છેલ્લાં એક સપ્તાહથી ગુમ વૃષ્ટીએ અંતે તેની માતાને ઈમેઈલ કર્યો છે. મેઈલમાં વૃષ્ટીએ જોબ મળી ગઈ હોવાનો ઉલ્લેખ કર્યો છે, સાથે જ માફી પણ માગી છે. વૃષ્ટીએ મેઈલમાં લખ્યું છે કે કંઈક એવી વાત હતી જેની સાથે જીવી શકું તેમ ન હતું, માતા-પિતા વિદેશ ગયા બાદ ખોટો અનુભવ થયો હતો જે જણાવ્યા છતાં ન્યાય ન મળી શક્યો હોત, જેથી આ રસ્તો અપનાવ્યો. વૃષ્ટીએ વધુમાં લખ્યું કે પપ્પા કાયમ મારી સાથે છે, એક દિવસ ખ્યાલ આવશે કે આવું પગલું કેમ ભર્યુ હતું. જો કે મેઈલમાં તેને શિવમ બાબતે કોઈ જ ઉલ્લેખ કર્યો નથી. ત્યારે પોલીસે આઈપી એડ્રેસ પરથી આ મેઈલ ક્યાંથી…
કવિ: Satya Day News
ઑલ્ટ બાલાજીની વેબ સીરીઝ ‘ગંદી બાત 2’ની રિલિઝ બાદ અભિનેત્રી અન્વેશી જૈનને બિલકુલ અંદાજ ન હતો કે તે તેની કરિયરમાં આટલો મોટો વળાંક આવશે. હકીકતમાં આ વેબ સીરીઝમાં અન્વેશી ખૂબ જ બોલ્ડ અવતારમાં નજરે આવી. તેની બોલ્ડનેસની એટલી ચર્ચા છે કે આ વર્ષે જાન્યુઆરીમાં તે સૌથી વધુ સર્ચ કરવામાં આવનાર હસ્તી હતી. ડેટા એનાલિટિક્સ એજન્સીના આંકડા અનુસાર અન્વેશી જાન્યુઆરી મહિનામાં સૌથી વધુ ગુગલ કરવામાં આવનાર વ્યક્તિ બની ગઇ છે. અન્વેશીએ જાન્યુઆરી મહિનામાં ડેસ્કટૉપ પર 20 મિલિયન સર્ચ ઇમ્પ્રેશનને હાંસેલ કર્યો જ્યારે મોબાઇલ ફોન પર તેને 10 મિલિયન વાર સર્ચ કરવામાં આવી હતી. એન્વેશી એક્ટિંગ ઉપરાંત સોશિયલ મીડિયા પર ખૂબ જ…
સચીન જીઆઇડીસીના એબીસી સિન્થેટીકસ પ્રા. લિમીટેડ નામના કારખાનામાં ત્રાટકી એકટીવા અને પરચુરણ સામાન ચોરી કરનાર ચોર સીસીટીવીમાં કેદ થઇ જતા પોલીસે ફુટેજ મેળવી તપાસ હાથ ધરી છે. સચીન જીઆઇડીસીના રોડ નંબર 62ના ખાતા નંબર 6226માં આવેલા એબીસી સિન્થેટીકસ પ્રા. લિમીટેડ નામના કારખાનામાં શનિવારે તસ્કરો ત્રાટકયા હતા. મુંબઇ રહેતા કારખાના માલિક અશ્વીન મોદી ગત રોજ સુરત આવવાના હોવાથી મેનેજર વિશાલ સુરેશ બુડગુજર (રહે. ગાંધીકુટીર સોસાયટી, ચીકુવાડી, ઉધના) કારખાનામાં ઇકો કાર લેવા ગયા ત્યારે કારખાનાનું મેઇન શટર થોડું ખુલ્લું હોવાથી ચોંકી ગયા હતા અને તુરંત જ અંદર જઇને જોતા કારખાનાની ઓફિસના ટેબલના ખાના ખુલ્લા હતા. પરંતુ તેમાં એક પણ કિંમતી વસ્તુ નહિ હોવાથી તસ્કરોને…
બાઇકમાંથી જો પેટ્રોલ અને મેઇન્ટેનન્સનો ખર્ચ નીકળી જાય તો..? અને આખો દિવસ બાઇક ચલાવો તો ખર્ચો ૧૫થી ૨૦ રૃપિયામાં પતિ જાય એવુ બને? હા, રાજસ્થાનના બે ભાઇઓએ મળીને એક એવી ઇલેક્ટ્રીક સ્કૂટી બનાવી છે. જેઓ રાજસ્થાનથી આ સ્કૂટી ચલાવીને સુરત આવ્યા છે અને તેનો ખર્ચ થયો છે, માત્ર રૃ.૧૩૦. રાજસ્થાનનાં રાજસમંદ શહેરના રાહુલ ખંડેલવાલ અને રાઘવ ખંડેલવાલે આજથી અઢી વર્ષ પહેલા સ્કૂટી બનાવવાની શરૃઆત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર સ્કૂટીની પાવરફુલ બેટરીના કારણે અઢી કલાકની ચાર્જ બેટરીથી ૮૦ કિલોમીટર સ્કૂટી ચાલશે. ૬૫ કિમી પ્રતિકલાકની સ્પીડ છે. સ્પીડ, પીકઅપ આ બધાને કન્ટ્રોલ પણ કરી શકાય છે. પાંચ વર્ષમાં એક લાખ કિમી…
નવરાત્રીના દિવસે લોકો દેવીપૂજામાં લીન થાય છે. આ તહેવાર પર એક તરફ પૂજા કરવામાં આવે છે અને બીજી બાજુ તાંત્રિક જાદુ, સિધ્ધિ મેળવવા માટે પણ દેવીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે નવરાત્રી પર ઝારખંડમાં ભૂતનો મેળો પણ છે. હા, આજ સુધી આપણે ઘણા મેળાઓના નામ સાંભળ્યા છે, જેમાં સાપ મેળો, બળદનો મેળો વગેરે શામેલ છે, પરંતુ ઝારખંડમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં ભૂત મેળો પણ યોજાય છે. વહીવટી તંત્ર પણ આ મામલે મૌન રહે છે. તે સ્થાન ઝારખંડના પલામુ જિલ્લાના હૈદરનગરમાં આવેલું છે. દર વર્ષે નવરાત્રી નિમિત્તે, સેંકડો લોકો ભૂત-પ્રેતથી મુક્તિ મેળવવા માટે આ સ્થળોએ…
કથિત રીતે ચહેરા પર 50 પ્લાસ્ટિક સર્જરી કરાવીને હોલિવુડ સ્ટાર એન્જલિના જોલી જેવો ચહેરો બનાવવાથી ચર્ચામાં આવેલી ઈરાનની ઇન્સ્ટાગ્રામ સ્ટાર સહર તબારની ધરપકડ કરવામાં આવી છે. ઈરાનની ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે તેના પર ઇશનિંદા અને હિંસા ભડકાવવાનો આરોપ છે. સહરની ચર્ચા ત્યારે થઇ હતી જ્યારે તેનો એક ફોટો આંતરરાષ્ટ્રીય સ્તરે વાયરલ થઇ ગયો હતો. કોણ છે ફોટોશોપની કમાલથી વાયરલ બનેલી સહર ? સહર વિશે એવું કહેવાય છે કે એન્જલિના જોલી જેવી દેખાવા માટે તેણે 50 પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. જોકે મોટાભાગના તેના ઇન્સ્ટાગ્રામના ફોટા પર ફોટોશોપ એડિટીંગ કરવામાં આવેલું છે. 22 વર્ષની સહર એન્જલિના જોલીના એક ઝોમ્બી જેવા દેખાતા ફોટોથી…
દિવાળી અને છઠ પર લોકો તેમના ઘરે જાય છે. આ દિવસોમાં ટ્રેનની ટિકિટ લેવા લોકોની પડાપડી હોય છે, જેના કારણે ઘણી વખત મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળતાં જનરલ ટિકિટ લેવી પડે છે. જનરલ ટિકિટ લેનારા લોકોની સંખ્યા ખૂબ વધારે હોય છે, આ કારણે લોકોને લાંબી લાઇનમાં લાગવું પડે છે. પરંતુ હવે જનરલ બોગીની ટિકિટ મેળવવા માટે ટિકિટ કાઉન્ટરની બહાર લાંબી લાઇનોમાં ઊભા નહીં રહેવું પડે. હવે તમે તમારા મોબાઇલથી ખૂબ જ સરળતાથી ટિકિટ ડાઉનલોડ કરી શકશો. તાજેતરમાં ભારતીય રેલવેએ એક નવી એપ્લિકેશન શરૂ કરી છે. આ એપ્લિકેશનમાં ટિકિટ બુક કરવાની અને રદ કરવાની સુવિધા છે. રેલવે મંત્રાલયે આ સંદર્ભમાં એક નિવેદન…
રામાયણ અને શ્રીરામચરિત માનસ સિવાય શ્રીરામ અને રાવણ સાથે જોડાયેલી અનેક લોક કથાઓ પણ પ્રચલિત છે. એક કથા રાવણ અને શનિદેવ સાથે જોડાયેલી છે. જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે જ્યારે રાવણે પુત્ર મેઘનાદનો જન્મ થવાનો હતો, ત્યારે તેણે બધા ગ્રહોને શુભ અને સર્વશ્રેષ્ઠ સ્થિતિમાં રહેવાનો આદેશ આપ્યો હતો. તે સમયે શનિદેવ સિવાય અન્ય બધા જ ગ્રહો રાવણની ઇચ્છા પ્રમાણે તે સ્થિતિમાં રહ્યાં હતાં. રાવણ એ વાત જાણતો હતો કે શનિ આયુના દેવતા છે અને સરળતાથી મેઘનાદ માટે તેઓ શુભ યોગ બનાવશે નહીં. શનિદેવએ મેઘનાદના જન્મ સમયે એવો યોગ બનાવ્યો હતો, જેના કારણે મેઘનાદ લક્ષ્મણના હાથે માર્યો ગયો હતો. જ્યારે રાવણ…
સમગ્ર વિશ્વની પંચાયત ગણાતુ યુનાઈએડ નેશન્સ પણ પૈસાની તંગી સામે ઝઝુમી રહ્યુ છે. યુએનના મહાસચિવ એન્તોનિયો ગુતારેસે કહ્યુ છે કે, સંયુક્ત રાષ્ટ્ર પાસે 23 કરોડ ડોલર કેશ ખૂટી રહી છે અને ઓક્ટોબરના અંત સુધીમાં યુએન પાસે એક પણ ડોલર બચ્યો નહી હોય. ગુતારેસે યુએનમાં કામ કરનારા કર્મચારીઓનેલ ખેલા પત્રમાં કહ્યુ છે કે, કર્મચારીઓનો પગાર કરવા માટે તેમજ બીજા ભથ્થા આપવા માટે વધારાના પગલા ભરવામાં આવશે. તેમનુ કહેવુ છે કે, યુએનના સભ્ય દેશોએ 2019 માટે જરૂરી બજેટના માત્ર 70 ટકા રકમ જ ચુકવી છે.જેના કારણે સપ્ટેમ્બર મહિનામાં યુએનને 23 કરોડ ડોલર ઓછા પડ્યા છે. આ મહિનાના અંત સુધીમાં યુએન પાસે કેશ…
સ્માર્ટફોન કંપનીઓમાં ઘણીવાર બીજી કંપનીઓમાંથી ફિચર કોપી કરવાના આરોપો લાગતાં રહે છે. ફિચર કોપી કરનાર કંપનીઓમાં નવું નામ એપલનુંછે. બ્લૂમેલ બનાવનાર કંપની Blixએ આરોપ લગાવ્યો છે કે, એપલે iOS 13માં આપવામાં આવેલ ‘Sign in with Apple’ ફિચરને કોપી કર્યું છે. બ્લિક્સનો આોપ છે કે, એપલનું આ ફિચર તેના દ્વારા ફાઈલ કરવામાં આવેલ એક પેટન્ટથી ખાસ્સું મળતું આવે છે. એપલે આ ફિચરને સૌથી પહેલાં WWDC 2019માં રજૂ કર્યું હતું. iOS 13ને ખાસ બનાવે છે આ ફિચર iOS 13માં આપવામાં આવેલ આ ખાસ ફિચરની વાત છે કે, યુઝર્સ તેનાથી પોતાનું અસલી ઈમેઈલ આઈડી એન્ટર કર્યા વગર એપ્સમાં સાઈન ઈન કરી શકે છે.…