અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને જો બાઈડેને હરાવ્યાં છે. જો કે, ટ્રમ્પ હજુ પણ પોતાની હારનો સ્વિકાર કરી રહ્યાં નથી. તેણે બાઈડેનની જીતના દાવાને પાંચ કલાક બાદ ટ્વિટ કરીને ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે, આ ચૂંટણી હું જ જીતીશ અને મને 7 કરોડ 10 લાખ વોટ મળ્યાં છે. આ વચ્ચે ટ્રમ્પની પચ્ની મેલાનિયાના એકપૂર્વ સહયોગીએ દાવો કર્યો છે કે, આ ચૂંટણી હાર્યા બાદ ટ્રમ્પનો સાથ છોડી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે મેલાનિયા ટ્રમ્પની પૂર્વ સહયોગી સ્ટેફની વોલ્કોકે દાવો કર્યો છે કે મેલાનિયા લગ્ન બાદથી સમજૂતિને લઈને ટ્રમ્પ સાથે વાતચીત કરી રહી છે. જેમાં પુત્ર બૈરનની સાથે…
કવિ: Karan Parmar
ભારત ચીન સરહદ પર ચાલી રહેલા બંને દેશો વચ્ચે તણાવને લઈને મોટા સમાચાર મળ્યા છે. 8માં રાઉન્ડની કોર્પ્સ કમાન્ડર સ્તરની ચર્ચા બાદ ભારત અને ચીન સરહદ પર તણાવ ઘટાડવા માટે સહમત થયા છે. બંને દેશો તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે ગેરસમજ દૂર કરવા અને પોતપોતાની સેનાઓને સંયમ જાળવી રાખવા માટે કહેવામાં આવશે. બંને પક્ષોએ સૈન્ય અને રાજનૈતિક ચેનલોના માધ્યમથી વાતચીત અને સંચાર બનાવી રાખવા માટે સહમતી વ્યક્ત કરી છે. આ બેઠકમાં ચર્ચાઓને આગળ ધપાવતા અય વિવાદિત મુદ્દાઓને પણ ખતમ કરવા માટે સહમતી બની છે જેથી સંયુક્તરૂપે સરહદી વિસ્તારમાં શાંતિ જાળવી શકાય. બંને દેશ ટૂંક સમયમાં બેઠકના વધુ તબક્કાની ચર્ચા…
જમ્મુ કશ્મીરના કુપવાડામાં રવિવારે સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. તો સુરક્ષાદળોએ ઘુસણખોરી કરી રહેલા બે આતંકીઓને ઠાર કર્યાં છે. મળેલી જાણકારી પ્રમાણે કેટલાક આતંકીઓ ભારતમાં ઘુસણખોરી કરવાની કોશિશ કરી રહ્યાં છે. આ દરમયાન રવિવારે સવારે માછિલ સેક્ટરમાં સુરક્ષઆ દળોએ એક આતંકીએ ઠાર કર્યો છે. જ્યારે બે જંગલની તરફ ભાગ્યાં છે. https://twitter.com/ANI/status/1325368412223139841 જવાનોએ મોરચો સંભાળતા સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને બાકીના આતંકીઓની તપાસમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. આ દરમયાન છુપાયેલા આતંકીઓએ જીવનો પર હૂમલો કર્યો છે. તેમાં ત્રણ જવાનો શહીદ થયા છે. સવારે ઠાર થયેલા આતંકીઓની પાસેથી એક એકે અને બે બેગ મળી આવ્યાં છે.
દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા પર જો બિડને શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યું કે ભારત-અમેરિકા સંબંધોને વધુ ઉંચાઇએ લઇ જવા માટે ફરી એક વખત સાથે મળી કામ કરવાની આશા કરુ છું. પીએમ મોદીએ ભારતીય મૂળની કમલા હૈરિસેને અમેરિકાના ઉપ રાષ્ટ્રાપતિ બનવા પર શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યું કે બધા ભારતીય-અમેરિકન માટે આ ખૂબ જ ગર્વની વાત છે. https://twitter.com/narendramodi/status/1325145433828593664 અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બનવા જઇ રહેલા જો બાઇડેનને અભિનંદન પાઠવતા પીએમ મોદીએ લખ્યું કે તમારી શાનદાર જીત માટે શુભકામનાઓ. ઉપરાષ્ટ્રપતિ તરીકે ભારત-અમેરિકા સંબંધોને લઇને આપવામાં આવેલ પોતાનું યોગદાન વખાણવાલાયક રહ્યું. મને એક વખત ફરીથી ભારત-અમેરિકા સંબંધોને નવી ઊંચાઇઓ સુધી લઇ…
બેંગલોરમાં ઓછી ઉંમરના ગરીબ સ્કુલના બાળકોની મદદ માટે 24 વર્ષના વિદ્યાર્થી હિમાંશુ મુનેશ્વરે સ્થાનિક કારીગરોની સાથે મળીને એક એવી સ્કુલબેગની ડિઝાઈન તૈયાર કરી છે જે ડેસ્કમાં બદલાઈ જાય છે. આ ખાસ બેગનું નામ એર્ગોનોમિક સ્કુલબેગ છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે હિમાંશુ એનઆઈસીસી ઈન્ટરનેશનલ કોલેજ ઓફ ડિઝાઈન, હેનુરથી ભણ્યાં છે. આ બેગને ડિઝાઈન કરવા માટે હિમાંશુ કોર્પોરેટ ફર્મોમાં નોકરીની તકને ફગાવી દીધી હતી. તેણે ઉત્તરપ્રદેશની યાત્રા કરી અને સ્થાનિક રૂપમાં ઉગાડવામાં આવેલી ચંદ્રાઘાસની સાથે બેગને ડિઝાઈન કરમાટે કારીગરોનો સહયોગ લીધો. હિમાંશુએ કહ્યું કે, હું શહેરમાં એક પ્રદર્શની દરમયાન કારીગરોની શિલ્પકલાને જોઈએ તેના ઉપર કાયલ થઈ ગયો હતો. તેના કામથી રોમાંચિત થયો…
બિહારમાં ભાજપ-જેડીયુની પોસ્ટર ગર્લ શાંતિપ્રિયાએ માયાવતીની બસપાનો પ્રચાર કરવા માંડતાં ભાજપ-જેડીયુની હાલત કફોડી થઈ ગઈ છે. ભાજપ-જેડીયુને છોડીને શાંતિપ્રિયા પશ્ચિમ ચંપારણ જિલ્લાની લૌરીયા વિધાનસભા બેઠક પર બસપાના ઉમેદવાર ગુડ્ડુ સિંહ માટે મત માંગી રહી છે. ગુડ્ડુ સિંહ સામે ભોજપુરી ગાયક વિનય બિહારી મેદાનમાં છે. ભોજપુરી ગાયિકા શાંતિપ્રિયાને પોસ્ટર ગર્લ બનાવાઈ હતી ભાજપ-જેડીયુએ ‘આત્મનિર્ભર બિહાર’ના મુદ્દે ઉગ્ર પ્રચાર કર્યો હતો. આ અભિયાનમાં જાણીતી ભોજપુરી ગાયિકા શાંતિપ્રિયાને પોસ્ટર ગર્લ બનાવાઈ હતી. શાંતિપ્રિયાએ ભાજપનાં પોસ્ટર, હોડગ્સ, વીડિયો વગેરેમાં સાડી પહેરીને ભાજપ-જેડીયુને મત આપવાની અપીલ કરી હતી. ભાજપના ચૂંટણી ઢંઢેરોના કવર પેજ પર પણ શાંતિપ્રિયાની તસવીર છે. હવે શાંતિપ્રિયા કહી રહી છે કે, હું…
રશિયા પર છેલ્લા 20 વર્ષથી સતત રાજ કરી રહેલા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 2021ની શરૂઆતના સમયગાળામાં પદ પર રાજીનામું આપી શકે છે. સૂત્રોઓ દાવો કર્યો છે કે પુતિનના રાજીનામાની અપીલ તેમની ગર્લફ્રેન્ડ જિમનાસ્ટ અલીના કબાઈવા અને તેની બે દિકરીઓએ કર્યો છે. ઉલ્લેખનીય છે કે એવો દાવો પણ કરવામાં આવ્યો છે ક પુતિન પાર્કિંસસની બિમારીથી પિડાઈ રહ્યા છે. હાલમાં આવેલા ફોટોગ્રાફસથી પુતિનની બિમારીની અટકળો વધુ ઝડપી બની છે. ફોટોગ્રાફસથી પુતિનની બિમારીની અટકળો વધુ ઝડપી મોસ્કોની રાજનીતિ વિજ્ઞાની વલેરી સોલોવેઇએ બ્રિટિશ અખબાર સાથે વાત કરતા જણાવ્યું કે રશિયન રાષ્ટ્રપતિની ગર્લફ્રેન્ડ અને તેમની 2 દીકરીઓ પુતિનને રાજીનામુ આપવા માટે દબાણ કરી રહી છે. તેમણે…
બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો કોલાહલ ગુરુવારે સંપન્ન થયો હતો. આ વખતની પ્રચાર ઝુંબેશનાં લેખાંજોખાં માંડીએ તો સૌથી વધુ મહેનત આરજેડીના તેજસ્વી યાદવે કરી હતી પંરતુ સૌથી વધુ સભાઓ 650 સભા ભાજપે સંબોધી હતી. વર્તમાન મુખ્ય પ્રધાન નીતિશ કુમારે 113 સભા સંબોધી હતી. તેજસ્વીએ કરી એકલે હાથ 250થી વધુ સભાઓ આ વખતની ચૂ્ંટણીએ સારી એવી રસાકસી જમાવી હતી. મુખ્ય પ્રધાન બનવાના સપનાં સેવી રહેલા આરજેડીના તેજસ્વીએ એકલે હાથે 250થી વધુ સભાઓ સંબોધી હતી. ભાજપે પોતાના 29 ટોચના નેતાઓને પ્રચાર માટે ઊતાર્યા હતા. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘ અને પક્ષ પ્રમુખ જે પી નડ્ડા સહિત ટોચના નેતાઓ બિહારમાં ઊતરી…
ગાંધીનગર, 5 નવેમ્બર 2020 ગુજરાતમાં દર બે વર્ષે થતી વાયબ્રન્ટ સમિટમાં થયેલા સમજૂતી કરાર પૈકીના પ્રોજેક્ટ ડ્રોપ થાય છે. 2015માં સરકારને 21304 કંપનીઓએ વાયદો કર્યો હતો કે અમે ગુજરાતમાં 16.30 લાખ કરોડનું મૂડીરોકાણ કરીશું, જેની સામે 15095 ઉદ્યોગજૂથોનું 2.89 લાખ કરોડનું મૂડીરોકાણ કમિશન્ડ થયું હોવાનો દાવો કરી કહેવામાં આવ્યું છે કે બીજા 249 પ્રોજેક્ટમાં 9491 કરોડનું મૂડીરોકાણ થવાનું છે. 2015માં 5464 પ્રોજેક્ટ મૂડીરોકાણમાંથી ખસી ગયા છે. એવી જ રીતે 2017માં 24774 પ્રોજેક્ટ માટે સમજૂતી કરાર થયા હતા. જે પૈકી 15425 પ્રોજેક્ટમાં 3.08 લાખ કરોડનું મૂડીરોકાણ કમિશન્ડ થયું હોવાનું કહેવામાં આવે છે. બાકીના 2662 પ્રોજેક્ટમાં 56740 કરોડનું મૂડીરોકાણ અંડર ઇમ્પ્લિમેન્ટેશનમાં હોવાનો…
ગાંધીનગર, 5 નવેમ્બર 2020 લોકોના શોખ પણ ગજબ હોય છે. એક સમય હતો જ્યારે નવું વાહન ખરીદતી વખતે પસંદગીનો નંબર લેવા માટે પડાપડી થતી હતી. તેમાં ભ્રષ્ટાચાર વ્યાપી ચૂક્યો હતો. હવે તો આરટીઓ કચેરીમાં ડ્રો સિસ્ટમથી નંબર મળે છે. તેથી ગમે તેવો નંબર ન આવે તે માટે રૂપિયા ખર્ચીને પસંદગીનો નંબર લેવામાં આવે છે. નવી સિરીઝમાં આપણે પસંદગીનો નંબર નોંધાવવો પડે છે અને તેની હરાજી પણ થતી હોય છે. વાહનોમાં પસંદગીનો નંબર મેળવવા માટે પ્રતિ વર્ષ 25000 જેટલી અરજીઓ થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં 12.36 લાખ લોકોએ પસંદગીનો નંબર લેવા માટે અરજીઓ કરી હતી જે પૈકી 11.70 લાખ લોકોને પસંદગીના…