રોજીંદા જીવનમાં આપણે દાખલા જોતા હોઈએ કે બ્રેક અપ બાદ લોકો નજીક નથી આવતા. પરંતુ હાલમાં જ એક અજીબ ઘટનાં બની છે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં. ફિલ્મ ડાયરેક્ટર સાજિદ ખાન અને બોલીવુડ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડિઝ એકબીજાની નજીક આવી રહ્યાં છે. ‘હાઉસફુલ 2’ના શૂટિંગ દરમિયાન સાજિદ ખાન અને જેક્લીન એકબીજાની નજીક આવ્યા હતા. વર્ષ 2012માં બંને એકબીજાને ડેટ કરતા હતા એવી પણ ખબરો વહેતી થઈ હતી. જો કે આ સંબંધ લાંબો ન ટક્યો અને 2013માં બંનેએ પોતપોતાનો રસ્તો પકડી લીધો હતો. બ્રેક અપ બાદ બંને ન તો ક્યારેય સાથે દેખાયા, ન તો ક્યારેય બંનેમાંથી એક પણ વ્યક્તિએ નિવેદન આપ્યું. આ છ વર્ષમાં બંનેની…
કવિ: Satya Day News
શેહલા રાશિદે રવિવારનાં સતત 10 ટ્વિટ કરીને કાશ્મીરમાં ખરાબ સ્થિતિ હોવાનો દાવો કર્યો. તેણે આરોપ લગાવ્યો હતો કે આર્મી કાશ્મીરીઓ પર અત્યાચાર કરી રહી છે. તેના આ દાવાને ખોટો અને માહોલ ખરાબ કરવા માટેનો દુષ્પ્રચાર ગણાવીને સુપ્રીમ કૉર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. ભારતની બરબાદીની વાતો કરનારાઓને કચડી દેવા જોઇએ તો જેએનયૂની કાશ્મીરી વિદ્યાર્થીની શેહલા રાશિદ પોતાના ભડકાઊ ટ્વિટને લઇને કેન્દ્ર સરકારનાં નિશાને આવી ગઈ છે. કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી જી. કિશન રેડ્ડીએ ઘણા જ સખ્ત અંદાજમાં કહ્યું કે આવા લોકોને કચેડવાની જરૂર છે, જેઓ દેશની બરબાદી અને તેના ટૂકડા કરવાનું વિચારી રહ્યા છે. રેડ્ડીએ એક ખાનગી ટીવી ચેનલનાં સંવાદદાતાનાં પ્રશ્ન…
યુએસના સાઉથ કૈરોલીનામાં એક વ્યક્તિ સાથે જે ઘટના ઘટી છે તે જોઈને તમે પણ ડઘાઈ જશો. કહેવાય છે કે ચોમાસાના દિવસોમાં જ્યારે વાદળો ગરજતા હોય ત્યારે વીજળી પડવાનું જોખમ વધી જતું હોય છે તેથી કામ વગર બહાર જવાનું ટાળવું જોઈએ. પ્રકૃતિની આવી જ એક ઘટના એક વ્યક્તિ સાથે ઘટી જેમાં તેનો જીવ માંડ-માંડ બચ્યો છે. આ સમગ્ર ઘટના નજીકના એક સીસીટીવીમાં ઝડપાઈ ગઈ હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. રોમુસલ મૈકનીલે પોતાના ફેસબુક પેજ પર શેર કરેલા વીડિયોમાં તમે આ સમગ્ર ઘટનાને જોઈ શકશો.
INX મીડિયા સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર મામલે આરોપી બનાવવામાં આવેલા પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમની આગોતરા જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. જેથી હવે તેમની ગમે ત્યારે ધરપકડ કરવામાં આવી શકે છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ હાઈકોર્ટ પાસે 3 દિવસની મહોલત માંગી છે. આગોતરા જામીન ફગાવવામાં આવ્યા બાદ હવી ઈડી અને સીબીઆઈ ગમે ત્યારે ચિદમ્બરમની ધરપકડ કરી શકે છે. જોકે હાઈકોર્ટે અરજી ફગાવવા ચિદમ્બરમે હવે સુપ્રીમ કોર્ટના દરખવાજા ખખડાવ્યા છે. સીબીઆઈએ આઈએનએક્સ મીડિયા મામલે ચિદમ્બરમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જ્યારે ઈડીએ મનિ લોન્ડરિંગ મામલે ફરિયાદ દાખલ કરી હતી. જસ્ટિસ સુનીલ ગૌડેએ દરેક પક્ષની દલીલ સાંભળ્યા પછી ચિદમ્બરમના આગોતરા જામીન વિશે 25 જાન્યુઆરી…
CRPFની તરફથી કાશ્મીરમાં સામાન્ય પ્રજાની સહાયતા માટે ‘મદદગાર’ હેલ્પલાઇન લોન્ચ કરાઇ છે. આ હેલ્પલાઇન પણ પાકિસ્તાન માટે ભડાસ કાઢવાની જગ્યા બની ગઇ છે. હેલ્પલાઇન પર 7071 કોલ્સ 11 ઑગસ્ટથી 16 ઑગસ્ટની વચ્ચે આવ્યું અને તેમાંથી 171 ભારતની બહારથી આવ્યા હતા. લોકો હેલ્પલાઇન પર ફોન કરીને પોતાના પરિવાર અને સંબંધોઓના ખેરિયત માલૂમ કરી રહ્યા હતા. પાકિસ્તાનથી ફોન કરી કેટલાંક લોકો એ સુરક્ષાબળોને જ ખૂબ જ અપશબ્દ બોલી ભડાસ કાઢી હતી. મદદગાર હેલ્પલાઇન પર 2700 ફોન કોલ્સ સુરક્ષાબળોના પરિવારની તરફથી, 2448 કોલ્સ કાશ્મીરથી બહાર રહેતા લોકોએ પોતાના પરિવાર માટે ફોન કર્યા. 1752 કોલ્સ બિન-કાશ્મીરી લોકોએ કાશ્મીરના લોકોની ભાળ પૂછવા માટે ફોન કર્યા.…
આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ જોવા મળશે. જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી વરસાદ રહેશે. જામનગર, દ્રારકા, ભાવનગર, અમરેલીની સાથે સાથે રાજકોટ અને ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. શહેરમાં વરસાદના અભાવ અને તાપમાન ઉંચકાતા અસહ્ય ઉકળાટથી લોકો હેરાન-પરેશાન થઈ રહ્યાં છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડી આમ બેવડી ઋતુથી રોગચાળો પણ વકરી રહ્યો છે. જોકે આજે હવામાન વિભાગે અમદાવાદ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ છે તો…
જમ્મુ-કાશ્મીરને 370ને લઈને મળેલા વિશેષ દરજ્જાને ખત્મ કર્યા બાદ દેશ આખામાં લોકો પોતપોતાની કોમેન્ટ પાસ કરી રહ્યા છે. એ જ હરોળમાં બોલીવૂડ સેલેબ્સ પણ પોત-પોતાનાં અભિપ્રાય આપી રહ્યાં છે. કંગના રનૌત, દિયા મિર્ઝા, ઝાયરા વસીમ, અનુપમ ખેર, રવીના ટંડન, પ્રભાસ, શાહરૂખ ખાન સહિતના ઘણા કલાકારોએ આ ઐતિહાસિક નિર્ણય માટે સરકારના વખાણ કર્યાં છે. આ વચ્ચે સોનમ કપૂરે પણ જમ્મૂ-કાશ્મીરની પરિસ્થિતિ પર પોતાનો અભિપ્રાય આપ્યો. સોનમના અભિપ્રાય પછી લોકોએ અનેક રિટ્વિટ કર્યા. જેથી પાછળથી સોનમને ટ્વિટ કરીને કહેવું પડ્યુ કે, ‘મિત્રો પ્લીજ તમે બધા શાંત થઈ જાવ. તમે તમારી જિંદગી જીવો, કોઈએ કહેલી વાત પર ટ્વીટ કરીને તેને ટ્રોલ કરવાથી તે…
આરબીઆઇ (RBI)ની પેમેન્ટ વોલેટ કંપનીઓને આપવામાં આવેલી સમયસીમા 31 ઓગસ્ટે પૂર્ણ થવા જઇ રહી છે. જો તમારા પેમેન્ટ વોલેટનું પણ કેવાયસી (KYC) પૂર્ણ નથી થયુ તો દસ દિવસ બાદ આ બંધ થઇ જશે. ફેબ્રુઆરીમાં આરબીઆઈએ વોલેટ કંપનીઓની અરજી પર તેની અંતિમ મુદત છ મહિના લંબાવી હતી, પરંતુ હજી પણ વપરાશકર્તાની કેવાયસીનો 30 થી 40 ટકા ભાગ મળ્યો નથી. આવી સ્થિતિમાં પેટીએમ, ફોનપે, એમેઝોનપે અને મોબિક્વિક જેવી કંપનીઓના વોલેટનો ઉપયોગ કરનારા કરોડો વપરાશકર્તાઓને તેની અસર થશે. આ દસ્તાવેજ આપવા પડશે નવા ધોરણો હેઠળ, તમારે પાનકાર્ડ, આધાર નંબર જેવા દસ્તાવેજો અપલોડ કરવા પડશે અને પછી કંપનીના એજન્ટો જઈને સરનામું ચકાસી લેશે. વોલેટ…
જમ્મુ કાશ્મીર મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન સાથે વાતચતી કરી ફટકાર લગાવી છે. ટ્રમ્પે ઈમરાન ખાનને કાશ્મીર મુદ્દે સાવચેતીથી નિવેદન અને કાશ્મીર મુદ્દે તણાવ ઓછો કરવાની પણ સલાહ આપી છે. ટ્રમ્પે ટ્વિટ કરીને જણાવ્યુ કે, મે મારા સારા મિત્ર પીએમ મોદી અને અને પીએમ ઈમરાન ખાન સાથે વેપાર, રણનીતિ અને ખાસ કરીને કાશ્મીરમાં તણાવ મુદ્દે વાતચીત કરી છે. પરિસ્થિતિ કઠીન છે. પરંતુ બન્ને દેશના વડા સાથે સારી રીતે વાત કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે ટ્રમ્પે ઈમરાન ખાન સાથે બીજી વખત વાતચીત કરી છે. શુક્રવારે ઈમરાન ખાને ટ્રમ્પ સાથે વાતચીત કરી સમગ્ર ઘટના અંગે માહિતી આપી…
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારના રોજ એવું કર્યું કે તેમણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં આવું કયારેય કર્યું નથી. સીએમ મમતા અચાનક હાવડા બ્રીજ પાસેની નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં ગયા અને ત્યાંના રહેવાસીઓ સાથે વાતચીત કરી. ઘણા સમય સુધી મમતા ત્યાંની ઝૂંપડીઓમાં ફર્યા અને લોકોની સાથે વાતચીત કરી. આ દરમ્યાન તેમને ખબર પડી કે વોર્ડ નંબર 29મા ગોળ ટેન્ક પૂરનબસ્તીમાં રહેતા અંદાજે 400 લોકોના ઉપયોગ માટે અંદાજે બે શૌચાલયોની જ સુવિધા હતી. વાત એમ છે કે મમતા બેનર્જી પ્રશાસનિક મીટિંગ માટે જઇ રહ્યા હતા આ દરમ્યાન તેમણે ઝૂંપડીઓમાં રહેતા લોકોની ભાળ મેળવી. સીએમ મમતા જ્યારે મીટિંગ સ્થળ પર પહોંચ્યા તો તેમણે વિકાસ…