ભુજ તાલુકાના ખાવડા, બન્ની,પચ્છમનો વિસ્તાર પાણી સમસ્યાનો સામનો કરે છે અહીં વરસાદી પાણીના સ્ત્રોત અને બોરના પાણી જ મુખ્ય સ્ત્રોત છે ઉપરાંત મોટી સંખ્યામાં પશુધન અહીં આવેલું છે ત્યારે પાણી જરૂરી બને છે પાણીની ફરિયાદો સામે આવતા ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય દ્વારા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી બન્ની પચ્છમના વિસ્તારોમાં પશુઓના અવાડા ખાલીખમ જોવા મલ્યા હતા જેથી ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવ્યું છે મંત્રી કુંવરજી બાવલિયા કચ્છની બે દિવસીય મુલાકાતે આવ્યા હતા તેઓને પણ પાણી મુદ્દે રજુઆત કરાઈ છે ભુજના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની વ્યવસ્થા પૂર્વવત કરી ટેન્કર માંરફતે પાણી પહોંચાડી આયોજનની કામગીરી માટે પાણી પુરવઠા વિભાગને પણ સૂચના…
કવિ: Maulik Solanki
અન્ય રાજ્યના પરપ્રાંતીય શ્રમિકોને સુરત થી તેમના ગૃહરાજ્યમાં મોકલવા માટે શરૂ કરવામાં આવેલી સ્પેશિયલ શ્રમિક ટ્રેન ની સંખ્યામાં આજે વધારો કરવામાં આવ્યો છે. આજ રોજ સુરત રેલવે સ્ટેશન પરથી 20 ટ્રેનો રવાના કરવામાં આવશે.જે પૈકી કેટલીક ટ્રેનો હાલ અન્ય રાજ્યો જવા રવાના પણ થઈ ચૂકી છે…સુરત થી યુપી માટે 14 ટ્રેન સહિત ઓરિસ્સાના માટે બે ટ્રેન તથા ઝારખંડ માટે બે અને બિહાર માટે બે ટ્રેનની મંજૂરી મળી છે. આમ સુરતથી આજે ચાર રાજ્યોમાં કુલ 20 ટ્રેનો રવાના થશે..જેમાં 32000 શ્રમિકો રવાના થશે. સુરત જિલ્લા કલેકટરે વધુ 250 ટ્રેનો ની માંગ કરી છે.તંત્ર પાસે વતન જવા ઇચ્છતા શ્રમિકો ની લિસ્ટ પણ…
કોરોના વાયરસના કારણે સૌથી વધુ હાલાકી ખેડુતોને પડી રહી છે. હાલમા રાજય સરકાર દ્વારા ફકત આંતર જિલ્લાના મજુરોની લાવવાની વ્યવસ્થા કરવામા આવી છે. પરંતુ આંતર રાજયના મજુરો માટે કોઇ વ્યવસ્થા કરવામા આવી નથી. સામાન્ય રીતે ડાંગરના પાકની કાપણી માટે મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશથી મજુરો આવતા હોય છે. જો કે હાલ લોક ડાઉનના કારણે આ તમામ મજુરો દક્ષિણ ગુજરાત આવી શકયા નથી. જેને કારણે ખેડુતોને વિઘા દીઠ રુ 25 હજારનુ નુકશાન સહન કરવાનો વારો આવી શકે છે. હાલમા દક્ષિણ ગુજરાતમા 30 હજાર વિઘામા ડાંગરનો પાક તૈયાર થઇ ગયો છે. જો કે મજુરોની વાટના કારણે હજી સુધી ખેડુતોએ પોતાના ડાંગર પાકની કાપણી શરુ…
ડીંડોલીના લક્ષ્મીનારાયણ નગર સોસાયટીમાં આવેલ વ્યાજબી ભાવની દુકાનનો પરવાનો હેમલતા ધનશીંગભાઈ રાજપુત નામની મહિલાના નામે છે..રાજ્ય સરકાર ની જાહેરાત હોવા છતાં અહીં રેશનકાર્ડ ધારકોને તેમના હકનું અનાજ આપવામાં આવતું ન હોવાની ફરિયાદ ઉઠી છે.જેને લઈ આ રોજ વહેલી સવારે રેશનકાર્ડ ધારકો અનાજ લેવા માટે અહીં પોહચ્યા હતા.જો કે અહીં હાજર ત્રાહિત વ્યક્તિ દ્વારા સરકારી અનાજ બારોબાર સગેવગે કરવામાં આવી રહ્યો હતો.જે અંગેનો વિડીયો ખુદ રેશનકાર્ડ ધારકે પોતાના મોબાઈલ માં બનાવી લીધો હતી.આ બાબતે જ્યારે ત્રાહિત વ્યક્તિ નિર્મલ ખતીકને રેશનકાર્ડ ધારકો દ્વારા પૂછવામાં આવ્યું તો તેઓની સાથે ગેરવર્તણૂક અને અપશબ્દોવાળી કરી હતી.જેથી ભારે હોબાળો મચી ગયો હતો.અનાજ હોવા છતાં ગરીબોને આપવાના…
https://youtu.be/g2vklkyuA64
આજથી સુરત એપીએમસી અને કૃષિ બજાર ફરી ધમધમતું થતા શાકભાજી નું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે.સુરત જિલ્લા સહિત રાજ્ય બહારથી શાકભાજીનો મોટો જથ્થો સુરત એપીએમસી માં ઠાલવવામાં આવે છે.જો કે હાલ કોરોના વાયરસ ની વર્તમાન સ્થિતિ ના કારણે રાજ્ય બહારના જિલ્લામાંથી આવતા ખેડૂતોને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અટકાવવામાં આવી રહ્યા છે,જેના પગલે એપીએમસી માં શાકભાજી નો પૂરતો જથ્થો હાલ આવી રહ્યો નથી.જે અંગે સુરત એપીએમસી દ્વારા પણ તત્રને રજુવાત કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.બીજી તરફ સુરતમાં આજથી કેરી નું મુહર્ટ કરી દેવામાં આવ્યું છે.જ્યાં શહેરના અલગ અલગ પાંચ જેટલા સેન્ટરો પરથી કેરીનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.કેરીની ફૂલ…
હાલ કોરોના અને લોક ડાઉન ના બહાના કાઢી કેટલીય જગ્યા એ માત્ર પગાર ઉપર નભતા કર્મચારીઓને પગાર મુદ્દે હેરાન કરવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરની SVP હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ફરજ બજાવતા હાઉસકીપિંગ અને પેશન્ટ એટેન્ડ સ્ટાફએ આજે સવારે પગાર મુદ્દે હોબાળો મચાવ્યો હતો. 7 મે સુધીમાં પગાર થઈ જતો હોય છે જો કે આજદિન સુધી પગાર ન થતા તેઓ હડતાળ પર ઉતરી ગયા હતા અને હોબાળો કર્યો હતો. સ્ટાફે પત્રકારો ને જણાવ્યું હતું કે અમે 150 જેટલા કર્મચારીઓ કોવિડ વોર્ડમાં ફરજ બજાવીએ છીએ. અમારો પગાર 7 મે સુધીમાં થાય છે જો કે બીજા 6 દિવસ ગયા બાદ પણ પગાર…
કહેવાય છે દીકરી ઘરના સભ્યો માટે કાળજાનો કટકો સમાન હોય છે પરંતુ સુરતમાં આ કાળજા સમાન માસુમ બાળકી ને સગા પિતાએ જ મોતને ઘાટ ઉતારી દેતા ભારે ચકચાર મચી ગઈ હતી.સુરતના સલાબતપુરા વિસ્તારમાં બનેલી આ દર્દનાક ઘટનામાં પોલીસે હત્યારા પીતાની ધરપકડ કરી હતી.સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર રેશમવાડ ખાતે રહેતા ઉવેશ શેખ ને સંતાનમાં આઠ માસની બાળકી હતી. ગત રોજ પોતાના ઘરમાં ઉવેશ શેખ નિંદર માણી રહ્યો હતો.જે દરમ્યાન બાજુમાં સુતેલી તેની આઠ માસની બાળકી અચાનક રડી રહી હતી.ભારે નિંદર માણી રહેલા ઉવેશ શેખની ઊંઘ બાળકીના રડવાના અવાજથી બગડી જતા તે રોષે ભરાયો હતો.જ્યાં રોષ માં હોંશ ગુમાવી બેઠેલા ઉવેશ શેખએ…
વલસાડ નાં ડુંગરી નજીક આવેલ માલવણ ગામ માં ચાલતા સમાજ દળ ગ્રુપ દ્વારા છેલ્લા ૧૫ જેટલા દિવસ થી વલસાડ ખાતે ૨૦૦ જેટલા શ્રમિકો ને. ભોજન પૂરું પાડવામાં આવે છે.. ત્યારે ૧૨ મે નાં રોજ સમાજ દળ ગ્રુપના ઉપ પ્રમુખ માર્ટિન પટેલ નો જન્મદિન હોય સમાજસેવી યુવાન માર્ટિન પટેલએ પોતાના જન્મદિન નિમિતે ૨૦૦ જેટલા શ્રમિકો ને કપડાંનું વિતરણ કર્યું હતું https://youtu.be/y39OWlgR9jQ
બેલજીયમ ના એન્ટવર્પ ની ઓફિસો ખુલતા સુરત – મુંબઈ ની મોટી ડાયમંડ કંપનીઓની રફ ડાયમંડ સપ્લાય અટકી હતી તે ક્લિયર થશે..સુરત – બેલજીયમનો વર્ષે 6 બિલિયન નો વેપાર છે.એન્ટવર્પ માં આજથી બ્રોકર,કુરિયર, સર્વિસ પણ શરૂ થશે.માર્ચ માં પોલીશડ ડાયમંડ નો ઈમ્પોર્ટ વેપાર માં 73 ટકાનો ઘટાડો થયો હતો.જ્યારે રફનો એકસપોર્ટ 51.3 ટકા રહ્યો હતો.એન્ટવર્પ માં આજથી શરૂ થવા જઈ રહેલા વેપારને પગલે સુરતના હીરા ઉદ્યોગ ને સીધો લાભ થવાનો છે.જેના કારણે ડાયમંડ ની ડિમાન્ડ પણ વધે તેવી શકયતા છે.મહત્વ ની વાત છે કે સુરતનો હીરા ઉદ્યોગ રાબેતા મુજબનો થવામાં હજી બે માસ થી અઢી માસ જેટલો સમય લાગી શકે છે…