રાજ્યમાં કોરોના એ બૂમ પડાવી દીધી છે અને છેલ્લા 24 કલાક ની જ વાત કરવામાં આવે તો સૌથી વધુ 510 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં લોકડાઉન માં છૂટછાટ બાદ પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 35 દર્દીના મોત થયા છે, જ્યારે 344 દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 19119 પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક 1190 થયો છે. જ્યારે રાજ્યમાં કુલ 13011 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસો માં સૌથી વધુ અમદાવાદમાં 324, સુરતમાં 67, વડોદરામાં 45, ગાંધીનગરમાં 21, મહેસાણામાં 9, પાટણ અને જામનગરમાં 6-6,…
Author: mohammed shaikh
વલસાડ માં કોરોના ના દર્દીઓ નો વધારો થઈ રહયો છે અને આજે વધુ પાંચ દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગ માં ચિંતા પ્રસરી છે. વલસાડ પાલિકા માં કામ કરતા અને દિવસભર અસંખ્ય લોકો અને સ્ટાફ ના સંપર્ક માં આવનાર કર્મચારી નો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા નગરપાલિકા ના તમામ સ્ટાફ સહિત તેના સીધા સંપર્ક માં આવનાર તમામ ને કોરોન્ટાઇન કરવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે અન્યથા કોરોના ની સ્થિતિ વિકટ બને તેવી ભીતિ ઊભી થઈ છે. વલસાડ પાલિકા કચેરી સ્થિત સિવિક સેન્ટર ની ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતો અને મોગરાવાડીની પ્રમુખગ્રીન સોસાયટીમાં રહેતો મનિષ નટવરભાઇ સોલંકી નામનો કર્મચારી લગ્ન ના સર્ટીફીકેટ…
હાલ કોરોના અને લોકડાઉન માં કેટલાય યુવાનો અને યુવતીઓ બેરોજગાર થયા હશે અને નાસીપાસ પણ થયા હશે પરંતુ આવા યુવાનો અને યુવતીઓ માટે એક રિયલ સ્ટોરી અહીં પ્રસ્તુત છે જેનાથી પોતાનું મનોબળ મજબૂત થશે અને નવી આશાઓ અને ઉત્સાહ બેવડાશે વાત છે 2007ની કે જ્યારે આર્થિક મંદીમાં કાનપુરની સૌમ્યા ગુપ્તાનાં પણ સપનાં તૂટી ગયાં હતાં. 19 વર્ષીય સૌમ્યાએ ખુબજ ઉંચા સપના જોયા હતા અને તેથીજ ખુબજ ઉંચા પગાર ની જોબ મળી રહેશે તેવું વિચારી રૂ.65 લાખ ની રકમ દાવ ઉપર લગાવી દીધી હતી અને 65 લાખ જેવી રકમ નો ખર્ચ કરી ને અમેરિકામાં પાઈલટ ટ્રેનિંગ પૂરી કરી હતી પણ નશીબ…
કોરોના ને લઈ સેંકડો શ્રમિકો હાલ કામધંધા વગર ના થઈ ગયા છે ત્યારે તેઓ ઘરમાં નવરા બેઠા બેઠા સેક્સ વધુ માણે તો વસ્તી વધવાનો ભય સરકાર ને સતાવી રહ્યો છે, ગરીબ લોકો લૉકડાઉનના કારણે પરેશાન હતા. હવે જ્યારે લૉકડાઉનમાં છૂટછાટ મળી છે ત્યારે બેરોજગારી પણ વધી છે અને સેક્સ વધ્યું છે ત્યારે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને બેરોજગાર ને કોન્ડોમ આપશે. બિહાર સરકાર કોરંટાઇન બાદ શ્રમિકોને મફતમાં કોન્ડમ આપશે તેવું જણાવાયું છે, જેથી તેઓ અણગમતી પ્રેગનન્સીને રોકી શકે અને વસ્તી વધારો પણ અટકી શકે, માહિતી મુજબ 8.77 લાખ લોકો કોરંટાઇનથી મુક્ત થયા છે જ્યારે 5.30 લાખ…
ભારત સામે ચાઈના એ લડવા સૈનિકો તો ગોઠવી દીધા પણ સૈનિકો હસ્ત મૈથુન કરવાની આદત પડી ગઈ હોવાનું બહાર આવ્યું છે બાકીના વિડીયો ગેમ રમવાની આદત ઘર કરી ગયા નું રિપોર્ટ માં જણાવાયું છે. ચાઈનીઝ મીડિયા માં જણાવ્યું છે કે પીપલ્સ લીબ્રેશન આર્મી (પીએલએ) દ્વારા ભારત સરહદે શાસ્ત્રો સાથે સૈનિકો નો કાફલો ગોઠવ્યો છે પરંતુ ચાઈનીઝ આર્મી એ સ્વીકાર્યુ કે તેના 20 ટકા સૈનિકો યુદ્ધ માટે ફિટ નથી કારણ કે તેઓ રાત દિવસ હસ્તમૈથુન ના રવાડે ચડી ગયા છે. એટલુંજ નહીં અન્ય સૈનિકો સ્માર્ટ ફોન અને ગેમ ના રવાડે ચડ્યા છે. આ જોઇ પીએલએ એ પોતાના સૈનિકો ને આદતો સુધરવા…
આગામી 19 જૂને રાજ્યસભાની ચાર બેઠક માટે ચૂંટણી યોજાનાર છે ત્યારે કોંગ્રેસ માંથી ધારાસભ્યો મોકો જોઈને ચોકો મારી રહ્યા છેઆ બધા વચ્ચે ખબર આવી રહી છે કે કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી અને કરજણના અક્ષય પટેલેએ પણ રાજીનામા આપી દીધા છે. સાથે જ કેટલાક કોંગી ધારાસભ્યો સંપર્ક વિહોણા બન્યા હોવાની અટકળો ચાલી રહી છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાને સમર્થન આપી ચુક્યા છે તેથી વાત કન્ફોર્મ થઈ ચૂકી છે.તેઓ એ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે રૂબરૂ આવીને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ રાજીનામુ આપ્યું છે. બંને રૂબરૂ આવ્યા હતા. માસ્ક પહેર્યા હતા ઉતારી અને ખરાઈ…
રાજ્યસભા ની ચૂંટણી માં ખરીદ વેચાણ ની શરૂ થયેલી રાજરમત વચ્ચે વડોદરાના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ સહિત અન્ય ત્રણ ધારાસભ્યના રાજીનામાની અટકળો ચાલી રહી છે. કોંગ્રેસના આ ચારેય ધારાસભ્યની રાજીનામાની ચર્ચાઓ વચ્ચે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરી રાજ્ય સરકાર પર નિશાન તાકી ને ખરીદવા ના આક્ષેપ કર્યા છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને સરકાર ને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.તેઓએ અક્ષય પટેલે રાજીનામું આપ્યું હોવાની વાત વચ્ચે ધાનાણીએ ટ્વીટમાં લખ્યુ છે કે, શું હવે “ધમણ” ની કમાણીથી ધારાસભ્યોને ખરીદવાનું શરૂ થયું છે કે શું ? આમ હવે ચૂંટણી અગાઉ ફરીએકવાર રાજકારણ માં ઊથલપાથલ મચી છે અને ભાજપ દ્વારા ખરીદવા…
બધાની નોકરી ધંધા ચાલુ હતા અને કોરોના ની એન્ટ્રી થઈ અચાનક લોકડાઉન આવી ગયું બધાને કોરોના થી બચવા માટે ઘર માં પુરાઈ જવા માટે પીએમ દ્વારા જાહેરાત થઈ રાતોરાત બધું ઠપ્પ થઈ ગયું અને કહેવામાં આવ્યું ‘ચિંતા ના કરો’ સરકાર બેઠી છે કોઈ તમારી પાસે ત્રણ મહિના પૈસા નહિ માંગે, હપ્તા,લાઈટ બિલ, મકાન ભાડા વગરે પણ એમ ન કહ્યુ કે ભાઈ ત્રણ મહિના નું ભેગું થયેલી મસમોટી રકમ એક સાથે કેમ કરીને ભરી શકાશે કારણ કે બધા ધંધા તો બંધ છે પણ લોકો ને ભરોસો હતો કે સરકાર કઈક રસ્તો જરૂર કાઢશે અને લાઈટ બિલ, સ્કૂલ ફી, ભાડા જેવી બાબતો…
કોરોના ની હાડમારી વચ્ચે લોકડાઉન માં થોડી છૂટછાટ આવતા ચૂંટણી પંચે ગુજરાત સહિતની રાજ્યસભાની 18 બેઠકોની ચૂંટણી જે અગાઉ મુલત્વી રાખવામાં આવી હતી તે હવે આગામી તા.19 જૂનના રોજ યોજાવાની જાહેરાત કરતા રાજકારણ ગરમાયુ છે અને કોણ કેટલા માં વેચાશે ની અટકળો પણ બરાબર ની જામી છે. ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો છે અને આ માટે ભાજપના ત્રણ તથા કોંગ્રેસના બે ઉમેદવારો વચ્ચે થનારાજંગમાં 19 ના રોજ મતદાન અને મત ગણતરી પણ યોજાશે,જોકે, જે રીતે હાલ માં ધારાસભ્યોની જે સ્થિતિ છે, તે પ્રમાણે ભાજપ-કોંગ્રેસ 2-2 બેઠકો આસાનીથી જીતી શકે તેમ હતા, પણ ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને પોતાની બેઠકો 99થી વધારીને 103…
કોરોના ની મહામારી માં ભારત માં ટેક્સ વધારી પેટ્રોલ ડીઝલ ના ભાવો હવે આસમાન માં પહોંચશે તેવી અટકળો વચ્ચે હવામાં એક કલાક ઉડવાનો રૂ 2 કરોડ નો ખર્ચો કરી શકે તેવુ વડાપ્રધાન મોદીજી નું વિમાન અમેરિકામાં તૈયાર થઈ ગયું છે,અને હવે મોદીજી આ વિમાન માં શાહી સફર કરશે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વિમાન એર ઇન્ડિયા વન અમેરિકામાં બન્યુ છે. આ વિમાન 900 કિ.મી.ની ઝડપે ઉડી શકે છે જેની કિંમત રૂ.1300 કરોડ છે. આ વિમાન નો આકાશ માં એક કલાક ઉડવાનો ખર્ચ રૂ.2 કરોડ સુધી આવે છે. આધુનિક આ વિમાનમાં મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને જોડવાનો સોદો ટ્રમ્પની મુલાકાત દરમિયાન થયો…