Pope Francis Death પોપ ફ્રાન્સિસનું ૮૮ વર્ષની વયે અવસાન, આખા વિશ્વમાં શોકની લાગણી Pope Francis Death વિશ્વભરના કેથોલિક સમુદાય માટે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. પોપ ફ્રાન્સિસનું ૮૮ વર્ષની વયે સોમવારે સવારે વેટિકન સિટીમાં અવસાન થયું. તેઓ લાંબા સમયથી શ્વાસ સંબંધિત બીમારીથી પીડાતા હતા અને છેલ્લા ૩૮ દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ફ્રાન્સિસને 14 ફેબ્રુઆરીએ વેટિકન નજીકની જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબિયત સતત નાજુક રહી. ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં પણ તેમની તબિયતમાં કોઈ નોંધપાત્ર સુધારો થયો ન હતો. છેલ્લે તેમણે સવારે 7:35 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. https://twitter.com/VaticanNews/status/1914226689065865254 વેટિકન સિટીએ જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું છે કે,…
કવિ: Satya Day News
Sanatan Rashtra Shankhanad Mahotsav સનાતન રાષ્ટ્ર શંખનાદ મહોત્સવ’નું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલને નિમંત્રણ ! Sanatan Rashtra Shankhanad Mahotsav સમસ્ત માનવજાતિના પરમ કલ્યાણ માટે, તેમજ રામરાજ્યની સ્થાપના માટે કાર્યરત સનાતન સંસ્થાના સંસ્થાપક સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત બાળાજી આઠવલેજીનો 83મો જન્મોત્સવ સમારંભ અને સનાતન સંસ્થાનો રજત જયંતી મહોત્સવી વર્ષ આ નિમિત્તે ગોવા ખાતે ‘સનાતન રાષ્ટ્ર શંખનાદ મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ ૧૭ થી ૧૯ મે ૨૦૨૫ આ ત્રણ દિવસના સમયગાળામાં ફાર્માગુડી, ફોંડા ખાતે ગોવા એંજિન્યરીંગ મહાવિદ્યાલયના મેદાન પર આયોજિત કરવામાં આવશે. ‘સનાતન રાષ્ટ્ર શંખનાદ મહોત્સવ’નું નિમંત્રણ હાલમાં જ મુખ્યમંત્રી . ભૂપેંદ્રભાઈ પટેલને આપવામાં આવ્યું. આ સમયે સનાતન સંસ્થાના .…
Bihar Election: કોંગ્રેસની નવી રણનીતિ અને 80થી વધુ બેઠકોની દાવેદારી Bihar Election બિહારમાં આવતા મહિનાઓમાં વિધાનસભા ચૂંટણી થવાની છે અને કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરવા તૈયાર છે. 2024ની લોકસભા ચૂંટણીમાં મળેલી સફળતા પછી કોંગ્રેસ હવે વધુ બેઠકોની માંગ સાથે મહાગઠબંધન (INDIA બ્લોક)માં પોતાની સ્થિતિ મજબૂત કરવા માંગે છે. કોંગ્રેસે ચૂંટણી રણનીતિમાં મોટા ફેરફારો કર્યા છે. પાર્ટીએ દલિત, પછાત અને લઘુમતી વર્ગના મતદારોના સમીકરણોને કેન્દ્રમાં રાખી નવા નિમણૂકો કર્યા છે. દલિત નેતા રાજેશ કુમારને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જયારે યુવા નેતા કૃષ્ણા અલ્લાવારુને રાજ્યના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ, કન્હૈયા કુમાર જેવા યુવા નેતાઓને બેરોજગારી…
JD Vance in India ટેરિફ તણાવ વચ્ચે જેડી વાન્સની ભારત મુલાકાતઃ વેપાર સહયોગના નવા દોરની શરુઆત? JD Vance in India અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ હાલમાં ચાર દિવસની ભારત મુલાકાતે છે. તેઓ દિલ્હી પહોંચ્યા છે અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લેશે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર તણાવ, ખાસ કરીને ટેરિફ મુદ્દે, ચર્ચાનો વિષય બન્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વાન્સ આ મુલાકાત દરમિયાન વેપાર, અર્થતંત્ર, ટેકનૉલોજી અને રક્ષા સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે. વડાપ્રધાન મોદીએ અગાઉ અમેરિકાની મુલાકાત દરમિયાન સ્પષ્ટ કર્યુ હતું કે ભારત બંને દેશો વચ્ચે મજબૂત વેપાર સહયોગ ઈચ્છે છે…
Uddhav Thackeray ‘રાજ ઠાકરે ભાજપના નકલી હિન્દુત્વના જાળમાં ફસાયા’, ઉદ્ધવ ઠાકરે જૂથનું મોટું નિવેદન Uddhav Thackeray મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભાઈઓના મિલનની ચર્ચા તેજ બની છે. ઉદ્ધવ ઠાકરે નેતૃત્વવાળી શિવસેના (UBT)ના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખ દ્વારા રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે સંમતિ અને સંભવિત સહયોગના સંકેત આપ્યા છે. તંત્રી સંજય રાઉતે લખ્યું છે કે, જો બંને ભાઈઓ સાથે આવે તો બીજાઓને એમાં શું વાંધો છે? સામનામાં જણાવવામાં આવ્યું છે કે ભાજપે રાજ ઠાકરેને નકલી હિન્દુત્વના જાળમાં ફસાવ્યા હતા. “ભાજપનું હિન્દુત્વ નકલી અને સસ્તું છે. રાજ ઠાકરે તેમના જાળમાં લપસતા રહ્યા અને તેનો શિવસેના પર હુમલાની રીતે ઉપયોગ થયો. ભાજપ અને…
France protests against Israel: ઇઝરાયલ સામે ફ્રાન્સનો વિરોધ: 27 ફ્રેન્ચ સાંસદોના વિઝા રદ, પેલેસ્ટિનના સમર્થન પર વિવાદ France protests against Israel ઇઝરાયલ અને ફ્રાંસ વચ્ચે કૂશળ રાજદ્વારી સંબંધો પર તણાવ ઉભો થયો છે, કારણ કે ઇઝરાયલે ફ્રાંસના 27 સાંસદો અને સ્થાનિક નેતાઓના વિઝા રદ કરી દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ તમામ નેતાઓ પેલેસ્ટિનિયન વિસ્તારોની મુલાકાત માટે જવાનું આયોજન કરી રહ્યાં હતા. વિઝા રદ થવા પહેલાં આ ટીમને જેરુસલેમ સ્થિત ફ્રેન્ચ કોન્સ્યુલેટ દ્વારા સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું હતું. સંસદના ડાબેરી પક્ષો, પર્યાવરણવાદી અને સામ્યવાદી જૂથોના સભ્યો સમાવવામાં આવ્યા હતા. તેમના મતે, પ્રવાસનો મુખ્ય હેતુ શાંતિ અને આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત…
Bokaro Encounter ઝારખંડના બોકારોમાં એન્કાઉન્ટર દરમિયાન 6 નક્સલીઓ ઠાર, હથિયારો જપ્ત Bokaro Encounter ઝારખંડના બોકારો જિલ્લામાં સોમવારે વહેલી સવારે લાલપાનિયા વિસ્તારની લુગુ ટેકરીઓ પર નક્સલવાદ સામે મોટી કામગીરી દરમિયાન સુરક્ષા દળોએ 6 નક્સલીઓને ઠાર કર્યા. આ સંયુક્ત ઓપરેશનમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને રાજ્ય પોલીસની ટીમ સામેલ રહી હતી. અધિકારીઓએ જણાવ્યું કે એન્કાઉન્ટર દરમિયાન સૈનિકોને કોઈ ઈજા પહોંચી નથી. CRPFના પ્રવક્તાએ જણાવ્યું કે સ્થળ પરથી સુરક્ષા દળોએ એક SLR (Self-Loading Rifle) અને એક INSAS રાઇફલ જપ્ત કરી છે. ઘન જંગલ અને ટેકરીયાળ વિસ્તારમાં ચાલેલી આ એન્કાઉન્ટર અભિયાન દરમિયાન વચ્ચે-વચ્ચે ગોળીબાર પણ ચાલુ રહ્યો હતો. સ્થાનિક પોલીસ અને CRPFના ઓપરેશનનો…
Maharashtra: હિન્દી ફરજિયાત મુદ્દે શરૂ થયેલી ચર્ચા આગામી દિવસોમાં રાજકીય ઉથલપાથલની શક્યતા Maharashtra મહારાષ્ટ્રમાં ધોરણ 1થી 5માં હિન્દી વિષય ફરજિયાત બનાવવાના રાજ્ય સરકારના નિર્ણય સામે ભાષા સલાહકાર સમિતિએ મજબૂત વાંધો ઉઠાવ્યો છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) હેઠળ રાજ્ય સરકારે ત્રિભાષા સૂત્ર અમલમાં લાવીને મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં હિન્દી અભ્યાસ ફરજિયાત બનાવ્યો છે. જોકે, આ પગલાને ભાષા સમિતિ અને પ્રાંતીય ભાષા સમર્થકો દ્વારા “માતૃભાષાની અવગણના” ગણવામાં આવી રહ્યું છે. ભાષા સલાહકાર સમિતિના અધ્યક્ષ લક્ષ્મીકાંત દેશમુખે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખી જણાવ્યું કે આ નિર્ણય લેતી વખતે રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (SCERT) એ સમિતિના સૂચનોનો અવગણ કર્યો છે.…
Maharashtra Politics: ઉદ્ધવ અને રાજ ઠાકરેના સમાધાનની અટકળે ગરમાયું મહારાષ્ટ્ર રાજકારણ, એકનાથ શિંદે ગુસ્સે Maharashtra Politics મહારાષ્ટ્રના રાજકારણમાં તાજેતરમાં એક નવો ટ્વિસ્ટ આવ્યો છે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે સમાધાનની અટકળો વધી રહી છે, જેના પર રાજકીય વલણ અને નિવેદનો તેજ થઈ ગયા છે. શિવસેના (UBT) ના નેતા ઉદ્ધવ ઠાકરે અને મનસેના વડા રાજ ઠાકરેએ તેમના જૂના મતભેદો ભૂલીને એક થવાની સંભાવના દર્શાવી છે. પરંતુ, આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનો ગુસ્સો સામે આવ્યો છે. શિંદે, જે અગાઉ શિવસેનામાંથી વિખૂટા પડ્યા હતા અને ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી, સતારામાં એક પત્રકાર દ્વારા ઉદ્ધવ અને રાજ ઠાકરે વચ્ચે સમાધાન…
‘Gold mine’ found on Mars મંગળ પર ‘સોનાની ખાણ’ જેવી શોધ! નાસાના રોવરે ખોલ્યા અબજ વર્ષ જૂના રહસ્યો ‘Gold mine’ found on Mars મંગળ ગ્રહ પર નાસાના પર્સિવરન્સ રોવરે એવુ કંઈક શોધી કાઢ્યું છે, જે વૈજ્ઞાનિક જગતને અચંબિત કરી ગયું છે. “વિચ હેઝલ હિલ” નામના ક્ષેત્રમાં રોવરને એવા ખાસ પ્રકારના ખડકો મળ્યા છે, જે પહેલાં ક્યારેય મંગળ પર જોવા મળ્યા ન હતા. આ ખડકો માત્ર અદ્વિતીય જ નથી, પરંતુ તેમનાં ભૌતિક અને રાસાયણિક લક્ષણો ખૂબ જ રહસ્યમય છે, જે મંગળના ભૂગર્ભીય ઈતિહાસ અંગે નવું દર્શન આપે છે. છેલ્લા ચાર મહિનાની અંદર પર્સિવરન્સ રોવરે અહીંથી પાંચ નમૂનાઓ એકત્રિત કર્યા છે, સાત…