Why Vinesh Phogat Khel Ratna and Arjuna Award keep outside PM office: (વિનેશ ફોગટ ખેલ રત્ન અને અર્જુન પુરસ્કાર પીએમ ઓફિસની બહાર કેમ રાખે છે) મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટ તેના ખેલ રત્ન અને અર્જુન એવોર્ડને વડાપ્રધાન કાર્યાલયની બહાર રાખવા ગઈ હતી પરંતુ ફરજ પરની પોલીસે તેને અટકાવી હતી. તમને જણાવી દઈએ કે વિનેશ ફોગાટે ચાર દિવસ પહેલા જ પોતાનો એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી હતી. તેણે પોતાના એક્સ હેન્ડલ પરથી ટ્વીટ કરીને પીએમ મોદીને ખુલ્લો પત્ર લખ્યો હતો. જેમાં તેમણે બ્રિજભૂષણ શરણનું નામ લીધા વિના પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને તેમને પદમાં શક્તિશાળી કહીને સંબોધ્યા હતા. આ સાથે વિનેશ…
Author: Yunus Malek
મુખ્ય આરોપી અમરશીભાઈ જેરામભાઈ પટેલ અને ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા હજુ પોલીસ પકડથી દુર. મોરબી નજીક વાંકાનેર પાસે ચાલતા બોગસ ટોલ બૂથનું કૌભાંડ પ્રકાશમાં આવ્યાના ૨૫ દિવસ બાદ આ મામલે ૨ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનય છે કે, વાંકાનેરના આ રૂટ પણ છેલ્લા દોઢ વર્ષથી એક નકલી ટોલબૂથ ચાલતુ હતું અને આ નકલી ટોલબૂથ ચલાવીને વાહન ચાલકો પાસેથી રકમ ઉઘરાવાતી હતી. આ ઉઘાડી લૂંટનો પર્દાફાશ થયા બાદ આખરે આ મામલે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબીના વાંકાનેર નજીક ખૂબ જ ચૌંકાવી દેતી ઘટના સામે આવી હતી. અહીં નકલી ટોલનાકાનો પર્દાફાશ થતાં ઉઘાડી લૂંટની ઘટનાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું હતું.…
ગયા નવેમ્બરમાં થયેલા માવઠાથી રાજ્યના ૫ હજારથી વધુ ખેડૂતોને નુકશાન થયુ છે, રાજ્યના ૧૭૪૭ ગામમાં ખેતીના પાકમાં માવઠાની અસર થઇ છે. બનાસકાંઠામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે, રાજ્યમાં અચાનક બદલાતા વાતાવરણની અસર હવે બનાસકાંઠામાં દેખાઇ રહી છે, અચાનક હવામાનમાં પલટો આવતા જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે. રવિ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની અને અલગ અલગ પ્રકારના રોગ પાકોમાં ઉભા થવાની ભીતિ સેવાઇ રહી છે. ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની ચિંતા પેઠી છે. મળતી માહિતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. પલટાની અસરથી જિલ્લાની ખેડૂતોમાં ચિંતા પેઠી છે. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા…
આ વખતના ફ્લાવર શોમાં જર્મની, આફ્રિકા, સિંગરપુર, યુરોપિયન દેશો વગેરેમાંથી ૩૦થી વધારે વિદેશી ફૂલ છોડની જાતો લોકોને જાેવા મળશે. શહેરમાં રિવરફન્ટ આગામી ૧૫ દિવસ સુધી દેશ વિદેશના લાખોની ફૂલોની ફોરમથી મહેકતું રહેશે. અમદાવાદના રિવરફ્રન્ટ પર આજથી ફ્લાવર શોનો પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ફલાવર શોને જનતા માટે આજે ખુલ્લો મુક્યો છે. આ ફ્લાવર શો આજથી ૧૫ જાન્યુઆરી સુધી ચાલશે. જેમા સવારે ૯થી રાત્રે ૧૦ સુધી પ્રવેશ આપવામાં આવશે. ફ્લાવર શોમાં પ્રથમ વખત ૧૫ લાખથી વધારે ફૂલ-છોડના રોપા જાેવા મળશે. ૭ લાખ કરતાં વધુ રોપાથી ૪૦૦ મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. રિવર ફ્રન્ટ પર યોજાયેલા ફ્લાવર શોમાં…
રાહુલ ગાંધીની મણિપુરથી મુંબઈ સુધીની ભારત ન્યાય યાત્રા ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે : કોંગ્રેસ નેતા લોકસભા ચૂંટણી ૨૦૨૪ માં હાલ ૪ મહિનાનો સમય બાકી છે અને ભાજપે તૈયારીઓ ઝડપી બનાવી છે. જ્યારે કોંગ્રેસ તૈયારીની જગ્યાએ અત્યારથી ઈવીએમ પર સવાલો ઊઠાવા લાગી છે. પાર્ટી નેતા સામ પિત્રોડાએ ગુરુવારે કહ્યું કે જાે ઇવીએમની ખામીઓને દૂર કરવામાં નહીં આવે તો ભાજપ ૪૦૦થી વધુ સીટ જીતી જશે. તેમણે કહ્યું કે આ ચૂંટણી ભારતનું ભાગ્ય નક્કી કરશે. ચૂંટણી પંચ સતત એવા આરોપોને ફગાવી દે છે તેમ છતાં વિપક્ષના નેતા અનેકવાર ઈવીએમ પર સવાલો ઊઠાવતાં રહે છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોના નેતા પણ એવી…
ધોરાજી સિવિલ હોસ્પિટલમાં તે ભગવાન રૂપી ડોક્ટરોની જ અછત છે આરોગ્યની વાત આવે ત્યારે સરકાર ખુબ મોટી-મોટી ગુલબાંગો મારે છે. પરંતુ આજે પણ સરકારી દવાખાના અને હોસ્પિટલોની હાલત બત્તર છે. આવી જ સ્થિતિ ધોરજીમાં સામે આવી છે. જ્યાં હોસ્પિટલ બહાર લોકોએ કંટાળીને પોસ્ટરો માર્યા છે. ધોરાજીમાં સ્વાસ્થ્યનું મંદિર ખુલ્લું છે. પરંતુ અહીં ભગવાનની અછત છે. કહેવાનો મતલબ એ છે કે, ડોક્ટરોને આપણે ભગવાનની ઉપાધી આપી છે. પરંતુ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં તે ભગવાન રૂપી ડોક્ટરોની જ અછત છે. જેના કારણે અહીં ઓપીડીમાં આવતા રોજ ૨૦૦થી ૩૦૦ દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યા છે. તેવામાં ઉંઘતા તંત્રને જગાડવા માટે આજે સ્થાનિક યુવાનો…
એન્જિનિયર રોબોટનું પ્રોગ્રામિંગ કરી રહ્યો હતો ત્યારે ત્રીજાે રોબોટ ભૂલથી એક્ટિવ થતા એન્જિનિયર પર હુમલો કર્યો. દુનિયા વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ આગળ વધી રહી છે. આજે એઆઈએટલ કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો જમાનો છે. તેના કારણે લોકોના ઘણા બધા કામ સરળ થઈ ગયા છે. મોટાભાગની કંપનીઓમાં મનુષ્યની જગ્યાએ રોબોટ કામ કરવા લગ્યા છે. આ રોબોટ ખામીરહિત અને ઝડપી કામ કરે છે. પરંતુ ક્યારે ટેકનિકલ ખામીના કારણે તે જીવલેણ સાબિત થાય છે. જેના અનેક ઉદાહરણ સામે આવી ચુક્યા છે. ત્યારે દુનિયાના સૌથી ધનવાન માણસ ઈલોન મસ્કની કાર નિર્માતા કંપની ટેસ્લાની અમેરિકાના ટેક્સાસમાં સ્થિત ફેક્ટરીમાં રોબોટે એક એન્જિનિયર પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે.…
બોલીવુડ અભિનેતા ફરી એક વિવાદમાં ફસાઈ શકે છે. કપૂર પરિવારના સભ્યોએ બીજા ધર્મનો તહેવાર મનાવતી વખતે જાણીજાેઈને નશીલા પદાર્થોનો ઉપયોગ કર્યાનો આરોપ. બોલીવુડ અભિનેતા રણબીર કપૂર એક વિવાદમાં ફસાઈ શકે છે. તાજેતરમાં જ એનિમલ એક્ટરનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં રણબીર અને તેમના પરિવારના સભ્ય ક્રિસમસ મનાવતા કેક કાપી રહ્યા હતા. જેમાં કેક પર દારૂ નાખીને આગ લગાડવામાં આવી રહી હતી. રણબીર કપૂર કેક કાપતી વખતે ‘જય માતા દી’ બોલતા નજર આવી રહ્યા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ રણબીર કપૂર ખૂબ ટ્રોલ થઈ રહ્યા હતા. હવે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં બુધવારે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી…
માર્ક્સવાદી પાર્ટી પોલિટ બ્યુરોએ એક નિવેદન જારી કર્યું. રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે ત્યારે ભાજપ ભારે ઉત્સાહમાં છે તો વિપક્ષી દળો આ મામલે તેના પર રાજકીય ખાટવાનો આરોપ મૂકી રહ્યા છે. દરમિયાન એવા અનેક વિપક્ષી નેતાઓ છે જેઓ આ સમારોહથી દૂર રહી શકે છે. જેમાં વધુ એક વિપક્ષી દિગ્ગજનું નામ ઉમેરાઈ ગયું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સંભવતઃ ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી નહીં આપે. મુખ્યમંત્રીએ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત તો કરી નથી, પરંતુ તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા કુણાલ ઘોષે એક નિવેદનમાં માત્ર મુખ્યમંત્રી જ નહીં પરંતુ પાર્ટીના કોઈપણ નેતા મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં…
વિજયપુરાના અસંતુષ્ટ બીજેપી ધારાસભ્યએ કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પા પર પ્રહારો કર્યા.એક બાદ એક રાજ્યમાં ભાજપમાં બળવાખોરી ચરમસીમાએ પહોંચી રહી છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં ભાજપના નેતાઓમાં અસંતોષની લાગણી વધુ જ ઉભરી રહી છે. આ સમયમાં ભાજપના જ એક ધારાસભ્યએ કહ્યું છે કે જાે મને છંછેડશો તો બીજેપીની સરકારના કૌભાંડનો પર્દાફાશ કરી દઈશ. આ મુદ્દો એકાએક ટોક ઓફ ધ ટાઉન બની રહ્યો છે કારણકે બીજેપીનો જ ધારાસભ્ય નેતૃત્વની સામે બાંયો ચઢાવીને કહી રહ્યો છે કે જાે મને પાર્ટીમાંથી કાઢવામાં આવશે તો બીજેપી સરકારે કરેલા રૂ. ૪૦,૦૦૦ કરોડના ભ્રષ્ટાચારના પડદા ખોલી દઈશ. અસંતુષ્ટ વિજયપુરાના બીજેપી ધારાસભ્ય બસનાગૌડા પાટીલ યતનાલે ફરીથી…