દુનિયાભરમાં સૌથી વધુ વેક્સીનનું ઉત્પાદન કરી રહેલા ભારત દેશ માટે મેડિકલ એક્સપર્ટ્સનુ માનવુ છે કે કોઇપણ વેક્સીનેશન પ્રોગ્રામને સમગ્ર દુનિયામાં ચલાવવો હોય તો આ પ્રોજેક્ટ ભારત વગર સંભવ નથી. નિષ્ણાંતો મુજબ ભારત દેશ આટલા મોટા પ્રમાણમાં વેક્સીન તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે. બીજી તરફ આખી દુનિયામાં ફેલાઇ ચૂકેલી કોરોના મહામારી પર અંકુશ મેળવવા માટે પણ વેક્સીનેશન પ્રોગ્રામ એકસાથે દુનિયાભરમાં ચલાવવના ભલામણ કરવામાં આવી રહી છે. એવામાં ભારત તરફ દુનિયાના તમામ દેશો આશાભરી નજરે જોઇ રહ્યા છે. કોરોના વેક્સીનની વાત કરીએ તો ભારતમાં બે વેક્સીન કેન્ડિડેટ હ્યુમન ટ્રાયલમાં છે, વિશ્વસ્તરે જરુરિયાત અને વસતીને લીધે ભારત આશરે 3 અબજ જેટલી વેક્સીન તૈયાર…
Author: Karan Parmar
કોરોના મામલે ઓક્સફોર્ડ યુનિવર્સિટીને મોટી સફળતા મળી છે. ઓક્સફોર્ડ યુનિ.એ ગેમ ચેન્જિંગ એન્ટિબોડી ટેસ્ટ કિટ તૈયાર કરી હતી. એન્ટિબોડી ટેસ્ટ કિટથી લોકો ઘરે જ ટેસ્ટ કરી શકશે અને તે માત્ર 20 મિનિટમાં રીઝલ્ટ પણ આપશે. ઓછા સમયમાં વધારે લોકોના ટેસ્ટિંગ માટે આ કીટ મદદ કરશે. એન્ટિબોડી ટેસ્ટ કિટના ટ્રાયલમાં 98.6 % પરિણામ મળી રહે છે. ઓક્સફર્ડ યુનિ. એ બ્રિટનની ફર્મ સાથે મળીને ટેસ્ટિંગ કીટ બનાવી છે. મળતી માહિતી અનુસાર ઓક્સફર્જની જે એન્ટીબોડી ટેસ્ટને સફળતા મળી છે તેને બ્રિટેનની સરકારનું સમર્થન મળ્યું છે. હવે સરકાર યોજના બનાવી રહી છે કે લાખો એન્ટીબોડી ટેસ્ટ કિટનું વિતરણ પ્રેગનન્સી સ્ટાઈલ ટેસ્ટ કિટની જેમ જ…
ડીઝલના ભાવમાં શનિવારે વધારો થયો છે. દેશની રાજધાની સહિત તમામ મહાનગરોમાં ડીઝલ ખરીદવું મોંઘું બની ગયું છે. દિલ્હીમાં એક લીટર ડીઝલનો ભાવ 17 પૈસા વધીને 81.52 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. તો બીજી તરફ પેટ્રોલનો ભાવ નો ભાવ યથાવત રહ્યો હતો. પેટ્રોલના ભાવમાં કોઇપણ વધારો થયો ન હતો. ઘણા દિવસોથી ફક્ત ડીઝલ ના ભાવમાં વધારો થઇ રહ્યો છે, તો બીજી તરફ પેટ્રોલના ભાવ 29 જૂને વધ્યા હતા. ત્યારબાદ સતત પેટ્રોલના ભાવ યથાવત છે. દરરોજ સવારે છ વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે છ વાગ્યાથી નવા ભાવ લાગૂ થાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી ડીલર…
ભારતમાં કોરોનાના દર્દીઓનો આંક તાજેતરમાં ૧૦ લાખને પાર થઈ ચૂક્યો છે. ત્યારે તજજ્ઞો દ્વારા આશંકા વ્યકત કરાઈ રહી છે કે જો સંક્રમણ વધવાની ગતિ આ જ પ્રમાણેની રહી તો બ્રાઝીલ અને અમેરિકા જેવી સ્થિતિ નિર્માણ પામી શકે છે. દેશના કુલ ૬૪૦ જિલ્લામાંથી ૬૨૭ ખતરનાક વાયરસની લપેટમાં આવી ચૂક્યા છે. દેશ અને આંતરરાર્ષ્ટ્રીય નિષ્ણાતોના મત મુજબ સરકારે સંક્રમણની ગતિને રોકવા માટે બીજીવખત દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવાથી અચકાવું જોઈએ નહીં. એઈમ્સના વિષાણું વૈજ્ઞાનિક પ્રોફેસર ડો.આનંદ કૃષ્ણના જણાવ્યા મુજબ ભારતમાં ત્રણ મહિનાનું લોકડાઉન એ સમયે લાગુ થયું હતું, જ્યારે સમગ્ર દેશમાંથી માત્ર એક હજાર કેસ હતા. પરંતુ સાવ ઓછી સંખ્યામાં ટેસ્ટીંગને કારણે સંક્રમણના…
અયોધ્યામાં રામ મંદિરના માટે ભૂમિ પૂજન 5 ઓગસ્ટે થશે. રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટની તરફથી વડાપ્રધાન મોદીને 3 અને 5 ઓગસ્ટની તારીખ આપવામાં આવી હતી. આખરી નિર્ણય પીએમઓ કરવાનું હતું. પીએમઓએ 5 ઓગસ્ટને નક્કી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડાપ્રધાન મોદી આ ભૂમિ પૂજનમાં જોડાશે. પોતાના હાથે પાયાનો પત્થર મુકશે. શનિવારે મંદિર ટ્રસ્ટની બેઠકમાં આ કાર્યક્રમ અંગે ચર્ચા થઈ હતી. શું થયું હતું બેઠકમાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બીજી બેઠકમાં મંદિર નિર્માણની તારીખ નક્કી કરીને પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)ને મોકલી દેવાઈ છે. ટ્રસ્ટની તરફથી પીએમ મોદીને ત્રણ અને પાંચ ઓગસ્ટની તારીખ ભૂમિ પૂજન માટે આપવામાં આવી છે. હવે તેના પર…
રાજસ્થાન સરકારને ઉથલાવવાના કથિત ષડયંત્ર સાથે સંકળાયેલી બે ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ ફોન ટેપિંગ મુદ્દે ગૃહ મંત્રાલય હરકતમાં આવ્યું છે. ફોન ટેપિંગના આરોપ સંદર્ભે કેન્દ્ર સરકારે શનિવારે રાજ્યના મુખ્ય સચિવ રપાસે રિપોર્ટ માંગ્યો છે. રાજસ્થાન પોલીસની એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ બન્ને ઓડિયો ક્લિપ મામલે કેસ દાખલ કર્યો છે. આ બન્ને ક્લિપમાં ગેહલોત સરકારને ઉથલાવવાના ષડયંત્ર સાથે સંકળાયેલી વાતચીત રેકોર્ડ છે. ભાજપે આ ટેપની તપાસ CBI પાસે કરાવવાની માંગ કરતાં આરોપ લગાવ્યો કે, રાજસ્થાન સરકાર લોકોના ફોન ટેપ કરાવી રહી છે. રાજસ્થાન ACBના DG આલોક ત્રિપાઠીએ જણાવ્યું કે, એજન્સીએ કોંગ્રેસ નેતા મહેશ જોશીની ફરિયાદના આધારે FIR દાખલ કરી છે. જેમાં…
ગઢડા કોળી સમાજની બેઠકમાં રૂપાણીની ભાજપ સરકારના પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઇ બાવળિયાની હાજરીમાં આત્મારામ પરમારનો જોરદાર વિરોધ થયો હતો. કોળી સમાજના 300 આગેવાનો હતા અને તમામે એકી અવાજે કુવર બાવળીયાને સંભળાવી દીધું હતું કે. તમારા ભાજપથી અમે બધા નારાજ છીએ. આત્મારમ પરમારનું નામ ગઢડા વિધાનસભા બેઠક પર જાહેર કરી દીધું છે તે અમને માન્ય નથી. અમે ભાજપે હરાવીશું. ગઢડા વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણ મારુંએ રાજીનામું અપાવવામાં જે શોદાબાજી થઈ તેનાથી અહીંના મતદારો ભાજપથી ભારે નારાજ છે. તેઓ ભાજપને કોઈ પણ રીતે હરાવવા માટે સજજ છે. રોષ જોઈને બાવળિયાએ પૂરી બેઠક કર્યા વગર વિલા મોઢે નિકળી જવું પડ્યું…
કોવિડ-19 સામે લડવા માટે ગુજરાત પૂર્ણ રૂપે સુસજ્જ છે. ગુજરાત કોરોના સામે અસરકારક લડત આપી રહ્યું છે. સુરત અને અમદાવાદમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સુયોગ્ય અને અસરકારક પગલાં લેવાઈ રહ્યા છે એમ નીતિ આયોગના સભ્ય અને એઈમ્સના ફેકલ્ટી ડૉ. વિનોદ કે. પૌલે કહ્યું હતું. સુરત અને અમદાવાદની મુલાકાત પછી ગાંધીનગરમાં પત્રકારો સાથે વાત કરતાં ડૉ. વિનોદ પૌલે કહ્યું હતું કે, કોરોના જેવી અજાણી મહામારી સામે લડતાં લડતાં ગુજરાતે એવી અનેક પદ્ધતિઓ અને પ્રણાલિકાઓ શરૂ કરી છે જે સમગ્ર ભારત માટે અનુકરણીય અને અનુસરણીય છે. કોરોના સામેની લડતનું ગુજરાત મોડેલ સમગ્ર દેશમાં પ્રચલિત કરવાના પ્રયત્નો કરીશું એમ પણ પૌલે જણાવ્યું હતું.…
વનસંપદા, વનો અને વન્ય પ્રાણીસૃષ્ટિ વનબંધુઓના યોગદાનને કારણે જ સુરક્ષિત રહ્યા છે તેવો સ્પષ્ટતા વ્યકત કર્યો છે. વનોના જતન કર્યા છે. વર્ષોથી જમીન ખેડાણ કરતા આવા વન બાંધવોને જંગલ જમીનના માલિક બનાવે છે. વલસાડ જિલ્લાના દુર્ગમ વનબંધુ વિસ્તારો કપરાડા, ધરમપૂર અને ઉમરગામના ૧૧૪૭ વન બંધુઓને ર૯૯ હેકટર વન જમીન ફાળવણીના મંજૂરી પત્રો તથા ૮૦૦૦ વનબાંધવોને અધિકારપત્રો-સનદનું ડિઝીટલી વિતરણ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યું હતું. અંબાજીથી ઉમરગામની આદિજાતિ પટ્ટીના ૧૪ જિલ્લામાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૯૧૪૦૦ વ્યકિતગત અને ૪પ૬૯ સામૂહિક દાવાઓ મંજૂર કરેલા છે. આ દાવાઓમાં ૧,૪૯,પ૪૦ એકર જમીન વનબંધુઓને મળી છે. સામૂહિક દાવા અન્વયે ૧૧.૬૦ લાખ એકર જમીન મંજૂર કરવામાં…
અમદાવાદના શાહીબાગ વિસ્તારના ઉષાબેન પટણીની 8 મહિનાની દિકરી ઋષિકાને જન્મજાત મોઢામાં લીંબુ કદની ગાંઠ હતી. જે તકલીફના કારણે લાંબા સમયથી ઋષિકા ખાવા-પીવામાં મુશકેલી અનુભવી રહી હતી. ઉષાબેનના પતિ ભાડાની રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઉષાબેનના પતિની પણ કેન્સરની સારવાર ચાલી રહી છે. એક સાંધો ને તેર તૂટે તેવી પરિસ્થિતીમાંથી ઉષાબેન પસાર થઇ રહ્યા હતા. ઉષાબેનને સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગના તબીબોએ 17 જુલાઈ 2020 તકલીફમાંથી છુટકારો અપાવ્યો છે. બાળકીને હેમાંજિઓમા એટલે કે જીભમાં લોહીની ગાંઠ હોવાનું જાણવા મળ્યુ. આ ગાંઠનું ચોક્કસ કદ અને તેનું વિસ્તરણ જોવા માટે એમ.આર.આઇ. પણ કરાવવામાં આવતા જટિલતાની પૃષ્ટી થઇ. ઘણી વખત બાળકોની શારરિક વૃધ્ધિ થતાં…