આજે સવારે ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 75,960 નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન 1023 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 33,10,234ની થઇ છે અને 25,23,771 લોકો સાજા થયા છે અને અત્યાર સુધીમાં 60,472 લોકોના મોત થયા છે. રિકવરી રેટની વાત કરીએ તો તેમા થોડો વધારો થયો છે. હવે રિકવરી રેટ 76.24 ટકા પર પહોંચી ગયો છે. ગઇકાલે 9,24,998 કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 3,85,76,510 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યારે કોરોનાના 7,25,991 એકટીવ કેસ…
કવિ: Karan Parmar
ભારતીય રક્ષા મંત્રાલય તેને લઇ ટૂંક સમયમાં જ ઇઝરાયલની સાથે કરારને આખરી ઓપ આપી શકે છે. આ કરારની અંતર્ગત ઇઝરાયલ ભારતને બે ફાલ્કન એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (અવાકસ)ની સપ્લાય કરશે. પહેલાં પણ આ ડીલની કિંમતને લઇ ભારત અને ઇઝરાયલની વચ્ચે કેટલીય વાતચીત થઇ ચૂકી છે. જો કે બેતરફી ખતરાને જોતા આ કરારને ઝડપથી આખરી ઓપ આપવા માટે ભારત પર દબાણ વધી રહ્યું છે. ઇઝરાયલના ફાલ્કન અવાકસને રૂસની ઇલ્યુસિન-76 હેવી લિફ્ટ એરક્રાફ્ટની ઉપર લગાવાશે. સૂત્રોના મતે આ ડીલને લઇ મંત્રાલયમાં ચર્ચા થઇ ચૂકી છે અને ટૂંક સમયમાં જ તેને કેબિનેટ કમિટી ઓન સિકયોરિટીની સામે અંતિમ મંજૂરી માટે રજૂ કરાશે. ભારતીય…
દેશમાં કોરના વાયરસનો કહેર વધતો જ જઈ રહ્યો છે. ત્યારે શહેરનાં પ્રખ્યાત માણેકચોક ખાણીપીણી બજારમાં પાર્સલ સેવા ચાલુ કરવામાં આવી હતી જે પણ વિવાદને કારણે બંધ કરી દેવામાં આવી છે. AMCએ બુધવારે સાંજે માણેકચોક ખાણીપીણી બજાર બંધ કરાવી દીધું છે. આ સાથે ઇસ્કોન બ્રિજ પાસેનાં ખુલ્લા પ્લોટમાં ધમધમતુ ખાણીપીણી બજાર મોડી રાત સુધી ચાલતા વસ્ત્રાપુર પોલીસે દરોડા પાડીને 8 લારી માલિકોની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, કોરોના વાયરસનાં સંક્રમણ વધારે ન વકરે એટલે AMC દ્વારા અમદાવાદીઓને પુરેપૂરીછૂટ આપી નથી. હોટલો અને ખાણીપીણીની લારીઓ રાતે 10 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાય છે. ઈસ્કોન બ્રિજના છેડે આવેલા ગણેશ ચોક ખાતેના…
30 ઓગસ્ટના રોજ ગુજરાત સરકારની નવી ગાઇડલાઈનમાં ખ્યાલ આવશે કે નવરાત્રિ કેવી રીતે ઉજવાશે. આ ગાઈડલાઈનમાં કયા મુદ્દાઓ મહત્ત્વના રહેશે તે સમય બતાવશે. પરંતુ ગાઈડ લાઇન પહેલા અમદાવાદી ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. બીજી તરફ આયોજકો દ્વારા એક ગાઈડલાઇન તૈયાર કરવામાં આવી રહી છે જેમાં ખેલૈયાઓ માટે ગ્રાઉન્ડ સેનિટાઈઝ કરવામાં આવશે. ગ્રાઉન્ડ કેપીસિટી કરતાં 30% ખેલૈયાઓને મળશે એન્ટ્રી, એન્ટ્રી ગેટ પર સેનીટાઇઝર ટનલ ઊભી કરાશે અને ગ્રાઉન્ડ પર કોર્પોરેશનના ધન્વંતરી રથ રહેશે. આ સાથે ખેલૈયાઓને અપાશે માસ્ક અને સેનીટાઇઝર આ તમામ સજેશન ગુજરાતના ગરબા આયોજકોએ મુખ્યમંત્રીને પણ આપ્યા છે. આ અંગે વાતચીત કરતા આયોજક ગ્રિષ્મા ત્રિવેદી એ જણાવ્યું કે…
ઊંઝામાં જીરૂ, વરીયાળી, સોપારી, રાજગરો અને તમામ મસાલા પાકનો વેપાર કરતી પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રૂ.2.89 કરોડ તુરંત ભરી જવા માટે વેપારી પેઢી મહારાજા સ્પાઈસના માલીક સંજય પ્રહલાદ પટેલને ભરવા માટે કહેવામાં આવ્યું હતું. 2017-18 અને 2018-19 એમ બે વર્ષના હિસાબો તપાસતાં કુલ રૂ.3.81 કરોડની કરચોરી પકડાઈ છે. જે અંગે વેટ વિભાગે નોટિસ ફટકારી હતી. વેટવિભાગે તેમની અટક કરીને અમદાવાદ લાવવામાં આવ્યા છે. તેમની પૂછપરછમાં ઊંઝાના ભાજપના પક્ષપલટુ નેતા કઈ રીતે મદદ કરે છે તે બહાર આવી શકે છે. 3 ડિસેમ્બર 2019માં ઊંઝાના મહારાજા સ્પાઈસના માલિક સંજય પ્રહલાદ પટેલને જીએસટી વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જેમાં…
ચોમાસામાં ખેતરમાં કોઈ જઈ શકતું ન હોવાથી શાકભાજીના ભાવ શહેરોમાં વધી ગયા છે. તેથી બટાટા અને ડૂંગળીના ભાવો પણ વધ્યા છે. 12 માસી શાક બટાકા અને ડૂંટળીનું આટલું જંગી ઉત્પાદન છતાં ભાવ વધે કારણ કે માંગ વધી છે અને તેનો ફાયદો ખેડૂતોને ઓછો પણ કોલ્ટસ્ટોરેજમાં માલ સંગ્રહ કરેલા વેપારીઓને વધું ફાયદો થઈ રહ્યો છે. ત્યારે આ બે પાકનું વાવેતર બે જિલ્લામાં સૌથી વધું થઈ રહ્યું છે. ગુજરાતમાં 10 વર્ષમાં શાકભાજીના વાવેતર અને ઉત્પાદનમાં મોટી ઉથલપાથલ થઈ નથી. 10 વર્ષ પહેલા 2008-09માં 3.95 લાખ હેક્ટરમાં 68 લાખ ટન શાક પાકતું હતું. સૌથી વધું 57 હજાર હેક્ટરમાં 13 લાખ ટન શાકભાજી બનાસકાંઠામાં પાકતું હતું. આજે…
કોવિડ 19 મહામારીના કારણે થયેલા લોકડાઉનમાં મે 2020ના અંત સુધીમાં ગુજરાતમાં ટેલિકોમ ઉદ્યોગે 6.38 લાખ મોબાઇલ વપરાશકર્તા ગુમાવ્યા હતા. ધ ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ બુધવારે મે 2020ના મોબાઇલ સબસ્ક્રિપ્શનના આંકડાનો અહેવાલ જારી કર્યો હતો. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે આ સમયગાલા દરમિયાન ગુજરાતમાં 1.27 લાખ ગ્રાહકોના વધારાનો સમાવેશ થાય છે. લોકડાઉન દરમિયાન એવું અનુભવાયું હતું કે રોટી, કપડા અને મકાન ઉપરાંત ડેટા પણ પાયાની જરૂરિયાત બની ગયો છે. તેમ છતાં એપ્રિલ 2020માં ગુજરાતમાં 6.68 કરોડ ગ્રાહકો ધરાવતાં ટેલિકોમ ઉદ્યોગે 6.38 લાખ મોબાઇલ વપરાશકર્તા ગુમાવ્યા હતા અને મે 2020માં કુલ ગ્રાહકોની સંખ્યા 6.61 કરોડ રહી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે, મોબાઇલ વપરાશકર્તાઓએ ખર્ચો બચાવવા માટે એકથી વધુ સીમ કાર્ડનો ઉપયોગ બંધ કર્યો હતો. અગાઉ કોલ્સ અને ડેટા પોસાય તેવા રહે તે માટે મોબાઇલ વપરાશકર્તાઓમાં એકથી વધુ સીમ કાર્ડ રાખવાનો ટ્રેન્ડ જોવા મળતો હતો. ખર્ચો ઘટાડવા માટે હવે મોબાઇલ ધારકો વધારાનું સીમ કાર્ડ કે મોબાઇલ નંબર રાખવાનું ટાળી રહ્યા છે. પોસાય તેવો હાઇસ્પીડ ડેટા પૂરો પાડવા માટે જાણીતા જિયોએ મે 2020ના મહિનામાં 1.27 લાખ ગ્રાહકોનો વધારો નોંધાવતાં ગુજરાતમાં તેના કુલ ગ્રાહકોની સંખ્યા 2.39 કરોડે પહોંચી છે, જે એપ્રિલ 2020માં 2.38 કરોડ હતી. એ જ રીતે સરકારી માલિકીની કંપની BSNLએ 1547 ગ્રાહકોનો વધારો નોંધાવતાં એપ્રિલ 2020ની…
બેન્કો કોરોના મહામારીના સંકટકાળમાં પણ પણ ગ્રાહકો પાસેથી ચાર્જના નામે વધારે રૂપિયા પડાવવાનો પેંતરો રચી રહી છે. જો તમે મહિનામાં 20થી વધુ વખત યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) મારફતે ઓનલાઇન પેમેન્ટ કરી રહ્યા છે તો તમારે વધારે ચાર્જ ચૂકવવા તૈયાર રહેવુ પડશે. મોટાભાગની ખાનગી બેન્કોએ નિર્ધારિત સંખ્યા કરતા વધુ ઓનલાઇન પેમેન્ટ ઉપર વધારાનો ચાર્જ વસૂલવાની શરૂઆત કરી દીધી છે અને 2.5થી 5 રૂપિયા સુધી વધારાનું ચાર્જ વસૂલી રહી છે. અલબત સરકારે સ્પષ્ટ કહ્યુ છે કે યુપીઆઇ મારફતે પેમેન્ટ નિઃશુલ્ક રહેશે પરંતુ બેન્કો એવો તર્ક રજૂ કરી રહ્યા છે કે સિસ્ટમ પર બિનઆવશ્યક પેમેન્ટના લોડથી બચવા માટે આ ચાર્જ વસૂલવાની વ્યવસ્થા કરાઇ…
કોરોના વાયરસના ચેપમાંથી સ્વસ્થ થયા પછી, લોકો શ્વસન સમસ્યાઓનો સૌથી મોટો શિકાર બની રહ્યા છે. આવા લોકોમાં ક્રોના અવરોધક પલ્મોનરી રોગ અને કોરોનામાંથી સ્વસ્થ થયા પછી હાયપરટેન્શન સહિતના રોગોની સંભાવના વધુ હોય છે. સંશોધનકારોએ કોરોનાવાળા 2,900 થી વધુ તંદુરસ્ત લોકોની તપાસ કર્યા પછી આ જાહેરાત કરી હતી. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે જે લોકો શ્વસન માર્ગની સમસ્યાઓ સાથે પહેલાથી જ સંઘર્ષ કરી રહ્યા છે, જો તેઓ કોરોનાથી ચેપ લગાવે છે, તો તેઓ સ્વસ્થ થયા પછી પણ વધારાની જાગ્રત રહેવાની જરૂર છે, તેમજ કોરોના નિવારણ માટે કડક માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. જર્નલ ઓફ જનરલ ઇન્ટરનલ મેડિસિનની નવીનતમ સંસ્કરણમાં પ્રકાશિત થયેલ…
વધુ પરસેવો આવવો કે દુર્ગંધ આવવી : 20 થી 40 મી.લી. ગળોનું સરબત 4 ગણા પાણીમાં ભેળવીને સવાર સાંજ ના સમયે પીવાથી દુર્ગંધ વાળો પરસેવો નીકળવાનું બંધ થઇ જાય છે. શરીર તાકાતવાળુ અને શક્તિશાળી બનાવવું : લગભગ 4 વર્ષ જૂની ગળો જો કે લીમડો કે આંબા ના ઝાડ ઉપર સારી રીતે પાકી ગઈ હોય. હવે આ ગળો ના 4-4 ટુકડા આંગળી જેવડા કરી લો. હવે તેને પાણીથી સાફ કરીને કુટી લો અને પછી તેને સ્ટીલના વાસણમાં લગભગ 6 કલાક સુધી પલાળીને મૂકી દો.ત્યાર પછી તેને હાથથી ખુબ મસળી ને મિક્સર માં નાખીને વાટો અને ગાળીને તેના રસને જુદો કરી લો…