બનાસકાંઠાના સાંસદ અને બનાસડેરીના ડીરેક્ટર પરબતભાઈ પટેલનું પ્રવચન કાપી નાંખવામાં આવ્યુ હતું. અવાજ બંધ કરી દેવાયો હતો. સાંસદનું પ્રવચન કોઈ સાંભળી ન શકે તે માટે વેબ પર તેનો અવાજ બંધ કરી દેવામાં આવ્યો હતો. પરબત પટેલે આ અંગે વાંધો ઉઠાવીને શંકર ચૌધરીને પત્ર લખ્યો છે કે આવું કઈ રીતે કરી શકો ? સાધારણ સભાનો અવાજ બંધ કરી દેવાયો તે લોકશાહીનો અવાજ બંધ કરવા બરાબર છે. પત્ર લખ્યા બાદ હવે પરબત પટેલનું પ્રવચવ તેની વેબસાઈટ પર મૂકવામાં આવ્યું છે. પણ તેમાં પશુપાલકોને રૂ.1144 કરોડ નફાની કઈ રીતે ખોટી ગણતરી ડેરીએ કરી છે તે ગણીત કાપી કાઢવામાં આવ્યું છે. જેમાં ભાજપના આગેવાને…
કવિ: Karan Parmar
2006-07માં 18.68 લાખ હેક્ટરમાં વાવેતર થતું હતં તે કુલ વાવેતરમાં 17 ટકા વાવેતર હતું. આ વર્ષોમાં મગફળીનો વિયત વિસ્તાર તો 2 લાખ હેક્ટર માંડ હતો. જે બતાવે છે કે મગફળીને સિંચાઈ આપી શકાય એવો વિસ્તાર તો માત્ર 11 ટકા જ હતો. તેનો એ મતલબ કે મગફળી પકવતાં ખેડૂતો 15 વર્ષ પહેલાં માત્ર ચોમાસાના વરસાદ પર આધારિત હતા. આ વર્ષમાં મગફળીનું કુલ ઉત્પાદન 32.85 લાખ મે.ટન થયું હતું. 100 કિલોનો ભાવ ત્યારે 1550-1625 સુધી રહેતો હતો. મજૂરોને રોજના રૂ.65 સરેરાશ મળતા હતા. મોસમમાં તે વધીને 100 રહેતા હતા. 9-10 વર્ષ પછી 2015માં 12.25 લાખ હેક્ટર થઈ ગયું હતું. હવે ફરી 20.18…
બિઝનેસ ઇન્સાઇડરના એક રિપોર્ટ અનુસાર, મુંબઈના પાલી હિલ વિસ્તારમાં અનિલ અંબાણીનું ઘર 66 મીટર ઊંચું છે. આ સિવાય તે 16,000 ચોરસ ફૂટમાં બનાવવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, અનિલ અંબાણી તેની ઊંચાઈ 150 મીટર રાખવા માગે છે, પરંતુ અધિકારીઓ દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી. આ મકાનમાં જીમ, સ્વિમિંગ પૂલ સહિતની ઘણી આધુનિક સુવિધાઓ છે. ફાઇનાન્શિયલ સર્વિસિસ કંપની આઈઆઈએફએલે અનિલ અંબાણીના નિવાસસ્થાનને જાન્યુઆરી 2018 માં ભારતના સૌથી મોંઘા મકાનોની યાદીમાં બીજા નંબર પર સ્થાન આપ્યું છે. આઇઆઇએફએલ વેબસાઇટ અનુસાર અનિલ અંબાણીના ઘરની કિંમત 5000 કરોડ રૂપિયાથી વધુ છે. બીજી તરફ, દેશમાં સૌથી મોંઘા મકાન તેના મોટા ભાઇ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ…
દાહોદ નગર કોરોના સંક્રમણથી મુક્ત થાય તે માટે નગરપાલિકા દૈનિક ધોરણે સેનિટાઇઝેશનની કામગીરી અસરગ્રસ્ત વિસ્તારો સહિત સમગ્ર નગરમાં પુરજોશમાં કરી રહી છે. આ કામગીરી સાંજના 6 વાગ્યા થી રાતના 10 વાગ્યા સુધી નિયમિત રીતે ચલાવવામાં આવી રહી છે. દાહોદ નગરના સૌથી વધુ સંક્રમિત વિસ્તારો જેમને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે અને જયાં સંક્રમણના કેસો વધુ પ્રમાણમાં બની રહ્યા છે. તે આખે આખા વિસ્તારમાં રોજે રોજ સેનિટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. ગઇ કાલે નગરપાલિકા દ્વારા ગોધરા રોડ થી ભગીની સમાજ સર્કલ સુધી, ગોદી રોડ, અરૂણોદય સોસાયટી, જયોતિ સોસાયટી, દેસાઇવાડ, હુસેની મસ્જિદ વિસ્તાર, ટીર્ચસ સોસાયટી, મહાવીર નગર વગેરે વિસ્તારોના ખાસ કરીને…
કોરોનાને લીધે લોકો અનેક પ્રકારની ચીજવસ્તુઓ ઓનલાઈન મંગાવવા લાગ્યા છે પરંતુ ઓનલાઈનની બાબતમાં ફોડના-ચીટીંગના કેસ ઉત્તરોત્તર વધી રહયા છે. સાયબર ક્રાઈમ કરતી ગેંગો સક્રિય થઈ જતા પોલીસ પણ તેમને પકડવા ભારે કવાયત કરી રહી છે. ઓનલાઈન ફોડમાં અનેક નાગરિકો શિકાર થઈ રહયા છે તેમાં આશ્ચર્યની વાત એ છે કે ભણેલો- ગણેલો વર્ગ તેનો વિશેષ શિકાર થઈ રહયો છે. અમદાવાદ શહેરમાં લોકડાઉન પછી ઓનલાઈન છેતરપીંડીના કિસ્સા વધ્યા છે ખાસ કરીને સોશિયલ મિડીયા પર લલચામણી ઓફર કરાય છે જેમાં લપેટાઈને અનેકલોકો લીંક પર કલીક કરે પછી બેંકોમાંથી રૂપિયા ઉપડી જાય છે. આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. પોલીસ વિભાગ તરફથી વારંવાર નાગરિકોને…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગન્નાથે આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા મોરિશિયસમાં સુપ્રીમ કોર્ટના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. મોરિશિયસની રાજધાની પોર્ટ લૂઇસની અંદર આ ભવન ભારતની સહાયથી નિર્માણ પામેલ પ્રથમ માળખાગત પ્રોજેક્ટ છે, જેમાં કામગીરી કોવિડ રોગચાળા પછી શરૂ થશે. આ સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ ભારત સરકારની 28.12 અમેરિકી મિલિયન ડોલરની સહાય સાથે પૂર્ણ થયો છે. https://twitter.com/ANI/status/1288725480011493379
સમાચાર એજન્સી ANI મુજબ મ્યાનમારની સરહદની પસો ચંદેલમાં સ્થાનિક સમૂહ પીપલ્સ લિબરેશન આર્મીના આતંકવાદીઓએ ઘાત લગાવીને કરેલા હુમલામાં 4 આસામ રાઇફલ્સ યૂનિટના ત્રણ જવાન શહીદ થયા છે અને ચાર ઘાયલ થયા છે. જેમાં 3 જવાન શહીદ થઈ ગયા છે અને 6ની હાલત ગંભીર હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ, ઘાયલ સૈનિકોને ફમ્ફાલ પશ્ચિમ જિલ્લા સ્થિત મિલિટ્રી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ANI અનુસાર આતંકવાદીઓએ પહેલા IED બ્લાસ્ટ કર્યો અને પછી સૈનિકો પર ફાયરિંગ કર્યું. ઇમ્ફાલથી 100 કિલોમીટર દૂર આ ક્ષેત્રમાં રિઇન્ફોર્સમેન્ટ મોકલવામાં આવી છે. https://twitter.com/ANI/status/1288721356318601217
દેવાદાર અનિલ અંબાણીની મુશ્કેલીમાં હજી વધારો થયો છે. અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રુપ (ADAG) રૂ. 2,892 કરોડનું ચુકવણુ નહિ કરી શકતા યસ બેંકે મુંબઇ ખાતેના રિલાયન્સ સેન્ટર કે જે આ ગ્રુપનું હેડકવાર્ટર છે તે પોતાના કબ્જામાં લઇ લીધું છે. યસ બેંક આ ગ્રુપ પાસે રૂ. 12,000 કરોડ માંગે છે. યસ બેંકે શાંતાક્રુઝમાં એડીએજીના 21,000 ચો.ફુટના બિલ્ડીંગ ઉપર તથા સાઉથ મુંબઇના નગીન મહેલના બે ફલોર પોતાના કબ્જામાં લઇ લીધા છે. યસ બેંકે 22 જુલાઇના રોજ સીકયુરીટી એકટ હેઠળ આ મિલ્કતો ઉપર પોતાનો કબ્જો લીધો હતો. એડીએજી ગ્રુપ બેંકનું રૂ. 2892 કરોડનું લેણુ નહિ ચુકવી શકતા બેંકે આ મિલ્કત કબ્જે લીધી હતી. માર્ચ…
ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) દ્વારા જારી કરાયેલા મોબાઇલ સબસ્ક્રીપ્શન ડેટા મુજબ ગુજરાતમાં એપ્રિલ 2020માં જિયોએ 68,000 યુઝર્સ મેળવ્યા છે. આ સાથે ગુજરાત સર્કલમાં જિયોના યુઝર્સ વધીને 2.38 કરોડ થયો છે. જ્યારે એપ્રિલ 2020માં ગુજરાતમાં ચાર ઓપરેટરોએ 11 લાખ યુઝર્સ ગુમાવ્યા હોવાનું પણ નોંધાયું છે. સાત કરોડથી વધુની વસ્તી ધરાવતા ગુજરાતમાં માર્ચ 2020માં કુલ 6.79 કરોડ મોબાઇલ ધારકો હતા, જે એપ્રિલ 2020 સુધીમાં 6.68 કરોડ થયાનું પણ નોંધવામાં આવ્યું છે. જિયોને બાદ કરતાં તમામ ઓપરેટરોએ લોકડાઉન દરમિયાન ગ્રાહકો ગુમાવ્યા છે. સૌથી વધુ 6.81 લાખ યુઝર્સ એપ્રિલ મહિના દરમિયાન એરટેલે ગુમાવ્યા હતા. આ ઘટાડા સાથે ગુજરાતમાં એરટેલના કુલ 1.03 કરોડ…
પહેલા પાંચ ભારતીય વાયુસેના (IAF) રફેલ વિમાન અંબાલાના એરફોર્સ સ્ટેશન પહોંચ્યા છે. વિમાનને 27 જુલાઇ 20 ના રોજ સવારે 10 વાગ્યે ફ્રાન્સના મેસિનાક, ડસોલ્ટ ઉડ્ડયન સુવિધાથી ઉડ્યા હતા અને યુએઈમાં અલ ધફ્રા એરબેઝ પર આયોજિત સ્ટોપઓવર સાથે આજે બપોરે ભારત પહોંચ્યું. ફેરીનું આયોજન બે તબક્કામાં કરવામાં આવ્યું હતું અને IAFના પાઇલટ્સ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આ વિમાન ફ્રાન્સથી ભારત સુધીના લગભગ 8500 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. ફ્લાઇટના પ્રથમ તબક્કે સાડા સાત કલાકમાં 5800 કિમીનું અંતર કાપ્યું. ફ્રેન્ચ એરફોર્સ (FAF) ટેન્કર ફ્લાઇટ દરમિયાન એર-ટુ-એર રિફ્યુઅલિંગ સમર્પિત પ્રદાન કર્યું હતું. IAF ટેન્કર દ્વારા 2700 કિલોમીટરથી વધુની અંતરેવાળી ફ્લાઇટનો બીજો તબક્કો એર-ટુ-એર…