વલસાડ માં તંત્ર દ્વારા શરૂઆત માં જ બોર્ડર સીલ કરી દેવાતા કોરોના વાયરસ દૂર રહ્યો છે અને શરદી , ખાંસી ના શંકાસ્પદ કેસો પણ સામાન્ય નીકળતા સદનસીબે હજુસુધી કોઇ પોઝીટીવ દર્દી નોંધાયો નથી ત્યારે તંત્ર એ હાશકારો અનુભવ્યો છે પરંતુ વલસાડ માં લોકો લોકડાઉન પાળવા માટે તંત્ર ની અપીલ ને અવગણી રહ્યા છે અને નિયમો પાળતા નથી, કામ વગર બહાર નીકળવું , બાઇક ઉપર એક થી વધુ સવારી તેમજ ભીડ કરવી વગરે મામલે જાગૃતિ કેળવતા નથી પરિણામે તંત્ર વાહકો પણ મુશ્કેલી માં મુકાયા છે. વલસાડ માં જાહેર માર્ગો ઉપર બાઇક ઉપર લોકો બિન્દાસ નીકળી પડ્યા હતા અને મામલતદાર કચેરી માં…
કવિ: Maulik Solanki
https://youtu.be/jDqyGtXtDg8
હાલ દેશ માં યુદ્ધ જેવી સ્થિતિ છે લોકો ઘરમાં પુરાઈ ગયા છે અને કોરોના એ કહેર મચાવ્યો છે તેવે સમયે અવિરત સેવા આપનાર 108 ની ટિમ ની સેવા ભાવના ની પણ નોંધ લેવીજ પડે વલસાડ જિલ્લામાં ઇમરજન્સી કેસ ૨૯૪૦ અને કોરોના ના શંકાસ્પદ જણાતા ૧૩૦કેસ વલસાડ જીલા ની ૧૦૮ ની ટીમ દ્વારા એટેન્ડ કરાયા છે. જોકે સારી વાત તો એ છે કે સદનસીબે હજુસુધી વલસાડ જીલ્લા માં કોઈ કેસ પોઝિટિવ નોંધાયો નથી. જેમાં વલસાડ ના કુંડી ગામે રહેતા માનસી પટેલ છેલ્લા સાત વર્ષથી 108 માં ફરજ બજાવી રહ્યા છે તેમના લગ્ન ને સાત વર્ષ થયાં છે અને આઠ માસ નો…
એક વર્ષો જૂની કહેવત છે કે ‘માં તે માં બીજા વગડા ના વા’ કોરોના ની સ્થિતિ વચ્ચે જેતપુરમાં એક નિસહાય વિધવા માતા પોતાના બીમાર દીકરા ને હોસ્પિટલ સુધી લઈ જવા માટે કોઈ વાહન ન મળતા ઉનાળા ના આકરા તાપ માં પણ એક લારી માં બીમાર પુત્ર ને સુવડાવી તેને 2 કિલોમીટર સુધી લારી ખેંચીને હોસ્પિટલ સુધી પહોંચાડ્યો હતો આ દ્રશ્ય જોઈ ઉપસ્થિત લોકો પણ ભાવુક થઈ ગયા હતા. જાણવા મળેલી વિગતો મુજબ ત્રણ મહિનાઅગાઉ પોતાના દીકરાને એકસ્માત નડતા ઓપરેશન કરાવ્યું હતું અને પેશાબ માં રસી થઈ ગઈ હતી. આથી દુખાવો વધતા હોસ્પિટલ લઇ જવાની નોબત આવી હતી. જેમ તેમ કરીને…
કોરોના વાયરસે અમદાવાદ ને પોતાના પંજા માં જકડી લીધું છે અને દિનપ્રતિદિન કેસો વધી રહયા છે ત્યારે અમદાવાદમાં બે પોલીસકર્મીઓ નો રિપોર્ટ પોઝીટીવ આવતા સતત કામ કરી રહેલી પોલીસ ની સુરક્ષા માટે અમદાવાદ ના નરેન્દ્રમોદી વિચારમંચ,કવિસ પેસ્ટ કંટ્રોલ અને સત્ય ડે ડોટકોમ મીડિયા હાઉસ ના સયુંકત ઉપક્રમે અમદાવાદ ના દરેક પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશન ની ગાડીઓ ને સેનેટાઇઝ કરવા ની કામગીરી કરવામાં આવી હતી જેના ભાગ રૂપે આજે અમદાવાદ ના નારણપુરા પોલીસ સ્ટેશન ,ઘાટલોડિયા પોલીસ સ્ટેશન,સોલા પોલીસ સ્ટેશન અને પાલડી પોલીસ સ્ટેશન ને આખું સેનેટાઇઝ કરવા માં આવ્યું હતું. કામગીરી જોઈ ને પોલીસ જવાનો માં પણ ઉત્સાહ જોવા મળ્યો…
વલસાડ માં લોકડાઉન ના ભંગ બદલ પોલીસ દ્વારા સંખ્યાબંધ મોટરસાઇકલ જપ્ત કરવામાં આવેલ હતા જે વાહનો છોડાવવા માટે લોકો એ હવે આરટીઓ સુધી જવું નહિ પડે અને સ્થાનિક પોલીસ મથકે થીજ મળી શકશે પોલીસ આવા વાહન માલિકો ને ફોન કરી બોલાવી જરૂરી પ્રોસેસ કરી વાહનો પરત કરી રહી છે સોશ્યલ ડિસ્ટન્સ નું ધ્યાન રાખી લોકો કતાર માં વાહનો છોડાવવા પોલીસ મથકે પહોંચ્યા હતા. જોકે ખાસ વાત એ કે જે વ્યક્તિ ને કોલ આવે તેજ વ્યક્તિ આવી જપ્ત ગાડી લેવા જઈ શકે છે તેનાથી ભીડ થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અનેઆરટીઓ ના નિયમ મુજબ દંડ લઈ ગાડી ઓ પરત…
અમદાવાદ માં કોરોના ની સ્થિતિ અત્યન્ત વિકટ છે અને વધુ આગળ પ્રસરતો અટકાવવા માટે પોલીસ ફરજ બજાવી રહી છે ત્યારે અમદાવાદ માં પોલીસ ઉપર જ્યાં લોકો એ પથ્થર ફેંક્યા હતા તે વિસ્તાર માં લોકો એ પોલીસ ઉપર ફૂલ પણ વરસાવ્યા હતા. વાત છે અમદાવાદ ના શાહઆલમ ની કે જ્યાં બાળકો અને સ્થાનિક રહીશો એ જે ડિવિઝનના એસીપી રાજપાલસિંહ રાણા અનેએમ. સોલંકી સહિતના સ્ટાફનું લોકોએ ફૂલોથી સ્વાગત કરી ફૂલ વરસાવ્યા હતા. લોકડાઉનનું પાલન કરવવા માટે તમામ પોલીસ સ્ટાફ જ્યારે પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા ત્યારે પોલીસ કર્મીઓનું સ્વાગત કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જનાગરિકતા કાયદા માટે આ જગ્યાએ…
કોરોના સ્થિતિ માં વલસાડ માં મોટાભાગે નિરાશ્રિત હાલત માં જિંદગી જીવનાર ભિક્ષુક સહિત ના પરિવાર ને વલસાડ કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલય માં આશરે ૨૦૦ થી વધુ લાભાર્થીઓને આશ્રય અપાયો છે ત્યારે તેઓ ની હાલ ની સ્થિતિ જાણવા જ્યારે સત્યડે ની ટીમે મુલાકાત લીધી તો જોઈને વિશ્વાસ ન આવ્યો કે આ આજ લોકો છે કે થોડા દિવસ પહેલા આમતેમ ભટકતા હતા કારણકે આ લોકો નું જાણે જીવન જ બદલાઈ ગયું હતું અને ચા , નાસ્તા સાથે ભોજન અને સવાર માં એક બે કલાક યોગા નું શિડયુલ ગોઠવાયેલું જણાયું હતું અહીં પ્રીતિ બેન પાંડે દ્વારા આ લોકો એ યોગા કરવામાં આવે…
વલસાડ ના ઉમરગામ ના દરિયા કિનારે ચાર બોટો મા ખલાસીઓ આવી પોહોંચ્યા હતા જેઓ નું મેડિકલ ચેક અપ અને આરોગ્ય નીં ચકાસણી નીં કામગીરી બાદ હોમ કોરોનટાઈન કરાયા હતા મામલતદાર ઉમરગામ પોલીસ અને આરોગ્ય વિભાગ નીં ટીમેં આખી રાત ના ઉજાગરા કર્યાબાદ વહેલી સવારે છ વાગ્યા મા વ્યવસ્થા કરાઈ હતી માંગરોળ થી આવેલા ચારસો થી વધુ માછીમાર ખલાસી ઓ ને હોમ કોરોનટાઈન રહેવા અપાઇ કડક સૂચના આપવમાં આવી હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું. https://youtu.be/X9uvIVKv1xw
કોરોનાં ના ને લઈને અપાયેલા 21 દિવસના લોકડાઉન ને પગલે પાંજરાપોળમાં રખાયેલા ઢોરોને ઘાસચારો નહીં મળતા પ્રતાપનગર પાંજરાપોળમાં એક ગાયનું મોંત થયુ હોવાના આક્ષેપ થયા છે. કોવિડ – 19 કોરોનાં વાઈરસની મહામારી ને લઈને 21 દિવાસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.દિવસેને દિવસે કોરોનાં પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે.વડોદરામાં માં પણ પોઝિટિવ આંક 77 પર પહોંચ્યો છે.તંત્ર દ્વારા હાલ,યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.તો બીજી તરફ શહેરના પાંજરાપોળમાં રખાયેલા ઢોરો પણ લોકડાઉન ના ગ્રહણમાં સપડાયા છે.શનિવારે શહેરના પ્રતાપનગર લાલબાગ ઢોરવાળામાં એક ગાયનું મોંત નીપજ્યું હતું.જેને લઈ ગૌ ગોપાલક વિશાલ રબારી એ લોકડાઉન ને લઈ પશુઓને ઘાસચારો નહીં મળતો હોવાથી…