પાર્ટી ડ્રગ્સ એમ્ફેટામાઇન ડ્રગ્સ સાથે મહિલા સહિત 2 લોકોની એસઓજી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે તેઓ પાસેથી 19 ગ્રામ જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. એસઓજી ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, જમાલપુરમાં રહેતો નાસીરહુસેન શેખ ડ્રગ્સ લઈ અમદાવાદ આવી રહ્યો છે. જેના આધારે એસઓજીની ટીમે રામોલ બરોડા એક્સપ્રેસ વે પર વોચ ગોઠવી હતી. નાસીર હુસેન સાથે એક મહિલા પણ આવી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી હતી. મહિલાની પૂછપરછ કરતા તેનું નામ નીલમ ઉર્ફે નેહા ઉર્ફે ઝોયા પરમાર (રહે. જમાલપુર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેની તપાસ કરતા નીલમ પાસેથી પાર્ટી ડ્રગ્સ એમ્ફેટામાઇન મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ કબ્જે કરી…
કવિ: Satya Day News
નવરાત્રિના આઠમા દિવસે દેવી મહાગૌરીની આરાધના કરવામાં આવે છે. દેવી શ્વેત વર્ણવાળી છે અને તેમનું વાહન વૃષભ છે. ચાર હાથોવાળી દેવી પોતાના જમણા હાથમાંથી એક હાથમાં ત્રિશૂળ ધારણ કરે છે અને બીજો હાથ અભય મુદ્રામાં છે. તેમના ડાબા હાથમાંથી એક હાથમાં ડમરું અને બીજો હાથ વરદ મુદ્રામાં છે. એવું માનવામાં આવે છે કે તેઓ રાહુ ગ્રહનું સંચાલન કરે છે. ભય, નિરાશા અને ચિંતા દૂર કરે છે- માતા દુર્ગાનું આઠમું રૂપ મહાગૌરીનું છે. તેમની પૂજા કરવાથી ગ્રહદોષ દૂર થાય છે. વિધિપૂર્વક તેમનું સ્મરણ અને પૂજન કરવાથી વેપાર, દાંપત્ય જીવન, સુખ-સમૃદ્ધિ, ધન વગેરેમાં વધારો થાય છે. જે લોકોને અભિનય, ગાયન, નૃત્ય વગેરે…
નરોડા નેશનલ હેન્ડલુમ પાસે રોંગ સાઈડમાં આવતા બાઈક ચાલકને રોકી તેઓને દંડ ભરવાનું કહેતા બાઈક પર સવાર બે સગા ભાઈઓએ પીએસઆઈ પર હુમલો કરી તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બંને ભાઈઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રોબેશન પીએસઆઈ જે જી કામળીયા અને સ્ટાફ નરોડા બેઠક પાસે વાહન ચેકીંગ કરી રહ્યા હતા. દરમ્યાનમાં બેઠક ત્રણ રસ્તાથી નેશનલ હેન્ડલુમ તરફ રોંગ સાઈડમાં એક બાઈક પર બે શખ્સ આવ્યા હતા. જેથી પોલીસે તેઓને રોક્યા હતા. નિયમ ભંગ બદલ દંડ ભરવાનું કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. તમે કઈ રીતે દંડ ભરાવો છો જોવું છું. તમારા…
આજથી હજારો વર્ષો પહેલાં ધરતી પર ઘણાં એવા જીવ-જંતુ છે, જે વિશાળકાય હોય છે. સાથે સાથે તેમની ખૂબીઓ પર ઘણી હોય છે અને તેના કારણે જાણીતા બને છે. જોકે હવે તે ગાયબ થઈ ગયા છે, પરંતુ તેના હાડકાં અને અવશેષો સમય સમય પર મળતાં રહે છે. જે આપણી અંદર કૌતુહલ પેદા કરે છે. એક એવું વિલુપ્ત અને વિશાળકાય જાનવરનું બુલેટપ્રૂફ સુરક્ષા કવચ મળ્યું છે, જે 10 હજાર વર્ષ જૂનું હતું. અજેટિનાના ગ્રેટર બ્યૂનસ આયર્સના બેરિયો લા ફ્લેચામાં માછીમારના એક સમૂહે એક એવા બુલેટ પ્રૂફ સુરક્ષા કવચને શોધ્યું જે વર્ષો સુધી રેતીમાં દબાયેલું હતું. આ સુરક્ષા કવચ ગ્લાઈપ્ટોડોન્ટ પ્રજાતિ નામના જાનવરનું…
સુરતમાં એક અનોખો દસ્તાવેજ તૈયાર કરાયો છે. સુરતના વકીલ અરુણ લોહાટીએ તેમના અસીલ સંજય સુરાનાનો મિલ્કતનો દસ્તાવેજ કાપડ પર તૈયાર કર્યો છે. અગાઉ પણ અરૂણ લોહાટીએ સંસ્કૃત ભાષામાં મિલકતનો દસ્તાવેજ બનાવી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ દસ્તાવેજ તૈયાર કરતા બે મહિનાનો સમય લાગ્યો હતો. કાપડ પર દસ્તાવેજ તૈયાર કરવામાં ખાસ કાપડ અને ડિજિટલ પ્રિન્ટનો ઉપયોગ કરાયો છે. કાયદાકીય રીતે માન્યતા પ્રાપ્ત દસ્તાવેજ બનાવવા પ્રથમ જિલ્લા કલેકટરની મંજૂરી લીધા બાદ સબ -રજિસ્ટ્રારમાં તેની નોંધણી કરાવવામાં આવી હતી. આ મંજુરી પ્રક્રિયા માટે ચાર માસ જેટલો સમય લાગ્યો હતો. એક અંદાજ મુજબ દુનિયામાં પ્રથમ વખત કોઇ કાપડનો દસ્તાવેજ બનવવામાં…
કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે કહ્યુ કે, નાથૂરામ ગોડસે અંગે પીએમ મોદી અને અમિત શાહ ભાજપનું વલણ સ્પષ્ટ કરે. ભાજપ નાથૂરામ ગોડસેને રાષ્ટ્રવાદી કે હત્યારો સમજે છે?. જેથી આ મામલે પણ તેમણે સ્પષ્ટતા આપવી જોઈએ. નાથૂરામ ગોડસેએ મહાત્મા ગાંધીની ગોળીમારી હત્યા કરી હતી. ‘નાથુરામ ગોડસે દેશભક્ત કે હત્યારો ?’ દિગ્વિજયસિંહે કહ્યુ કે, ભાજપના નેતાઓ ગાંધીજીની 150મી જન્મજયંતીએ સંકલ્પ યાત્રા કાઢી રહ્યા છે. પરંતુ ભાજપે સ્પષ્ટ કરવુ જોઈએ કે, નાથૂરામ ગોડસે દેશભક્ત હતો કે, હત્યારો આ પહેલા પણ રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતે જણાવ્યુ હતુ કે, ભાજપ અને સંઘ ગાંધીજીના મુલ્યોનુ અપમાન કરી રહ્યા છે. ભાજપે દેશમાં ગાંધીના વિચાર અંગે ખોટી માહિતી ફેલાવી છે.…
ફરીદાબાદના એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી હતી. એક ખાનગી હેલિકોપ્ટરના પાયલટના માથા પર પાંખિયું ટકરાયું હતું. પરંતુ તે નસીબદાર હતો એટલે તરત છટકી ગયો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે. પાયલટ અગસ્ટા 109સી હેલિકોપ્ટરની સામે ઉભો જોઇ શકાય છે કારણ કે અંદરનો પાયલટ ઇગ્નીશન પ્રક્રિયા શરૂ કરી રહ્યો છે. બહારનાં પાયલોટને જ્યારે ખબર પડી કે તરત જ તે નીચે જુકી ગયો અને બચાવ માટે રોટર બ્લેડની નીચે બેસી ગયો. એક વખત તો પાંખિયું ટકરાઈ પણ જાય છે. પાયલોટની કપાળ પરની ટોપી પણ ઉડી જાય છે. આ ઘટના ફરીદાબાદના પાલી ગામની છે. આ વીડિયો ખુબ…
સુરત શહેરમાં માર્ગ અકસ્માતમાં ઈજા પામેલા બે વૃદ્ધોના સારવાર દરમિયાન ગઈકાલે રાત્રે મોત નીપજ્યા હતા. નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ઘોડદોડ રોડ પર શિવ એપાર્ટમેન્ટમાં રહેતા 70 વર્ષીય શ્યામસુંદર મદનલાલ કનોજીયા ગઈ તારીખ પાંચમી સવારે ઘર પાસે ગાયને રોટલી ખવડાવવા ગયા હતા. તે સમયે ઘર નજીક પૂરપાટ હંકારતા અજાણ્યા વાહન ચાલક તેમને ટક્કર મારી ભાગી ગયો હતો. તેમને ગંભીર ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે રાત્રે તેમનું મોત નીપજ્યું હતું. તેઓ મૂળ રાજસ્થાનના વતની હતા અને નિવૃત જીવન ગાળતા હતા. આ અંગે ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં ડિંડોલી વિસ્તારમાં…
કેન્દ્ર સરકારના નવા ટ્રાફિનના નિયમોના અમલીકરણની સમયમર્યાદા ફરીથી વધારવામાં આવી છે. તહેવારોને ધ્યાનમાં લઈને આ મુદ્દતમાં વધારો કરાયો છે. મોટર વ્હીકલ અધિનિયમ 2019ના અમલની સમય મર્યાદા હવે 30 ઓક્ટોબર સુધી કરવામાં આવી છે. નવા કાયદા હેઠળ વાહન ચાલકોને હેલ્મેટ પહે૨વાનું ફ૨જિયાત છે. ઉપરાંત PUC સહિતના દસ્તાવેજો સાથે રાખવાનો નિર્ણય અમલી બનાવવામાં આવ્યો હતો પરંતુ દંડની રકમને લઈને રાજ્યની પ્રજામાં જોવા મળી રહેલા રોષના પગલે રાજ્ય સરકારે હેલ્મેટ અને PUCના નિયમમાં 15મી ઓકટોબ૨ સુધીની રાહત આપી હતી. 15મી ઓકટોબ૨ની મુદતને હવે 10 દિવસ બાકી છે ત્યારે સ૨કારે સમીક્ષા કરી. 15મી ઓકટોબ૨ પછી દિવાળીના તહેવારોનો માહોલ હશે. આ સમયે નવા કડક કાયદાનો…
વૃષ્ટિ કોઠારીના ગાયબ થવાના મામલે પોલીસે વૃષ્ટિના માતા પિતા સહિત 10 લોકોના નિવેદન લીધા બાદ હવે વૃષ્ટિના ગાયબ થવાના પગેરાની શોધખોળ સોહા અલી ખાન સુધી પહોંચી શકે છે. વૃષ્ટિ મુદ્દે સોહા અલી ખાને જ ટ્વીટ કરી સમગ્ર ઘટના પ્રકાશમાં લાવી હતી. જે પછી પોલીસ પણ વૃષ્ટિની શોધખોળ કરવા માટે આકાશ-પાતળ એક કરી દીધા હતા. આ પહેલા શિવમના મિત્રોના નિવેદનમાં પોલીસે જણાવ્યું હતું કે, શિવમ ખૂબ જ ડિપ્રેસનમાં રહેતો હતો. જે પછી અમદાવાદ પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી મીડિયાને સમગ્ર માહિતી આપી હતી. અમદાવાદમાં વૃષ્ટિ અને શિવમ પટેલ મામલે અમદાવાદ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. ડીસીપી ઝોન-એકના પોલીસ અધિકારી પ્રવીણ માલે…