કોવીડ૧૯ કોરોના પોઝિટિવના કેસોની સંખ્યા વડોદરા શહેરમાં દિનપ્રતિદિન વધી રહી છે સાથે સાથે મૃત્યુના કેસો પણ હવે વધી રહ્યા છે ત્યારે જનતા હવે જાતેજ જાગૃત બની છે અને તંત્ર ના ભરોસે રહેવાને બદલે જીવ બચાવવા જાતે જ આગળ આવી રહ્યા છે વડોદરા નજીક કપુરાઈ ગામ ના યુવાનો હરીશભાઈ ચૌહાણ , અશ્વિન પઢીયાર ,ચંદ્રસિંહ રાઠોડ,ઉંમંગ સોલંકી હેમંતસિંહ પઢીયાર,અયુબ દીવાન, તથા અન્ય યુવાન ભેગા મળી પોતાના વિસ્તારમાં સ્વખર્ચે સેનેટાઇઝ ની કામગીરી શરૂ કરી દીધી છે અને આગામી સમય માં આજુબાજુના વિસ્તારો માં પણ આ કામગીરી કરનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું. https://youtu.be/btbjbzutgz8
કવિ: Maulik Solanki
સયાજીગંજ વિધાનસભા ના ઉપપ્રમુખ ઉપર ગઇકાલે સાંજે ત સ્થાનિક લોકો નો ફોન આવ્યો હતો કે તેઓના વિસ્તારમાં સેનિટાઇજર કરવામાં આવ્યું નથી તેથી વૉર્ડ નંબર 8 મા આવેલ અંબેવાડી ઝુંપડપટ્ટી નવાયાર્ડ બિજ પાસે તથા તેની આસપાસ આવેલા સ્લમ વિસ્તારમાં પોતાના સ્વાખર્ચે સયાજીગંજ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ધ્રુવ પંડ્યા અને વિચાર વિભાગ મહામંત્રી જીતેન્દ્ર વાઘેલા દ્વારા સેનીટાઈઝર કરવા માં આવ્યું.અને ત્યાં ના રહિશોનું કહેવું છે કે તેઓના વિસ્તારમાં અત્યાર સુધીમાં કોર્પોરેશન, કોપોરેટર દ્વારા કોઇ પણ કામગીરી કરવામાંનથી.તેથી તેઓએ ધુવ પંડયા તથા જીતેન્દ્ર વાઘેલા ને જાણ કરતા તેઓ એ સેનીટાઇઝર કરાવ્યુ હતું. આ વિસ્તાર ના નાગરિકો એ ધ્રુવપંડ્યા નો આભાર માન્યો હતો. https://youtu.be/91ErDHHiqjo
રાજકોટમાં હાલ કોરોના એ કહેર વર્તાવ્યો છે અને અહીંના જંગલેશ્વર વિસ્તાર તો કોરોના નું એપી સેન્ટર ગણાય છે ત્યારે જંગલેશ્વર નજીક આવેલ RMC ક્વાર્ટરમાં યુવાનો એ વીડિયો બનાવી ટિકટોક ઉપર મુકતા વિડીયો વાયરલ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને વિડિયો બનાવનાર ની ધરપકડ કરી હતી.લોકડાઉન હોવાછતાં યુવાનો રાત્રીના સમયે ક્રિકેટ રમતા હતા ત્યારે વીડિયો બનાવી ટિકટોક માં અપલોડ કર્યો હતો. આ યુવાનો એ જંગલેશ્વર વાળા કોઈ દિવસ ના સુધરે તેવું બોલી ટિકટોક ઉપર વિડીયો અપલોડ કર્યો હતો જંગલેશ્વર અને આસપાસના વિસ્તારમાંથી જેવો કરફ્યુ દૂર થયો કે તરત લોકડાઉન ચાલુ હોવા છતાં તેનો ભંગ કરતા લોકો નો વિડીયો વાયરલ થતા…
હાલ કોરોના સ્થિતિ માં લોકડાઉન હોઈ લોકો ને ઉનાળા માં પૂરતું પાણી મળી રહે તે માટે ડેમ માં પૂરતો પાણી નો જથ્થો હોવાનું સબંધિત સૂત્રો એ જણાવ્યું હતું. વલસાડ વાસીઓ માટે ખુશીની વાત છે કે હાલમાં વલસાડ વોટર વર્કસ પર આવેલા ડેમ ની સપાટી લેવલ કરતાં ઉપર પાણી છે ત્યારે વલસાડમાં આ વરસે પૂરતું પ્રમાણ માં પાણી મળી રહેશે ત્યારે વલસાડ નગરપાલિકાના વોટર વર્કસ કમીટી ચેરમેન કિરણભાઈ ભંડારી સત્ય ડે ની સાથે વાત કરતા જણાવ્યું હાલ ગરમીની સીઝન છે અને ડેમમાં પાણી પણ ફૂલ છે અને કોંક્રિટ ની સપાટી ઉપર ૩૧ ઇંચ વધારે પાણી છે ત્યારે વલસાડ વાસી ઘરે રહો…
કપરાડા તાલુકાના 70 ટકા લોકો કોરોના માં બેરોજગાર બનતા સ્થિતિ કફોડી બની છે, ત્યારે સુખલા ની લાલ બહાદુર શાસ્રી સાર્વજનિક હાઈસ્કૂલ ના ચેરમેન વસંતભાઈ બરજુલભાઈ પટેલ અને વલસાડ જિલ્લા યુવા ક્રાંતિ મિશન-2020ના ઉપક્રમે કપરાડા તાલુકાના 130 ગામો તથા વલસાડ જિલ્લાના અન્ય પાંચ તાલુકામાં 200 થી 250 અનાજ કીટનું વિતરણ આયોજન સોશિયલ ડિસ્ટન્સ,માસ્ક ના અમલ સાથે કરવામાં આવ્યુ છે.જેની શરૂઆત મંગળવારે કપરાડા મામલતદાર કલ્પેશ સુવેરા ,કપરાડા તાલુકા સરપંચ સંઘ પ્રમુખ ચંદર ગાયકવાડ,ઉપ પ્રમુખ નભુ ભાઈ,કો ઓડીનેટર ભરત પટેલ અને મેનેજમેન્ટ ચેરમેન વસતપટેલના હસ્તે વિધવા મહિલાઓને કીટ વિતરણ કરી કરવામાં આવી હતી. આ તકે વસંત પટેલે જણાવ્યું કે લોક ડાઉનને લઈ કામો…
કોરોના ની સ્થિતિ ઉભી થતા વલસાડ માં જ્યાં ત્યાં ભટકતા નિરાશ્રીતો કોરોનાનો ચેપ ન લાગે તે માટે અને બે ટાઈમ ભોજન મળી રહે તે આશય થી વલસાડના કુમાર છાત્રાલયમાં આશરો અપાયો છે પરંતુ આ આશ્રિતો એ હવે જૂની આદત મુજબ જાહેર માં શૌચ કરવાનું ચાલુ કરી દેતા સંડાસ ની દુર્ગંધ થી આસપાસ ની સોસાયટીમાં વસતા લોકો ત્રાસી ગયા છે અને હલ્લો બોલાવતા દોડી આવેલા તંત્રવાહકો એ માંડ કરીને મામલો થાળે પડ્યો હતો વલસાડના તિથલ રોડ ઉપર કુમાર છાત્રાલયમાં આશરે ૨૦૦થી વધારે આશ્રિતોને સહારો આપવામાં આવી રહ્યો છે પરંતુ આ આશ્રિતો તો દ્વારા સવાર અને સાંજ જાહેરમાં સોચ કરતા હોય આજુબાજુના…
https://youtu.be/LlgBnx8KOes
સુરતનાલીબાયત માં સોશ્યલ ડિસ્ટનિંગનો થઈ રહ્યો છે ભંગ,વીડિયો વાયરલ સુરત માં કોરોના ની સ્થિતિ ખુબજ વિકટ છે અને તંત્ર તેમજ પોલીસ દ્વારા વારંવાર સૂચના અને અપીલ છતાં લોકો તેને નજર અંદાજ કરી રહ્યા છે આ વિસ્તારમાં લોકો લોકડાઉન સહિત ના નિયમો તોડી રહયા છે. લીંબાયત વિસ્તારમાં ફરી એક વખત સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ જોવા મળ્યો હતો સોશિયલ મીડિયામાં વધુ એક વાયરલ થયેલા વિડીયો માં જોઈ શકાય છે કે લોકો બિન્દાસ રીતે સોશિયલ ડિસ્ટનિંગ નો ભંગ કરતા નજરે પડી રહ્યા છે. વાયરલ વિડીયો ગોડાદરા સ્થિત મંગલ પાંડે હોલ વિસ્તાર નજીકનો હોવાનું જણાય છે. નવાઈ ની વાત તો એ છે કે આખો વિસ્તાર…
https://youtu.be/cR33p6wT9qk
વલસાડ માં મહિલાઓ કોરોના નું લોકડાઉન હોવા છતાં પણ નિયમો તોડી જાન ના જોખમે પોતાના બાળકો માટે છેક પારડી સાંઢપોર વિસ્તારમાં આવેલ શેઠિયા નગર થી છેક છીપવાડ સુધી માત્ર પીવાનું પાણી ભરવા જતી હોવાની વાત નો ખુલાસો થતા લોકડાઉન માં અનાજ ,પાણી ની સરકાર ની જવાબદારી ની બાંહેધરી નો અહીં છેડેચોક ભંગ થતો હોવાનું જણાયું હતું જોકે સારું છે કે વલસાડ માં સેવાભાવી સંસ્થાઓ અને સમજુ દયાવાન કાર્યકારો છે તે તે લોકો ત્યાં દોડી ગયા હતા અને અનાજ ની કીટ સાથે પાણી ન ટેન્કર ની પણ વ્યવસ્થા કરી માનવતા નો ધર્મ નિભાવ્યો હતો જો તંત્ર ના ભરોસે રહ્યા હોત તો…