કવિ: Karan Parmar

અમદાવાદ, શ્રમિકોનું સ્થળાંતર રોકવા માટે કેન્દ્ર સરકારની મહત્વની યોજના જાહેર કરી છે. ખાલી પડેલા સરકારી આવાસોનો ઉપયોગ પ્રવાસી મજૂરો માટે કરાશે. અફોર્ડબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પલેક્ષ સ્કીમ હેઠળ આપવામાં લાભ અપાશે. કેન્દ્ર સરકારે AMCને આ યોજનાની વિસ્તૃત ગાઇડલાઈન આપી છે. જુદી જુદી 2 પદ્ધતિથી અમલમાં યોજના આવશે. હયાત આવાસોને ટેન્ડર દ્વારા પીપીપી મોડેલથી ખાનગી એજન્સીને અપાશે. ખાનગી એજન્સી પોતાની જમીન ઉપર નવા આવાસો ઉભા કરીને ભાડે આપી શકશે. પ્રવાસી શ્રમિકોને કામના સ્થળે જ મળે તે માટે આયોજન પર ભાર મુકાયો છે. ગણતરીમાં દિવસમાં રાજ્ય સરકાર ભાડાની રકમ અંગે જાહેરાત કરશે. AMC એડી સિટી ઇજનેર હરપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતુ કે શહેરમાં પ્રવાસી…

Read More

રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને રોપ-વેથી જોડવાનો પ્રોજેક્ટ 2017માં શરૂ થયો હતો. હાલમાં ગીરનારરોપ-વેની કામગીરી અંતિમ તબક્કામાં છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ રોપ-વે પર્વતની જટિલતાના કારણે એંજિનિયિરીંગ માર્વેલ પણ ગણાશે. પર્યાવરણ અને બીજા કારણો સર પ્રોજેક્ટને જલ્દી પરવાનગી મળતી નહોતી તેમજ ગીરનારપર્વતનો કેટલો ભાગ અતિ જટિલ હોવાથી ત્યાં એંજિનિયરીંગ પડકારો પણ હતા. દરમિયાન ગિરનારી ગીધના માળા અને તેના સંરક્ષણની ચિંતા હતી. કેન્દ્રમાં મોદી સરકારની રચના થતા નવો રૂટ અને રોડમેપ તૈયાર કરીને જાણીતી કંપનીને કામ સોંપવામાં આવ્યું. હવે જે લોકો પોતાના પગે ગીરનારજઈ નથી શકતા તેમના માટે અંબાજી માના દર્શનનું સ્વપ્ન સાકાર થશે.

Read More

પ્રિયંકા અને નિકના સ્ટારડમ અને તેમની લક્ઝરી લાઈફસ્ટાઈલને તો તમે જોઈ જ હશે. આ બંનેની જીવનશૈલી પણ અતિ આલિશાન છે. બંને પોતપોતાના ક્ષેત્રમાં ઉચ્ચ પદ પર બિરાજે છે. જ્યાં પ્રિયંકા ફિલ્મોમાં કરોડોની કમાણી કરી છે. તો નિકની કમાણી પણ કંઈ કમ નથી. નિક પ્રિયંકાથી નાનો હોઈ શકે છે. પણ પ્રિયંકાની સંપત્તિથી ઘણો આગળ છે. નિકની કમાણી વાર્ષિક 180 કરોડ રૂપિયા છે. જો પ્રિયંકાની વાત કરીએ તો, તે વર્ષે 64 કરોડ રૂપિયા કમાય છે. પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્ન જોધપુરના ઉમેદ ભવનમાં શાહી સમારોહમાં થયા હતા. લગ્નના એક વર્ષ પછી, એ વાતનો ખુલાસો થયો કે ઉમૈદ ભવનને પ્રિયંકા અને નિકના…

Read More

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મોરચા અને સંગઠન પદાધિકારીઓની બેઠક બાદ હવે ૨ ટર્મથી ચુંટણી લડતા અને હારેલા ધારાસભ્યોની બેઠક રાખવાનું આયોજન કર્યું છે. રાજ્યના ૨૦ થી વધારે ધારાસભ્યોની બેઠક લઈને હાલની કામગીરી અંગે અને પેટાચુંટણીનું હોમવર્ક આપવા બેઠકનું આયોજન કર્યું હોવાનું અનુમાન નેતાઓ લગાવી રહ્યા છે પાટીલના પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી હવે પાટીલ જાણે 360 ડીગ્રી પરિવર્તન ઇચ્છે છે. ત્યાં સુધી કે ભાજપમાં કદાચ પ્રથમ વખત બની રહ્યું હશે કે હારેલા ધારાસભ્યોને યાદ કરવામાં આવ્યા હોય. હવે તેમની પાસેથી પણ કામગીરી લેવા માટે આયોજન કરવામાં આવ્યુ છે. જેથી આગામી ૨ સપ્ટેમ્બરે બપોરે કમલમ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સંગઠનમાં…

Read More

દેશના રાજકીય તખ્તા પર લાંબા સમયથી અમિત શાહની ગેરહાજરી અને તેમની તબિયત ચર્ચાનો મુદ્દો બનતી જાય છે. શાહ છેલ્લા એક મહિના કરતાં વધારે સમયથી ગાયબ છે. કોરોનાનો ચેપ લાગતાં ગુરૂગ્રામની ખાનગી હોસ્પિટલમાં સારવાર પછી શાહ હોમ ક્વોરેન્ટાઈન થયા હતા. 17 ઓગસ્ટે તબિયત બગડતાં તેમને ફરી એઈમ્સમાં દાખલ કરાયા. શાહની તબિયત સારી હોવાનું એઈમ્સ દ્વારા વારંવાર કહેવાયું છે. છેલ્લા એક અઠવાડિયામાં શાહના બે વાર કોરોના રીપોર્ટ કરાયા ને બંને વાર રીપોર્ટ નેગેટિવ આવ્યા એવા પણ અહેવાલ છે. શાહ એ રીતે સ્વસ્થ હોવા છતાં કેમ હજુ હોસ્પિટલમાં છે એ સવાલ પૂછાઈ રહ્યો છે. સૂત્રોના મતે, એઈમ્સના ડોક્ટરોએ શાહને હમણાં સંપૂર્ણ આરામ કરવાની…

Read More

ચીન અને પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના અને સડક નિર્માણના બહાને રાસાયણિક શસ્ત્રો બનાવી રહ્યાં હોવાનો સનસનાટીપૂર્ણ આક્ષેપ એક ઓસ્ટ્રેલિયન વેબસાઇટે કર્યો છે. ઓસ્ટ્રેલિયન વેબસાઇટ ધ ક્લાક્સોને એવો આક્ષેપ કર્યો હતો કે CPECની આડમાં છેલ્લાં પાંચ વર્ષથી આ બંને દેશો રાસાયણિક શસ્ત્રો બનાવી રહ્યાં હતાં. વેબસાઇટના એક આર્ટિકલમાં જણાવવામાં આવ્યું હતું કે ચીન અને પાકિસ્તાનનાં લશ્કરો વચ્ચે ગયા મહિને ત્રણ વર્ષની એક ડીલ (સમજૂતી) થઇ હતી. આ સમજૂતીમાં વુહાન ઇનસ્ટ્ટીટ્યુટ ઑફ વાઇરોલોજીમાં રાસાયણિક શસ્ત્રો બનાવવાની સમજૂતીનો પણ સમાવેશ થયો હતો. આ વેબસાઇટે એવો આક્ષેપ કર્યો હતો કે પાકિસ્તાન અને ચીન વુહાનમાં આવેલી પ્રયોગશાળામાં છેક 2015થી રાસાયણિક શસ્ત્રો બનાવવાની દિશામાં કામ કરી રહ્યાં…

Read More

દેશ અને દુનિયામાં કોરોના વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે હવે રાજ્યના નેતાઓને શકંજામાં લીધા છે. જાહેર કાર્યક્રમોમાં હાજરી આપતા અને જાહેર જીવન સાથે સંકળાયેલા નેતાઓ એક પછી એક કોરોનાની ઝપટમાં આવી ગયા છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા કોરોના પોઝિટિવ ટેસ્ટ થયા છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જાતે ટ્‌વીટ કરીને આ માહિતી આપી હતી. અગાઉ ગુરૂવારે ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોતે કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી અને સંબંધિત લોકોને પોતાના ટેસ્ટ કરાવવા તેમજ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપી હતી. https://twitter.com/hakubhajamnagar/status/1299040823137300480 ગુરૂવારે સાંજ થતાની સાથે જ અમદાવાદના પશ્વિમના સાંસદ ડૉ.કિરિટી સોલંકી પણ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. સોલંકીએ જાતે ટ્‌વીટ…

Read More

વડનગરની પ્રાચીન બોદ્ધિક સાઈટ પર હેરિટેજ મ્યૂઝિયમ અને નવું ઈનડોર સ્ટેડિયમ બનાવાશે. આ સિવાય ત્યાં મ્યૂઝિક યુનિવર્સિટી પણ ઉભી કરાશે-જેને તાના-રીરી નામ આપવામાં આવશે. તાના-રીરી બહેનો વડનગરના વતની હતા અને તેમણે ચાર સદીઓ પહેલા સંગીતની પ્રેક્ટિસ કરી હતી અને તેને પ્રોત્સાહન આપ્યું હતું. પાંચ એકરમાં ફેલાયેલા નવા ઈનડોર સ્પોર્ટ્‌સ કોમ્પલેક્સનું કામ શરૂ થઈ ગયું છે. જ્યારે હેરિટેજ મ્યૂઝિમ-કમ-કોમ્પ્લેક્સનું કામ આગામી મહિનાઓમા શરૂ થશે તેવી શક્યતા છે. એકંદરે, આ કામગીરીમાં 120 કરોડ રૂપિયા રૂપિયા કરતાં વધારેનો ખર્ચ થશે તેવો રાજ્ય સરકારનો અંદાજ છે. ‘સ્પોર્ટ્‌સ કોમ્પલેક્સ અને મ્યૂઝિક યુનિવર્સિટીના નિર્માણ પાછળ આશરે 10-10 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. હેરિટેજ મ્યૂઝિયમ બનાવવામાં 100 કરોડ…

Read More

ભાવનગરના સાંસદ ભારતી શિયાળ સામે તેના અંગત મદદનીશ અને ભાજપના બોટાદના નેતા ઉમેશ નારણ મકવાણાએ ગંભીર આરોપો મૂક્યા છે. સરકાર જે ગ્રાંટ ફાળવે છે તેમાં 10 ટકા સમિશન લેતા હોવાનો આરોપ છે. બોટાદના સાંસદના પ્રતિનિધિ તરીકે રાજીનામું આપું છું. અલ્ટ્રાટેક, રેલવે, નેશનલ હાઈવે અને સરકારી ગ્રાડના કારણે રાજીનામું આપું છું તેમાં ભાજપના સાંસદ ભારતી શિયાળ દ્વારા લાંચ લેવામાં આવી છે. રેલવેના ઝોનલ મેમ્બર તરીકે હું ચાલું રહી શકું નહીં. હું ચાલું રહું તો ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળશે તેના કારતાં રાજીનામું આપી દઉં તે શારૂં છે. હવે આ જમામ હોદ્દા છોડી દઉં છું અને ભાજપના એક કાર્યકર્તા કરીકે હું કામ કરીશ. સાંસદ…

Read More

પૂનમને લઈને મંદિર દ્વારા 300 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત અંબાજી મેળો બંધ કરવામાં આવ્યું પણ ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ 3 સપ્ટેમ્બર 2020ના દિવસે અંબાજી મંદિરમાં દર્શન કરશે તેથી મંદિરના દ્વારા ખોલી નાંખવામાં આવશે. હિંદુ વિચાર ધારા ધરાવતા પક્ષ દ્વારા સામાન્ય લોકો માટે મંદિર બંધ રાખવામાં આવે છે પણ ભાજપના નેતાના કારણે મંદિર ખોલી નાંખવામાં આવે છે. આ ભેદભાવ મંદિરમાં પણ ભાજપે શરૂ કર્યો છે. 2 તારીખે સાંજે ચંદ્રકાંત પાટીલ અહીં આવી જશે. હવે મંદિર 4 સપ્ટેમ્બર સુદી નહીં પણ 2 સપ્ટેમ્બર સુધી જ બંધ રહેશે. જે પછી મંદિર ચાલુ કરવામમાં આવશે. ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન દર્શનની વ્યવસ્થા…

Read More