અભિનેત્રી ઝરીન ખાનનું કહેવું છે કે તે પોતાની ભૂલોને ધાકવાને બદલે ગર્વથી સ્વીકારે છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તેના પેટ પર સ્ટ્રેટ્ચ માર્ક છે, જેને લીધે ટ્રોલ કરવામાં આવ્યું હતું. તે પછી, ઝરીને કહ્યું, “જેમને મારા પેટમાં શું ખોટું છે તે જાણવાની ઉત્સુકતા હોય છે, તે પછી તે વ્યક્તિનું સામાન્ય પેટ છે જેણે તેનું વજન 15 કિલો ઘટાડ્યું છે.” જો ફોટોશોપ ન કરાય અથવા સર્જરી ન કરવામાં આવે તો તે વ્યક્તિનું પેટ ફોટામાં આજ રીતે દેખાશે. તેમણે કહ્યું, હું તે લોકોમાં છું જેઓ વાસ્તવિક દેખાવા માંગે છે અને ગૌરવ સાથે તેમની ભૂલો સ્વીકારે છે.તેની આગામી…
કવિ: Satya Day News
પ્રેમની કોઇ ભાષા નથી હોતી અને તેને દેશ, ધર્મ કે સમયના સિમાડાઓ નડતા નથી. કેટલાક પ્રેમીઓ ઇતિહાસના પાના પર અમર થઇ ગયા છે. હીર-રાંઝા, લૈલા-મજનુ, શીરી ફરહાદ, રોમીયો જુલીયેટ, આ બધાનો પ્રેમ અમર થઇ ગયો છે. લોકો આજે પણ તેમની પ્રેમ કથાઓ વાંચે, સાંભળે અને જુએ છે. પ્રેમની દુનિયામાં એક કવિયત્રીનું નામ પણ સુવર્ણ અક્ષરે લખાયેલું છે અને તે છે અમૃતા પ્રિતમ. 31 ઑગષ્ટ 1919નાં રોજ પંજાબનાં ગુજરાનવાલામાં જન્મેલા અમૃતાનું બાળપણ લાહોરમાં વિત્યું હતુ અને તેમણે ત્યાં જ શિક્ષણ લીધું હતુ. તેમને બાળપણથી લખવાનો શોખ હતો. માનવામાં આવે છે કે તેઓ પંજાબી ભાષાનાં પ્રથમ કવિયત્રી હતા. સમયથી આગળનાં વિચારો રાખનાર…
અરવલ્લીમાં મેઘરાજાએ સવારથી માઝા મૂકી છે. આજે અરવલ્લી પંથકમાં વહેલી સવારથી મેઘરાજા ધીમી ધારે સતત વરસી રહ્યા છે. અરવલ્લીના વિસ્તારોની વાત કરીએ તો હાલ મોડાસા, ભિલાડા, હિંમતનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આજે સવારથી અરવલ્લીનાં મોડાસાનાં ગ્રામ્યપંથકમાં સતત 3 કલાકથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સરડોઈ, ટીટીસર, સજાપુર સહિતનાં વિસ્તારોમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. અવલ્લીના મોડાસામાં ભારે વરસાદને લઈને રોડ રસ્તા બંધ થઇ ગયા છે. અરવલ્લીના દઘાલિયા પાસે મોતીપુર રોડ પરનો કોઝ-વે પર પાણી ફરી વળ્યા છે. આજે પડેલા ભારે વરસાદના કારણે 15થી વધુ ગામમાં અવર જવર માટે રસ્તો બંધ થઇ ગયો છે. મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં ખાબકેલા વરસાદથી…
પાકિસ્તાનમાં શીખ યુવતીનું અપહરણ કરી તેને જબરદસ્તીથી ઈસ્લામ ધર્મ કબુલ કરાવવાના મામલે હવે મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ શીખ યુવતીનું અપહરણ કરનાર આરોપી પાકિસ્તાની આતંકી છે. તે ખુંખાર આતંકી અને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદના આતંકી સંગઠન જમાત ઉદ દાવાનો સભ્ય છે. આ આતંકીનું નામ મોહમ્મદ હસન કહેવાય છે. તો બીજી બાજુ ભારત સહિત ચારેબાજુથી દબાણ આગળ પાકિસ્તાને આ મામલે ઝૂકવું પડ્યું છે અને આકરી કાર્યવાહી પણ કરવી પડી છે. શીખ યુવતીને જબરદસ્તીથી મુસ્લિમ ધર્મ સ્વીકાર કરાવવાના મામલે પાકિસ્તાને ભારતના દબાણમાં 8 લોકોની ધરપકડ કરી છે. આ સાથે જ પીડિત યુવતીને તેના પરિવારને સોંપી દેવામાં આવી…
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં દિવસેને દિવસે ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. આજે અમદાવાદ- સુરત નેશનલ હાઇવે 48 પર ગમને.હા 48 પર ગમખ્વાર અકસ્માત થયો હતો. આ ઘટના કોસંબા નજીક બની છે. આ એક્સિડન્ટમાં કાર ધડાકાભેર કોઇ અજાણ્યા વાહન પાછળ અથડાઇ હતી, જેમાં ઘટના સ્થળે જ બે વ્યક્તિના મોત નીપજ્યાં હતાં. જ્યારે 3 વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, કોસંબા નજીક નેશનલ હાઈ-વે પર ગમખ્વાર એક્સિડન્ટ થયો છે. આ ઘટનામાં ભોગ બનેલી ઇકો કાર (નંબર જીજે 05 જે કે 6207) પૂરપાટ સ્પીડમાં હતી, જેથી ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતો કોઈ અજાણ્યા વાહન પાછળ અથડાઈ હતી.…
મોદી સરકારે અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે કમર કસી લીધી છે. પહેલા સરકારે બેંકોને 70 હજાર કરોડની ‘સંજીવની’ આપવાની જાહેરાત કરી. તો હવે બેંકોને મર્જર કરવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રીએ પબ્લિક સેક્ટરની બેંકોની સંખ્યા 18થી ઘટાડીને 12 કરવાની જાહેરાત કરી છે. 6 નાની નાની બેંકોને 4 મોટી સરકારી બેંકોમાં મર્જર કરવામાં આવી છે. બેંકોનાં વિલીનીકરણને લઇને નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કૉન્ફરન્સ કરી. આ પ્રેસ કૉન્ફરન્સમાં 5 ટ્રિલિયન ડૉલર ઇકોનૉમીનાં સપનાને લઇને નાણાં મંત્રીએ કહ્યું કે, “2017માં દેશની અર્થવ્યવસ્થા 2.6 ટ્રિલિયન ડૉલર હતી. 2024માં આપણે 5 ટ્રિલિયન ડૉલરનાં લક્ષ્યાંકને જરૂર મેળવી શકીશું.’ બેન્કિંગ સેક્ટરને લઇને તેમણે કહ્યું કે, “અત્યારે જેટલા…
સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં વિસ્તાર સાથે સાથે ટોલિવૂડમાંથી પણ કાસ્ટિંગ કાઉચને લઈ હવે રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. પહેલા ટોપ અભિનેત્રી વિદ્યા બાલને ડાયરેક્ટરની પોલ ખોલી કે તેને કેવી કેવી હરકોતોનો સામનો કરવો પડ્યો હતો. હવે અભિનેત્રી પાયલ રાજપૂતે કાસ્ટિંગ કાઉચ પર વાત કરી છે. તેણે કહ્યું કે આવી શારીરિક સંબંધો બાંધવાની ઓફર ઘણી આવી પણ તેણે ક્યારેય આવી બાબત માટે કોમ્પ્રોમાઈઝ નથી કર્યું. અભિનેત્રી પાસે કેવી માગ કરવામાં આવી હતી?? આરએક્સ 100 જેવી હિટ અને ચર્ચાતી ફિલ્મથી ટોલિવૂડમાં એન્ટ્રી લેનાર અભિનેત્રીએ પોલ ખોલતા જણાવ્યું હતું કે એમની પાસે ઘણું કામ આવી ગયું હતું. પરંતુ એના બદલામાં તેની…
શનિવારે આસામ એનઆરસીની અંતિમ સૂચિ જાહેર કરવામાં આવી છે. 19 લાખ, 6 હજાર 667 લોકોને આ યાદીમાં સામેલ કરી શકાયા નથી. એનઆરસીના સ્ટેટ કોઓર્ડિનેટર પ્રતીક હાજેલાએ જણાવ્યું હતું કે એનઆરસીની અંતિમ સૂચિમાં 3 કરોડ, 11 લાખ 21 હજાર લોકો સ્થાન મેળવ્યું છે અને 19,06,657 લોકો તેમાંની બહાર છે. ચાલો તમને જણાવીએ કે સૂચિમાં શામેલ ન હોય તેવા લોકો મઅતે કયો વિકલ્પ બાકી છે. જે લોકો એનઆરસીમાં નામના અભાવથી પરેશાન છે, તેઓ ફોરેનર્સ ટ્રિબ્યુનલને 120 દિવસમાં અપીલ કરી શકે છે. જેમને અંતિમ રાષ્ટ્રીય સિવિલ રજિસ્ટર (એનઆરસી) માંથી બાકાત રાખવામાં આવ્યા છે તેવા લોકોના કેસોની કાર્યવાહી કરવા માટે આસામ સરકાર રાજ્યમાં 400…
જૂનાગઢ ભાજપના આગેવાન વીનું અમીપરા સામે ફરિયાદ નોંધાઈ છે. તેમની સામે એક મહિલાને માર માર્યાના આરોપસર ફરિયાદ નોંધાઈ છે. જમીન ખાલી કરાવવા બાબતે આ ઘટના બની હોવાનું જણાયું છે. સામા પક્ષે વીનું અમીપરાએ પણ મહિલા સામે ફરિયાદ નોંધાવી છે. પોતાની જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરી પશુ ચરાવીને નુકસાન કર્યું હોવાની તેમણે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંનેની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી.
મહારાષ્ટ્રના ધુલેમાં એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળતા 10 લોકોના મોત નિપજ્યા છે. ધુલેના શાહપુર ગામ પાસેની કેમિકલ ફેક્ટરીમાં અચાનક જ ધડાકાભેર બોઇલર ફાટી નીકળ્યું. આ ધડાકાનો અવાજ એટલો પ્રચંડ હતો કે તે 5 થી 10 કિલોમીટર દુર સુધી સંભળાયો. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો. આ દુર્ઘટનામાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે.