પૂર્વી અને દક્ષિણ લિબિયામાં રવિવારે 13 સપ્ટેમ્બરના રોજ લોકોએ વિરોધ પ્રદર્શન કરીને પૂર્વ શહેર બેનખાઝીમાં સરકારી બિલ્ડિંગમાં આગ લગાવી દીધી હતી. તેઓ માંગ કરી રહ્યા હતા કે સરકાર રોકડની અછત, વારંવાર વીજ કાપ અને વધતા જતા ઇંધણના ભાવને લઈને આ પ્રદેશમાં લાંબા સમયથી ચાલતા અને સતત મુદ્દાઓ પર ધ્યાન આપે કે જે સામાન્ય લિબિયાના જીવનને ખૂબ મુશ્કેલ બનાવે છે. સરકાર વિરુદ્ધ આવા દેખાવો દેશના દક્ષિણ ભાગના અન્ય શહેરોમાં થયા હતા, જેમ કે અલ-બાયડા અને સબાહ અને પૂર્વીય લિબિયામાં અલ-માર્જ જૂથો છે. એક જૂથે તાજેતરમાં બાંધવામાં આવેલા કેબિનેટ ભવનને આગ લગાવી હતી અને નાસી છૂટ્યા હતા. પોલીસ ફાયરિંગ કર્યું. આમાં પાંચ…
કવિ: Karan Parmar
ડેન્ગ્યુ તાવમાં પ્લેટલેટ ઓછા થઈ જાય છે. હવે કોરોના ડેન્ગ્યુના વેશમાં બેઠેલા દર્દીઓ પર પણ હુમલો કરી રહી છે. આમાં દર્દીની પ્લેટલેટ અચાનક 20 હજારથી નીચે આવી રહી છે. જ્યારે ડેન્ગ્યુ છે કે કેમ તે પકડી શકાતું નથી. આવા દર્દીઓ મોટે ભાગે કોરોનાના ગંભીર તબક્કે પહોંચ્યા પછી જોવા મળે છે. પીજીઆઇના ડોકટરોએ પણ આ અંગે સંશોધન શરૂ કર્યું છે. પીજીઆઈના પ્રોફેસર અનુપમ વર્માએ કહ્યું કે અચાનક દર્દીઓમાં પ્લેટલેટ ઘટી રહી છે, તેની સારવાર કરવી મુશ્કેલ છે. કોરોના દર્દીના રોગપ્રતિકારક સંકુલને અસર કરે છે, જેમાં મોનોસાઇડ્સ અને મેક્રોફેજેસ સેલ પર હુમલો કરે છે. તેનાથી શરીરમાં પ્લેટલેટનો વપરાશ વધે છે. જ્યારે તેમનું…
કારગિલ યુદ્ધ સમયે, ત્રીજો માર્ગ બનાવવાની યોજના હતી, જેના દ્વારા લદાખ તરફનો રસ્તો આખા વર્ષ દરમિયાન ખુલ્લો મુકાય શકે છે. પહેવા બાજપેઈ અને પછી કોંગ્રેસે જોયેલું સપ્ન, 20 વર્ષની સતત મહેનતથી સાકાર થવા જઈ રહ્યું છે. હવે આખા વર્ષ દરમિયાન લદ્દાખને દેશ સાથે જોડવાનું શક્ય બનશે. રોહતાંગ પાસની નીચેથી નીકળતી સુરંગ શરૂ થતાં જ લદાખ પહોંચવાનો ટૂંકી રસ્તો પણ ખુલશે. આ માર્ગ મનાલીથી દાર્ચા, હિમાચલના શિંકુલા પાસ થઈને લદાખની ઝાંસ્કર ખીણથી આગળ વધશે. આ રૂટ પર ઓછી હિમવર્ષા થાય છે. તેથી લેહ અને કારગિલ તરફનો માર્ગ ભારે બરફવર્ષામાં પણ ખુલ્લો રહેશે. હમણાં સુધી, કારગિલ અથવા લેહ સુધી પહોંચવા માટે માત્ર…
જૂનાગઢ, 16 સપ્ટેમ્બર 2020 આપણે પોસ્ટ ઓફિસને ટપાલની લેવડ દેવડ માટે કે બચત ખાતા તરીકે જોઈએ છીએ. પરંતુ ટપાલ વિભાગે નવતર અભિગમ અપનાવી મહાનુભાવો કે લોકપ્રીય હસ્તીઓની જેમ કોઈપણ વ્યક્તિ પોતાના ફોટાવાળી ટિકિટ પણ બનાવી તેવો નિર્ણય કર્યો છે. સામાન્ય રીતે ભારતીય ટપાલ વિભાગ દ્વારા મહાનુભાવો અને લોકપ્રીય હસ્તીઓની ટપાલ ટિકિટ બહાર પાડવામાં અઆવે છે. પરંતુ હવે ટપાલ વિભાગ દ્વારા આપના ફોટા વાળી ટિકિટ બનાવી શકાય છે. આ સુવિધા હેડ પોસ્ટ ઓફિસ ગાંધીગ્રામ જૂનાગઢ તથા સબ પોસ્ટ ઓફિસ પ્રભાસ પાટણ ખાતે ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જે અન્વયે લોકો પોતાના ફોટાવાળી ટિકિટ બનાવી શકે છે જેનો ચાર્જ એક શીટના રૂ.300/- છે…
કેન્દ્ર સરકાર વિનિવેશના મોરચે ઝડપથી આગળ વધી રહી છે. કેન્દ્ર સરકારે ચાલુ વર્ષ દરમિયાન 2.10 લાખ કરોડ રૂપિયાનું વિનિવેશ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. સરકાર પબ્લિક સેક્ટરની કંપનીઓના વિનિવેશ દ્વારા 1.20 લાખ કરોડ રૂપિયા ભેગા કરશે. તો નાણાકીય સંસ્થાઓના હિસ્સેદારીના વેચાણ દ્વારા અન્ય 90 હજાર કરોડ રૂપિયા ભેગા કરાશે. કેન્દ્રીય નાણામંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે વિનિવેશને લઇ ઉઠાવવામાં આવેલા પગલાને લઇ જાણકારી આપી. તેમણે લોકસભામાં કહ્યું છે કે, સરકાર 20 કંપનીઓ અને તેમની યૂનિટ્સમાં હિસ્સેદારી વેચવા માટે તૈયારીમાં છે. આ કંપનીઓ રણનીતિક વિનિવેશ પ્રક્રિયાના જુદા જુદા ચરણોમાં છે. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, સરકાર 6 સરકારી કંપનીઓને બંધ કરવા જઇ રહી છે. નીતિ…
છેલ્લાં 5 વર્ષમાં મોદીના રાજમાં રૂ.7500 કરોડ આવેલા છે. ભાજપ અને તેની ભગીની સંસ્થાઓ લોકોને કેવી મૂર્ખ બનાવે છે. તે આના પરથી સ્પષ્ટ થાય છે. વિદેશી રોકાણની મંજૂરી કેન્દ્ર સરકાર આપતી હોય છે. દેશની 1,600 થી વધુ ભારતીય કંપનીઓને એપ્રિલ 2016 થી માર્ચ 2020 દરમિયાન ચીન તરફથી એક અબજ ડોલરનું વિદેશી રોકાણ (એફડીઆઈ) મળ્યું છે. સરકારી ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. આ આંકડો મંગળવારે રાજ્યસભામાં લેખિત જવાબમાં આપવામાં આવ્યો હતો. એક અમેરિકન ડોલરનો ભાવ રૂ.73 છે. 1600 થી વધુ ભારતીય કંપનીઓ ચીનના 7500 કરોડ રૂપિયામાં રોકાયેલ છે, સરકારે સંસદમાં સંપૂર્ણ માહિતી આપી એક અંદાજ પ્રમાણે તેમાં ગુજરાતમાં 221 કંપનીઓ…
દિલ્હી 17 સપ્ટે 2020 દેશમાં કૃષિ સુધારણા માટેના બે મહત્વપૂર્ણ બિલ લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યા છે. આ છે “ખેડૂત પેદાશ વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સરળતા) બિલ, 2020” અને “ખેડુતો (સશક્તિકરણ અને સંરક્ષણ) કૃષિ સેવાઓ પર ભાવ ખાતરી અને કરાર બિલ, 2020”. આ બિલ અંગે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ પ્રધાન શ્રી નરેન્દ્રસિંહ તોમારે જણાવ્યું હતું કે આ દ્વારા હવે ખેડૂતોને કાયદાકીય પ્રતિબંધોથી મુક્તિ મળશે, જ્યારે તેઓએ સ્પષ્ટ કર્યું છે કે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) સ્ટેટ્સ એક્ટ હેઠળ કાર્યરત મંડીઓને પણ જાળવી રાખવામાં આવશે અને રાજ્ય સરકારો મુજબ કાર્યરત રહેશે. શ્રી તોમારે કહ્યું હતું…
રૂ.229 કરોડની પાણી યોજના સરકારે બનાવવાની શરૂ કરી છે. 150 લિટર પાણી આપવામાં આવશે. ગાંધીનગર માં ઘરે ઘરે વોટર મીટર પણ લગાવવા માં આવશે. 30 વર્ષ પહેલાં ગુજરાતમાં પાણીની કારમી તંગી હતી. પરંતુ છેલ્લા બે દાયકામાં ગુજરાત વોટર ડેફિસિટ માંથી વૉટર સરપ્લસ સ્ટેટ બની ગયું છે. નીતિ આયોગે પણ બેસ્ટ કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાતને પ્રથમ ક્રમ આપ્યો છે. ગુજરાત જળ સંચયમાં આદર્શ સાબિત થયું છે. એવો મુખ્ય પ્રધાન દાવો કરી રહ્યાં છે. કેન્દ્ર સરકારે 2024 સુધીમાં દેશમાં દરેક પરિવારને નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી આપવા નલ સે જલ યોજના શરૂ કરી છે. ગુજરાત 2 વર્ષ વહેલાં 2022 સુધીમાં દરેકના…
નર્મદા બંધના કેચમેન્ટ વિસ્તારમાં આ વર્ષે વરસાદ ઓછો થવાથી બંધમાં જળ આવક ઓછી રહી. ગયા વર્ષે 34 હજાર mcm આવક થઇ હતી તેની સામે આ વર્ષે લગભગ અડધી 17 હજાર mcm જેટલી પાણીની આવક થઇ. હાલમાં 587 કરોડ ઘન મીટર જેટલો જળ સંગ્રહ છે. 10 લાખથી વધુ ખેડૂતોને અને 14 લાખ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. બંધથી છેક 750 કિમી દૂરના વિસ્તારો સુધી પાણીનો લાભ આપી શકાશે. 7 મહાનગર પાલિકાઓ, 165 શહેરો અને 9 હજાર થી વધુ ગામોને પીવાનું પાણી મળશે. 3.32 કરોડ મિલિયન યુનિટ વીજળી પેદા કરવામાં આવી રહી છે. જેની કિંમત રૂ.13.25 કરોડ થાય છે. બંધ ઇજનેરીની અદભૂત…
ગુજરાત યુનિવર્સિટીએ 17 સપ્ટેમ્બર 2020એ જાહેર કરેલા બેચલર ઓફ જર્નલિઝમ એન્ડ માસ કમ્યૂનિકેશનના બીજા સેમેસ્ટરના પરિણામમાં પ્રથમ 10માંથી 10 રેન્કર્સ ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ કેમ્પસની “ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નલિઝમ અને કમ્યૂનિકેશન (આઈજેસી)નાં જાહેર થયા હતા. આઈજેસીનું પરિણામ 100% આવ્યું છે. પહેલા સેમેસ્ટરમાં પણ પ્રથમ દસ રેન્કમાં આઇજેસીનાં જ અગિયાર વિદ્યાર્થી આવ્યાં હતાં. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ દસ ક્રમે આવેલાં વિદ્યાર્થીઓનાં નામ અને એમના એસજીપીએ : આચાર્ય અક્ષય ધર્મેન્દ્ર , ભીંડે વૈદેહી ચંદ્રકાંત, કૃપલાની ખુશી નાનક , ગાલા આશિષ જયેશ , પંચોળી રુદ્રી પ્રેમલભાઈ , દહાણુકર સિદ્ધિ સંજય , શેખ કૈફ કૈસર હસીબ અહશાન, પટેલ દ્રષ્ટિ મુકેશભાઈ, પટેલ આહના ઉન્મેશ લાલાની રોનક સદરુદ્દીન. ઇન્સ્ટિટ્યૂટના…