Author: Karan Parmar

ANIMAL 9 7 20 BALAD

16.07.2020 સુધી, દેશમાં વાસ્તવિક વરસાદ 338.3 મીમી એટલે કે 01.06.2020 થી 16.07.2020 ના સમયગાળા દરમિયાન (+) 10% ની પ્રસ્થાન કરતા 338.3 મીમી જેટલો વરસાદ થયો છે. સીડબ્લ્યુસીના અહેવાલ મુજબ 16.07.2020 સુધી, દેશમાં 123 જળાશયોમાં ઉપલબ્ધ જીવંત જળ સંગ્રહ છેલ્લા વર્ષના સમાન સમયગાળાના 150% જીવંત સંગ્રહ અને છેલ્લા દસ વર્ષના સરેરાશ સંગ્રહના 133% સંગ્રહ છે. આજ સુધીમાં, ખરીફ પાકનું વાવેતર 691.86 લાખ હેક્ટર વિસ્તારમાં થયું છે જેની સરખામણીએ ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 570.86 લાખ હેક્ટર વિસ્તાર છે, આ રીતે દેશના ગયા વર્ષના તુલનામાં વિસ્તારના ક્ષેત્રના આવરણમાં 21.20 ટકાનો વધારો થયો છે. ખરીફ પાક હેઠળ વાવણી વિસ્તારનો કવરેજ નીચે મુજબ છે:…

Read More

Will Patidars living with BJP in 2019, support Hardik Patel’s ‘hand’ ? એક સમયે પાટીદાર અનામત આંદોલનનો ચહેરો અને પછીથી કૉંગ્રેસનોનો હાથ પકડી ને પંજા સાથે જોડાયેલા હાર્દિક પટેલને કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે.મહત્વની વાત અને મજાની વાત એ છે કે હાર્દિક ને આગામી સમયમાં ગુજરાતમાં પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે જ કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે, એટલે સ્વભાવિક રીતે દેખાય છે કે આવનાર ચૂંટણી ને લઇ ને આ સમીકરણ સર્જાયું છે પણ હાલ માં કૉંગ્રેસ પક્ષમાં હાર્દિકને અપાયેલું આ પદ ઘણું સૂચક બની રહે છે.ઘણા આને કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક માને છે, ઘણા પાટીદારો ને કોંગ્રેસ તરફ પાછા વાળવા માટે ની વાત…

Read More
ONGC Petroleum

ચાબહાર-જાહીદાન રેલવે પ્રોજેકટમાંથી ભારતના બહાર થવાના સમાચાર આવ્યા બાદ હવે ઇરાનના વધુ એક મોટી પરિયોજનામાં એકલું આગળ વધી શકે છે. આ પ્રોજેકટ ગેસ ફિલ્ડ ફારજાદ-બી બ્લોકના વિકાસને લઈને છે, વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવએ પ્રેસ બ્રિફિંગ દરમ્યાન જણાવ્યું હતું કે ભારતને સૂચના આપવામાં આવી છે કે હાલ તે ગેસ ફીલને એકલા જ વિકસિત કરવા જઈ રહ્યું છે. ઈરાને જણાવ્યું છે કે ભારત આ પરિયોજનામાં પછીથી સામેલ થઇ શકે છે. વિદેશ મંત્રાલયના પ્રવકતાએ જણાવ્યું છે કે ફરજાદ-બી ગેસ ફિલ્ડ કરારને લઈને પણ ઘણા સમાચારો ચાલી રહ્યા છે, એમાં એકસ્પ્લોરેશન સ્ટેજમાં ભારતની ONGC કંપની પણ સામેલ હતી. જોકે, ઈરાન તરફથી નીતિગત પરિવર્તનો…

Read More
Raksha Bandhan

રક્ષાબંધન પર આ વખતે દેશમાં ભાઈઓના કાંડા પર ચીનની નહીં પરંતુ બહેન તરફતી ભારતીય રાખડી જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દેશમાં સાત કરોડ વેપારીઓએ આ વખતે ચીનની રાખડી ન વેચવાનો નિર્ણય કર્યો છે. તેના બદલે દેશમાં બનેલી રાખડી વેચવામાં આવશે. જાણકારી અનુસાર ચીનને આપવામાં આવેલ અંદાજે એક હજાર કરોડ રૂપિયાની રાખડીનો ઓર્ડર કેન્સલ કરવામાં આવ્યો છે. વેપારીઓના આ અભિયાનથી ચીનને તો ઝાટકો લાગશે જ સાથે સાથે દેશમાં પણ રોજગાર વધશે. દેશમાં રિટેલ વેપારીઓના સંગઠન કંફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ)એ ચીન વિરૂદ્ઘ અભિયાન ચલાવ્યું છે. તે અંતર્ગત ચીનથી રાખડીઓ ન ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કહેવાય છે કે, આ નિર્ણયથી…

Read More
Highway

પરિવહન મંત્રાલય સાથે સંબંધિત સુત્રોએ જણાવ્યું કે મંત્રાલય 800-800 કરોડનાં બે પ્રોજેક્ટને લઇને ચાઇનીઝ કંપની (Jiangxi Construction Engineering Corporation)ની પેટા કંપનીને   તક નહીં આપે. બંને ચાઇનીઝ કંપનીઓને લેટર ઓફ એવોર્ડ આપવાથી ઇન્કાર કરી દેવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા માર્ગ અને પરિવહન પ્રધાન નિતિન ગડકરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કોઇ પણ હાઇ-વે પ્રોજેક્ટમાં ચાઇનીઝ કંપનીઓને ડાયરેક્ટ કે ઇન ડાયરેક્ટ એન્ટ્રી નહીં મળે. વર્તમાનમાં જો કોઇ પ્રોજેક્ટમાં ચાઇનીઝ કંપનીઓનો પણ પ્રકારે હાથ હોય તો તેને કેન્સલ કરીને બીજી વખત ટેન્ડર બહાર પાડવામાં આવશે.  ગલવાન ખીણની ઘટના બાદ ચીન વિરૂધ્ધ આર્થિક પ્રતિબંધની દિશામાં સરકાર, સ્થાનિક લોકો, અને કંપનીઓ ઘણા ઝડપથી આગળ…

Read More
Number Plate Fitting RTO

સામાન્ય દિવસોમાં આરટીઓ કચેરીમાં એક મહિને ૧૫ હજાર નવા વાહનોની નોંધણી થતી હતી, હવે એક મહિનામાં ફક્ત ત્રણ હજાર જેટલા વાહનો નોંધાય છે. અમદાવાદ આરટીઓ કચેરી પણ કોરોના ઝપેટમાં આવી ગઈ છે. કોરોનાના કહેર ને કારણે કચેરીને મોટું આર્થિક નુકસાન થયું છે. કોરોને કારણે ધંધા-રોજગાર ભાંગી પડતા લોકોની લાઇફ સ્ટાઇમાં પણ પરિવર્તન આવ્યું છે. આવી જ કંઈક અસર બજારમાં જોવા મળી રહી છે. આરટીએ ખાતે વાહન નોંધણી ના આંકડાની વાત કરવામાં આવે તો કોરોના પહેલા સામાન્ય દિવસોમાં આરટીઓ કચેરીમાં એક મહિને ૧૫ હજાર નવા વાહનોની નોંધણી થતી હતી. હવે એક મહિનામાં ફક્ત ત્રણ હજાર જેટલા વાહનો નોંધાયા છે. એટલે કે…

Read More
Hand Sanitizer 1

ગુજરાત મેડીકલ કોર્પોરેશન ધ્વારા સરકારી હોસ્પિટલોમાં બે કંપનીઓના સેનેટાઈઝર મોકલવામાં આવ્યા હતા તેના વધુ 21 સેમ્પલ હલકી ગુણવત્તાવાળા નીકળતા તેના સેમ્પલ નિષ્ફળ નિવડયા છે. સેમ્પલમાં આલ્કોહોલનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે. કેન્દ્ર સરકારની એક વેબસાઈટ પર આ પ્રકારની માહિતી હોવાની વાત માધ્યમોમાં પ્રસિધ્ધ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ બે કંપનીઓના 13 સેમ્પલ નિષ્ફળ સાબિત થયા હતા. ગુજરાત મેડીકલ કોર્પોરેશનની બેદરકારીના કારણે અનેક કોરોના વોરીયર્સ સામે ખતરો ઉભો થવાની શક્યતા વધી જાય તેમ છે. સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા મેડીકલ- પેરામેડીકલ બે કંપનીઓના સેનેટાઈઝરનો વપરાશ કરતા હતા હવે તેમાં આલ્કોહોલનું પ્રમાણ નહિવત હોવાનું…

Read More
Mukesh Ambani Nita Ambani

ફુટબાૅલ સ્પોર્ટસ ડેવલપમેન્ટ ના ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું કે, ભારતમાં ઓલિમ્પિક રમતને લાવવાનું મારું સપનું છે. આ વાત નીતા અંબાણીએ વર્ચુઅલ સભાની બેઠકમાં કરી છે. નીતા અંબાણીએ કહ્યું કે, ભારતમાં ઓલિમ્પિક રમતને લાવવું મારું સપનું છે. હું ભારતના એથલિટને વિશ્વ સ્તર પર ખુબ સારું પ્રદર્શન કરતા જાેવા માંગુ છું. નીતા અંબાણી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ સભ્ય છે. ખેલાડી તૈયાર કરવા માટે નીતા અંબાણીની આગેવાની હેઠળની ફાઉન્ડેશન શૈક્ષિણિક અને રમત-ગમતના પ્રોજેકટ ચલાવે છે. જેની સાથે લાખો બાળકો જાેડાયેલા છે. આ પહેલા પણ નીતા અંબાણીએ ભારતીય રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે આવા ઘણા પગલા લીધા છે, જે પ્રશંસનીય છે. નીતા અંબાણીએ મહિલા ફૂટબોલરોને પણ…

Read More
Rajnath Sinh Bipin Rawat

રક્ષા મંત્રી રાજનાથ સિંહ બે દિવસીય લદાખ અને જમ્મુ-કાશ્મીરના પ્રવાસે લેહના સ્ટકના પહોંચી ગયા છે. રક્ષા મંત્રી સમક્ષ પેરા કમાન્ડો પ્રદર્શન કરતાં જોવા મળ્યા. રક્ષા મંત્રી રાજનાથ સિહની સમક્ષ પેન્ગોન્ગ લેકની પાસે પેરા કમાન્ડોએ યુદ્‌ધ અભ્યાસ કર્યો છે. નોંધનીય છે કે, પેન્ગોન્ગ લેક એ જ વિસ્તાર છે જ્યાં ભારત અને ચીનના સૈનિકો સામ-સામે આવી ગયા હતા. રક્ષા મંત્રીની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવાને પણ ઉપસ્થિત છે.

Read More
gobar

છત્તીસગઢમાં ભુપેશ બઘેલ પ્રધાનમંડળે પ્રતિ કિલોના 2 રૂપિયાના દરે ગોબર-છાણ ખરીદવાની મંજૂરી આપી છે. જો આ યોજના ગુજરાતમાં લાગુ કરવામાં અમલ કરવામાં આવે તો 2 કરોડ પશુ માટે રોજના 40થી 50 કરોડ રૂપિયા આપવા પડે. ગુજરાતમાં ગોબર બેંક 2007 પહેલાથી છે. સરકારો હવે ગાયના નામે કૌભાંડો કરી રહી છે. ખરેખર તો પાંજરાપોળ અને પશુપાલનો સ્વનિર્ભર બને તે માટે છાણથી કાગળ, ગેસ, અળસિયા ખાતર, છાણીયુ ખાતર જેવી યોજના માટે ગામના લોકોને સહાય કરે તો તેઓ સ્વનિર્ભર બની શકે છે. ગોબર બેંક ગુજરાતમાં સફળ ન થઈ તેથી રૂપાણીએ એખ ગાય દીઠ રૂ.900ની સબસીડી આપી છે. ગુજરાતમાં એક કરોડ ગાય છે. તેથી રૂ.900…

Read More