કવિ: Karan Parmar

કેન્દ્ર સરકારે નવા મોટર વ્હીકલ રૂલ્સને 1 ઓકટોબરથી લાગુ કરી દીધા છે. આ હેઠળ લોકોએ RC, ઈન્સ્યોરન્સ અને ડ્રાઈવિંગ લાયસન્સ જેવા મહત્વના ડોકયુમેન્ટને સાથે લઈને રાખવાની ઝંઝટમાંખી મુકતી આપી દીધી છે. તો, બીજી તરફ તમારી એક નાની ભૂલ પણ તમારા ડ્રાઈવિંગ લાયસન્સને રદ કરી શકે છે. નવા નિયમો અનુસાર, પોલીસ કર્મી સાથે ખરાબ વ્યવહાર, ગાડી નહીં રોકવી, ટ્રકના કેબિનમાં પેસેન્જર બેસાડવા જેવી બાબતને ખરાબ વર્તન માનવામાં આવશે. આવું સામે આવતા જ ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવામાં આવી શકે છે. સાથે દંડ પણ ફટકારવામાં આવી શકે છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નવા નિયમ અનુસાર, મોટર વાહન અધિનિયમ-1988ની…

Read More

કેન્દ્ર સરકારે MSME અને અન્ય લોન લેનાર વ્યકિતઓને એક મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામુ દાખલ કર્યું છે. જેમાં જણાવાયું છે કે, MSME લોન, શિક્ષણ, હાઉસીંગ, કન્ઝયુમર, ઓટો, ક્રેડીટ કાર્ડ, વ્યવસાય અને ઉપભોગ લોન પર લાગુ ચક્રવૃધ્ધિ વ્યાજને માફ કરવામાં આવશે. સરકારના સોગંદનામા અનુસાર 6 મહિનાની લોન મોરેટોરીયમ સમયમાં બે કરોડ સુધીના લોનના વ્યાજ પર વ્યાજની છુટ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે કોરોના વાયરસ મહામારીની સ્થિતિમાં વ્યાજની છૂટનો ભાર વહન સરકાર કરશે એ જ મોટું સમાધાન છે. સાથોસાથ કેન્દ્ર સરકારે કહ્યું છે કે, આ માટેના અનુદાન માટે સંસદ પાસે અનુમતિ માગવામાં આવશે. કેન્દ્ર સરકારે…

Read More

આશા છે કે આગામી વર્ષની શરુઆત સુધીમાં આ જીવલેણ બીમારીની કોઈ વેક્સીન જરુર આવી જશે. આ માટે દુનિયામાં કોરોના વેક્સીન માટે રિસર્ચ યુદ્ધસ્તર પર શરું થઈ ગયું છે. આ વચ્ચે ભારતમાં વેક્સીનને લઈને આગામી તબક્કાની તૈયારીઓ શરું કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે રાજ્યો પાસેથી કોરોના વેક્સીન સ્ટોરેજને લઈને જરુરી ક્ષમતા તૈયાર કરવા માટે અને તેના વિતરણના પ્લાન અંગે સૂચનો માગ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આની પાછળનો વિચાર એ છે કે રસી બજારમાં આવે કે તરત જ દેશના દૂર-દૂરના લોકો સુધી પણ તેની તુરંત પહોંચવાની વ્યવસ્થા હોવી જોઈએ. કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના સંગ્રહ અને જાળવણી…

Read More

અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માથા પર છે ત્યારે ખુદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના પોઝિટિવ હોવાના સમાચારે ખળભળાટ મચાવી દીધો હતો. અત્યાર અગાઉના અહેવાલ મુજબ ચૂંટણી પ્રચારમાં ટ્રમ્પની સાથે ફરતી મહિલા સહાયક હોપ હિક્સને કોરોના પોઝિટિવ આવ્યો હતો. એ જાણીને ટ્રમ્પે પોતાને ક્વોરંટાઇનમાં મૂક્યા હતા. આજે સવારે ખુદ ટ્રમ્પે ટ્વીટ કરીને આ સમાચાર જાહેર કર્યા હતા. https://twitter.com/realDonaldTrump/status/1311892190680014849 તેમને કોરોના પોઝિટિવ આવવા ઉપરાંત તેમનાં પત્ની મેલાનિયાને પણ કોરોના પોઝિટિવ હોવાના રિપોર્ટ પ્રગટ થયા હતા. હવે ઓછામાં ઓછા 14 દિવસ ટ્રમ્પ જાહેરમાં ફરી નહીં શકે કે ચૂંટણી પ્રચાર કરી નહીં શકે. તેમણે મિનિમમ 14 દિવસ ક્વોરંટાઇનમાં રહેવું પડશે. અત્રે એ યાદ કરવા જેવું…

Read More

નાસા ફરી એકવાર ચંદ્ર પર અવકાશયાત્રીઓને મોકલવા જઈ રહ્યું છે. જ્યારે મહિલા અવકાશયાત્રીઓ 2024 માં ચંદ્ર પર પહોંચે છે, ત્યારે તેઓને તેની સપાટી પર પૃથ્વી કરતા 200 ગણા વધુ રેડિયેશનનો સામનો કરવો પડશે. પ્રથમ વખત, ચંદ્રની સપાટી પરના રેડિયેશન વિશેની માહિતી બહાર આવી છે. સાયન્સ એડવાન્સિસ જર્નલના એક અધ્યયનમાં બહાર આવ્યું છે. અધ્યયન મુજબ, ચંદ્ર મિશનના અવકાશયાત્રીઓ દરરોજ સરેરાશ 1,369 માઇક્રોસેવરોની બરાબર સરેરાશ દૈનિક રેડિયેશનનો સામનો કરશે. અવકાશયાત્રીઓ અવકાશમાં પૃથ્વીના વાતાવરણ કરતાં ઘણા પ્રકારના હાનિકારક રેડિયેશનનો સામનો કરે છે. તેમાં ગેલેક્ટીક કોસ્મિક કિરણો, છૂટાછવાયા સૌર કોષોનો સમાવેશ થાય છે. રેડિયેશન એ ઉર્જા છે, જે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો અથવા કણોમાં બહાર આવે…

Read More

રાજધાની દિલ્હીની હિંસામાં 53 લોકો માર્યા ગયા હતા અને મિલકતોને ભારે નુકસાન પહોંચ્યું હતું. જે બાદ દિલ્હી સરકારે તોફાનોનો ભોગ બનેલા લોકોના 1661 દાવાની પતાવટ કરી છે. આ લોકોને 21 કરોડ રૂપિયા રાહત આપી છે. હુલ્લડ મામલે દિલ્હી પોલીસે દાખલ કરેલી ચાર્જશીટ મુજબ સરકારે અત્યાર સુધીમાં 21,93,29,050 રૂપિયાનું વિતરણ કર્યું છે. આશરે 1661 પીડિતોના દાવાની પતાવટ કરવામાં આવી છે, જ્યારે 185 દાવાઓ હજુ બાકી છે. હુલ્લડોને ધ્યાનમાં રાખીને સરકારે મૃત્યુ માટે 10 લાખ, કાયમી અપંગતા માટે 5 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ થયેલાને 2 લાખ રૂપિયા, હળવા ઈજા માટે 20,000 રૂપિયા અને પશુપાલન માટે 5000 રૂપિયાની જાહેરાત કરી હતી. સીલમપુરના…

Read More

પૂર્વ કેન્દ્રીય પ્રધાન જસવંતસિંહનું નિધન થયું છે. બાડમેર જિલ્લાના જસોલ ગામમાં 3 જાન્યુઆરી, 1938 ના રોજ જન્મેલા જસવંતસિંહ ભાજપના સ્થાપક સભ્યોમાંના એક હતા. તેઓ ભાજપના દિગ્ગજ નેતા હતા પરંતુ 2014થી મોદીએ તેમને અમાનિત કરીને મતભેદોને કારણે તગેડી મૂકવામાં આવ્યા હતા. છેલ્લા છ વર્ષથી તેઓ કોમામાં હતા. જસવંતસિંહે અજમેરની મેયો કોલેજ અને ત્યારબાદ રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમીના ખડકવાસલામાં અભ્યાસ પૂરો કર્યો હતો. તે નાની ઉંમરે સેનામાં જોડાયા. 1966માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ભાજપના સ્થાપક સભ્ય હતા. 1980 માં પ્રથમ વખત રાજ્યસભામાં ચૂંટાયા. ત્યારબાદ 1986, 1998, 1999 અને 2004 માં રાજ્યસભામાં ચૂંટાયા હતા. જસવંતસિંહ ચાર વખત લોકસભા માટે ચૂંટાયા હતા. 1990, 1991, 1996,…

Read More

ડિસેમ્બર, 2019 સુધી, વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે પકડાયેલા 5608 વિદેશી નાગરિકોમાંથી, ફક્ત 38.71 ટકા લોકોને જ સજા આપવામાં આવી હતી, જ્યારે લગભગ 53 ટકા સામે ખટલો ચાલે છે. લગભગ 8 ટકા લોકો અન્ય કારણોસર અને 1 ટકા કરતા ઓછા વિદેશીઓ ભારે ગુનામાં સજા ભોગવી રહ્યા છે. વિદેશી નાગરિકોને જેલમાં રાખવામાં પઝાબ પાંચમા ક્રમે છે. પંજાબની જેલોમાં બંધ 209 વિદેશી લોકોમાંથી 40 ગુનેગારો છે, જ્યારે પશ્ચિમ બંગાળ પ્રથમ (2316), મહારાષ્ટ્ર (517), ઉત્તર પ્રદેશ (505), દિલ્હી (487) જેલમાં છે. ), પડોશી રાજ્યો હિમાચલ 6 માં (154), જમ્મુ અને કાશ્મીર 13 મા (87), હરિયાણા 21 મા (47) છે. આશ્ચર્યજનક વાત એ છે કે…

Read More

કિંમતી સ્માર્ટફોન પર ચોર પણ નજર રાખશે. મોબાઈલ ફોન ચોરાઇ જતા અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, જો ફોન ચોરાઈ કે ખોવાઈ ગયો હોય, મોબાઇલ ફોનના IMEI નંબર દ્વારા શોધી શકાય છે. IMEI નંબરની મદદથી ફોનને સરળતાથી ટ્રેક કરી શકાય છે. ફોનને ટ્રેક કરવા માટે, IMEI ફોન ટ્રેકર એપ્લિકેશન ગુગલ પ્લેથી ડાઉનલોડ કરી તેની મદદથી તમે તમારા ફોનને ટ્રેક કરી શકાય છે. ફોનના IMEI નંબર મોબાઇલ બોક્સ પર મળી જશે. 15 અંકની સંખ્યાનો બાર કોડની ઉપર લખવામાં આવે છે. * # 06 # ડાયલ કર્યા પછી IMEI નંબર કાઢી અને તેને સુરક્ષિત સ્થળે રાખવો જોઈએ. IMEIનો અર્થ…

Read More

અર્થતંત્ર અને બેરોજગારી મોટો મુદ્દો બનશે. કોરોનામાં મોટી સંખ્યામાં લોકો બિહારમાં આવી ગયા હતા. બિહારમાં મોટી સંખ્યામાં લોકો હવે બેરોજગાર બન્યા છે. આ લોકોનો ગુસ્સો નીતિશ અને મોદી સામે છે. મોદી-નીતીશ સરકારને સત્તા પરત ફરવાનો નિર્ણય ત્યાંના બેકાર યુવાનો અને મજબૂર લોકો કરશે. કોંગ્રેસ કેન્દ્ર સરકાર અને નીતીશ કુમારને ઘેરી લેવાનો પ્રયાસ કરી રહી છે. કૃષિનો કાળો કાયદો નડશે. તેથી મોદી સરકાર કૃષિ કાયદાને વખાણી રહી છે. ખેડૂતો તેને પોતાની વિરૃદ્ધ માને છે. વિધાનસભાની ચૂંટણીમાં આ એક મોટો મુદ્દો બની જશે. રામ મંદિરના મુદ્દે એનડીએ સરકાર બંધારણ વિરૃદ્ધ જઈને પ્રચાર કરશે. ધર્મને ચૂંટણીમાં પ્રચાર તરીકે લાવી શકાતો નથી. પણ બિહારમાં…

Read More