એક પ્રેસ કૉન્ફરન્સ બોલાવી છે જેને કિરણ તિવારી સંબોધિત કરશે.…
ભારતીય મૂળની એસ્ટ્રોનોટ કલ્પના ચાવડા મૃત્યુ પામી તેને 16 વર્ષ થઇ ગયા પરંતુ આજે પણ તે લોકો માટે અને ખાસ કરીને છોકરીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે. પોતાની દીકરીને યાદ કરીને કલ્પનાના પિતા બનારસી લાલે તેની જિંદગીને મોટા પડદે જોવાની ઈચ્છા જતાવી છે. દીકરીના નામથી લોકો ઓળખે છે એક ઇન્ટરવ્યૂમાં બનારસી લાલે કહ્યું, મને ગર્વ છે કે મારી દીકરીનું જીવન અને તેની ઉપલબ્ધીઓ ઘણા લોકોને પ્રેરિત કરે છે. લોકો મને મારી દીકરીના નામથી ઓળખે છે, લોકો એમ નથી કહેતા કે આ બનારસી લાલ છે, તેઓ મને કલ્પનાના પિતાના નામથી જ ઓળખે છે. 2003માં નિધન થયું હતું કલ્પના ચાવડાનો જન્મ 1961માં થયો…
દેશમાં પ્રથમવાર સિસ્ટિક હાયગ્રોમા (એક પ્રકારની ગાંઠ)નું ઓપરેશન રાજસ્થાનના બુંદી શહેરમાં સરકારી હોસ્પિટલમાં કરવામાં આવ્યું. આ ઓપરેશન કરનાર સિનિયર સર્જન ડો. અનિલ સૈનીએ જણાવ્યું કે, બે વર્ષની બાળકીના હાથની સર્જરી સફળ રહી. દુનિયામાં અત્યાર સુધી આ પ્રકારના માત્ર 7 ઓપરેશન જ રેકોર્ડેડ છે. આપણા દેશમાં થયેલ આ પ્રથમ ઓપરેશન છે. લિમ્ફેટિક સિસ્ટમમાં એબનોર્મલ ડેવલોપમેન્ટને કારણે આ બીમારી થાય છે, તેમાં ગાંઠ ધીમે-ધીમે મોટી થઈ જાય છે, હાથ કામ કરવાનું બંધ કરી છે અને કાળો પડી જાય છે. બૂંદી શહેરના કેશવપુરા ગામની બે વર્ષની ખુશીના ડાબા હાથમાં કાંડા અને કોણી વચ્ચે 16.50 સેન્ટિમીટરની ગાંઠ હતી, જે જન્મજાત હતી. આ ગાંઠ ધીમે-ધીમે…
કેલિફોર્નિયા પ્રાંતના ગવર્નર ગેવિન ન્યુસમે શુક્રવારે લોસ એન્જેલસ અને સોનોમા ક્ષેત્રમાં લાગેલી ભીષણ આગની અસર અને જોખમને ધ્યાનમાં રાખી રાજ્યમાં ઈમર્જન્સી જાહેર કરી છે. કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આ આગ 5,000 એકર કરતા વધારે વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. બીજીબાજુ સોમવારે લોસ એન્જેલસથી 65 કિમી દૂર સેન્ટા ક્લેરિટામાં પણ આગ લાગી હોવાના અહેવાલ છે. ન્યૂસમે કહ્યું હતું કે હું લોસ એન્જલસ અને સોનોમા ક્ષેત્રમાં લાગેતી આગની ભીષણતાને જોતા ઈમર્જન્સીની જાહેરાત કરું છે. સમાચાર એજન્સીના અહેવાલ પ્રમાણે અત્યાર સુધીમાં 500 જેટલા ઘર સળગી ગયા છે અને અનેક ઘર ક્ષતિગ્રસ્ત થયા છે. એક મહિલાનું દાઝી જવાથી મૃત્યુ થયું આ અગાઉ અધિકારીઓએ જણાવ્યું હતું કે…
હનુમાનજી- ભૈરવ-મહાકાળીની ઉપાસના, મંત્રસિદ્ધિ-યંત્રસિદ્ધિની સાધના થશે દિવાળીના તહેવારો ઉલ્લાસપૂર્વક આગળ ધપી રહ્યા છે. વાઘ બારશ-ધન તેરસની આસૃથા-ઉલ્લાસપૂર્વક ઉજવણી બાદ હવે આજે કાળી ચૌદશ છે. આ વખતે કાળી ચૌદશ અને શનિવારનો ઉત્તમ સંયોગ સર્જાયો છે. કાળી ચૌદશના હનુમાનજી-શનિ મહારાજ, મહાકાળી, ક્ષેત્રપાળ-ભૈરવની ઉપાસના માટે ઉત્તમ દિવસ છે. કાળી ચૌદશે હનુમાનજીના મંદિરોમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. શાસ્ત્રવિદોના મતે કાળી ચૌદશે શક્તિના કાળી રૂપને પૂજવામાં આવે છે તેમજ આ દિવસ તંત્ર-મંત્રની ઉપાસના માટે ઉત્તમ ગણવામાં આવે છે. આજના દિવસે અનેક લોકો ઘરમાંથી કકળાટ કાઢે છે એવું કહેવામાં આવે છે કે આજના દિવસે કરેલી મંત્ર-તંત્રની પૂજામાં ઘણી શક્તિ છે અને તેનાથી વ્યક્તિમાં આંતરિક શક્તિનો…
શહેરના સગરામપુરા વિસ્તારમાં ચામુંડા રેસ્ટોરન્ટની બાજુમાં આવેલા શ્યામ ચેમ્બર્સમાં ત્રીજા માળે એલઆઇસી એજન્ટ નરેશ બાબુભાઇ કાકડીયાની ઓફિસમાં તસ્કરો ત્રાટકયા હતા. ગત રોજ ઓફિસ આસીસટન્ટ આકાંક્ષા ટુંડીવાલા ઓફિસને બંધ કરીને ગયા બાદ આજે સવારે રાબેતા મુજબ ઓફિસ ખોલી હતી. તે દરમ્યાન કલેકશન બોય મીતેશ દિલીપ ઠાકોર (રહે. ઓમ સાંઇ શ્રી જલારામ નગર, ઉધના) પાછળના ભાગે આવેલી એજન્ટ નરેશભાઇની ઓફિસમાં ગયો હતો ત્યારે સરસામાન વેરવિખેર હતો અને સીસીટીવી કેમેરાની તોડફોડ અને ડી.વી.આર નજરે ન્હોતા પડતા તુરંત જ એજન્ટને જાણ કરી હતી. જેથી નરેશભાઇ તુરંત જ દોડી આવ્યા હતા અને ટેબલના ખાનામાં મુકેલા રોકડા રૂા. 50 હજાર પણ ગુમ હતા. જેની જાણ થતા…
એવી લોકમાન્યતા છે કે, કાળી ચૌદશના દિવસે તાંત્રિક વિદ્યાને જાણનાર લોકો આ રાત્રિએ સ્મશાનમાં જઇ ભૂત, ભૈરવની પૂજા કરતા હોય છે. કાળી ચૌદશને રૃપ ચૌદશ, નરક નિવારણ ચૌદશના નામે પણ ઓળખવામાં આવે છે. કાળીચૌદશના દિવસે લોકો વહેલા ઘરે પહોંચ્યા પછી તે દિવસની રાત્રિએ ઘરેથી બહાર નીકળવાનું ટાળતા હોય છે. કાળીચૌદશના દિવસે લોકોમાં ભૂત- પ્રેત અને તાંત્રિક વિદ્યાનો ઘણો ડર જોઇ શકાતો હોય છે. એક પરંપરા મુજબ કાળીચૌદશની રાત્રિનાં પહેલા પ્રહરે ઘરમાં ગયા વર્ષથી રહી ગયેલા ક્લેષ, કંકાશ, કકળાટને વડા અને ભજિયાના રૃપે ચાર રસ્તાએ મૂકીને કંકાશને કાઢવાનો એક રિવાજ પણ છે. આજે વાત કરીએ અમદાવાદના એક જાણીતા વિસ્તારની જ્યાં ૧૦૦…
ઇલેકટ્રોનિકસના ધંધામાં બે ભાગીદારો માર્કેટમાંથી રૂા. 60 લાખનો સરસામાન પેમેન્ટ નહિ ચુકવી વિશ્વાસઘાત કરતા અને લેણદાર વ્યાપારીઓ દ્વારા પેમેન્ટની ઉઘરાણી કરતા નાસીપાસ થઇ જનાર વેસુના વ્યાપારીએ ગત જુલાઇ માસમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીઘો હતો. આ પ્રકરણમાં ઉમરા પોલીસે આપઘાતની દુષ્પ્રેરણા આપનાર બે પૈકીના એક ભાગીદારની ધરપકડ કરી છે. વેસુના સનસાઇન એપાર્ટમેન્ટમાં રહેતા મનોજ રાજેન્દ્ર સૈની વિશાલ ધર્મચંદ નાહટા અને મનસુખ પયાજરા સાથે ન્યુ વિશાલ ઇલેક્ટ્રીક નામે વેસુના સોમેશ્વરા સર્કલ ખાતે ભાગીદારીમાં ધંધો કરતો હતો. વર્ષ 2018 ના ડિસેમ્બર મહિનામાં મનસુખ પયાજરાની દિકરીના લગ્ન હોવાથી મનોજ સૈનીના નામનો ચેક આપી માર્કેટમાંથી રૂા. 50 થી 60 લાખનો ઇલેકટ્રોનિકસનો સામાન ખરીદયો…