ફુટબાૅલ સ્પોર્ટસ ડેવલપમેન્ટ ના ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું કે, ભારતમાં ઓલિમ્પિક રમતને લાવવાનું મારું સપનું છે. આ વાત નીતા અંબાણીએ વર્ચુઅલ સભાની બેઠકમાં કરી છે. નીતા અંબાણીએ કહ્યું કે, ભારતમાં ઓલિમ્પિક રમતને લાવવું મારું સપનું છે. હું ભારતના એથલિટને વિશ્વ સ્તર પર ખુબ સારું પ્રદર્શન કરતા જાેવા માંગુ છું. નીતા અંબાણી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ સભ્ય છે. ખેલાડી તૈયાર કરવા માટે નીતા અંબાણીની આગેવાની હેઠળની ફાઉન્ડેશન શૈક્ષિણિક અને રમત-ગમતના પ્રોજેકટ ચલાવે છે. જેની સાથે લાખો બાળકો જાેડાયેલા છે. આ પહેલા પણ નીતા અંબાણીએ ભારતીય રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે આવા ઘણા પગલા લીધા છે, જે પ્રશંસનીય છે. નીતા અંબાણીએ મહિલા ફૂટબોલરોને પણ…
કવિ: Karan Parmar
રક્ષા મંત્રી રાજનાથ સિંહ બે દિવસીય લદાખ અને જમ્મુ-કાશ્મીરના પ્રવાસે લેહના સ્ટકના પહોંચી ગયા છે. રક્ષા મંત્રી સમક્ષ પેરા કમાન્ડો પ્રદર્શન કરતાં જોવા મળ્યા. રક્ષા મંત્રી રાજનાથ સિહની સમક્ષ પેન્ગોન્ગ લેકની પાસે પેરા કમાન્ડોએ યુદ્ધ અભ્યાસ કર્યો છે. નોંધનીય છે કે, પેન્ગોન્ગ લેક એ જ વિસ્તાર છે જ્યાં ભારત અને ચીનના સૈનિકો સામ-સામે આવી ગયા હતા. રક્ષા મંત્રીની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવાને પણ ઉપસ્થિત છે.
છત્તીસગઢમાં ભુપેશ બઘેલ પ્રધાનમંડળે પ્રતિ કિલોના 2 રૂપિયાના દરે ગોબર-છાણ ખરીદવાની મંજૂરી આપી છે. જો આ યોજના ગુજરાતમાં લાગુ કરવામાં અમલ કરવામાં આવે તો 2 કરોડ પશુ માટે રોજના 40થી 50 કરોડ રૂપિયા આપવા પડે. ગુજરાતમાં ગોબર બેંક 2007 પહેલાથી છે. સરકારો હવે ગાયના નામે કૌભાંડો કરી રહી છે. ખરેખર તો પાંજરાપોળ અને પશુપાલનો સ્વનિર્ભર બને તે માટે છાણથી કાગળ, ગેસ, અળસિયા ખાતર, છાણીયુ ખાતર જેવી યોજના માટે ગામના લોકોને સહાય કરે તો તેઓ સ્વનિર્ભર બની શકે છે. ગોબર બેંક ગુજરાતમાં સફળ ન થઈ તેથી રૂપાણીએ એખ ગાય દીઠ રૂ.900ની સબસીડી આપી છે. ગુજરાતમાં એક કરોડ ગાય છે. તેથી રૂ.900…
મહાનુભાવો, નમસ્કાર! કોવિડ-19ના કારણે આપણે માર્ચમાં ભારત-યુરોપિયન યુનિયનનું શિખર સંમેલન સ્થગિત કરવું પડ્યું હતું. સારી બાબત એ છે કે, આજે આપણે વર્ચ્યુઅલ માધ્યમથી મળી રહ્યાં છીએ. સૌપ્રથમ હું યુરોપમાં કોરોનાવાયરસને કારણે થયેલી જાનહાનિ પર સંવેદના પ્રકટ કરું છું. તમારી પ્રારંભિક ટિપ્પણીઓ બદલ ધન્યવાદ. તમારી જેમ હું પણ ભારત અને યુરોપિયન યુનિયનના સંબંધોને વધારે ગાઢ બનાવવા માટે કટિબદ્ધ છું. આ માટે આપણે લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને વ્યૂહાત્મક પરિપ્રેક્ષ્ય અપનાવવો જોઈએ. આની સાથે-સાથે એક કાર્યાભિમુખ એજન્ડા બનાવવો જોઈએ, જેનો નિર્ધારિત સમયમર્યાદામાં અમલ કરવો જોઈએ. ભારત અને યુરોપિયન યુનિયન સ્વાભાવિક પાર્ટનર્સ છે. આપણી પાર્ટનરશિપ વિશ્વમાં શાંતિ અને સ્થિરતા માટે પણ ઉપયોગી છે. આ…
લોકડાઉનને કારણે ભગવાન કેદારનાથ ધામમાં મૌન છે. પરંતુ તે દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રોડ હેડ નીતિન ગડકરી દ્વારા રચિત સ્વપ્ન પ્રોજેક્ટ આકાર લેવાનું શરૂ કર્યું છે. ભારે બરફવર્ષા પછી પુનર્નિર્માણનું કામ અટક્યું હતું. લગભગ ત્રણ વર્ષ પહેલાં, 20 ઓક્ટોબર 2017 ના રોજ, વડા પ્રધાન મોદીએ ધામમાં 700 કરોડ રૂપિયાની પાંચ યોજનાઓના પુનર્નિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતો. અદ્યાગુરુ શંકરાની પ્રતિમા પ્રથમ તબક્કામાં આશરે 20 કરોડના ખર્ચે સમાધિનું નિર્માણ કરવામાં આવશે. આ એકીકૃત આઇડિયા એજન્સી લિમિટેડના મોડેલ મુજબ કરવામાં આવશે. સમાધિ સુધી પહોંચવાનો અને પાછા ફરવાનો માર્ગ અલગ હશે. આશરે 13 મીટરની ગોળ પર બનાવવામાં આવી રહેલ સમાધિની મધ્યમાં અદ્યાગુરુ શંકરાચાર્યની…
વડા પ્રધાન, નરેન્દ્ર મોદી, સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદ (ECOSOC)ના આ વર્ષના ઉચ્ચ-સ્તરના ક્ષેત્રને વર્ચ્યુઅલ સંબોધન, ન્યુ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં, શુક્રવાર, 17 જુલાઈ, 2020 ના રોજ, (સ્થાનિક સમય) સંબોધન કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી નોર્વેના વડા પ્રધાન અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે સમાપન સત્રને સંબોધન કરશે. સામાજિક પ્લેટફોર્મ પર ભારતનો મુદ્દો પણ હોઈ શકે છે. ચીન ભારતની ભૂમિમાં કબજો જમાવીને બેસી ગયું છે અને તે નિકળાવનું નામ નથી લેતું તે અંગે તેઓ વિરોધ વ્યક્ત કરીને ચીનની સામે શબ્દીદ યુધ્ધ ખેલે એવી અપેક્ષા દેશના લોકો રાખી રહ્યાં છે. કારણ કે ચીન 4 કિલો મીટર ભારતની જમીન પચાવી લીધી…
ગુજરાતના કચ્છમાં આશાપુરા પાસે માતાના મઢ વિસ્તારમાં દુનિયાનું એકમાત્ર સ્થળ ખનીજ jarosite ધરાવતી ખાણ મળી છે. જમીન મંગળ ગ્રહ જેવી છે. નાસા સંશોધન કરશે. જે બેસાલ્ટ ટેરેનમાં જેરોસાઇટ ધરાવતું દુનિયાનું એકમાત્ર સ્થળ છે. 7.2 કરોડ વર્ષ પહેલાં અહીં જેરોસાઇટ બન્યું હોવાનું માનવામાં આવે છે. નાસા કે ઇસરોના મંગળ મિશન માટે રોવર લેન્ડિંગ માટે અહીં અભ્યાસ થશે. નાસાના વિજ્ઞાનીઓ કચ્છ આવેલા હતા. ગુજરાતમાં અહીં આવેલી છે મંગળ ગ્રહ જેવી જ ધરતી છે. આઈ.ટી ખડગપુર, સ્પેશ એપ્લિકેશન રિસર્ચ સેન્ટર, અમદાવાદ (ઈસરો) અને નેશનલ જિયોફિજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હૈદરાબાદ આ વિષય પર સંયુક્ત અભ્યાસ હાથ ધરશે. આ સંશોધનથી તેઓ મંગળ ગ્રહ પર પાણીનું અસ્તિત્વ…
કેન્દ્રીય જહાજ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) મનસુખ માંડવીયાએ ભારતના પ્રથમ ટ્રાન્સ-શિપમેન્ટ હબ – કેરળના કોચિન બંદરના વલ્લારપદમ ટર્મિનલના વિકાસની સમીક્ષા કરી, કોચિન બંદરના વલ્લારપદમ ટર્મિનલને દક્ષિણ ભારત માટે સૌથી પ્રિય ગેટવે અને દક્ષિણ એશિયાના અગ્રણી ટ્રાન્સ-શિપમેન્ટ હબ તરીકે વિકસાવવાનો પ્રસ્તાવ છે. કોચીન બંદરના વલ્લારપદમ ટર્મિનલની વિકાસ પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી. ડી.પી.વર્લ્ડ દ્વારા સંચાલિત ભારતના પ્રથમ ટ્રાન્સ-શિપમેન્ટ બંદર તરીકે તેની કલ્પના કરવામાં આવી છે. અધિકારીઓને વિવિધ પડકારોનો સામનો કરવા અને ભારતના ટ્રાન્સ-શિપમેન્ટ હબ અને દક્ષિણ એશિયાના પ્રણેતા કેન્દ્રના દ્રષ્ટિકોણને વાસ્તવિક બનાવવા માટે નિર્દેશ આપ્યા હતા. માંડવીયાએ જણાવ્યું હતું કે “ભારતીય બંદર પર ભારતીય કાર્ગો ટ્રાન્સશિપ સુનિશ્ચિત કરવા અમે ભારતીય બંદર પર ટ્રાન્સ-શિપમેન્ટ…
છેલ્લાં 5 વર્ષમાં 5 કરોડથી વધુ યુવકોએ કૌશલ્ય હાંસલ કર્યુ છે. કુશળ કામદારોના કૌશલ્યની માપણી માટેના પોર્ટલનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, તેનાથી વતનમાં પાછા ફરેલા હીજરતી શ્રમિકો સહિતના કામદારોને આસાનીથી નોકરી મેળવવામાં સહાય થશે. માલિકો માઉસ પર ક્લિક કરતાંની સાથે જ કુશળ કામદારોનો સંપર્ક કરી શકશે. હીજરતી શ્રમિકોના કૌશલ્યનો ઉપયોગ કરવાથી સ્થાનિક અર્થતંત્રને ફાયદો થશે. આ ઉપરાંત તેમણે દેશમાં ઉપલબ્ધ કૌશલ્યની તકોનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે હેલ્થકેર સેકટરનુ ઉદાહરણ આપતાં જણાવ્યુ હતું કે, ભારતના કુશળ કામદારો વિશ્વની જરૂરિયાતને પૂરક બની શકે તેમ છે. તેમણે જે માંગ હોય તેનુ આકલન કરવાની તથા ભારતનાં કૌશલ્યનાં…
ચીન સરહદે ચાલી રહેલ તંગદિલી વચ્ચે સમાચારો છે કે બીઆરઓએ પૂર્વ લદ્દાખમાં દુનિયાના સૌથી ઉંચો રોડનું કામ લગભગ પુરૂ કરી દીધું છે. આ રોડ દુનિયાના સૌથી ઉંચા મેદાન મરસિમક-લા પરથી પસાર થાય છે અને પેંગોંગ-ત્સો સરોવર નજીકના લુકુંગ અને ફોબરાંગને એલએસીના હોટ-સ્પ્રીંગ સાથે જોડે છે. હોટ-સ્પ્રીંગ એલએસીનો એજ વિવાદિત વિસ્તાર છે જયાં હાલમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે માથાકુટ ચાલી રહી છે. સુત્રો અનુસાર, મરસિમક-લા રોડની કુલ લંબાઇ ૭પ કિ.મી. છે અને તે લગભગ ૧૮૯પ૩ ફુટની ઉંચાઇ સુધી જાય છે. સરકારે ર૦૧૭માં ડોકલામ વિવાદ પછી તરત જ બીઆરઓ એટલે કે બોર્ડર રોડ ઓર્ગનાઇઝેશનને આ રોડની મંજૂરી આપી હતી. માહિતી અનુસાર…