ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચે ફરી એકવાર સંઘર્ષ થયો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર 29-30 ઓગષ્ટની રાત્રે પેંગોંગ ત્સો લેકની પાસે બંને દેશના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ બાબતે ભારત સરકારે જણાવ્યું હતું કે દેશના વીર જવાનોએ ચીની સૈનિકોની ઘુષણખોરી નિષ્ફળ બનાવી હતી. ચીનની સાથે સતત ચાલી રહેલ વાટાઘાટોનો અસર જમીન પર દેખાઈ રહી નથી. 29-30 ઓગષ્ટની રાત્રે ભારત અને ચીન વચ્ચે પૂર્વી લડાખ વિસ્તારમાં હિંસક ઝપાઝપી થઇ છે. પ્રાપ્ત વિગતો અનુસાર ચીની સૈનિકોએ મંત્રણા દરમિયાન પણ પોતાની મુવમેન્ટને આગળ વધારી હતી. પેંગોંગ લેકના દક્ષિણ કિનારે ચીની સૈનિકોની પ્રવુતિઓનો ભારતીય સેનાએ વિરોધ કર્યો હતો.
કવિ: Karan Parmar
ચીને ફરી એકવાર લદ્દાખ સીમામાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે. જોકે ચીની આર્મી પી.એલ.એ. ના આ પ્રયાસને ભારતીય સૈન્યના સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો છે, પરંતુ આ સમયે સ્થિતિ ફરી તંગ બની છે. આ ઘટના બાદ શ્રીનગર-લેહ હાઈવે સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. હવે આ હાઇવેનો ઉપયોગ ફક્ત સેનાના વાહનો માટે થશે. લદ્દાખ બોર્ડર પર થયેલી હલચલ બાદ સોમવારે સવારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પેંગોંગ તળાવની આજુબાજુ રહેતા સ્થાનિક લોકોને પણ સલામત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે. સંરક્ષણ મંત્રાલયે જારી કરેલા નિવેદન મુજબ 29-30 ઓગસ્ટની રાત્રે, ચીની સેનાએ પૂર્વી લદ્દાખના પેંગોંગ તળાવ નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો.…
લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલા ખૂની સંઘર્ષમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા.. જ્યારે કે ચીનના 40 જેટલા જવાનો મોતને ભેટ્યા હતા. ચીનના સોશિયલ મીડિયામાં આ સૈનિકોની કબરોની તસવીરો વાઇરલ થઇ ત્યારે ચીનના સોશિયલ મીડિયામાં આ સૈનિકોની કબરોની તસવીરો વાઇરલ થઇ છે. ચીને હજુ સુધી પોતાના કેટલાક સૈનિકો મોતને ભેટ્યા છે તે આંકડો જાહેર કર્યો નથી.. તેવામાં રક્ષા સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોશિયલ મીડિયામાં સૈનિકની કબરોની તસવીર વાઇરલ થતા ચીની સેનામાં ઝડપથી અસંતોષ વધી રહ્યો છે. ચીનની સેનામાં વધી રહેલા અસંતોષના કારણે જ કબરની તસવીર લીક થઇ જેના કારણે જ ચીની સૈનિકોની કબરની આ તસવીર દુનિયાની સામે…
ચીનના જે શહેરમાંથી દુનિયામાં કોરોના વાયરસે કહેર ફેલાવ્યો હતો ત્યાં હવે સ્કૂલો પણ શરૂ થવાની તૈયારીઓ થઈ ગઈ છે. સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે વુહાનમાં તમામ સ્કૂલ અને કિંડરગાર્ટનને ફરીથી ખોલી દેવાશે. સ્થાનિક સરકારે શનિવારે આ અંગેની જાહેરાત કરી. વુહાનના ૨,૮૪૨ શૈક્ષણિક સંસ્થાનો લગભગ ૧૪ લાખ વિદ્યાર્થીઓ માટે પોતાના દરવાજા ખોલવા તૈયાર છે. અધિકારીઓએ કહ્યું છે કે ઓનલાઈન શિક્ષણ પર પાછા ફરવા માટે આપાતકાલીન યોજનાઓને તૈયાર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ સ્કુલની બહાર જઈને માસ્ક પહેરે અને જો સંભવ હોય તો સાર્વજનિક પરિવહનથી બચે. સ્કૂલને રોગ નિયંત્રણ ઉપકરણોનો સ્ટોક કરવા અને નવા સંક્રમણને રોકવાની તૈયારીમાં મદદ…
જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદી અને સેના વચ્ચે થયેલી અથડામણમાં સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ પંથા ચોક વિસ્તારમાં ત્રણ આતંકવાદીને ઠાર કર્યા. ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે CRPF અને પોલીસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જે બાદ સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી આતંકવાદીઓને ઘેર્યા હતા. મળતી માહિતી પ્રમાણે આતંકવાદીએ મોટર સાયકલ પર આવ્યા હતા.બન્ને તરફ થયેલી ફાયરીંગમાં જમ્મુ-કાશ્મીર પોલીસના ASI બાબુરામ પણ શહીદ થયા છે. સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન યથાવત છે. ઓપરેશન દરમ્યાન સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર કરી મોટી સંખ્યામાં હથિયાર પણ જપ્ત કર્યા.. મહત્વપૂર્ણ છે કે, સેનાએ ત્રણ દિવસમાં 10 જેટલા આતંકવાદીને ઠાર કર્યા છે.
દિલ્હી (Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ના નેતૃત્વમાં AAP સરકારે રાજ્યમાં સતત છઠ્ઠા વર્ષે વીજળી દરોમાં વૃદ્ધિ નહીં કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી વિદ્યુત નિયામક આયોગ એ 28 ઓગસ્ટે કોરોના વાયરસ (Coronavirus) મહામારીને ધ્યાને લઈ શહેરમાં વીજળી દરોમાં 2020-21 સુધી કોઈ વધારો નહીં કરવાની જાહેરાત કરી હતી. જાહેરાત બાદ ટ્વિટ કરતાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના નાગરિકોને શુભેચ્છા પાઠવી. તેઓએ કહ્યું કે, દિલ્હીના લોકોને અભિનંદન. એક તરફ જ્યાં સમગ્ર દેશમાં દર વર્ષે વીજળીના દર વધી રહ્યા છે, બીજી તરફ દિલ્હીએ વીજળીના દર 6 વર્ષ સુધી વધાર્યા નથી અને કેટલાક ક્ષેત્રોમાં દરમાં ઘટાડો પણ કર્યો છે. આ ઐતિહાસિક છે. આ એટલા…
AIIMSમાં કોરોનાની સારવાર લઈ રહેલા 55 વર્ષીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તબીયત હવે સંપૂર્ણ પણે સારી હોવાનું સામે આવ્યું છે. એઈમ્સે શનિવારે એક નિવેદન બહાર પાડીને આ પ્રમાણેની જાણકારી આપી છે. તેમને હોસ્પિટલમાંથી ટૂંક સમયમાં રજા અપાશે. શાહને પોસ્ટ કોવિડ કેર માટે 18 ઓગસ્ટના રોજ એઈમ્સમાં દાખલ કરાયા હતા. 2 ઓગસ્ટના રોજ શાહનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો હતો. મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર થઈ હતી. 14 ઓગસ્ટના રોજ તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા રજા અપાઈ હતી.ત્યારબાદ અમિત શાહને વધુ સારવાર માટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં હવે તેમની તબિયત સ્વસ્થ હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, એઈમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ…
એક વખત ગુનો કરનારને પાસા લાગશે, રૂપાણી સરકાર ગોરા અંગ્રેજો કરતા પણ બેરહમ ભાગવા અંગ્રોજોની સરકાર બની, જુલમી ભાજપ સરકાર, પાસાનો વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ કાયદો જ રદ કરો. એક વખત સામાન્ય ગુનો કર્યો હોય તો પણ ગુજરાત ભાજપની ભગવા અંગ્રોજોની વિજય રૂપાણીની સરકાર તમામ મર્યાદાઓ ભૂલીને અંગ્રોજો કરતાં પણ કાળા કાયદાઓ લાવી રહી છે. ગુજરાતની પ્રજા માથું ઊંચું ન કરે તે માટે સરકાર સામે બોલનારની સામે પાસા લગાવીને મહિનાઓ સુધી જેલમાં નાંખી દેશે. પાસાનો હાલ ઉપયોગ ભ્રષ્ટાચારથી પૈસા બનાવવા માટે થઈ રહ્યો છે. હવે પોલીસ અને રાજકારણીઓ પાસાની ધમકી આપીને ભ્રષ્ટાચાર વધારે કરવા લાગશે. હવે ગુજરાતમાં શારીરિક હિંસા, ધાક ધમકી…
હાલમાં ચોમાસાની ઋતુ મા વરસાદને કારણે રૂપાણી સરકાર ના રસ્તાઓના વિકાસના દાવા ની પોલ ખૂલી ગઈ છે. ગુજરાતમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર રોડ-રસ્તાઓ નિર્માણ કાર્યમાં થતો હોય છે એ વાતને મેઘરાજાએ ખુલ્લી પાડી દીધી છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગની જવાબદારી જેના શિરે છે તેવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બનાસકાંઠા ના લોકો ને લઇ કટાક્ષ પૂર્વકનું નિવેદન કર્યું હતું. જોકે રાજ્યના નાયબ મુખ્યમંત્રી પાસે માર્ગ અને મકાન વિભાગનો હવાલો છે છતાં પણ તેઓ રાજ્યના રોડ-રસ્તાઓ સરખા કરાવી શકતા નથી કદાચ આ તેમની મજબૂરી હોઈ શકે છે કે પછી અધિકારીઓની આડોડાઈ પણ હોઈ શકે છે. માર્ગ અને મકાન વિભાગનો હવાલો સંભાળતાં આ…
આગામી 3 સપ્ટેમ્બ રથી 5 સપ્ટેમ્બર દરમ્યાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર મળી છ જિલ્લાઓમાં પ્રવાસ કરવાના છે. સી.આર.પાટીલ 3 સપ્ટેમ્બરે તેમનો પ્રવાસ અંબાજી માતાના દર્શન કરીને શરૂ કરવાના છે તેમનો પ્રથમ પ્રવાસ બનાસકાંઠા નો હશે. જોકે સી.આર.પાટીલ બનાસકાંઠામાં પ્રવાસ શરૂ કરે તે પહેલા જ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ બનાસકાંઠાના લોકોમાં ભાજપ પ્રત્યે નારાજગી ઉદભવે તેવુ વિવાદાસ્પદ નિવેદન આપતા ખળભળાટ મચી ગયો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા ખાતે એક જાહેર કાર્યક્રમમાં બનાસકાંઠા ના લોકોને પરોક્ષ રીતે છેતરપિંડી કરનારા કહ્યા હતા. ભાષણમાં ભાન ભૂલેલા નીતિન પટેલે બનાસકાંઠાના લોકો વિશે કરેલી આ ટિપ્પણીથી બનાસકાંઠાના…